લવજીભાઈ પરમાર
લવજીભાઈ પરમાર એક વણાટ કળાકાર છે જેઓ ટાંગલિયા નામની વણાટકળાના કસબી છે. [૧] ઈ. સ. ૨૦૨૫માં ભારત સરકારે કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કર્યો હતો. [૨]
જીવન
[ફેરફાર કરો]લવજીભાઈ નાગજીભાઈ પરમાર વઢવાણ ડાંગસિયા સમુદાયના કળાકર છે. [૩]
કાર્ય
[ફેરફાર કરો]લવજીભાઈ ટાંગલિયા નામની કળાના કસબી છે. ૭૦૦ વર્ષ જૂની આ પરંપરાગત વણાટ કલાને જીવંત રાખવા, પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને તેનું મહત્ત્વ સમજાવના અને તેને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.[૪] આ વણાટકળાને આગામી પેઢીઓ સુધી પહોંચાડવા માટે તેમણે એક સહિયારું સુવિધા કેન્દ્ર (કોમન ફેસિલિટી સેન્ટર-Common Facility Centre) બનાવ્યું છે, જેમાં આ કળાની તાલીમ આપવામાં આવે છે. તેમણે તાલીમાર્થીઓને તકનીકી અને બજાર સહાય પૂરી પાડી ૨૦-૨૫ વણકરોને રોજગારી આપી અને અન્ય લોકો માટે આજીવિકાનો માર્ગ ખુલ્લો કર્યો. દેશભરમાં પ્રદર્શનો યોજી વેચાણકર્તાઓ સાથે સહયોગ કરી તેમણે આ લુપ્ત થતી વણાટ કળાને પ્રોત્સાહન આપ્યું છે.[૩]
તેમને ટાંગલિયાનો તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ૪ દાયકા જેટલો સમય આ કળાને સમર્પિતકર્યો છે,[૫] જે દરમિયાન ૧૫૦ જેટલા સ્ત્રીપુરુષોને આ કળા શીખવી છે.[૬]
પહેલાનાં સમયમાં ટાંગલિયા વણાટ ઘેટાંના ઊનમાંથી કરવામાં આવતો. તેની ખપત ઘટતા લવજીભાઈની ટીમે ટાંગલિયાને કોટનમાં બનાવ્યા. જેમાં તેમણે કુશન કવર, સાડી, ડ્રેસ બનાવ્યા.[૫]
ટાંગલિયા વણાટ
[ફેરફાર કરો]પહેલાના સમયમાં ઘેટાંના ઊનમાંથી બનતાં ટાંગલિયા વણાટના વસ્ત્રો ભરવાડ, રબારી અને આહિર સમાજનાં લોકો વાપરતાં. ગુજરાતની ડાંગસિયા નામની અનુસૂચિત જનજાતિ આ કાપડ વણે છે. ૭૦૦ વર્ષ જૂની આ કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે. આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ધુંસળું અને લોબડી જેવા હાથવણાટના વસ્ત્રો દેદાદરા, વસ્તડી અને વડલા ગામોના સમૂહમાં વણવામાં આવે છે.[૫]
ટાંગલિયા શાલને જીઓ ટેગ પણ મળેલો છે.[૭]
પુરસ્કાર
[ફેરફાર કરો]- ઈ.સ. ૧૯૯૦માં કળા ક્ષેત્રના યોગદાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર. [૮]
- ઈ. સ. ૨૦૧૯ - સંત કબીર એવૉર્ડ [૯]
- ઈ. સ. ૨૦૨૫માં ભારત સરકારે કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કર્યો હતો.[૧૦]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Artisan Details on INDEXT-C, A Gujarat Government Organization". 2025-01-27.
{{cite web}}: Check date values in:|date=(મદદ) - ↑ "Wayback Machine" (PDF). www.padmaawards.gov.in. મૂળ સંગ્રહિત (PDF) માંથી 2025-01-26 પર સંગ્રહિત. મેળવેલ 2025-01-27.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 "Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે". Gujarat First. મેળવેલ 2025-01-27.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "2025 Padma Shri awards honour unsung heroes of Indian culture and social progress". The Times of India. 2025-01-25. ISSN 0971-8257. મેળવેલ 2025-01-27.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 3 "ગુજરાતના લવજીભાઈ પરમાર અને સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરાશે, જાણો કયા ક્ષેત્રે આપ્યું યોગદાન". www.gujaratsamachar.com. મેળવેલ 2025-01-27.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "લુપ્તપ્રાય ટાંગલિયા કળાને જીવતી રાખવા બદલ, વઢવાણના લવજીભાઈ પરમારને મળશે 'પદ્મશ્રી'". 2025-01-27.
{{cite web}}: Check date values in:|date=(મદદ) - ↑ "Tangaliya gets GI status". The Times of India. November 16, 2009. મેળવેલ 2014-04-12.
{{cite web}}: Check date values in:|accessdate=and|date=(મદદ) - ↑ "National Award Winners". 2025-01-27.
{{cite web}}: Check date values in:|date=(મદદ) - ↑ "State wise -Consolidated Handloom Awardee List upto 2019" (PDF).
- ↑ "2025 Padma Shri awards honour unsung heroes of Indian culture and social progress". The Times of India. 2025-01-25. ISSN 0971-8257. મેળવેલ 2025-01-27.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)