વૈશમ્પાયન
| વૈશમ્પાયન | |
|---|---|
શૌનક દ્વારા કહેવાતા મહાભારતનું શ્રવણ કરતા વૈશમ્પાયન | |
| જોડાણો | ઋષિ |
| ગ્રંથો | મહાભારત, હરિવંશ |
વૈશમ્પાયન (સંસ્કૃત: वैशंपायन) એ ભારતના બે મુખ્ય સંસ્કૃત મહાકાવ્યોમાંના એક, મહાભારતના પરંપરાગત કથાકાર છે.[૧] તેઓ વ્યાસના ચાર મુખ્ય શિષ્યો પૈકીના એક હતા. તેમના ભત્રીજા અને શિષ્ય, યાજ્ઞવલ્ક્ય એક જાણીતા ઋષિ હતા.[૨]
દંતકથા
[ફેરફાર કરો]વૈશમ્પાયન એક પ્રખ્યાત ઋષિ છે જેમને કૃષ્ણ યજુર્વેદના મૂળ ગુરુ કહેવામાં આવે છે:[૩]
વ્યાસના શિષ્ય, બુદ્ધિશાળી મહાન પુરુષ વૈશમ્પાયને યજુર્વેદના વૃક્ષને સાત શાખાઓમાં વિભાજીત કર્યું.
— અગ્નિ પુરાણ, અધ્યાય ૧૫૦
અશ્વલયન ગૃહ્ય સૂત્રમાં તેમનો ઉલ્લેખ મહાભારતચાર્ય તરીકે કરવામાં આવ્યો છે. તૈત્તિરીય આરણ્યક અને પાણિની અષ્ટાધ્યાયીમાં પણ તેમનો ઉલ્લેખ છે.[૪]
માનવામાં આવે છે કે વ્યાસે વૈશંપાયનને એક લાખ શ્લોકો ધરાવતું મહાભારત શીખવ્યું હતું. તેમણે રાજા જન્મેજયને તેમના સર્પ સત્ર (સર્પયજ્ઞ) વખતે આ મહાકાવ્ય સંભળાવ્યું હોવાનું માનવામાં આવે છે.[૫] તેમના દ્વારા હરિવંશ પુરાણનો પણ પાઠ કરવામાં આવ્યો હતો, જ્યાં તેઓ વેન માંથી પૃથુના ઉદ્ભવની દંતકથા વર્ણવે છે.[૬][૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ www.wisdomlib.org (2019-01-28). "Story of Vaiśampāyana". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-11-05.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Swami Harshananda, A Concise Encyclopaedia of Hinduism
- ↑ www.wisdomlib.org (2021-11-13). "Names of different Manus, different Sages and others [Chapter 150]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-11-05.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Raychaudhuri, H.C. (1972). Political History of Ancient India: From the Accession of Parikshit to the Extinction of the Gupta Dynasty, Calcutta: University of Calcutta, p.38
- ↑ "The Mahabharata, Book 1:Adi Parva: Section I". sacred texts.
- ↑ Bhāratatattva: Course in Indology : a Study Guide (અંગ્રેજીમાં). Ramakrishna Mission Institute of Culture. 2006. p. 66. ISBN 978-81-87332-50-3.
- ↑ Debroy, Bibek (2016-09-09). Harivamsha (અંગ્રેજીમાં). Penguin UK. p. 32. ISBN 978-93-86057-91-4.
{{cite book}}: Check date values in:|date=(મદદ)