રથયાત્રા (અમદાવાદ)

રથયાત્રા હિન્દુ તહેવાર છે. અમદાવાદમાં ૧૮૭૮ થી દરેક અષાઢ સુદ બીજ પર જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.[૧] આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે.[૨]
રથયાત્રા ગુજરાત રાજ્યના લોકોત્સવ (જાહેર તહેવાર) તરીકે ઉજવાય છે. પુરી અને કોલકાતાની રથયાત્રા પછી અમદાવાદની રથયાત્રા એ ત્રીજી સૌથી મોટી રથયાત્રા તહેવાર છે, જે પણ તે જ દિવસે ઉજવવામાં આવે છે.[૨]
દંતકથા
[ફેરફાર કરો]ભગવાન જગન્નાથ સાધુ નરસિંહદાસના સ્વપ્નમાં આવ્યા અને તે ઘટના પછી, તેમણે ૧૮૭૮માં રથયાત્રા ઉજવવાનું શરૂ કર્યું.[૩]
પરંપરાઓ
[ફેરફાર કરો]રથો ભરૂચથી ખલાસ જાતિના ભક્તો દ્વારા નારિયેળના વૃક્ષથી બનાવવામાં આવ્યા હતા. રથો હજુ પણ તે જાતિના લોકો દ્વારા ચલાવવામાં આવે છે.[૪]
જળયાત્રા
[ફેરફાર કરો]જળયાત્રા જેઠ સૂદ પૂનમ પર નીકાળવામાં આવે છે ત્યારે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા પ્રતીકાત્મક રીતે મામાના ઘરે જવા સારંગપુર રવાના થાય છે, તે દિવસથી મંદિરમાં દર્શન બંધ થાય છે. [૫] પ્રભુની જળયાત્રા માટે સરઘસ સાથે સાબરમતી નદી પર આવે છે અને ગંગા પૂજન કરે છે. વૈદિક મંત્રોનો જાપ કરીને ષોડષોપચાર પૂજનવિધિ કર્યા પછી, પ્રતીકાત્મક રીતે ભગવાનને તેમના મામાના ઘરે મોકલવામાં આવે છે.[૫]
નેત્રોત્સવ
[ફેરફાર કરો]રથયાત્રાના બે દિવસ પહેલાં, મૂર્તિઓ પર નેત્રોત્સવની રીત યોજવામાં આવે છે. માન્યતા અનુસાર, મોસાળમાં વધુ પડતાં જાંબુ અને બોર ખઈને ભગવાનને નેત્રદાહ થઈ જાય છે. તેથી, કપડાં થી આંખો આવરીને, નેત્રોત્સવ પૂજન દરમિયાન મૂર્તિઓ માટે પ્રતીકાત્મક રીતે તેની સારવાર કરવામાં આવે છે.[૬]
રથયાત્રા
[ફેરફાર કરો]મંગળા આરતી સવારે ૪ વાગ્યે કરવામાં આવે છે અને સામાન્ય રીતે રથયાત્રા ૭ વાગ્યે નીકાળવામાં આવે છે. પહિંદ વિધી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે, જેમાં રથયાત્રાના માર્ગની પ્રતીકાત્મક સફાઈ કરવામાં આવે છે, જેના પછી રથનો પ્રારંભ થાય છે.[૭] રથયાત્રામાં, ભગવાન જગન્નાથનો રથ પહેલો હોય છે, ત્યારબાદ સુભદ્રા અને બલરામનો રથ આવે છે. અખાડા, હાથીઓ, સુશોભિત ટ્રક અને ભજન મંડળી પણ ૧૪ કિમી લાંબી રથયાત્રામાં ભાગ લે છે.[૮]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Passage being smoothened for 141st Rath Yatra". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-07-04.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - 1 2 "136th Jagannath rath yatra begins in Ahmedabad amid tight security". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-07-04.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "રથયાત્રા". www.sadhanaweekly.com. મેળવેલ 2019-07-04.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "જાણો અમદાવાદ જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ". khabarchhe.com. મેળવેલ 2019-07-04.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)[હંમેશ માટે મૃત કડી] - 1 2 "Jal Yatra – Shree Jagannathji Mandir" (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ 2019-07-04.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Netrotsav puja performed ahead of Rath Yatra in Ahmedabad". DeshGujarat (અમેરિકન અંગ્રેજીમાં). 2017-06-23. મેળવેલ 2019-07-04.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Jagannath Rath Yatra Begins in Gujarat". મૂળ માંથી 2014-10-10 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ "Over 25,000 cops, drone cameras to secure Gujarat Rath Yatra on July 4". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-07-04.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)CS1 maint: url-status (link)