લખાણ પર જાઓ

સંજીવ કુમાર

વિકિપીડિયામાંથી
સંજીવ કુમાર
સંજીવ કુમાર, ૨૦૧૩ની ભારતીય ટપાલ ટિકિટ પર.
જન્મની વિગત
હરિહર જેઠાલાલ જરીવાલા[]

(1938-07-09)૯ જુલાઈ ૧૯૩૮
મૃત્યુ૬ નવેમ્બર ૧૯૮૫(૧૯૮૫-૧૧-૦૬) (ઉંમર 47)
મૃત્યુનું કારણહ્રદય રોગનો હુમલો
અન્ય નામોહરિભાઇ
વ્યવસાયઅભિનેતા
સક્રિય વર્ષો૧૯૬૦–૧૯૮૫

સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી. કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.

સંજીવ કુમાર નો જન્મ ગુજરાત માં એક ગુજરાતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જરીવાલા હતું. તેમનું પિતૃક નિવાસ સુરત હતું પાછળથી તેમનો પરિવાર મુંબઈ આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અંધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તેમના દાદા, પિતા અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષનો થતાં તેમનું મૃત્યુ થયું. સંજીવ કુમારને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. તેમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની સંઘર્ષ માં દિલીપ કુમાર ની બાહુમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યો કે તેઓ અભિનય સમ્રાટ ની હરોળમાં આવી ગયા. સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. તેમણે જયા બચ્ચનના સાસરા, પ્રેમી, પિતા, પતિની ભૂમિકાઓ બજાવી. જ્યારે લેખક સલીમ ખાન એ તેમના સમકાલીન અમિતાભ બચ્ચન અને શશિ કપૂરના પિતાની ભૂમિકા ત્રિશૂલમાં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને આને શાનદાર ઢંગ થી નિભાવી કે તેમને જ કેંદ્રીય પાત્ર માની લેવામાં આવ્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષ ની આયુ માં એટલી ખૂબી થી નિભાવી હતી કે પૃથ્વીરાજ કપૂર જોઈને દંગ રહી ગયા હતાં.એમની ફિલ્મ 'શોલે' માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.

તેઓ આજીવન કુંવારા રહ્યાં અને ૧૯૮૫ માં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું.

કારકિર્દી

[ફેરફાર કરો]

ફિલ્મી સફર

[ફેરફાર કરો]

સંજીવ કુમાર એ પોતાની કારકીર્દીની શુરુઆત હમ હિન્દુસ્તાની ફિલ્મ થી ૧૯૬૦ માં કરી. તેમની હીરો ના રૂપમાં ફિલ્મ નિશાન (૧૯૬૮) હતી. તેમણે દિલીપ કુમાર વિરુદ્ધ સંઘર્ષ ફિલ્મ માં કામ કર્યું. ફિલ્મ ખિલૌના એ તેમને સ્ટારનો દરજ્જો દેવડાવ્યો. ત્યાર બાદ તેમની હિટ ફિલ્મ સીતા ઔર ગીતા (૧૯૭૨) અને મનચલી (૧૯૭૩) પ્રદર્શિત થઈ. ૭૦ ના દાયકામાં આમણે ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. આમણે કુલ ૯ ફિલ્મો ગુલઝાર સાથે કરી જેમાં આંધી (૧૯૭૫), મૌસમ (૧૯૭૫), અંગૂર (૧૯૮૧), નમકીન (૧૯૮૨). તેમના ચાહકો આ તેમની સૌથી સારી ફિલ્મો માં ની એક માને છે. શોલે (૧૯૭૫) ફિલ્મ માં તેમના દ્વારા અભિનીત પાત્ર ઠાકુર આજે પણ લોકો ના દિલોમાં જીવીત છે અને મિમિક્રી આર્ટિસ્ટ માટે આ એક મસાલો છે.

મુખ્ય ફિલ્મો

[ફેરફાર કરો]
વર્ષફિલ્મપાત્ર
૧૯૯૩પ્રોફેસર કી પડોસનપ્રોફેસર વિદ્યાધર
૧૯૮૭રાહી
૧૯૮૬કત્લ
૧૯૮૬કાઁચ કી દીવારજસવંત સિંહ/દુર્જન સિંહ
૧૯૮૬લવ એંડ ગૉડ
૧૯૮૬હાથોં કી લકીરેંડૉક્ટર સાબ
૧૯૮૬બાત બન જાયેસૂરજ સિંહ
૧૯૮૫રામ તેરે કિતને નામરામ કુમાર
૧૯૮૫જબરદસ્તરતન કુમાર
૧૯૮૪લાખોં કી બાતએડવોકેટ પ્રેમ સાગર
૧૯૮૪મેરા દોસ્ત મેરા દુશ્મન
૧૯૮૪પાખંડી
૧૯૮૪બદ ઔર બદનામ
૧૯૮૪યાદગાર
૧૯૮૩હીરો
૧૯૮૨અંગૂરઅશોક
૧૯૮૨સવાલ
૧૯૮૨સુરાગ
૧૯૮૨હથકડી
૧૯૮૨અય્યાશ
૧૯૮૨ખુદ્દાર
૧૯૮૨લોગ ક્યા કહેંગે
૧૯૮૨નમકીન
૧૯૮૨શ્રીમાન શ્રીમતી
૧૯૮૨સિંદૂર બને જ્વાલા
૧૯૮૨વિધાતાઅબુ બાબા
૧૯૮૧દાસી
૧૯૮૧ઇતની સી બાત
૧૯૮૧બીવી ઓ બીવી
૧૯૮૧ચેહરે પે ચેહરા
૧૯૮૧લેડીજ ટેલર
૧૯૮૧વક્ત કી દીવાર
૧૯૮૧ સિલસિલાડા વી કે આનન્દ
૧૯૮૦હમ પાઁચ
૧૯૮૦ જ્યોતિ બને જ્વાલા
૧૯૮૦ અબ્દુલ્લા
૧૯૮૦ બેરહમ
૧૯૮૦ ફૌજી ચાચા
૧૯૮૦ પત્થર સે ટક્કર
૧૯૮૦ સ્વયંવર
૧૯૮૦ ટક્કર
૧૯૭૯કાલા પત્થર
૧૯૭૯ ગૃહ પ્રવેશ
૧૯૭૯ હમારે તુમ્હારે
૧૯૭૯ બૉમ્બે એટ નાઇટ
૧૯૭૯ ઘર કી લાજ
૧૯૭૯ જાની દુશ્મન
૧૯૭૯ માન અપમાન
૧૯૭૮ત્રિશૂલ
૧૯૭૮દેવતા
૧૯૭૮મુકદ્દર
૧૯૭૮પતિ પત્ની ઔર વો
૧૯૭૮સાવન કે ગીત
૧૯૭૮સ્વર્ગ નર્ક
૧૯૭૮તૃશ્ણા
૧૯૭૮તુમ્હારે લિયે
૧૯૭૭મુક્તિ
૧૯૭૭શતરંજ કે ખિલાડ઼ી
૧૯૭૭યહી હૈ જ઼િન્દગી
૧૯૭૭ઈમાન ધર્મ
૧૯૭૭આલાપ
૧૯૭૭અંગારે
૧૯૭૭અપનાપન
૧૯૭૭ધૂપ છાઁવ
૧૯૭૭દિલ ઔર પત્થર
૧૯૭૭પાપી
૧૯૭૭વિશ્વાસઘાત
૧૯૭૬જ઼િન્દગી
૧૯૭૬અર્જુન પંડિત
૧૯૭૬દો લડ઼કિયાઁ
૧૯૭૫મૌસમ
૧૯૭૫ફ઼રાર
૧૯૭૫શોલે
૧૯૭૫આક્રમણમેજર અજય વર્મા
૧૯૭૫આઁધીજે કે
૧૯૭૫અપને દુશ્મન
૧૯૭૫અપને રંગ હજાર
૧૯૭૫ધોતી લોટા ઔર ચૌપાટી
૧૯૭૫ઉલઝન
૧૯૭૪કુઁવારા બાપ
૧૯૭૪આપ કી કસમ
૧૯૭૪મનોરંજન
૧૯૭૪અર્ચના
૧૯૭૪ચરિત્રહીન
૧૯૭૪ચૌકીદાર
૧૯૭૪દાવત
૧૯૭૪ઈમાન
૧૯૭૪નયા દિન નઈ રાત
૧૯૭૪શાનદાર
૧૯૭૩અનહોની
૧૯૭૩અગ્નિ રેખા
૧૯૭૩અનામિકા
૧૯૭૩દૂર નહીં મંજિલ
૧૯૭૩મનચલી
૧૯૭૩સૂરજ ઔર ચંદા
૧૯૭૨પરિચય
૧૯૭૨કોશિશ
૧૯૭૨રિવાજ
૧૯૭૨સબસે બડા સુખ
૧૯૭૨સીતા ઔર ગીતા
૧૯૭૨સુબહ ઓ શ્યામ
૧૯૭૧અનુભવ
૧૯૭૧એક પહેલી
૧૯૭૧કંગન
૧૯૭૧મન મન્દિર
૧૯૭૧પારસ
૧૯૭૦બચપન
૧૯૭૦દસ્તક
૧૯૭૦દેવી
૧૯૭૦ગુનાહ ઔર કાનૂન
૧૯૭૦ઇંસાન ઔર શૈતાન
૧૯૭૦ખિલૌનાવિજયકમલ એસ સિંહ
૧૯૭૦માઁ કા આઁચલ
૧૯૭૦પ્રિયા
૧૯૬૯બંધન
૧૯૬૯ચંદા ઔર બિજલી
૧૯૬૯ધરતી કહે પુકાર કે
૧૯૬૯ગુસ્તાખી માફ
૧૯૬૯ઇન્સાફ કા મન્દિર
૧૯૬૯જીને કી રાહ
૧૯૬૯જ્યોતિ
૧૯૬૯સચ્ચાઈ
૧૯૬૯સત્યકામ
૧૯૬૮ગૌરીસંજીવ
૧૯૬૮અનોખી રાતબલ્દેવ સિંહ
૧૯૬૮રાજા ઔર રંકસુધીર
૧૯૬૮આશીર્વાદ
૧૯૬૮સંઘર્ષદ્વારકા પ્રસાદ
૧૯૬૮શિકારપુલિસ ઇંસ્પેક્ટર
૧૯૬૮સાથીઅશોક
૧૯૬૬હુસ્ન ઔર ઇશ્કઆશિક હુસૈન
૧૯૬૬બાદલ
૧૯૬૬કલાપીરાજકુમાર સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
૧૯૬૬સ્મગલરમોહન
૧૯૬૬પતિ પત્નીઅમર
૧૯૬૬ અલીબાબા ઓર ૪૦ ચોર અલીબાબા
૧૯૬૫ નિશાન
૧૯૬૪ આઓ પ્યાર કરે
૧૯૬૩ હમ હિન્દુસ્તાની પોલીસ ઇન્સ્પેક્ટર

નામાંકન અને પૂરસ્કારો

[ફેરફાર કરો]
  • ૧૯૭૭ - ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - અર્જુન પંડિત
  • ૧૯૭૬ - ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - આંધી

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Salt-and-pepper memories with Sanjeev Kumar". Hindustan Times. ૪ નવેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2013-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૩-૦૮-૧૫ ના રોજ વેબેક મશિન