વિજય શાસ્ત્રી

વિકિપીડિયામાંથી
વિજય શાસ્ત્રી
૨૦૦૯માં કીમ , સુરત ખાતે શાસ્ત્રી
૨૦૦૯માં કીમ , સુરત ખાતે શાસ્ત્રી
જન્મ૧૦ ઓગસ્ટ ૧૯૪૫
સાંતાક્રૂઝ, મુંબઈ, બ્રિટિશ રાજ
વ્યવસાયલઘુકથા લેખક, નવલકથાકાર, વિવેચક, અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ. એઅ., પીએચ. ડી.
માતૃ શિક્ષણ સંસ્થાએમ. ટી. બી. આર્ટસ્ કૉલેજ, ગુજરાત યુનિવર્સિટી
જીવનસાથી
દીપ્તી (લ. 1975)
સંતાનોનિકેત, વાસ્તવ
સહી

વિજય રમણલાલ શાસ્ત્રી (જન્મ: ૧૦ ઑગસ્ટ ૧૯૪૫) એ ગુજરાતી ભાષાના એક લઘુકથા લેખક, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક છે. તેઓનું શિક્ષણ સુરતની એમ. ટી. બી. આર્ટસ્ કૉલેજમાં થયું, અને તેઓ ત્યાં જ કાર્યરત હતા અને તેમણે વિવેચનો ઉપરાંત બસોથી વધુ ટૂંકી વાર્તાઓ પણ લખી છે.

જીવન[ફેરફાર કરો]

વિજય શાસ્ત્રીનો જન્મ ૧૦ ઑગસ્ટ ૧૯૪૫ ના દિવસે સાંતાક્રુઝ, મુંબઈમાં રામગૌરી અને રમણલાલ શાસ્ત્રીને ઘેર થયો હતો.[૧] તેમણે પ્રાથમિક શિક્ષણ શાળા નં .૨ અને માધ્યમિક શાળા શિક્ષણ સુરતની જીવનભારતી શાળામાંથી પૂર્ણ કર્યું. ૧૯૬૧માં, તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટસ્ કૉલેજમાં જોડાયા. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યા પછી, તેમણે ૧૯૬૫ માં બી. એ. અને ૧૯૬૭ માં એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. ચૌદ વર્ષ પછી, ૧૯૮૧માં તે જ વિશ્વવિદ્યાલયમાંથી, તેમણે તેમનું થિસિસ (પીએચ ડી. નો મહાનિબંધ) ચાર વર્તાકારો: એક અભ્યાસ (જયંત ખત્રી, સુંદરમ્, ઉમાશંકર, જયંતિ દલાલ) ની સાથે જયંત પાઠકના મર્ગદર્શન હેઠળ પૂર્ણ કરી.[૨][૩] તેમની પ્રથમ કૃતિ રુચિ સામાયિકમાં પ્રકાશિત થઈ હતી.

તેમણે દમણની એક કૉલેજમાં અને બાદમાં સુરતની વાડિયા મહિલા કૉલેજમાં શિક્ષણ આપ્યું. ત્યાર બાદ તેઓ ૧૯૬૮માં એમ.ટી.બી. આર્ટસ કૉલેજમાં જોડાયા, જ્યાં તેમણે ૨૦૦૭માં નિવૃત્તિ સુધી શિક્ષણ આપ્યું. તેમણે ત્યાં ૧૯૮૯ થી ૨૦૦૭ દરમ્યાન ગુજરાતી વિભાગના વડા તરીકે પણ સેવા આપી હતી.[૨] તેમણે તેમના એમ.એ. ના અભ્યાસ (૧૯૬૫-૬૭) દરમ્યાન દૈનિક ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં ટૂંક સમય માટે કામ કર્યું હતું.

શાસ્ત્રીએ ૧૯૭૫ માં સુરતમાં દિપ્તી સાથે લગ્ન કર્યા હતા અને તેઓને બે પુત્રો, નિકેત અને વાસ્તવ છે.[૧]

રચનાઓ[ફેરફાર કરો]

શાસ્ત્રી ખાસ કરીને તેમની તકનીકોમાં એક પ્રાયોગિક વાર્તા લેખક છે.[૨] શ્રીમતી શાહની એક બાપોર (૧૯૭૧), અહીં તો (૧૯૭૩), હોવું એટલે હોવું (૧૯૭૮), ઇત્તરેતર (૧૯૭૯), ઇત્યાદી (૧૯૮૮), અસારે ખાલુ સંસારે (૧૯૯૩),શ્રવણ ની કાવડ (૨૦૦૧), આવાગમન (૨૦૦૮) અને સરનામું બદલાય છે (૨૦૧૫)એ તેમના ટૂંકી વાર્તા સંગ્રહો છે તેમણે ગુજરાતી ભાષામાં કુલ ૨૦૦ થી વધુ ટૂંકી વાર્તાઓ લખી છે.[૩] તેમની વાર્તાઓમાં, માનવ લાગણીઓ ઉંડી તીવ્રતા સાથે વર્ણવવામાં આવે છે. તેમની પસંદ કરેલી વાર્તાઓ વિજય શાસ્ત્રીની શ્રેષ્ટ વર્તાઓ (૧૯૮૬) તરીકે તેમના પોતના જ દ્વારા સંપાદિત કરવામાં આવી હતી અને એક અન્ય સંગ્રહ વાર્તાવિશેષ (૨૦૦૭) નૂતન જાની દ્વારા સ્ંપાદિત કરવામાં આવ્યો હતો.

હું અને હું (૧૯૭૦) અને એક હતો માણસ (૧૯૭૦) એ તેમની નવલકથાઓ છે, તે તેમની લઘુકથાઓ જેટલી સફળ થઈ નથી.[૨] અમેરિકા: અલપ ઝલપ (૨૦૦૭) એ તેમના અનુભવો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની યાત્રા અંગેના પ્રતિભાવોનો પ્રવાસ છે. લીલા અપરંપાર (૨૦૦૦), અજબ ભયોજી ખેલ (૨૦૦૦), ખાલી ખાલી આવો (૨૦૦૧), છાસ ભી કભી દહી થી! (૨૦૦૩) અને પાઘડી: બંધ બેસતી (૨૦૦૭) એ તેમના રમૂજી નિબંધોનો સંગ્રહ છે. તેમાં વ્યંગના તત્વો પણ શામેલ છે.

મહાકવિ દાંતે: જીવન અને કવન (૧૯૭૦) એ દાંતે અલીગિરી અને તેમની કૃતિઓ ડિવાઇન કોમેડી અને ધ ન્યુ લાઇફ પરની વિવેચનાત્મક કૃતિ છે.[૨] સાહિત્યનો આસ્વાદ અને ચાંદ અલંકાર ચર્ચા (સહ લેખક), અત્રતત્ર (૧૯૮૨), ટૂંકી વાર્તા (૧૯૮૪), સૌંદર્યનિષ્ટાવાદ (૧૯૮૯), કથાપ્રત્યક્ષ (૧૯૯૦), કાવ્યરસ (૧૯૯૩), ચાર વાર્તાકારો: એક અભ્યાસ (૧૯૯૫,મહાનિબંધ), તત્પુરુષ (૧૯૯૭), બાવાન્નો સઘળો વિસ્તાર (૨૦૦૦), ત્રેપનમો જાણ્યે પાર (૨૦૦૨), સામંજ્યસ (૨૦૦૪), સંવાય (૨૦૦૬), સાહિત્યીક વાચનાઓ વિશે (૨૦૧૧), ક્રિતીગાટ (૨૦૧૪), તુલનાસંદર્ભ (૨૦૧૬), તત્સમ (૨૦૧૮) એ તેમની અન્ય વિવેચન કૃતિઓ છે.

સંસ્કાર ખાતર (૧૯૭૧), વિશ્વની પ્રતિનિધિ વાર્તાઓ (૧૯૭૪), પરાયા મુલકમા (તેમની પત્ની સાથે અનુવાદ - ૧૯૯૩), ત્રણ વિદેશી લઘુનવલો (ત્રણ વિદેશી લઘુ નવલકથા, (૧૯૯૬; મિગ્યુએલ ડી ઉનામુનો, જ્હોન સ્ટેઇનબેક અને ગાય દ મોપાસાં), મોક્ષગુદમ વિશ્વેશ્વરાય (૨૦૧૩) અને બર્નાર્ડ શોનું નાટક કેન્ડીડા એ તેમના અનુવાદો છે [૨] તથાકથિત (૧૯૮૭) એ તેમના દર્શનનું કાર્ય છે. પ્રભુ, આમ જ આપદા તું હરતો એ તેમની સંસ્મરણો છે.

૧૯૭૬ માં, તેમણે ઉદ્‌ગાર પ્રકાશિત કર્યો જેમાં તેમનો યુરોપિયન તેમ જ ભારતીય ચિંતકો જેવા કે આલ્બેર કેમ્યૂ, જ્યોર્જ બેર્નાર્ડ શો, એન્ટન ચેખોવ, કાલિદાસ અને સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા લેખકોનો અભ્યાસ શામેલ હતો.[૨] તેમણે ગુજરાતના ભાષાસાહિત્ય પર આધુનીકિકરણનો પ્રભાવ (૧૯૮૭), સાહિત્ય સિદ્ધાંતો (સહ-લેખિત, ૧૯૮૯) અને વિષયાંતર (૨૦૧૧) સંપાદિત કર્યા .

તેમની ટૂંકી વાર્તા "ના ધર્મે લબ્ધાકામાનો મુસદ્દો" ટેલિવિઝન પર મનસુખકાકાનો મુસદ્દો નામે પ્રદર્શિત આવી હતી.[૧]

પારિતોષિક[ફેરફાર કરો]

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શાસ્ત્રીને તેમના મહાનિબંધ (૧૯૯૫), ખાલી ખાલી આવો (૨૦૦૧) અને ત્રેપનમો જાણ્યે પાર (૨૦૦૨) માટે ઇનામ આપવામાં આવ્યા હતા.[૨][૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Jani, Suresh B. (2007-05-13). "વિજય શાસ્ત્રી". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ 2018-08-24.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 234–236. ISBN 978-93-5108-247-7.
  3. ૩.૦ ૩.૧ Jadav, Kishore (2002). Contemporary Gujarati Short Stories: An Anthology. Indian Publishers Distributors. પૃષ્ઠ 268. ISBN 978-81-7341-226-4.