લલિતા સખી
| લલિતા | |
|---|---|
| અષ્ટસખીના સભ્ય | |
શ્રી ગોવર્ધન પર્વત મંદિર, અંજાર, ગુજરાત ખાતે રાધા કૃષ્ણના નજીકના સહયોગીઓમાંની એક લલિતા સખીની પ્રતિમા. | |
| અન્ય નામો | લલિતા ગોપી, લલિતા સખી |
| ધર્મ | રાધા વલ્લભ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાય, પુષ્ટિમાર્ગ, હરિદાસી સંપ્રદાય, ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય |
| જોડાણો |
|
| રહેઠાણ | વૃંદાવન |
| લિંગ | સ્ત્રી |
| ક્ષેત્ર | વ્રજ પ્રદેશ |
| મંદિર | શ્રી લલિતા સખી મંદિર, ઉંચાગાંવ |
| ઉત્સવો | લલિતા સપ્તમી, લઠમાર હોળી, શરદ પૂર્ણિમા, કારતક પૂર્ણિમા |
| વ્યક્તિગત માહિતી | |
| જીવનસાથી | કૃષ્ણ |
| કુળ | યદુવંશ-ચંદ્રવંશ |
લલિતા (સંસ્કૃત: ललिता), જેને સામાન્ય રીતે લલિતા સખી પણ કહેવામાં આવે છે, તે એક હિન્દુ દેવી છે અને દૈવી યુગલ રાધાકૃષ્ણના સૌથી અગ્રણી સાથીઓમાંની એક છે.[૧] ઘણી વૈષ્ણવ પરંપરાઓ અને સાહિત્યમાં તેણીને વ્રજ પ્રદેશની ગોપી તરીકે પૂજનીય માનવામાં આવે છે અને રાધા-કૃષ્ણના આઠ સૌથી નજીકની શાશ્વત સખીઓ અષ્ટસખીના વડા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.[૨]
લલિતાને રાધાનું વિસ્તરણ અને કૃષ્ણની પત્ની તરીકે ગણવામાં આવે છે.[૩][૪] દ્વાપર યુગમાં બરસાના નજીક આવેલા ઊંચાગાંવને લલિતાનું જન્મસ્થળ માનવામાં આવે છે જ્યારે ગોલોકનો ઉલ્લેખ તેમના આધ્યાત્મિક નિવાસસ્થાન તરીકે કરવામાં આવે છે.[૫] તેણીનો જન્મદિવસ દર વર્ષે વ્રજમાં ભાદરવા સુદ સાતમે લલિતાસપ્તમીના પ્રસંગરુપે ઉજવવામાં આવે છે, જે રાધાષ્ટમીના તહેવારના એક દિવસ પહેલા આવે છે.[૬]
જીવન અને દંતકથા
[ફેરફાર કરો]લલિતાને અષ્ટસાખીઓમાં સૌથી વયસ્ક ગોપી તરીકે પૂજનીય માનવામાં આવે છે અને તે રાધા કરતાં ૨૭ દિવસ મોટી હોવાનું વર્ણવવામાં આવે છે. લલિતાનો જન્મ તેના માતાપિતા, વિશોક (પિતા) અને સારાદી (માતા)ને ત્યાં બરસાના નજીક ઊંચાગાંવમાં થયો હતો.[૭][૮]
શાસ્ત્રો અનુસાર દ્વાપર યુગમાં રાધા અને કૃષ્ણની મુલાકાતો અને વિવિધ લીલાઓનું સુવ્યવસ્થિત આયોજન કરવું લલિતાનું કર્તવ્ય છે. તે રાસલીલા, રાધાકૃષ્ણ વિવાહ લીલા અને લઠમાર હોળી સહિત દિવ્ય યુગલની ઘણી લીલાઓનો અભિન્ન ભાગ છે.[૯]
બ્રહ્મવૈવર્ત પુરાણ અને ગર્ગ સંહિતા અનુસાર જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડીને ગયા ત્યારે લલિતાના નેતૃત્વમાં બધી અષ્ટસખીઓ તેમના ગામ છોડીને રાધા સાથે કડલી જંગલમાં ગયા.[૧૦][૧૧]
રાધાકૃષ્ણનો ૧૦૦ વર્ષનો વિરહ કાળ સમાપ્ત થયા પછી, કૃષ્ણ વ્રજ પાછા આવ્યા અને કડલી જંગલમાં અષ્ટસખીઓ અને રાધાને મળ્યા. ત્યાં કૃષ્ણએ એક વિશાળ દિવ્ય રથ બોલાવ્યો અને રાધા, લલિતા સહિતની બધી ગોપીઓ અને વ્રજના રહેવાસીઓને તેમના દિવ્ય ધામ ગોલોકમાં પાછા લઈ ગયા.[૧૨][૧૩]
સાહિત્ય અને પ્રતીકવાદ
[ફેરફાર કરો]લલિતા ગોપીનો ઉલ્લેખ અનેક વૈષ્ણવ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. કેટલાક ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ અષ્ટસખીની ગોપી અથવા મુખ્ય તરીકે કરવામાં આવ્યો છે જ્યારે અન્યમાં તેમને રાધાકૃષ્ણના સૌથી નજીકના સાથી તરીકે વર્ણવવામાં આવ્યા છે. જે પ્રમુખ ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે તેમાં ગર્ગ સંહિતા,[૧૪] પદ્મ પુરાણ,[૧૫] નારદ પુરાણ[૧૬] અને બ્રહ્મ વૈવર્ત પુરાણ મુખ્ય છે.[૧૭]
શાક્તપરંપરામાં લલિતા ગોપી અને અન્ય અષ્ટસખીઓને અષ્ટ સિદ્ધિઓના અવતાર તરીકે ગણવામાં આવે છે: - અણીમા, મહિમા, ગરિમા, લઘીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇષિત્વ અને વશીત્વ.[૧૮]
પૂજા
[ફેરફાર કરો]રાધા વલ્લભ સંપ્રદાય, ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાય, પુષ્ટિમાર્ગ સંપ્રદાય, જગદગુરુ કૃપાલુ પરિષત અને હરિદાસી સંપ્રદાય સહિત અનેક પરંપરાઓમાં લલિતા ગોપીની પૂજા કરવામાં આવે છે.[૧૯][૨૦][૨૧]
સ્ત્રોત
[ફેરફાર કરો]- રૂપા ગોસ્વામી દ્વારા શ્રી લલિતા અષ્ટકમ
- સ્કંદ પુરાણમાં શ્રી લલિતા ધ્યાન મંત્ર[૭]
મંદિર
[ફેરફાર કરો]
લલિતાનું મુખ્ય મંદિર તેમના જન્મસ્થળ ખાતે આવેલું છે, જ્યાં તેમની પૂજા કૃષ્ણ સાથે તેમની પત્ની તરીકે કરવામાં આવે છે. આ મંદિરને શ્રી લલિતા સખી મંદિર, ઊંચગાંવ કહેવામાં આવે છે.[૫] શ્રી રાધા મદન મોહન મંદિર, વૃંદાવન, શ્રી રાધા રાસબિહારી અષ્ટસખી મંદિર, વૃંદાવન અને શ્રી રાધા મદન મોહન મંદિર, કરૌલી, શ્રી અષ્ટસખી મંદિર, બરસાના સહિતના અન્ય મંદિરોમાં પણ તેણીની પૂજા કરવામાં આવે છે.[૨૨][૨૩]
અવતાર
[ફેરફાર કરો]કળિયુગમાં, વૃંદાવનના લોકપ્રિય સંત અને સંગીતકાર સ્વામી હરિદાસને લલિતાનો અવતાર કહેવામાં આવે છે. તેમણે વૃંદાવનના નિધિવનમાં બાંકે બિહારીની મૂર્તિ પ્રગટ કરી હતી.[૨૪][૨૫][૨૬]
રૂપાંતરણ
[ફેરફાર કરો]લોકપ્રિય માધ્યમોમાં, લલિતા સખીને કલાકારો દ્વારા ટીવી શ્રેણીમાં દર્શાવવામાં આવે છે.
- રામાનંદ સાગરની ૧૯૯૩ની શ્રેણી 'શ્રી કૃષ્ણ'માં લલિતાનું પાત્ર પાપિયા સેનગુપ્તાએ ભજવ્યું હતું.
- ૨૦૧૮ની શ્રેણી 'રાધાકૃષ્ણ'માં લલિતાનું પાત્ર પ્રિયા થાનકીએ ભજવ્યું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Callewaert, Winand M.; Snell, Rupert (1994). According to Tradition: Hagiographical Writing in India (અંગ્રેજીમાં). Otto Harrassowitz Verlag. pp. 59–62. ISBN 978-3-447-03524-8.
- ↑ Vemsani, Lavanya (2016-06-13). Krishna in History, Thought, and Culture: An Encyclopedia of the Hindu Lord of Many Names: An Encyclopedia of the Hindu Lord of Many Names (અંગ્રેજીમાં). ABC-CLIO. p. 107. ISBN 978-1-61069-211-3.
{{cite book}}: Check date values in:|date=(મદદ) - ↑ Jestice, Phyllis G. (2004). Holy People of the World: A Cross-cultural Encyclopedia (અંગ્રેજીમાં). ABC-CLIO. pp. 316–317. ISBN 978-1-57607-355-1.
- ↑ Hawley, John Stratton (1992). At Play with Krishna: Pilgrimage Dramas from Brindavan (અંગ્રેજીમાં). Motilal Banarsidass Publ. p. 17. ISBN 978-81-208-0945-1.
Radha expresses herself in the multiple forms of gopis
- 1 2 "Unchagaon". iskcondesiretree.com. મેળવેલ 2024-08-05.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Lalita Saptami | Lalita Saptami 2024 Date | Tuesday, 10 September 2024". BhaktiBharat.com (અંગ્રેજીમાં). મેળવેલ 2024-08-05.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - 1 2 "Lalita Sakhi". vcm.org.in (અંગ્રેજીમાં). મેળવેલ 2024-08-05.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Uncha Gaon – Lalita Sakhi's Village". Braj Ras – Bliss of Braj Vrindavan (અંગ્રેજીમાં). મેળવેલ 2024-08-05.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Fahy, John (2018-07-23). "The Constructive Ambiguity of Vedic Culture in ISKCON Mayapur". The Journal of Hindu Studies. 11 (3): 234–259. doi:10.1093/jhs/hiy008. ISSN 1756-4255.
{{cite journal}}: Check date values in:|date=(મદદ) - ↑ "गर्ग संहिता पृ. 347". hi.krishnakosh.org (હિન્દીમાં). મૂળ માંથી 9 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-30.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "ब्रह्म वैवर्त पुराण पृ. 898". hi.krishnakosh.org (હિન્દીમાં). મૂળ માંથી 9 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-30.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "गर्ग संहिता पृ. 827". hi.krishnakosh.org (હિન્દીમાં). મૂળ માંથી 9 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-30.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "ब्रह्म वैवर्त पुराण पृ. 976". hi.krishnakosh.org (હિન્દીમાં). મૂળ માંથી 9 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-30.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Gita Press Gorakhpur. Garga Samhita Gita Press Gorakhpur. pp. 99–100.
- ↑ Gita Press. Padma Purana – Gita Press. p. 554.
- ↑ Gita Press Gorakhpur. Narada Puran. p. 517.
- ↑ Brahma Vaivarta Purana – English Translation – All Four Kandas. 2003-01-01. pp. 248, 673, 728.
{{cite book}}: Check date values in:|date=(મદદ) - ↑ "Tantra and some Śaiva Thinkers", An Introduction to Indian Philosophy (Bloomsbury Academic), 2015, doi:10.5040/9781474243063.0022, ISBN 978-1-4725-2476-8, http://dx.doi.org/10.5040/9781474243063.0022, retrieved 2023-07-06
- ↑ Bachrach, Emilia (2014-05-14). Reading the medieval in the modern : the living tradition of hagiography in the Vallabh sect of contemporary Gujarat (Thesis thesis) (અંગ્રેજીમાં).
{{cite thesis}}: Check date values in:|date=(મદદ) - ↑ Goel, Swati (2016-09-28). "Political and Merchant Devotees : Multiple facets of pilgrimage to the medieval region of Braj (16th and 17th centuries)". International Journal of Religious Tourism and Pilgrimage. 4 (6). doi:10.21427/D7NQ6M. ISSN 2009-7379.
{{cite journal}}: Check date values in:|date=(મદદ) - ↑ Gosvāmī, Hita Harivaṃśa; Snell, Rupert (1991). The Eighty-four Hymns of Hita Harivaṃśa: An Edition of the Caurāsī Pada (અંગ્રેજીમાં). Motilal Banarsidass Publ. ISBN 978-81-208-0629-0.
- ↑ "Shri Radha Rasbihari Ashtasakhi Temple". 18 November 2018. મૂળમાંથી અહીં સંગ્રહિત 18 નવેમ્બર 2018. મેળવેલ 24 માર્ચ 2026.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Ashtasakhi Temple, Barsana". Braj Ras – Bliss of Braj Vrindavan. (અંગ્રેજીમાં). મેળવેલ 2024-08-05.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Unchagaon". iskcondesiretree.com. મેળવેલ 2023-07-06.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Sri Lalita Sakhi". iskcondesiretree.com. મેળવેલ 2023-07-06.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ The Color Guide to Vr̥ndāvana: India's Most Holy City of Over 5,000 Temples (અંગ્રેજીમાં). Vedanta Vision Publication. 2000.