રાજપરા(ખો) (તા. સિહોર)

વિકિપીડિયામાંથી
રાજપરા (ખોડીયાર)
—  ગામ  —
રાજપરા (ખોડીયાર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′58″N 72°00′07″E / 21.732713°N 72.001891°E / 21.732713; 72.001891
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

રાજપરા (ખોડીયાર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગીયાર) તાલુકાઓ પૈકીના એક એવા સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. અહીંયા રેલ્વેસ્ટેશન પણ આવેલું છે. રાજપરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં જમરૂખ અને દાડમની વાડીઓ પણ ઘણી છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામથી થોડે દુર ભાવનગરના રાજવીઓના કુળદેવી આઇશ્રી ખોડિયાર માતાજીનું પ્રસિધ્ધ ખોડિયાર મંદિર આવેલ છે. નજીકમાં ટાણા પાસે જ એક બીજુ રાજપરા નામનું ગામ હોવાથી આ ગામને ખોડિયાર માતાજી સાથે સાંકળીને રાજપરા (ખોડિયાર) અને ટુંકમાં રાજપરા (ખો) તરીકે લખાય છે, જ્યારે ટાણા પાસેના રાજપરાને રાજપરા (ટા) થી ઓળખવામાં આવે છે. ગામની નજીક શામપરા (ખો) આવેલું છે, જે ખોડિયાર માતાજીના મંદિરના મુખ્ય દ્વારની સામેની બાજુએ આવેલા રાષ્ટ્રીય માર્ગ પર આવેલું છે.

સિહોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન