લખાણ પર જાઓ

લાલસિંહ રાઓલ

વિકિપીડિયામાંથી

લાલસિંહ માનસિંહ રાઓલ (૨૬ માર્ચ, ૧૯૨૫ – ૨૧ જુલાઈ, ૨૦૧૯) એ ભારતીય ગુજરાતી પક્ષીવિજ્ઞાની, પ્રકૃતિ સંરક્ષણવાદી અને લેખક હતા. તેમણે અનેક સંસ્થાઓમાં સેવા આપી હતી અને ગુજરાતના પક્ષીઓ પર કેટલાક ગુજરાતી પુસ્તકો લખ્યા હતા.

જીવનચરિત્ર

[ફેરફાર કરો]

રાઓલનો જન્મ ૨૬ માર્ચ ૧૯૨૫ના રોજ લીંબડીમાં (હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં) થયો હતો, જ્યાં તેમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો. તેમણે ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી ભાવનગરની શામળદાસ કોલેજમાં બી. એ. (ઓનર્સ) નો અભ્યાસ કર્યો હતો.

કોલેજના વર્ષો દરમિયાન, તેમને પક્ષી નિરીક્ષણમાં રસ જાગ્યો અને ભાવનગરની આસપાસના પક્ષીઓનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેમને લવકુમાર ખાચર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ૧૯૫૫ થી ૧૯૮૩ સુધી ગુજરાત સરકારના જાહેર બાંધકામ વિભાગમાં કામ કર્યું, ત્યારબાદ ૧૯૮૫ થી ચાર વર્ષ માટે અમદાવાદના થલતેજ ટેકરા ખાતે સ્થિત પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં સેવા આપી હતી.[][][][][]

તેમણે પર્યાવરણ સંરક્ષણ અને પક્ષી સંરક્ષણ માટે પ્રકૃતિ શિબિરોમાં અનેક યુવાનોને તાલીમ આપી હતી. તેમણે 'પક્ષી સંરક્ષણ મંડળ ગુજરાત'ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેઓ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (ઇન્ડિયા)ના પ્રાદેશિક કારોબારીના સભ્ય હતા. તેમણે પક્ષી સંરક્ષણ મંડળના અંગ્રેજી મુખપત્ર ફ્લેમિંગો તેમજ ગુજરાતી ત્રિમાસિક વિહંગના સલાહકાર તરીકે પણ સેવા આપી છે.[][]

૨૧ જુલાઈ ૨૦૧૯ના રોજ ૯૪ વર્ષની વયે ગુજરાતના રાજપીપળા ખાતે તેમનું અવસાન થયું હતું.[]

પુસ્તકો

[ફેરફાર કરો]

તેમણે ગુજરાતના પક્ષીઓ વિશે માહિતી એકત્રિત કરી અને પક્ષીઓ પર ઘણા ગુજરાતી પુસ્તકો લખ્યા. તેમણે કેટલાક સ્થાનિક પક્ષીઓને ગુજરાતી નામો આપ્યા છે.[][][]

  • પંખીઓની ભાઈબંધી (૧૯૮૩)
  • પ્રકૃતિ પરિચય શ્રેણી (૪ પુસ્તકો)
    • જીવનભરના સાથી – આસપાસના પંખી
    • વીડ, વગડાના પંખી
    • વન, ઉપવનના પંખી
    • પાણીના સંગાથી
  • બર્ડ્સ, બર્ડ્સ, બર્ડ્સ
  • ગુજરાતનું પંખી જગત
  • જીવસૃષ્ટિ
  • પક્ષીઓ અને જંતુઓ

ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમના પુસ્તક જીવનભરના સાથી – આસપાસના પંખીને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમનું પુસ્તક પાણીના સંગાથી પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું હતું.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 ત્રિવેદી, કિશોરચંદ્ર આર. (June 2008). "ઝાલાવાડની ધરાનાં પાણીદાર મોતીડાં". In દેવલુક, નંદલાલ બી. (સંપાદક). ધન્યધરા: શાશ્વત સૌરભ, ભાગ:૨. ભાવનગર: અરિહંત પ્રકાશન. p. 838.
  2. 1 2 3 4 "ગુજરાતના 'સલિમ અલી'ની વિદાય, પ્રકૃતિ-પક્ષી સંરક્ષણનો એક યુગ આથમી ગયો: ગુજરાતના જાણીતા પક્ષીવિદ લાલસિંહ માનસિંહ રાઓલનું ૯૪ વર્ષે રાજપીપળા ખાતે નિધન". NavGujarat Samay. 2019-07-24. મેળવેલ 2025-10-30. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. રાવલ, શૈલેષ. "હવે પક્ષીવિદ લાલસિંહ રાઓલ નથી, તો પછી, નવા પંખીઓને 'દાદા' હવે ઓળખશે કોણ.?". www.newzviewz.com (અંગ્રેજીમાં). મેળવેલ 2025-10-30. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. "પક્ષીવિદ્દ લાલસિંહ રાઓલનો પાયો શામળદાસ કોલેજમાં ચણાયો હતો". દિવ્ય ભાસ્કર. 2019-07-24. {{cite news}}: Check date values in: |date= (મદદ)
  5. 1 2 "Environment Day Special : પ્રકૃતિ-પંખીઓની ભાઈબંધી કરવાનો અવસર કરી આપતા પક્ષીવિદ્". Navajivan News. 2023-06-05. મેળવેલ 2025-10-30. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)