મનમોહન સિંહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો.
નાનું રોબોટ ફેરફાર: bn, hi, kn, ml, mr, sa, ta, te
લીટી ૬૮: લીટી ૬૮:
[[ar:مانموهان سينغ]]
[[ar:مانموهان سينغ]]
[[bg:Манмохан Сингх]]
[[bg:Манмохан Сингх]]
[[bn:મનમોહન સિંહ]]
[[bn:মনমোহন সিংহ]]
[[cs:Manmohan Singh]]
[[cs:Manmohan Singh]]
[[cy:Manmohan Singh]]
[[cy:Manmohan Singh]]
લીટી ૮૪: લીટી ૮૪:
[[gl:Manmohan Singh]]
[[gl:Manmohan Singh]]
[[he:מאנמוהאן סינג]]
[[he:מאנמוהאן סינג]]
[[hi:મનમોહન સિંહ]]
[[hi:मनमोहन सिंह]]
[[hif:Manmohan Singh]]
[[hif:Manmohan Singh]]
[[hu:Manmohan Szingh]]
[[hu:Manmohan Szingh]]
લીટી ૯૨: લીટી ૯૨:
[[ja:マンモハン・シン]]
[[ja:マンモハン・シン]]
[[ka:მანმოჰან სინგჰი]]
[[ka:მანმოჰან სინგჰი]]
[[kn:ಮನಮೋಹನ್ ಸಿಂಗ್]]
[[kn:મનમોહન્ સિંગ્]]
[[ko:만모한 싱]]
[[ko:만모한 싱]]
[[lv:Manmohans Singhs]]
[[lv:Manmohans Singhs]]
[[ml:മൻമോഹൻ സിംഗ്‌]]
[[ml:મൻમોહൻ સિંગ્‌]]
[[mr:मनमोहनसिंग]]
[[mr:મનમોહનસિંગ]]
[[ms:Manmohan Singh]]
[[ms:Manmohan Singh]]
[[nl:Manmohan Singh]]
[[nl:Manmohan Singh]]
લીટી ૧૦૭: લીટી ૧૦૭:
[[ro:Manmohan Singh]]
[[ro:Manmohan Singh]]
[[ru:Сингх, Манмохан]]
[[ru:Сингх, Манмохан]]
[[sa:મનમોહન સિંહ]]
[[sa:मनमोहन सिंह]]
[[sco:Manmohan Singh]]
[[sco:Manmohan Singh]]
[[sh:Manmohan Singh]]
[[sh:Manmohan Singh]]
લીટી ૧૧૩: લીટી ૧૧૩:
[[sr:Манмохан Синг]]
[[sr:Манмохан Синг]]
[[sv:Manmohan Singh]]
[[sv:Manmohan Singh]]
[[ta:மன்மோகன் சிங்]]
[[ta:મ઩્મોક઩્ ચિઙ્]]
[[te:మన్మోహన్ సింగ్]]
[[te:મન્મોહન્ સિંગ્]]
[[tl:Manmohan Singh]]
[[tl:Manmohan Singh]]
[[tr:Manmohan Singh]]
[[tr:Manmohan Singh]]

૦૦:૫૮, ૨૭ ઓગસ્ટ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ડૉ. મનમોહન સિંહ'
જન્મ તિથિ: ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨
જન્મસ્થાન પંજાબ, પાકિસ્તાન
રાજનૈતિક દળ: ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ
ભારતના વર્તમાન વડાપ્રધાન
કાર્યકાળ: ૨૨ મે ૨૦૦૪ થી આજ સુધી

ડૉ. મનમોહન સિંહ (પંજાબી: ਮਨਮੋਹਨ ਸਿੰਘ) ભારતના વર્તમાન વડાપ્રધાન છે. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી અર્થશાસ્ત્રીનાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે. ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી, તેઓ જવાહરલાલ નેહરુ પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય. તેમને જૂન ૨૧, ૧૯૯૧થી મે ૧૬, ૧૯૯૬ સુધી નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણા મંત્રી તરિકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી. ૨૮ ફેબ્રુઆરીએ તેઓ સાઉદી અરેબિયાની યાત્રા પર ગયા હતા, આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે.

જીવન ઝરમર

મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૨૬ સપ્ટેઁબર ૧૯૩૨ ના થયો હતો. દેશના વિભાજનના બાદ સિંહ નો પરિવાર ભારત ચાલી આવ્યો. અહીઁ પંજાબ વિશ્વવિદ્યાલય થી તેમણે સ્નાતક તથા સ્વનાતકોત્તર સ્તર નો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ કૈમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા. જ્યાંથી તેમણે પી. એચ. ડી. કરી. તત્પશ્ચાત્ તેમણે આક્સફોર્ડ વિશ્વવિદ્યાલય થી ડી. ફિલ. પણ કર્યુઁ. તેમની પુસ્તક ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ, (અંગ્રેજી: India's Export Trends and Prospects for Self-Sustained Growth), ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિ ની પહેલી અને સટીક આલોચના મનાય છે. ડો. સિંહ એ અર્થશાસ્ત્રના અધ્યાપકના તરીકે કાફી ખ્યાતિ અર્જિત કરી. તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત ડેલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રાધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને ૧૯૮૭ તથા ૧૯૯૦ માં જીનીવા માં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. ૧૯૭૧ માં ડો. સિંહ ભારતના વાણિજ્ય મંત્રાલય માં આર્થિક સલાહકારના તરીકે નિયુક્ત કરાયા. આની તુરંત બાદ ૧૯૭૨ માં તેમને વાણિજ્ય મંત્રાલય માં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. આ બાદના વર્ષોં માં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ રહ્યાં છે. ભારતનો આર્થિક ઇતિહાસ માં હાલના વર્ષોં માં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડો. સિંહ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી ભારતના નાણા મંત્રી રહ્યાં. તેમણે ભારતના આર્થિક સુધારા ના પ્રણેતા મનાય છે. આમ જનમાનસ માં આ વર્ષ નિશ્ચિત રુપે ડો. સિંહના વ્યક્તિત્વના આસ-પાસ ફરે છે. ડો. સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતિ ગુરશરણ કૌર અને તેમની ત્રણ પુત્રીઓ છે.

મહત્વપૂર્ણ પડાવો

  • ૧૯૫૭-૧૯૬૪ : ચંડીગઢ સ્થિત પંજાબ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક
  • ૧૯૬૯-૧૯૭૧ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં અંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રોફેસર
  • ૧૯૭૬ : દિલ્હીના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં માનદ પ્રોફેસર
  • ૧૯૮૨-૧૯૮૫ : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર
  • ૧૯૮૫-૧૯૮૭ : યોજના આયોગના ઉપાધ્યક્ષ
  • ૧૯૮૭ : પદ્મવિભૂષણ
  • ૧૯૯૦-૧૯૯૧ : ભારતીય વડાપ્રધાનના આર્થિક સલાહકાર
  • ૧૯૯૧ : નરસિંહરાવના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારમાં નાણા મંત્રી
  • ૧૯૯૧ : આસામની સીટ પર રાજ્ય સભાના સભ્ય
  • ૧૯૯૫ : બીજી વખત રાજ્યસભાના સભ્ય
  • ૧૯૯૬ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં માનદ પ્રોફેસર
  • ૧૯૯૯ : દક્ષિણ દિલ્હીમાંથી લોક સભાની ચુંટણી લડ્યા, પણ હારી ગયા
  • ૨૦૦૧ : ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય અને સંસદમાં વિપક્ષના નેતા
  • ૨૦૦૪ : ભારતના વડાપ્રધાન

તેઓ અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને એશિયાઈ વિકાસ બેંક માટે પણ કામ કરી ચુક્યા છે.

પુરસ્કાર અને સન્માન

ભારતના સાર્વજનિક જીવનમાં ડો. સિંહને ઘણાં પુરસ્કાર અને સન્માન મળ્યાં છે . આમાં પ્રમુખ છે: -

ડો. સિંહ એ ઘણાં રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સંગઠનોં માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યુઁ છે . પોતાના રાજનૈતિક જીવન માં તેઓ ૧૯૯૧ થી રાજ્ય સભાના સાંસદ રહ્યાં છે . અને ૧૯૯૮ તથા ૨૦૦૪ માં સંસદમાં વિપક્ષના નેતા રહી ચુક્યાં છે.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ