સભ્યની ચર્ચા:Altafpatel123

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

મારુ નામ અલ્તાફ પટેલ છે. હુ ભારતના ગુજરાત રાજ્ય ભરૂચ જીલ્લાના ટંકારિયા ગામ રહું છુ. હું ભારતીય છુ તેનો મને ગર્વ છે. હુ વ્યવસાયે TEACHER છુ. મે PSYCHOLOGY વિષય સાથે MA. BED. સુધી અભ્યાસ કર્યો છે.

ધર્મ અને વિજ્ઞાન[ફેરફાર કરો]

શ્રી અલ્તાફભાઈ, જય માતાજી.... મને એ જાણીને આનંદ થયો કે તમે વ્યવસાયે TEACHER છો તેમજ તમે PSYCHOLOGY વિષય સાથે MA. BED કરેલ છે. જેથી મારાથી કયાંયયય... આગળ છો. તમે શિક્ષિત છો તેથી મારી વાતને કદાચ તમે સમજી શકશો તેવુ લાગે છે જેથી હું તમારી સાથે વધુ ચર્ચા કરવા માંગુ છું(આમ તો ચર્ચા નહીં પણ વિચારોની આપલે). અત્યાર સુધીનાં જે કાંઈ સંશોધનો થયા તેના ઉપરથી એ સાબિત થયુ કે પ્રાચિન ધર્મગ્રંથોમાં(ભલે તે કોઈપણ ધર્મનાં હોય) લખાયેલા સિધાન્તો ને અત્યારનાં વિજ્ઞાન સાથે લેવાદેવા છે અને તે વિજ્ઞાન સ્વીકારે છે. હવે આપણે વિચારીએ કે, તમે કહ્યુકે બધા ધર્મગ્રંથો ભેગા કરીને બાળી નાખવા જોઈએ. જો આવુ આપણા પહેલા કોઈએ કર્યુ હોત તો, જુના પુસ્તકોમા પુષ્પક વિમાનની જે વાત વર્ણવવામાં છે તેનાં ઉપરથી વૈજ્ઞાનિકોએ વિમાનની શોધ કરી. તો આપણે વિમાનની કલ્પનાં કરી શકેત ખરા ? મારૂ કહેવાનુ એ છે કે કોઈપણ ધર્મનાં પુસ્તકો મનુષ્યને સરળ જીવન જીવવા માટે તેમજ નવુ શીખવા માટેની પ્રેરણા આપે છે. કોઈપણ ધર્મને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અને વિજ્ઞાનને આધાત્મિક દ્રષ્ટિથી જોવુ જોઈએ. (ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ છે) જો તેને સકારાત્મક દ્રષ્ટિથી જોઈએ તો. જો કે હાલની પરિસ્થિતીમાં જોઈએ તો, હુ પણ તમારી સાથે થોડો સહમત છુ. કારણકે અત્યારનાં સમયમાં ધર્મનાં વડાઓએ ધાર્મિક વાડાઓ બનાવી દીધા છે. પણ આપણે બધાને સુધારી નથી કરી શકવાનાં તેથી ફકત એવો સંકલ્પ કરીએ કે હું અને મારો પરિવાર એક સ્વસ્થ,સુસંસ્કૃત અને આદરણીય સમાજનું નિર્માણ થાય તે માટે ઈશ્વરીય શક્તિને વફાદાર રહીશ. જો આવુ આપણાથી જ શરૂ કરીશુ તો જ આપણા બાળકો અને પરિવાર સુરક્ષિત થશે નહીતર આપણે આ બધુ જાણવા છતા તેમાં ફસાવાનાં છીએ. બીજુ કે તમે મને વધુ ધાર્મિક માનો છો પણ હું ચોખવટ કરૂ કે તમે પણ ધાર્મિક જ હશો પણ તેનો તમે ખ્યાલ નથી કરતા.(કારણકે મનુષ્ય અવતાર તો જ મળે. નહીતર તો માખી,મચ્છર,કુતરા,મિંદડા,બકરી વગેરે...ન બનીયે ?). સારૂ ચાલો અલ્તાફભાઈ, આ તો થયા મારા વિચારો, હવે તમે કહો કાંઈક....પણ એક વાતનું સાલુ થોડુ દુ:ખ થયુ કે તમે સુશિક્ષિત હોવા છતા અહીં યોગદાન કરતા મિત્રોનો વિરોધ કરવા જે ભાષા વાપરી તે મને ન ગમી. જો તમે મને યોગ્ય વ્યક્તિ ગણતા હોય અને મારી શૈલી પસંદ કરતા હોવતો સતિષચંદ્રજી અને ધવલભાઈ મારાથી પણ આ બાબતમાં આગળ છે(તેઓનાં ચર્ચાનાં પાના જોશો તો ખ્યાલ આવશે). તેઓ બન્ને એટલા વિનમ્ર છે કે તમે જે કાંઈ ભાંગફોડ કરી છતાએ તમને ખરાબ ભાષાભાષામાં જવાબ આપ્યો ? તેના ઉપરથી જ સાબિત થાય કે તેઓ ખોટા ન હતા પણ તમે થોડા ઉતાવડા થઈ ગયા:-). અને તમે જ વિચારો કે તમે શિક્ષક છો અને જો તમે જ આવી ભાષાઓ વાપરો તો તમે તમારા વિધાર્થીને કેવુ શિખવો ? તમારી ઉંમર પણ વધારે હશે, જેથી કાંઈક વધારે પરિચય આપો તો મજા આવે .... હવે તમે લખોને એટલે ખાસ કહુ છુ કે કાંઈક ઉકલે તેવુ લખજો જેથી અર્થનો અનર્થ ના થઈ જાય.. સર્વ ધર્મ સમભાવ એા એજ સાચો ધર્મ ... જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૫:૫૦, ૨૭ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ધર્મનાં પુસ્તકો[ફેરફાર કરો]

ધનયવાદ જીતેનભાઇ , આ ધરમ ધર્મનાં પુસ્તકો ૧૦૦૦ કે ૫૦૦૦ વરસ પહલા લખાયા છે.આજ નો માન્વી તેનુ અનુ,ક્રે છે.આવી ધાર્મિક સ્કુચીતા મા થી બહાર્ નીકર્વુ જોઇઅએ,!!! જો કે હાલની પરિસ્થિતીમાં જોઈએ તો તે સમય નો માનવી અને આજ નો માનવી અલગ છે.તેની ભાષા,જીવન શૈલી,સમાજ ,પરિસ્થિતીઆ બધુ અલગ છે.જુના લોકો એ ધાર્મિક વાડાઓ બનાવી દીધા છે.હવે મનુષ્યને સરળ જીવન જીવવા માટે તેમજ સુખ થી જીવવા બધા માન્વી માટૅ સમાન ધર્મં પુસ્તક લખવુ .અને સમાન ધર્મ એક્ ધરમ રચવો જોઇએ. એવી સમય ની જરુર્ છે.એ ધરમ નુ નામ રાખવુ માનવતાતો જ્ આદરણીય સમાજનું નિર્માણ થાય.આ નવા ધરમ ને વિજ્ઞાન ના પુરાવા ની કે નવુ શીખવા માટેની પ્રેરણા ની કોઇ જ્રુર ન્થી.હૂ ધાર્મિક તો છુ જ્. બીજા વિચારો થી,--Altafpatel123 ૧૪:૪૫, ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

વાહ અલ્તાફભાઈ વાહ, મજા આવી ગઈ એક તો એ પણ ખ્યાલ આવી ગયો કે તમે ધાર્મિક છો અને બીજુ કે આ ૬ લીટીનુ લખાણ લખ્યુ તે બધુ જ મને ઉકલ્યુ. એટલે એકતો લખવાનો તમને મહાવરો થયો. બીજુ કે તમો કહો છો તેમ ધાર્મિક પુસ્તકો જુનાં છે, અને આપણે નવી શૈલીમાં જીવીએ છીએ. જોકે હાલ જુના ની સાથે નવા પુસ્તકો પણ હાજર જ છેને ? એટલે હાલ અલગ અલગ શૈલીનાં માણસો પણ હશે જ ને ? એટલે જેને જે પુસ્તકો વાંચવા તથા અનુકરણ કરવા જેવા લાગે તેને તેનો ઉપયોગ કરવો જોઈએ. દા.ત. તમે જેમ કહ્યુકે હવે માનવતા નામનુ એક જનરલ પુસ્તક લખાવુ જોઈએ. જે પણ હાલ હાજર જ હશે(કદાચઃ મારા માનવા મુજબ)...તમને નથી લાગતુ ? તમારુ શુ કહેવુ છે ? જય માતાજી....

--હા, જીતેનભાઇ, હુ પણ તમારી સાથે થોડો સહમત છુ.માનવતા નામનુ એક જનરલ પુસ્તક હાલ હાજર જ છે,મારા માનવા મુજબ માનવતા નામનુ પુસ્તક છે જ.ખુલલુ જ છે.વાચવા નુ બાકી છે. જે ધરમો લોકો ને અલગ કરે છે.તેવા ધર્મનાં પુસ્તકો હાલની પરિસ્થિતીમ પાછળ છે. તેઓ ખોટા નથી,બધા હાલ લોકો જે આવી ભાષાઓ વાપરે છે.તેના થી દુર્ છે.આપણા બાળકો ને આધાત્મિકતા અને ધર્મના નામ થી આવા ધરમ ધર્મનાં પુસ્તકો થોપીએ છે.તેમને વારસા મા વિચારો ,ધરમ આપવા કરતા આધાત્મિક દ્રષ્ટિથી જોતા શીખવા માટેની પ્રેરણા આપવી જોઇએ.માનવી નો સવભાવ એટલે જ ધર્મ!!! ખલીલે સરસ કહયુ છે કે તમે તમારા બાળકો ને તમારા વિચારો નહી તમારો પ્રેમ આપો.તમારુ શુ કહેવુ છે ? જય માતાજી....--Altafpatel123 ૧૪:૩૮, ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)



== વિનંતિ સંદેશ ==૨, ૩૧ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

અલ્તાફભાઇ, નમસ્કાર. આપે સારૂં એવું યોગદાન આપવાનું શરૂ કર્યું છે. અને ધીમે ધીમે આપને વિકિની રીતરસમો ફાવતી જાય છે,અભિનંદન.આપનું કાર્ય વધુ સારૂં બને તે માટેજ એક નમ્રસુચન કરૂં છું. આપ જે પણ નવો લેખ બનાવો તેમાં અંતે શ્રેણી:------ ઉમેરશો તો જે તે લેખ યોગ્ય વિષયસુચીમાં સામેલ થઇ જશે. આ માટે [[શ્રેણી:અહીં શ્રેણીનું નામ]], એ પ્રમાણે લખવું. જેમકે આપનાં એક બે લેખ "શ્રેણી:ઇસ્લામ" વિષયક હતા, કે અમુકમાં "શ્રેણી:ગુજરાતનાં ગામો" અને "શ્રેણી:---- જિલ્લો" આવે તો તેમાં તે શ્રેણીઓ ઉમેરવી, વિષયને અનુલક્ષીને એક કે એક કરતા વધુ શ્રેણીઓ પણ ઉમેરી શકાય. વધુ માટે અમુક અન્ય લેખોનો પણ અભ્યાસ કરશોજી. આભાર. વધુ કશું પણ માર્ગદર્શન આપવા લેવા માટે નિસંકોચ ચર્ચાનાં પાના પર સંપર્ક કરશોજી. --અશોક મોઢવાડીયા ૧૦:૧૧, ૨ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)


ઇસ્લામ વિષયનાં લેખો[ફેરફાર કરો]

  • અલ્તાફભાઇ, આપનો ઉત્સાહ ખરેખર વખાણવા યોગ્ય છે. મેં નીચે યાદીમાં આપેલા લેખોમાં તે જ વિષયનાં અન્ય ભાષાનાં વિકિપીડિયા પરનાં લેખોની કડીઓ મુકી દીધી છે, તેમાંથી આપને જે કશું યોગ્ય લાગે તે ભાષાંતરીત કરી અને અહીં મુકી શકશો. મેં તે લેખોમાં ઉમેરેલ થોડી માહિતીઓ પણ ચકાસી જશો. જરૂરી સુધારાઓ સુચવશો. લેખો: ઈમાન, નમાઝ, રોજા, તૌરાત.

તે ઉપરાંત માઉન્ટ એવરેસ્ટ પરનો લેખ અહીં પ્રથમથીજ મોજુદ હતો, તેથી આપના દ્વારા બનાવાયેલા લેખને (જેની જોડણીમાં ફેર છે) મુળ લેખ પર રિડાયરેક્ટ કરેલો છે. વિનંતી કે નવો કોઇપણ લેખ લખતાં પહેલાં "શોધો" બોક્સમાં જે તે શબ્દની વિવિધ જોડણીઓ લખી ચકાશી જોવું કે તે વિષય પર અહીં પહેલેથી લેખ હાજર છે કે નહીં, જેથી એકજ વિષય પર બે કે વધુ લેખ ટાળી શકાય. આભાર. --અશોક મોઢવાડીયા ૨૧:૨૩, ૬ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

અલ્તાફભાઈ, જય માતાજી, સલામ માલેકુમ. કેમ છો માસ્તર સાહેબ, હવે મને લાગે છે કે તમને લેખનશૈલીનો મહાવરો થઈ ગયો છે. તમે લેખો ખરેખર સારા લખો છો. આ સરવાણી અવિરત ચાલુ રાખજો. આજે રવિવાર છે એટલે સવારનાં જ મંડાય ગયા લાગો છો ? ચાલો જય માતાજી...યાદ કરતા રહેજો...--જીતેન્દ્રસિંહ ૦૫:૪૬, ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

નવરાત્રિપર્વની શુભેચ્છા[ફેરફાર કરો]

અશોકભાઈ, જય માતાજી, સીતારામ..માલેકુમ સલામ.. આદ્યશક્તિ, જગત જનની જગદંબા, માં ભગવતીએ મહિષાસુર નો નાશ કરવા નવ દિવસ ખેલેલા મહાભયંકર યુધ્ધને આપણે નવરાત્રિ તરીકે પુજા અર્ચના કરીએ ઉજવીએ છીએ. આ પર્વ નિમિતે તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છા તેમજ મહિષાસુર રૂપી રાગ, દ્વેષ, ઇર્ષા, મોહ, માયા અને અભિમાન જેવા તત્વોને ઓળખવાની અને તેનાથી બચવાની શક્તિ માતાજી આપના પરિવારને આપે એજ પ્રાર્થના. આપણે સૌ જન્મદેનારી માં નાં ખોળે આળોટીને શાંતિ મેળવીએ એજ ઈચ્છા છે કારણકે તેના જેવી શાંતિ દુનિયામાં બીજે ક્યાંય નથી. તેથીજ દુલા કાગ કહ્યુ છેને કે, મોઢે બોલુ માં, મને સાચે જ નાનપણ સાંભરે, ત્યારે આ મોટપની મજા મને કળવી લાગે કાગડા (ભારતમાં વૃધ્ધાશ્રમ ખોલવા પડે તે એક કલંક છે. મધર્સ ડે ઉજવવાથી માં ના ઋણમાંથી મુકત કોઈ દિવસ ના થઈ શકાય)આ ઉપદેશ નથી ઉભરો છે તે મિત્રો પાસે તો ઠલવાય જ ને ?. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૫:૨૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

આભાર, અલ્તાફભાઇ. આપને પણ નવરાત્રી અને રમઝાન ઇદની હાર્દિક વધાઇ. --અશોક મોઢવાડીયા ૦૫:૪૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

ઈદ મુબારક[ફેરફાર કરો]

અલ્તાફભાઈ, આપને અને આપના સહુ સ્નેહીજનોને મારા તરફથી ઈદ મુબારક. આપ સહુએ કરેલી તપસ્યાના અંતનું આ પર્વ આપના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે તેવી અભ્યેચ્છા. અને, નવરાત્રિની શુભકામનાઓ બદલ આભાર!--ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૦, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

કયાં ખોવાઈ ગયા છો ?[ફેરફાર કરો]

અલ્તાફભાઈ, સલામ માલેકુમ.. જય માતાજી... હમણા હમણા તમે પણ કયાં ખોવાઈ ગયા છો ? કે પછી સ્કુલનાં છોકરાઓ વધારે માથુ ખાય છે. નવીનમાં શું ચાલે છે. ?...સીતારામ...--જીતેન્દ્રસિંહ ૧૩:૫૬, ૫ ઓકટોબર ૨૦૦૯ (UTC)

ગુજરાતી વિકીના ૧૦,૦૦૦ લેખો પૂર્ણ[ફેરફાર કરો]

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈયું ને ઢોલ, શરણાઈયું ને ઢોલ નગારા,શરણાઈયું ને ઢોલ..... આનંદો મિત્રો, આપના અથાગ પરિશ્રમ સ્વરૂપે ગુજરાતી વિકી એ ૧૦,૦૦૦ લેખ પૂર્ણ કર્યાં છે આજે 'ગુજરાતી' શબ્દને ૧૦,૦૦૦ લેખની શ્રીણીમાં જોતાં છાતી ગજ ગજ ફૂલી જાય છે.આપ સૌને હાર્દિક અભિનંદન. સંખ્યાનું એક સોપાન પૂર્ણ થયું આપનો આવો સહકાર સદા મળતો રહે તેજે અભ્યર્થના. ઘણા લોકોનું આમાં યોગદાન રહ્યું છે પણ તેમાં સતિષચંદ્ર ભાઈ, અશોકભાઈ, જીતેન્દ્ર ભાઇ નું નામ તો ખાસમ્ ખાસ ઉલ્લેખ માંગે છે. --sushant ૦૮:૫૦, ૧૨ ઓકટોબર ૨૦૦૯ (UTC)


શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

અલ્તાફસાહેબ, સલામ માલેકુમ...સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તેમજ ૧૦૦૦૦ લેખોનો અંક વટાવવામાં યોગદાન આપનાર તમામ વિકિમિત્રોનો દિલથી આભાર માનુ છું, સૌ મિત્રો આવો જ સહયોગ આપતા રહે તેવી મારી ઈચ્છા છે. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૮:૦૬, ૧૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)

આંતરિક કડીઓ[ફેરફાર કરો]

અલ્તાફભાઈ, એક વિનંતિ કરવાની હતી કે, લેખોમાં ફક્ત એવા શબ્દોને જ આંતરિક કડી રૂપે મુકો કે જેના પર લેખ અહીં મોજુદ હોય અથવાતો કડી ઉમેરીને તરત જ તમે તે લેખ બનાવવાનાં હોવ. જે લેખ અસ્તિત્વમાં ના હોય તેની કડીઓ લેખમાં લાલ રંગે દેખાય જે ખુબ ભદ્દુ લાગે છે. આજે આપે જે હુમાંયુ, વિગેરે કડીઓ ઉમેરી તેને મેં દૂર કરી છે, આશા છે કે આપ મારી સાથે સહમત થશો. જો આપની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહુમ્ છું.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૮, ૧૨ નવેમ્બર ૨૦૦૯ (UTC)

Happy New Year 2010[ફેરફાર કરો]

અલ્તાફભાઈ, સલામ માલેકુમ...જય માતાજી...સીતારામ... આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા. Happy New Year 2010! આપણા સૌ મિત્રોની મહેનતનું ફળ હવે વિકિપીડિયામાં ઝળહળી રહ્યુ હોય તેવુ મને લાગે છે. જેથી આપશ્રી આ કાર્યમાં સહયોગ આપતા રહો તેવી મારી તેમજ વિકિપીડિયાનાં સૌ મિત્રો વતી વિનંતી છે. તમે પણ મહોરમનાં તહેવારમાં માતમ મનાવીને હવે બહાર આવી ગયા હશો!...જેથી નવુ વર્ષ શુભ નિવડે તેવી પ્રાર્થના સાહ...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૫:૦૮, ૧ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

એ.એ.પટૅલ[ફેરફાર કરો]

અલ્તાફભાઈ, ઘણા દિવસો પછી તમારા દર્શન થયાં, ક્યાં ખોવાઈ ગયા હતા? આપે લખેલો ઉપરોક્ત લેખ વિકિપીડિયાના માપદંડ મુજબ યોગ્ય નથી. આ સ્વ-પરિચય આપતો લેખ છે, જે તમારા મારા વિષેનાં પાનાંને યોગ્ય છે. વિકિમાં કોઈ પણ વ્યક્તિ વિષે લેખ ત્યારે જ લખી શકાય જ્યારે તેણે સમાજમાં કોઈ ઉમદા કાર્ય કર્યું હોય અને તે બદલ તેમની સરાહના નિસ્પક્ષ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોય, અથવા તેમના માટે માતબર, વિશ્વાસનિય અને તટસ્થ સમાચાર પત્રો કે અન્ય માધ્યમોમાં કાંઈ લખવામાં આવ્યું હોય. આ માટેનાં સંદર્ભો આપીને જ અહીં લેખ લખી શકાય છે. આપને વિનંતિ કે આ લેખને આપ પોતાના પાનાં પર ખસેડી દો જેથી તેને દૂર કરી શકાય. આ જ સંદેશો મેં તે પાનાંની ચર્ચામાં પણ લખ્યો છે, જેના તરફ કદાચ તમારૂં ધ્યાન નથી ગયું લાગતું.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૪, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

દૂર કરવા વિનંતી ચિત્ર:130120082007.jpg has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

KartikMistry (talk) ૧૬:૩૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

  • ચિત્ર:130120082007.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૫૭, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

દૂર કરવા વિનંતી ચિત્ર:130120081934.jpg has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

KartikMistry (talk) ૧૬:૩૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

દૂર કરવા વિનંતી ચિત્ર:130120082083.jpg has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

KartikMistry (talk) ૧૬:૩૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

દૂર કરવા વિનંતી પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (ચર્ચા) ૧૩:૦૬, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

દૂર કરવા વિનંતી આદમ ટંકારવી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૧, ૫ એપ્રિલ ૨૦૧૭ (IST)

દૂર કરવા વિનંતી સામાન્ય તપાસની કક્ષાની બહારનું ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

Gazal world (ચર્ચા) ૦૦:૪૯, ૭ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)