વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫/અહેવાલ
ગુજરાતી વિકિપીડિયા પર ૧ ફેબ્રુઆરી ૨૦૨૫, (૦૦.૦૧ રાત્રે) – ૩૧ માર્ચ ૨૦૨૫ (૧૧.૫૯ રાત્રે) સુધી નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫નું આયોજન થયું હતું.
સ્પર્ધા માટે લેખો રજૂ કરવા કેમ્પવીઝ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૧]
આ સ્પર્ધામાં કુલ ૬ સભ્યોએ નામ નોંધાવ્યા હતા તે પૈકી કુલ ૪ સ્પર્ધકોએ કુલ ૫૩ (૩૮ નવા અને ૧૫ વિસ્તૃત કરેલા) લેખો સ્પર્ધા માટે રજૂ કર્યા હતા. આ પૈકી નિર્ણાયકે ૪૯ લેખોને સ્પર્ધા માટે મંજૂર કર્યા અને તેને ગુણ આપ્યા (જેમાં વિસ્તૃત કરેલા ૧૪ લેખનો પણ સમાવેશ થતો હતો).
પરિણામ
[ફેરફાર કરો]સ્નેહરશ્મિએ સૌથી વધુ ગુણ (૨૧) મેળવ્યા છે, તેથી તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે. દ્વિતીય ક્રમે ૧૭ ગુણાંક સાથે બૃહસ્પતિ અને ૧૦ ગુણાંક સાથે મેઘધનુ તૃતીય ક્રમે વિજેતા રહ્યા છે. ભાગ લેનાર સૌ સભ્યોને અભિનંદન અને આભાર!
સભ્ય | વિજેતા ક્રમ | લેખો (નવા બનાવેલ + વિસ્તૃત) | પ્રાપ્ત ગુણ |
---|---|---|---|
સ્નેહરશ્મિ | ૧ | ૨૩ (૯ નવા +૧૪ વિસ્તૃત) | ૨૧ |
બૃહસ્પતિ | ૨ | ૧૮ (૧૭ નવા + ૧ વિસ્તૃત) | ૧૭ |
મેઘધનુ | ૩ | ૧૧ (૧૧ નવા + ૦ વિસ્તૃત) | ૧૦ |
અ ને કાંઈ નહી અ | ૪ | ૧ (૧ નવો + ૦ વિસ્તૃત) | ૧ |
સ્પર્ધા અંતર્ગત લેખોની સંખ્યા એટલે કે ગુણાંક આધારે ઈનામની સાથેસાથે એક શ્રેષ્ઠ લેખને પણ ઈનામ આપવાનું પ્રયોજન હતું. આ માટે સભ્ય બૃહસ્પતિએ બનાવેલો લેખ નંદ કુંવરબાઈજી પસંદ કરવામાં આવ્યો છે. નંદ કુંવરબાઈજી લેખ આ સ્પર્ધાની વિષયવસ્તુ નારીવાદ અને લોકસંસ્કૃતિને બંધબેસતો અને ગુજરાતને સંલગ્ન લેખ છે, કારણ કે તે પાત્ર એક વાસ્તવિક નારીવાદી ગુજરાતી સન્નારી છે. આમ તે લેખ નારીવાદ અને ગુજરાત એમ બન્ને વિષયોને પૂરતો ન્યાય આપે છે.
વિહંગાવલોકન
[ફેરફાર કરો]વિહંગાવલોકન | સંખ્યા |
---|---|
નામ નોંધાવનાર સભ્યો | ૬ |
લેખ રજૂ કરનાર સભ્યો | ૪ |
રજૂ થયેલા કુલ લેખો | ૫૩ |
નવા બનેલા કુલ લેખો | ૩૮ |
વિસ્તૃત કરેલા કુલ લેખો | ૧૫ |
કુલ મંજૂર લેખો | ૪૯ |