રતિલાલ બોરીસાગર

વિકિપીડિયામાંથી
રતિલાલ બોરીસાગર
રતિલાલ બોરીસાગર ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૯
રતિલાલ બોરીસાગર ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૯
જન્મ (1938-08-31) 31 August 1938 (ઉંમર 85)
સાવરકુંડલા
વ્યવસાયશિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., બી.એડ., પીએચ.ડી.
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯)
જીવનસાથીસુશીલાબહેન
માતા-પિતાઓસંતોષબહેન, મોહનલાલ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધગુજરાતીમાં સાહિત્યિક સંપાદન: વિવેચનાત્મક અધ્યયન (૧૯૮૯)
માર્ગદર્શકચંદ્રકાન્ત શેઠ

રતિલાલ બોરીસાગર ગુજરાતી ભાષાના હાસ્યલેખક, નિબંધકાર સાહિત્યકાર છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા ૧૯૮૯માં સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવી. ત્યાર બાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ કરી ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે.[૧]

સર્જન[ફેરફાર કરો]

તેમની મુખ્ય રચનાઓમાં મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ નામે હાસ્ય લેખ, સંભવામિ યુગે યુગે નામે લઘુનવલ તથા બાલ વન્દના નામે બાલસાહિત્ય આપી છે.[૧]

સન્માન[ફેરફાર કરો]

૨૦૧૯માં તેમને નિબંધસંગ્રહ મોજમાં રેવું રે! માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯) પ્રાપ્ત થયો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ પારેખ, મધુસૂદન (૨૦૦૧). "બોરીસાગર, રતિલાલ મોહનલાલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 57. OCLC 163822128.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]