લખાણ પર જાઓ

વૈશમ્પાયન

વિકિપીડિયામાંથી
વૈશમ્પાયન
શૌનક દ્વારા કહેવાતા મહાભારતનું શ્રવણ કરતા વૈશમ્પાયન
જોડાણોઋષિ
ગ્રંથોમહાભારત, હરિવંશ

વૈશમ્પાયન (સંસ્કૃત: वैशंपायन) એ ભારતના બે મુખ્ય સંસ્કૃત મહાકાવ્યોમાંના એક, મહાભારતના પરંપરાગત કથાકાર છે.[] તેઓ વ્યાસના ચાર મુખ્ય શિષ્યો પૈકીના એક હતા. તેમના ભત્રીજા અને શિષ્ય, યાજ્ઞવલ્ક્ય એક જાણીતા ઋષિ હતા.[]

દંતકથા

[ફેરફાર કરો]

વૈશમ્પાયન એક પ્રખ્યાત ઋષિ છે જેમને કૃષ્ણ યજુર્વેદના મૂળ ગુરુ કહેવામાં આવે છે:[]

વ્યાસના શિષ્ય, બુદ્ધિશાળી મહાન પુરુષ વૈશમ્પાયને યજુર્વેદના વૃક્ષને સાત શાખાઓમાં વિભાજીત કર્યું.

અગ્નિ પુરાણ, અધ્યાય ૧૫૦

અશ્વલયન ગૃહ્ય સૂત્રમાં તેમનો ઉલ્લેખ મહાભારતચાર્ય તરીકે કરવામાં આવ્યો છે. તૈત્તિરીય આરણ્યક અને પાણિની અષ્ટાધ્યાયીમાં પણ તેમનો ઉલ્લેખ છે.[]

માનવામાં આવે છે કે વ્યાસે વૈશંપાયનને એક લાખ શ્લોકો ધરાવતું મહાભારત શીખવ્યું હતું. તેમણે રાજા જન્મેજયને તેમના સર્પ સત્ર (સર્પયજ્ઞ) વખતે આ મહાકાવ્ય સંભળાવ્યું હોવાનું માનવામાં આવે છે.[] તેમના દ્વારા હરિવંશ પુરાણનો પણ પાઠ કરવામાં આવ્યો હતો, જ્યાં તેઓ વેન માંથી પૃથુના ઉદ્‌ભવની દંતકથા વર્ણવે છે.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. www.wisdomlib.org (2019-01-28). "Story of Vaiśampāyana". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-11-05. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. Swami Harshananda, A Concise Encyclopaedia of Hinduism
  3. www.wisdomlib.org (2021-11-13). "Names of different Manus, different Sages and others [Chapter 150]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-11-05. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. Raychaudhuri, H.C. (1972). Political History of Ancient India: From the Accession of Parikshit to the Extinction of the Gupta Dynasty, Calcutta: University of Calcutta, p.38
  5. "The Mahabharata, Book 1:Adi Parva: Section I". sacred texts.
  6. Bhāratatattva: Course in Indology : a Study Guide (અંગ્રેજીમાં). Ramakrishna Mission Institute of Culture. 2006. p. 66. ISBN 978-81-87332-50-3.
  7. Debroy, Bibek (2016-09-09). Harivamsha (અંગ્રેજીમાં). Penguin UK. p. 32. ISBN 978-93-86057-91-4. {{cite book}}: Check date values in: |date= (મદદ)