રુખમાબાઈ
રુખમાબાઈ | |
---|---|
![]() | |
જન્મની વિગત | 22 November 1864 |
મૃત્યુ | 25 September 1955 | (ઉંમર 90)
વ્યવસાય | ડોક્ટર, સ્ત્રી સશક્તિકરણ |
રુખમાબાઈ (૨૨ નવેમ્બર ૧૮૬૪-૨૫ સપ્ટેમ્બર ૧૯૫૫) એક ભારતીય ચિકિત્સક અને નારીવાદી હતા. તેઓ અંગ્રેજોના સાશન દરમ્યાન ભારત પ્રથમ પ્રેક્ટિસ કરતી મહિલા ડૉકટરોમાંના એક હતા (સૌપ્રથમ ડૉ. કાદમ્બિની ગાંગુલી છે, જેમણે ૧૮૮૬ માં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું.) તેમજ ૧૮૮૪ અને ૧૮૮૮ ની વચ્ચે બાળ લગ્ન કન્યા તરીકે તેમના લગ્નને લગતા સીમાચિહ્નરૂપ છૂટાછેડાના કાનૂની કેસમાં સામેલ હતા. આ કેસએ ઘણા વિષયો પર નોંધપાત્ર જાહેર ચર્ચા ઉભી કરી હતી, જેમાં મુખ્યત્વે બ્રિટિશ શાસિત ભારત અને ઇંગ્લેન્ડ બંનેમાં કાયદો વિરુદ્ધ પરંપરા, સામાજિક સુધારા વિરુદ્ધ રૂઢિચુસ્તતા અને નારીવાદનો સમાવેશ થતો હતો. જેને પરિણામે છેવટે ૧૮૯૧ માં સંમતિની ઉંમરનો કાયદો અસ્તિત્વમાં આપ્યો.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]રુખમાબાઈનો જન્મ એક મરાઠી પરિવારમાં જનાર્દન પાંડુરંગ અને જયંતીબાઈને ત્યાં થયો હતો. રુખમાબાઈ બે વર્ષના હતા ત્યારે તેમના પિતા જનાર્દન પાંડુરંગનું અવસાન થયું તેના છ વર્ષ પછી, જયંતીબાઈએ મુંબઈના એક પ્રખ્યાત ચિકિત્સક અને સામાજિક કાર્યકર્તા, વિધુર સખારામ અર્જુન સાથે લગ્ન કર્યા. જયંતીબાઈના સુથાર સમુદાયમાં તે સમયે વિધવાઓના પુનર્લગ્નની મંજૂરી હતી .[૧]
તેના દોઢ વર્ષ પછી, ૧૧ વર્ષની રુખમાબાઈના લગ્ન ૧૯ વર્ષના દાદાજી ભીકાજી સાથે કરવામાં આવ્યા, જે તેમના સાવકા પિતાના પિતરાઈ ભાઈ હતા. તે સમયના સમકાલીન સામાજિક ધોરણોથી વિપરિત, દાદાજી રુખમાબાઈના પરિવાર સાથે ઘરજમાઈ તરીકે રહે તેવી સંમતિ સધાઈ. તેમના ઘરજમાઈનો ખર્ચ તેઓ સંપૂર્ણ રીતે પૂરી પાડવામાં આવશે ત્વી ગોઠવણ હતી. તેમની અપેક્ષા હતી કે તેઓ યોગ્ય સમયે શિક્ષણ પ્રાપ્ત કરશે અને "એક સારા માણસ બનશે". લગ્નના છ મહિના પછી, રુખમાબાઈ તરુણાવસ્થામાં પહોંચી ગયા હતા, ત્યારે લગ્નદંપતિ લગ્નજીવનની શરૂઆત કરી શકે. પરંતુ ડૉ. સખારામ અર્જુને, સુધારાવાદી વૃત્તિઓના પ્રખ્યાત ચિકિત્સક હોવાને કારણે, તેમણે દાંપત્તિક લગ્ન જીવનના શરૂઆતની રજા ન આપી.[૧]
આથી ૨૦ વર્ષના ભીકાજી નારાજ થયા હતા, તેમણે રુખમાબાઈના પરિવારના તેમને "એક સારા માણસ" બનાવવાના પ્રયાસોનો પણ વિરોધ કર્યો હતો. શિક્ષણ પ્રત્યેની તેમની નફરત ઉપરાંત, અને યુનિવર્સિટીમાં જવાની ઉંમરે તેમને છઠ્ઠા ધોરણમાં વાની ફરજ પાડવામાં આવતા તેઓ દુઃખી થયા. આ દરમિયાન, ભીકાજીની માતાનું અવસાન થયું અને સખારામ અર્જુનની ઈચ્છા વિરુદ્ધ, તેઓ પોતાના મામા નારાયણ ધુર્માજી સાથે રહેવા ચાલ્યા ગયા. ધુર્માજીના ઘરના વાતાવરણમાં ભીકાજીના જીવનમાં આળસ અને ઉદ્ધતાઈ વધી પડ્યા. તેમણે દેવું પણ કર્યું, જેને તે રુખમાબાઈ સાથે ઘરમાં આવેલી મિલકત વાપરી ચુકવવા માંગતા હતા. રુખમાબાઈએ ભીકાજી સાથે રહેવા, ધુર્માજીના ઘરે જવાનો ઇનકાર કર્યો હતો, આ નિર્ણયને તેમના સાવકા પિતા, ડૉ. સખારામ અર્જુને ટેકો આપ્યો હતો.[૧]
તે જ વર્ષો દરમ્યાન રુખમાબાઈએ ફ્રી ચર્ચ મિશન લાઇબ્રેરીમાંથી પુસ્તકોનો ઉપયોગ કરીને ઘરે અભ્યાસ કર્યો. તેમના પિતાના ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે ના જોડાણને કારણે તેઓ, તે સમયે પશ્ચિમ ભારતમાં મહિલાઓના કાર્યોના મજબૂત સમર્થક એવા વિષ્ણુ શાસ્ત્રી પંડિત જેવા અગ્રણી વ્યક્તિઓ અને અમુક યુરોપીયન પુરુષો અને સ્ત્રીઓના સંપર્કમાં પણ આવ્યા, આને પરિણામે ઉદાર સુધારાવાદના બીજ તેમનામાં રોપાયા. તેઓ તેમની માતા સાથે, નિયમિતપણે પ્રાર્થના સમાજ અને આર્ય મહિલા સમાજની સાપ્તાહિક બેઠકોમાં પણ હાજરી આપતા.[૨]
ભીકાજી દ્વારા "વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના" નો કેસ
[ફેરફાર કરો]માર્ચ ૧૮૮૪માં, ભીકાજીએ સખારામ અર્જુનને તેમના વકીલો ચૉક અને વૉકર દ્વારા કાનૂની નોટિસ મોકલી હતી, જેમાં તેમને રુખમાબાઈને તેમની સાથે વૈવાહિક સંબધે જોડાતા અટકાવવાનું કહેવામાં આવ્યું હતું. આખરે સખારામ અર્જુને વકીલો પેને-ગિલ્બર્ટ થકી કાનૂનનો આશ્રય લીધો, અને સયાનીએ રુખમાબાઈના ભીકાજી સાથે જોડાવાના ઇનકાર માટે આધાર પૂરો પાડ્યો.[૩]
૧૮૮૫માં, "ભીકાજી વિરુદ્ધ રુખમાબાઈ, ૧૮૮૫" શીર્ષક ધરાવતો "વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના" માંગતો ભીકાજીનો કેસ સુનાવણી માટે આવ્યો હતો જેનો ચુકાદો ન્યાયમૂર્તિ રોબર્ટ હિલ પિન્હેએ પસાર કર્યો હતો. પિનહેએ જણાવ્યું હતું કે વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના અંગેના અંગ્રેજી કાયદા હેઠળના ચુકાદાઓ આ કેસમાં લાગુ પડતા નથી કારણ કે અંગ્રેજી કાયદો સંમતિથી પુખ્ત વયના લોકો પર લાગુ થાય છે. તેમણે અંગ્રેજ કાયદાના કેસોમાં પણ ખામી શોધી અને હિંદુ કાયદામાં આવો કોઈ દાખલો ન જોયો. તેમણે જાહેર કર્યું કે રુખમાબાઈના લગ્ન તેમના "અસહાય બાળપણ" માં થયા હતા અને તેઓ ભીકાજી યુવતી પર દબાણ ન કરી શકે. આ બાદ ન્યાયમૂર્તિ પિનહે ટૂંક સમયમાં નિવૃત્ત થયા. ૧૮૮૬માં આ કેસ ફરીથી સુનાવણી માટે લાવવામાં આવ્યો હતો. રુખમાબાઈના વકીલોમાં જે. ડી. ઇનવેરારીટી જુનિયર અને કાશીનાથ ત્રિમ્બક તેલંગનો સમાવેશ થતો હતો. આ કેસની સમાજના વિવિધ વર્ગો દ્વારા ટીકા કરવામાં આવી હતી, કેટલાક કિસ્સાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાયદો હિંદુ રિવાજોની પવિત્રતાને માન આપતો નથી. ખાસ કરીને,વિશ્વનાથ નારાયણ મંડલિક દ્વારા સંચાલિત એંગ્લો-મરાઠી સાપ્તાહિક - નેટિવ ઓપિનિયન - માં ન્યાયમૂર્તિ પિનહેના નિર્ણયની ટીકા દ્વારા કરવામાં આવી હતી અને ભીકાજીને ટેકો આપ્યો હતો. બાલગંગાધર તિલક દ્વારા સંચાલિત પુણેના સાપ્તાહિક 'મરાઠા' માં લખવામાં આવ્યું હતું કે ન્યાયમૂર્તિ પિન્હે હિંદુ કાયદાઓની ભાવનાને સમજી શક્યા ન હતા અને તેમણે 'હિંસક માધ્યમો' દ્વારા સુધારાઓની માંગ કરી હતી. આ દરમિયાન, સુનાવણી પહેલા અને દરમિયાન ટાના સમય દરમ્યાન ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં 'એ હિન્દુ લેડી' ઉપનામ હેઠળ લખાયેલા લેખોની શ્રેણીના પણ સમાજમાં પ્રડઘાઓ પડ્યા હતા. પાછળથી તે વાત બહાર આવી આ શ્રેણીના લેખક બીજા કોઈ નહીં પણ રુખમાબાઈ જાતે હતા. આ જાહેર ચર્ચા હિંદુ વિરુદ્ધ અંગ્રેજી કાયદો એ વિષયના વિવાદના અનેક મુદ્દાઓ પર આધારિત હતી. આંતરિક સુધારા વિરુદ્ધ બાહ્ય સુધારા અને પ્રાચીન રિવાજો આદરને પાત્ર છે કે નહીં એવા પણ ચર્ચાના વિષયો હતા. આ કેસ સામે પ્રથમ અપીલ ૧૮ માર્ચ ૧૮૮૬ના રોજ કરવામાં આવી હતી અને મુખ્ય ન્યાયાધીશ સર ચાર્લ્સ સાર્જન્ટ અને ન્યાયમૂર્તિ એલ. એચ. બેલી દ્વારા અપીલને સમર્થન આપવામાં આવ્યું હતું. ૪ માર્ચ ૧૮૮૭ના રોજ, ન્યાયમૂર્તિ ફારનએ હિન્દુ કાયદાના અર્થઘટનનો ઉપયોગ કરીને રુખમાબાઈને "તેમના પતિ સાથે રહેવા અથવા છ મહિનાની જેલનો સામનો કરવાનો" આદેશ આપ્યો હતો. રુખમાબાઈએ જવાબ આપ્યો કે તેઓ ચુકાદાનું પાલન કરવાને બદલે જેલની સજા ભોગવવાનું પસંદ કરશે. આના પરિણામે વધુ ઉથલપાથલ અને સામાજિક ચર્ચા થઈ. બાલગંગાધર ટિળકે કેસરીમાં લખ્યું હતું કે રુખમાબાઈની અવજ્ઞા એ અંગ્રેજી શિક્ષણનું પરિણામ હતું અને જાહેર કર્યું હતું કે હિંદુ ધર્મ જોખમમાં છે. બીજી બાજુ, મેક્સ મુલરે લક્યું હતું કે કાનૂની માર્ગ રુખમાબાઈના કેસની સમસ્યાનું સમાધાન નથી અને તે રુખમાબાઈનું શિક્ષણ હતું કે જેણે તેણીને પોતાની પસંદગીનો શ્રેષ્ઠ ન્યાયાધીશ બનાવ્યો હતો.[૪]
લગ્ન વિચ્છેદ
[ફેરફાર કરો]અદાલતના ચુકાદા પછી, તેમણે રાણી વિક્ટોરિયા અપીલ કરી.
એવો દાવો કરવામાં આવ્યો છે કે રાણી વિક્ટોરિયાએ અદાલતને નકારી કાઢી હતી અને લગ્ન વિચ્છેદની રજા આપી હતી. જોકે આ કેસમાં રાણી વિક્ટોરિયાના સીધા હસ્તક્ષેપને ટેકો આપતાવા કોઈ પ્રાથમિક દસ્તાવેજી પુરાવા પૂરા પાડવામાં આવ્યા નથી.
જુલાઈ ૧૮૮૮માં ભીકાજી સાથે સમજૂતી થઈ હતી અને તેમણે બે હજાર રૂપિયાની ચુકવણી મેળવી રુખમાબાઈ પરનો દાવો છોડી દીધો હતો. ભીકાજીએ ૧૮૮૯માં પુનર્લગ્ન કર્યા અને રુખમાબાઈ વ્યાપકપણે આદરણીય નારીવાદી અને તબીબી વ્યવસાયી બન્યા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Chandra, Sudhir (2008). Enslaved Daughters: Colonialism, Law and Women's Rights (અંગ્રેજીમાં). Oxford University Press. doi:10.1093/acprof:oso/9780195695731.001.0001. ISBN 978-0-19-569573-1.
- ↑ Burton, Antoinette (1998-03-30). At the Heart of the Empire: Indians and the Colonial Encounter in Late-Victorian Britain (અંગ્રેજીમાં). University of California Press. ISBN 978-0-520-91945-7.
- ↑ Chandra, Sudhir (2008). "Rukhmabai and Her Case". માં Chandra, Sudhir (સંપાદક). Enslaved Daughters. Oxford University Press. પૃષ્ઠ 15–41. doi:10.1093/acprof:oso/9780195695731.003.0001. ISBN 9780195695731.
- ↑ Robb, George; Erber, Nancy (1999). Disorder in the Court: Trials and Sexual Conflict at the Turn of the Century. Springer. પૃષ્ઠ 42–44.