લખાણ પર જાઓ

લવજીભાઈ પરમાર

વિકિપીડિયામાંથી

લવજીભાઈ પરમાર એક વણાટ કળાકાર છે જેઓ ટાંગલિયા નામની વણાટકળાના કસબી છે. [] ઈ. સ. ૨૦૨૫માં ભારત સરકારે કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કર્યો હતો. []

લવજીભાઈ નાગજીભાઈ પરમાર વઢવાણ ડાંગસિયા સમુદાયના કળાકર છે. []

લવજીભાઈ ટાંગલિયા નામની કળાના કસબી છે. ૭૦૦ વર્ષ જૂની આ પરંપરાગત વણાટ કલાને જીવંત રાખવા, પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને તેનું મહત્ત્વ સમજાવના અને તેને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.[] આ વણાટકળાને આગામી પેઢીઓ સુધી પહોંચાડવા માટે તેમણે એક સહિયારું સુવિધા કેન્દ્ર (કોમન ફેસિલિટી સેન્ટર-Common Facility Centre) બનાવ્યું છે, જેમાં આ કળાની તાલીમ આપવામાં આવે છે. તેમણે તાલીમાર્થીઓને તકનીકી અને બજાર સહાય પૂરી પાડી ૨૦-૨૫ વણકરોને રોજગારી આપી અને અન્ય લોકો માટે આજીવિકાનો માર્ગ ખુલ્લો કર્યો. દેશભરમાં પ્રદર્શનો યોજી વેચાણકર્તાઓ સાથે સહયોગ કરી તેમણે આ લુપ્ત થતી વણાટ કળાને પ્રોત્સાહન આપ્યું છે.[]

તેમને ટાંગલિયાનો તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ૪ દાયકા જેટલો સમય આ કળાને સમર્પિતકર્યો છે,[] જે દરમિયાન ૧૫૦ જેટલા સ્ત્રીપુરુષોને આ કળા શીખવી છે.[]

પહેલાનાં સમયમાં ટાંગલિયા વણાટ ઘેટાંના ઊનમાંથી કરવામાં આવતો. તેની ખપત ઘટતા લવજીભાઈની ટીમે ટાંગલિયાને કોટનમાં બનાવ્યા. જેમાં તેમણે કુશન કવર, સાડી, ડ્રેસ બનાવ્યા.[]

ટાંગલિયા વણાટ

[ફેરફાર કરો]

પહેલાના સમયમાં ઘેટાંના ઊનમાંથી બનતાં ટાંગલિયા વણાટના વસ્ત્રો ભરવાડ, રબારી અને આહિર સમાજનાં લોકો વાપરતાં. ગુજરાતની ડાંગસિયા નામની અનુસૂચિત જનજાતિ આ કાપડ વણે છે. ૭૦૦ વર્ષ જૂની આ કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે. આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ધુંસળું અને લોબડી જેવા હાથવણાટના વસ્ત્રો દેદાદરા, વસ્તડી અને વડલા ગામોના સમૂહમાં વણવામાં આવે છે.[]

ટાંગલિયા શાલને જીઓ ટેગ પણ મળેલો છે.[]

પુરસ્કાર

[ફેરફાર કરો]
  • ઈ.સ. ૧૯૯૦માં કળા ક્ષેત્રના યોગદાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર. []
  • ઈ. સ. ૨૦૧૯ - સંત કબીર એવૉર્ડ []
  • ઈ. સ. ૨૦૨૫માં ભારત સરકારે કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કર્યો હતો.[૧૦]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Artisan Details on INDEXT-C, A Gujarat Government Organization". 2025-01-27. {{cite web}}: Check date values in: |date= (મદદ)
  2. "Wayback Machine" (PDF). www.padmaawards.gov.in. મૂળ સંગ્રહિત (PDF) માંથી 2025-01-26 પર સંગ્રહિત. મેળવેલ 2025-01-27. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. 1 2 "Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે". Gujarat First. મેળવેલ 2025-01-27. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. "2025 Padma Shri awards honour unsung heroes of Indian culture and social progress". The Times of India. 2025-01-25. ISSN 0971-8257. મેળવેલ 2025-01-27. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  5. 1 2 3 "ગુજરાતના લવજીભાઈ પરમાર અને સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરાશે, જાણો કયા ક્ષેત્રે આપ્યું યોગદાન". www.gujaratsamachar.com. મેળવેલ 2025-01-27. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  6. "લુપ્તપ્રાય ટાંગલિયા કળાને જીવતી રાખવા બદલ, વઢવાણના લવજીભાઈ પરમારને મળશે 'પદ્મશ્રી'". 2025-01-27. {{cite web}}: Check date values in: |date= (મદદ)
  7. "Tangaliya gets GI status". The Times of India. November 16, 2009. મેળવેલ 2014-04-12. {{cite web}}: Check date values in: |accessdate= and |date= (મદદ)
  8. "National Award Winners". 2025-01-27. {{cite web}}: Check date values in: |date= (મદદ)
  9. "State wise -Consolidated Handloom Awardee List upto 2019" (PDF).
  10. "2025 Padma Shri awards honour unsung heroes of Indian culture and social progress". The Times of India. 2025-01-25. ISSN 0971-8257. મેળવેલ 2025-01-27. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)