રામ વી. સુતાર
રામ સુતાર | |
|---|---|
નવી દિલ્હીમાં દયાવતી મોદી જન્મજયંતિ સમારોહમાં રામ વી. સુતાર | |
| જન્મની વિગત | રામ વણજી સુતાર ૧૯ ફેબ્રુઆરી ૧૯૨૫ ગોંદુર, ખાનદેશ જિલ્લો, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત |
| મૃત્યુ | ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ (ઉંમર 100) નોઇડા, ઉત્તર પ્રદેશ, ભારત |
| રાષ્ટ્રીયતા | બ્રિટીશ ભારતીય (૧૯૨૫-૧૯૪૭) ભારતીય (૧૯૪૭-) |
| શિક્ષણ | સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ |
નોંધપાત્ર કાર્ય |
|
| જીવનસાથી | પ્રમિલા સુતાર |
| પુરસ્કારો | મહારાષ્ટ્ર ભુષણ (૨૦૨૪) પદ્મભૂષણ (૨૦૧૬) ટાગોર પુરસ્કાર (૨૦૧૬) પદ્મશ્રી (૧૯૯૯) |

રામ વણજી સુતાર (૧૯ ફેબ્રુઆરી ૧૯૨૫ - ૧૮ ડિસેમ્બર ૨૦૨૫) એક ભારતીય શિલ્પકાર હતા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (૧૮૨ મીટર) તરીકે ખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન તેમણે તૈયાર કરી હતી.[૧]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]સુતારનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૨૫ના રોજ બોમ્બે પ્રેસિડેન્સીના ખાનદેશ જિલ્લાના ગોંડુર ગામમાં વિશ્વકર્મા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ૧૯૫૨માં તેમણે પ્રમિલા સાથે લગ્ન કર્યા.[૨] ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૧૦૦ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.[૩][૪]
કારકિર્દી
[ફેરફાર કરો]

સુતારે ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની રચના કરી હતી. તેમણે ૧૪ મીટર ઉંચા ચંબલ સ્મારક તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ બનાવી હતી, જેની નકલ કરીને અન્ય દેશોમાં મોકલવામાં આવી છે.[૫][૬][૭] તેમણે ભારતીય સંસદમાં સ્થિત મહાત્મા ગાંધીની બેઠેલી સ્થિતિમાં પ્રતિમા ડિઝાઇન કરી હતી. તેની એક મોટી પ્રતિકૃતિ તેમણે વિધાન સૌધા ખાતે બનાવી હતી. તેઓ બેંગલુરુ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 33 મીટર ઊંચી કેમ્પે ગૌડા પ્રતિમાના ડિઝાઇનર પણ હતા.[૮]
બ્રિસ્બેનના ભારતીય સમુદાયે રોમા સ્ટ્રીટ પાર્કલેન્ડ ખાતે રામ વી. સુતાર અને અનિલ સુતાર દ્વારા બનાવવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી,[૯][૧૦] તેનું અનાવરણ ૨૦૧૪માં ભારતના તત્કાલીન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
પુરસ્કાર
[ફેરફાર કરો]૧૯૯૯માં, તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને ૨૦૧૬માં, પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૧] ઓક્ટોબર ૨૦૧૮માં, સુતારને ૨૦૧૬ના સાંસ્કૃતિક સંવાદિતા માટે ટાગોર પુરસ્કાર મળ્યો હતો.[૧૨] તેમને રાજ્ય સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેની જાણકારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ૨૦ માર્ચ ૨૦૨૫ ના રોજ વિધાનસભાને આપી હતી.[૧૩][૧૪][૧૫]
જાણીતા શિલ્પ
[ફેરફાર કરો]- કૃષ્ણ અર્જુન રથ સ્મારક અને બ્રહ્મા સરોવર. કાંસ્ય પ્રતિમા, રામ વી. અને અનિલ આર. સુતાર, ૨૦૦૮.
- સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લો, ૨૦૧૮
- મહાત્મા ગાંધીજીની કાંસ્ય પ્રતિમા, વિધાનસૌધા. ૨૦૧૪
- સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી, કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઈમથક, બેંગ્લોર. કાંસ્ય, ૨૦૨૨
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "India unveils world's tallest statue". BBC News. 31 October 2018. મૂળ સંગ્રહિત માંથી 2018-10-31 પર સંગ્રહિત. મેળવેલ 31 October 2018.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ Ram Vanji Sutar's Biography સંગ્રહિત ૨૪ એપ્રિલ ૨૦૧૨ ના રોજ વેબેક મશિન
- ↑ "आंतरराष्ट्रीय ख्यातीचे शिल्पकार राम सुतार यांचं वृद्धापकाळानं निधन, शिल्पकलेचा तेजस्वी दीप मालवला". Abp Live (મરાઠીમાં). 18 December 2025. મેળવેલ 18 December 2025.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "शिल्पकलेचा उपासक काळाच्या पडद्याआड! महाराष्ट्र भूषण राम सुतार यांचे निधन". Lokmat. 18 December 2025. મેળવેલ 18 December 2025.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "'Statue of Unity' To Be Completed in 2 Years: Renowned Sculptor Ram Sutar". NDTV.com. 12 May 2016. મૂળ સંગ્રહિત માંથી 2016-08-01 પર સંગ્રહિત. મેળવેલ 26 July 2016.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Meet the man who sculpted Sardar Vallabhbhai Patel's Statue of Unity – Monumental ambitions". The Economic Times. મૂળ સંગ્રહિત માંથી 2018-10-28 પર સંગ્રહિત. મેળવેલ 3 November 2018.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Sutar's studio સંગ્રહિત ૨૪ એપ્રિલ ૨૦૧૨ ના રોજ વેબેક મશિન
- ↑ "PM Modi to inaugurate Terminal 2 of Bengaluru international airport in November". The News Minute (અંગ્રેજીમાં). 2022-10-10. મેળવેલ 2022-10-10.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Moore, Tony (16 November 2014). "Indian PM Narendra Modi unveils Gandhi statue". Brisbane Times (અંગ્રેજીમાં). મેળવેલ 7 April 2024.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Mohandas Karamchand (Mahatma) Gandhi". Monument Australia. મેળવેલ 7 April 2024.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ સંગ્રહિત (PDF) માંથી 2015-10-15 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Tagore Awards for Cultural Harmony: Manipuri dancer, Bangladeshi sculptor among recipients". The Indian Express (અંગ્રેજીમાં). 2018-10-26. મેળવેલ 2021-06-12.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Sculptor Ram Sutar to get Maharashtra Bhushan award: CM Devendra Fadnavis". The Economic Times. 2025-03-20. ISSN 0013-0389. મેળવેલ 2025-03-20.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Sculptor Ram Sutar, designer of Statue of Unity and KIA's Kempegowda statue, to get Maharashtra Bhushan award". Deccan Herald (અંગ્રેજીમાં). મેળવેલ 2025-03-20.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Maharashtra: राम सुतार को मिलेगा महाराष्ट्र भूषण पुरस्कार, स्टैच्यू ऑफ यूनिटी समेत बना चुके हैं ये प्रतिमाएं". Amar Ujala (હિન્દીમાં). મેળવેલ 2025-03-20.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)