સભ્યની ચર્ચા:Dr Dexter Patel
નવો વિષયસ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Dr Dexter Patel, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા
પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ. - આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
સિકલ સેલ બીમારી એટલે શું ??
[ફેરફાર કરો]#Dr Dexter's
#SickleCellDiary
#PaiNotAgain
========================
( સિકલ સેલની સરળ ભાષામાં જાણકારી Dr Dexter'sની નજરે)
સિકલ સેલ એટલે શું ?
શરીર માં રક્તકણ ગોળા કાર માંથી દાંતરડા આકારમાં ફેરવાઈ જાય છે તે બીમારીને સિકલ સેલ કહેવામાં આવે છે.
સિકલ સેલ એનિમિયા એટલે શું ?
શરીરમાં દાંતરડા જેવા રક્તકણ ને લીધે હિમોગ્લોબિન ઓછું થવાથી જે પરિસ્થિતિ ઉધભવે છે તેને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે છે.
આ લોહીનો વારસાગત રોગ છે
મોટે ભાગે આદિવાસી સમાજમાં જોવા મળે છે પરંતુ થોડા સમયથી આ રોગ બીજા સમાજમાં પ્રસરતો જોવા મળ્યો છે.
ગુજરાતમાં અંદાજે 20 થી 30 % આદિવાસી સમાજમાં જોવા મળે છે.
સિકલ સેલ ના પ્રકાર કેટલા ?
1) સિકલ સેલ ટ્રેટ(વાહક 50%)
2) સિકલ સેલ ડીઝીઝ(100% ખામી)
સિકલ સેલના પ્રકાર જાણવા માટે કરવામાં આવતા લોહીના ટેસ્ટ
(LABORATORY INVESTIGATION)
1 SICKLING TEST
આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમને સિકલ સેલ ની બીમારી છે કે નથી
આ ટેસ્ટ મોટે ભાગે ગુજરાતની દરેક આદિવાસી વિસ્તારના સરકારી દવાખાના કે હોસ્પિટલો(CHC,PHC,DISTRICT HOSPITAL) માં મફત કરી આપવામાં આવે છે.અને પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ અંદાજે 100 Rs ની કિંમતમાં કરી આપવામાં આવે છે.
દરેક આદિવાસી સમાજના લોકોએ અને આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોએ આ ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ.
2 HB ELECTROPHORESIS TEST(HPLC)
આ ટેસ્ટ સિકલિંગ ટેસ્ટ પોઝિટીવ આવે તેવા લોકો ને કરવામાં આવે છે.
આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમને સિકલ સેલ ટ્રેટ છે કે સિકલ સેલ ડીઝીઝ છે.
આ ટેસ્ટ મોટી હોસ્પિટલો કે જિલ્લાની સરકારી હોસ્પિટલો માં કરવામાં આવે છે.
આ ટેસ્ટની કિંમત અંદાજે 500 થી 600 Rs જેટલી થાઈ છે.
આ ટેસ્ટ ઘણોજ મહ્ત્વનો છે કારણ કે આ ટેસ્ટથીજ તમને સિકલ સેલની વીશેની ચોક્કસ માહિતી મળશે.
સિકલ સેલ એનિમિયાના લક્ષણો.
ફિક્કાસ આવવી
થાક લાગવો
વારે વારે બીમાર પડવું
કમળો થવો
પેટ ફૂલવુ કે દુખાવો થવો
બરોળ મોટી થવી
સાંધામાં દુખાવો થવો કે સોજો આવવો
હાથ કે પગમાં દુખાવો થવો
આ સિવાય બીજી ઘણી બધી શારિરીક તકલીફો થઈ શકે છે.
સિકલ સેલ ટ્રેટ (50 % વાહક)
સિકલ સેલ ટ્રેટ ધરાવતા લોક ને મૉટે ભાગે કોઈ પણ જાતના શારીરિક લક્ષણો જોવા મળતા નથી.
એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી શકે છે
કોઈ પણ જાતની દવા લેવાની જરૂર પડતી નથી
આવી વ્યક્તિએ લગ્ન કરતી વખતે ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે.આવી વ્યક્તિ એક નોર્મલ વ્યક્તિ જોડે લગ્ન કરેતો વધારે સાનુકૂળ જીવન જીવી શકે કારણ કે આ લોકોથી જે બાળકો પેદા થશે તે બાળકોમાં સિકલ સેલ ડિઝીઝ થવાની શક્યતા હોતી નથી.
સિકલ સેલ ડિઝીઝ( 100% ખામી) અથવા સિકલ સેલ એનિમિયા
માતા અને પિતા બંન્ને માંથી જયારે ખામીયુક્ત રંગસૂત્રો મળે તો સિકલ સેલ ડિઝીઝ થાઈ.
આવા દર્દીઓનું પ્રમાણ દર 100 વ્યક્તિએ 2 કે 3 નું હોઈ છે( આદિવાસીઓમાં મુખત્યેવે)
કાયમ સારવારની જરૂર પડે.
લગ્ન હંમેશા નોર્મલ વ્યક્તિ જોડેજ કરવા.
નિયમીત દવા લેવી
મલેરિયા ના થાઈ તેની ખાસ કાળજી રાખવી
દરેક ઋતુમાં શરીરની કાળજી રાખવી.
Tab Folic Acid ની ગોળી દરોજ લેવી
Tab Hydroxyurea ની ગોળી જો ડૉક્ટર શ્રી એ લેવાની સલાહ આપી હોઈ તો જરૂંરથી લેવી.
હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ અને સારવાર લેવી 2405:204:8088:63AB:0:0:C5:A8A4 ૦૬:૪૬, ૯ એપ્રિલ ૨૦૨૩ (IST)
મારૂં ગામ..મારૂં યોગદાન
[ફેરફાર કરો]Dr Dexter's sickle cell Diary
==
[ફેરફાર કરો]મારૂં ગામ...
હું અને મારૂં ગામ....એમ તો હું મારા વતનમાં જતો આવતો રહું છું(વાર,તહેવારે કે પ્રસંગોપાત) પણ બસ ફક્ત આવન જાવન કહી શકાય...ગામમાં શુ ચાલે છે ?? ગામ લોકોને કઈ કઈ તકલીફો છે ?? કે બીજા અનેક પ્રશ્નો વિશે કદી જાણવાની વધારે કોશિશ કરી નથી...છેલ્લા 25 વર્ષથી ગામની બહાર કહી શકું એમ રહ્યો છું....આ બધો સમય ભણવા અને કેરિયર બનાવવામાં વહી ગયો.(આ બધું દરેક માટે જરૂરી છે) એમ તો મારા ગામમાં શિક્ષણ માટે વ્યવસ્થા સારી છે..નજીકમાં હાઈસ્કૂલ સુધીની વ્યવસ્થા છે..એમ મારા ગામમાં ભણેલા લોકોની સંખ્યા ઘણી છે..પરંતુ થોડા સમયથી જોઇ રહ્યો છું કે શિક્ષણમાં થોડો ઠહેરાવ આવી ગયો છે..ઘણું બદલાય ગયું છે અને ઘણું બદલાય રહ્યું છે..પરિવર્તન એ સંસારનો નિયમ છે જેથી સમય સમયનું કામ કરશે...પરંતુ ઘણા સમયથી મને એક ખાલીપો અનુભવાય રહ્યો છે કે મારા ગામ માટે અમારૂ યોગદાન કેટલું અને શું ?? હું અને મારો પરમ મિત્ર બન્ને આજ ગામમાં ભણ્યા અને અહિયાજ અમારૂ બાળપણ અને સ્કૂલી જીવન વીત્યું
અહીંયાંજ અમે જીવનનો મુખ્ય સમય મિત્રો,વડીલો સાથે વિતાવ્યો.. પછી જીવન ચક્રની દોડમાં આગળ વધતા રહ્યા... સમય એનો ચક્ર ફેરવી રહ્યો છે..આજે ડૉક્ટર બની ઠરીઠામ થયો છું..ભૂતકાળ વાગોડું છુ ત્યારે નજર સામે કેટલાંયે સંબંધો અને લોકોની ભગીદારી મારા આ સફળ ડૉક્ટર બનવામાં સામેલ છે તે જોઈ રહ્યો છું..ક્યાં હતો અને ક્યાં છુ ની કસમકશ ચાલી રહી છે..
મારા ગામ માટે મારી જવાબદારી કેટલી.??.મારુ યોગદાન કેટલું ??
એવા નજાને કેટલા સવાલોના જવાબ મારી જેવા નજાને કેટલા મિત્રો શોધી રહ્યા છે.??..અને એથીજ હું અને મારો મીત્ર બન્ને એ નક્કી કર્યુ કે એક દિવસ આજીવન પોતાના ગામમાં ડૉક્ટર તરીકે નિઃશુલ્ક સેવા આપીશું ..અને જરૂરિયાત મંદ લોકોની સેવા કરીશું... અમારૂ યોગદાન એક ડૉક્ટર તરીકે અમારા ગામ માં તલોદરા,(ઝગડીયા)..દર મહિનાના 3 જા રવિવારે સવારે મળીશું.. Dr Dexter Patel Dr Alpesh patel... Sickle cell awareness foundation (ચર્ચા) ૦૭:૦૯, ૯ એપ્રિલ ૨૦૨૩ (IST)
આદિવાસી વિસ્તારો અને સિકલ સેલ બીમારી
[ફેરફાર કરો]- SickleCellDiary
- donateambulence
આદિવાસી વિસ્તારો અને સિકલ સેલ મહામારી......
સિકલ સેલ એ એક વારસાગત લોહીની બીમારી(ખામી)છે.જે મોટે ભાગે આદિવાસી અને આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે..હા થોડા વર્ષોથી આ બીમારી શહેરો તરફ પોતાની પકડ જમાવી રહી છે..કારણ કે હવે ગામડાના લોકો શહેર તરફ જઈ રહ્યા છે..
સરકાર શ્રી ના 2011 ના senses મુજબ ગુજરાતમાં 90 લાખ Tribal pouplation છે..જેમાંથી 9 લાખ લોકોને સિકલ સેલ ટ્રેટ છે જ્યારે 70 હજાર લોકો સિકલ સેલ ડીસીઝ થીં પીડિત છે..આતો સરકારી આકળા છે..એમ જોવા જઈએ તો આ સિકલ સેલ પીડિતો ની સંખ્યા લાખોમાં છે..પરંતુ આપણે આકળા ની પળો જળમાં નહિ પડતા એને કેવી રીતે કાબુમાં લાવી શકાય એ બાબતની ચર્ચા કરીયે..
સિકલ સેલ એ કોઈ ચેપી રોગ કે છુ અછૂત નો રોગ નથી..આ એક વારસાગત લોહીની ખામી છે જે બાળકના માતા પિતા દ્વારા એના બાળકોમાં વારસામાં મળે છે..
મને ઘણી વાર પૂછવામાં આવે છે કે આ સિકલ સેલ ની બીમારી મુખત્વે આદિવાસીઓમાંજ કેમ જોવા મળે છે..ચાલો આજે થોડી વાત સિકલ સેલ ના ઉદ્દભવ ની કરૂ...
સિકલ સેલ એ એક વારસાગત જીનેટિક રોગ છે અને પોઇન્ટ Mutation થવાથી ઉધભવ પામેલ રોગ છે...સાએન્ટિસ્ટ લોકોના મત પ્રમાણે આ રોગ જંગલ અને પહાડી વિસ્તરોમાં વધારે જોવા મળેલ હતો કરણ કે વર્ષો પહેલા જંગલમાં રહેતા લોકોને મલેરિયા ના રોગ સૌથી વધારે થતો હતો અને આ મલેરિયાના લીધે ઘણી માત્રામાં લોકોના મરણ થતા હતા કારણકે એ જમાનામાં મલેરિયા માટે કોઈ દવા કે ઈલાજ નહતો...આને લીધે વર્ષો વીતતા આ બીમારીને લીધે શરીરમાં genetic Mutation થવાથી સિકલ સેલ નામની વારસાગત બીમારી આ જંગલમાં રહેતા લોકોને થવા લાગી અને ઇતિહાસના પાના ખોલોતો ખબર પડસેજ કે જંગલ એ આદિવાસી ઓનું ઘર અને સર્શ્વસ્વ હતું અને છે..અને આ કારણોસર સિકલ સેલ એ આદિવાસી ઓના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે એમ કહેવું અતિશયોક્તિ નથી....
1910.માં ડો જેમ્સ બી હેરીકે વિશ્વમાં સિકલ સેલ નો પ્રથમ કેસ રિપોર્ટ કર્યાં અને એનું નામ કરણ સિકલ સેલ આપિયુ..નોએલ નામના આફ્રિકન વિદ્યાર્થ આ સિકલ સેલ બીમારીનો પ્રથમ કેસ હતો...આમ તો આ બીમારી પૃથ્વીની પર હજારો વર્ષોથી હતી અને છે પરંતુ એનું નામકરણ 1910 માં સિકલ સેલ નામે થયું...
સિકલ સેલ એટલે શું ?
શરીર માં રક્તકણ ગોળા કાર માંથી દાંતરડા આકારમાં ફેરવાઈ જાય છે તે બીમારીને સિકલ સેલ કહેવામાં આવે છે.
સિકલ સેલ એનિમિયા એટલે શું ?
શરીરમાં દાંતરડા જેવા રક્તકણ ને લીધે હિમોગ્લોબિન ઓછું થવાથી જે પરિસ્થિતિ ઉધભવે છે તેને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે છે.
આ લોહીનો વારસાગત રોગ છે
મોટે ભાગે આદિવાસી સમાજમાં જોવા મળે છે પરંતુ થોડા સમયથી આ રોગ બીજા સમાજમાં પ્રસરતો જોવા મળ્યો છે.
ગુજરાતમાં અંદાજે 20 થી 30 % આદિવાસી સમાજમાં જોવા મળે છે.
સિકલ સેલ ના પ્રકાર કેટલા ?
1) સિકલ સેલ ટ્રેટ(વાહક 50%)
2) સિકલ સેલ ડીઝીઝ(100% ખામી)
સિકલ સેલના પ્રકાર જાણવા માટે કરવામાં આવતા લોહીના ટેસ્ટ
(LABORATORY INVESTIGATION)
1 SICKLING TEST
આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમને સિકલ સેલ ની બીમારી છે કે નથી
આ ટેસ્ટ મોટે ભાગે ગુજરાતની દરેક આદિવાસી વિસ્તારના સરકારી દવાખાના કે હોસ્પિટલો(CHC,PHC,DISTRICT HOSPITAL) માં મફત કરી આપવામાં આવે છે.અને પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ અંદાજે 100 Rs ની કિંમતમાં કરી આપવામાં આવે છે.
દરેક આદિવાસી સમાજના લોકોએ અને આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોએ આ ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ.
2 HB ELECTROPHORESIS TEST(HPLC)
આ ટેસ્ટ સિકલિંગ ટેસ્ટ પોઝિટીવ આવે તેવા લોકો ને કરવામાં આવે છે.
આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમને સિકલ સેલ ટ્રેટ છે કે સિકલ સેલ ડીઝીઝ છે.
આ ટેસ્ટ મોટી હોસ્પિટલો કે જિલ્લાની સરકારી હોસ્પિટલો માં કરવામાં આવે છે.
આ ટેસ્ટની કિંમત અંદાજે 500 થી 600 Rs જેટલી થાઈ છે.
આ ટેસ્ટ ઘણોજ મહ્ત્વનો છે કારણ કે આ ટેસ્ટથીજ તમને સિકલ સેલની વીશેની ચોક્કસ માહિતી મળશે.
સિકલ સેલ એનિમિયાના લક્ષણો.
ફિક્કાસ આવવી
થાક લાગવો
વારે વારે બીમાર પડવું
કમળો થવો
પેટ ફૂલવુ કે દુખાવો થવો
બરોળ મોટી થવી
સાંધામાં દુખાવો થવો કે સોજો આવવો
હાથ કે પગમાં દુખાવો થવો
આ સિવાય બીજી ઘણી બધી શારિરીક તકલીફો થઈ શકે છે.
સિકલ સેલ ટ્રેટ (50 % વાહક)
સિકલ સેલ ટ્રેટ ધરાવતા લોક ને મૉટે ભાગે કોઈ પણ જાતના શારીરિક લક્ષણો જોવા મળતા નથી.
એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી શકે છે
કોઈ પણ જાતની દવા લેવાની જરૂર પડતી નથી
આવી વ્યક્તિએ લગ્ન કરતી વખતે ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે.આવી વ્યક્તિ એક નોર્મલ વ્યક્તિ જોડે લગ્ન કરેતો વધારે સાનુકૂળ જીવન જીવી શકે કારણ કે આ લોકોથી જે બાળકો પેદા થશે તે બાળકોમાં સિકલ સેલ ડિઝીઝ થવાની શક્યતા હોતી નથી.
સિકલ સેલ ડિઝીઝ( 100% ખામી) અથવા સિકલ સેલ એનિમિયા
માતા અને પિતા બંન્ને માંથી જયારે ખામીયુક્ત રંગસૂત્રો મળે તો સિકલ સેલ ડિઝીઝ થાઈ.
આવા દર્દીઓનું પ્રમાણ દર 100 વ્યક્તિએ 2 કે 3 નું હોઈ છે( આદિવાસીઓમાં મુખત્યેવે)
કાયમ સારવારની જરૂર પડે.
લગ્ન હંમેશા નોર્મલ વ્યક્તિ જોડેજ કરવા.
નિયમીત દવા લેવી
મલેરિયા ના થાઈ તેની ખાસ કાળજી રાખવી
દરેક ઋતુમાં શરીરની કાળજી રાખવી.
Tab Folic Acid ની ગોળી દરોજ લેવી
Tab Hydroxyurea ની ગોળી જો ડૉક્ટર શ્રી એ લેવાની સલાહ આપી હોઈ તો જરૂંરથી લેવી.
હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ અને સારવાર લેવી Sickle cell awareness foundation (ચર્ચા) ૦૭:૧૨, ૯ એપ્રિલ ૨૦૨૩ (IST)
સિકલ સેલ ટ્રેટ(વાહક)
[ફેરફાર કરો]Dr Dexter's Diary
SICKLE CELL AWARENESS FOUNDATIONS &TEAM
===
[ફેરફાર કરો]સિકલ સેલ ટ્રેટ(50% વાહક) કે અડધું પીળું કાર્ડ...
સિકલ સેલ ટ્રેટ ધરાવતા વ્યક્તિ ને એમતો કોઈ દવા કે કાળજી લેવાની કોઈ જરૂર નથી...અને આ ને લીધે શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી તો સિકલ સેલ ટ્રેટ ને જાણવાની અને સમજવાની જરૂર કેમ છે ????
પ્રથમ તો જો સિકલ સેલ ટ્રેટ વાળી વ્યક્તિ સિકલ સેલ ધરાવતી વ્યક્તિ સાથે લગ્ન કરેતો એમના બાળકો 25% સિકલ સેલ એનિમિયા આવવાની શક્યતા રહેલી છે.
સિકલ સેલ ટ્રેટ વાળી વ્યક્તિ જો બીજી જીનેટિક બીમારી જેવીકે થેલેસેમિયા, પંજાબ D Hb,Hb C Etc સાથે લગ્ન કરે તો બાળકો sickle beta Thalassemia,Sickle Hb C Disease, Sickle Hb D punjab etc આવી શકે જેથી કરી જયારે પણ લગ્ન કરવાની વાત આવે ત્યારે પ્રથમ સિકલ સેલ કુંડળી(Hb Electrophoresis Test) મેળવી લેવી સલાહ ભરેલી છે..
આ હું એટલા માટે કહી રહયો છું કારણકે આટલા અથાગ પ્રયત્નો છતાં પણ સિકલ સેલ ને કાબુમાં નથી લાવી શક્યાં એની પાછળનું કરણ પણ એટલુંજ છે કે આપણે સિકલ સેલ ટ્રેટ વાળા ને સુવ્યવસ્થિત સમજણ , સલાહ અને એને સિકલ સેલની ભયાનકતા વિશે સમજાવી નથી શક્યા...જેથી હવે આપણે સંપૂર્ણ સિકલ સેલ ભલે પછી એ એનિમિયા હોઈ કે ટ્રેટ હોઈ કે પછી નોર્મલ હોઈ...પરંતુ બધા નેજ સિકલ સેલ ની સંપુર્ણ માહિતી આપીશું....
મિત્રો હું જે તમને સમજાવી રહ્યો છું તે તમને ડરાવવા કે ઘબરાવવા નહીં પરંતુ તમે એને સમજી શકો અને લોકોને સાચી સમજણ સિકલ સેલ વિશે આપીશકો એટલા માટે છે...
Dr Dexter Patel
SICKLE CELL AWARENESS TEAM Sickle cell awareness foundation (ચર્ચા) ૦૭:૧૩, ૯ એપ્રિલ ૨૦૨૩ (IST)
આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ તરફ નજર
[ફેરફાર કરો]Dr Dexter's sickle cell Diary
=
[ફેરફાર કરો]આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ તરફ એક નજર...
હું દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યો છું...નર્મદા અને ભરૂચ જિલ્લો મુખત્વે સામેલ છે....મારા વિસ્તરોમાં મેં અનુભવેલ મારા વિચારો તમારી સમક્ષ મૂકી રહ્યો છું....સરકારી સ્કૂલો,આશ્રમ શાળાઓ, વિવિધ સંગઠનો દ્વારા ચાલતી સ્કૂલો અને આશ્રમ શાળાઓ...
એમ જોવા જઈએ તો જે છે તે બધું બરાબરજ છે કેમ કે શિક્ષણ નો અનુભવ એ ભૂતકાળમાં આદિવાસી વિસ્તારો માટે સારો નથી રહ્યો.... હા ઘણા વિસ્તારોમાં અલગ અલગ લોકો અને સંગઠનો એ આદિવાસી વિસ્તારો શિક્ષણ રૂપી સેવા કાર્યો જરૂર કર્યા છે ....અને એટલેજ આજે આદિવાસી સમાજમાં ઘણો વર્ગ ભણી ગણી ને પગભેર થયો છે..એ વાત અલગ છે કે આજે એજ ભણેલા મોટા ભાગનો વર્ગ પોતાની શિક્ષણ સંસ્થાઓને ભૂલી ગયો છે( આ શબ્દો મને ઘણા જુના શિક્ષકોએ એમની વ્યથા દ્વારા વ્યક્ત કરી છે)..હા આજે શિક્ષણમાં ઘણું પરિવર્તન આવ્યું છે...સ્કૂલ અને આશ્રમો માં રહેવા,જમવામાં સુવિધાઓ વધી છે....
દરેક જગ્યાએ ઘણી સ્કૂલો અને આશ્રમ શાળાઓ ખુલી ગઈ છે.(મને એવું લાગે છે કે રાફડો ફાટ્યો છે)પણ શિક્ષણની quality કથળતી જાય છે..દરેક સંસ્થાઓ હરીફાઈ માં ઉતરી હોઈ એવું લાગી રહ્યું છે( દાન, csr ફંડ,govt સહાય માટે)
સરકારી સ્કૂલો પણ એકનદરે ઘણી સારી થઈ રહી છે પણ અફસોસ એવાત નો છે કે ગામડાઓમાં શિક્ષકોની અછત છે અને સાયન્સ માટે કોઈ સારી સગવડો નથી(science lab)...એમ જોવા જઈએ તો મિલી ઝૂલી પ્રતિક્રિયાઓ જોઈ રહ્યો છું...હાલમાં તો બાળકોને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે શહેરોમાં(જેના માં બાપ પાસે પૈસા એ લોકો) મૂકી દેવામાં આવે છે..પરંતુ જે લોકો ગરીબ છે એના બાળકો હોશિયાર હોવા છતાં પાછળ રહી જાય છે..પછી એજ બાળકો એમના આગળના ભવિષ્ય માટે હંમેશા સંઘર્ષ કરતા રહે છે( જેનું તકદીર સાથ આપે છે તે આગળ નીકળી જાય છે અને જે રહી જાય છે તે મજૂરી કરવા તરફ આગળ વધે છે)..અહીંયા વાત હોંશીયાર કે ડફોડની નથી ..વાત છે જે સમયે યોગ્ય માર્ગદર્શન અને મદદની આવશ્યકતા હોય છે તેના અભાવની...બાકી તો આદિવાસી વિસ્તરોમાં અનેક સરિતા ગાયકવાડ ,હીમાં દાશ અને મુરલી ગાવીત જેવી પ્રતિભા પડેલી છે ...
બસ એક સપનું છે મારું કે એક દિવસ કલિંગા ઇન્સ્ટિટ્યૂટ જેવી ઇન્સ્ટિટ્યૂટ લોકો માટે અમારા વિસ્તારોમાં હોઈ ...અને હજારો બાળકો આનો લાભ લે...
Dr Dexter ના સપના ના પાનાઓ માંથી... Sickle cell awareness foundation (ચર્ચા) ૦૭:૧૩, ૯ એપ્રિલ ૨૦૨૩ (IST)
સિકલ સેલ સાથે સંઘર્ષ
[ફેરફાર કરો]- sicklecelldiary
- sicklecellstory.
રોકી એક નાનકડા ગામમાં રહે છે. 7 વર્ષની ઉંમરથી એના માં બાપને ખબર પડી ગઈ છે કે એના બાળકને સિકલ સેલ ડીસીઝ છે...ત્યાર પછી રોકિને સિકલ સેલ crisis ચાલુ થઈ જાય છે..પછી આ પરિવાર હોસ્પિટલ અને ઘર ના ચક્રવ્યૂના વમળોમાં ફરતો રહે છે.સમય પસાર થતો રહે છે.. આમ ને આમ રોકિના જીવનના 20 વર્ષે પુરા થઈ જાય છે.અને graduation પૂરું થઈ જાય છે..એક વાર ફરી વધારે બીમાર પડી જવાથી હોસ્પિટલમાં એડમિટ કરવો પડે છે અને 10 દિવસ ICU રહ્યા પછી રિકવરી ફેઝ ચાલુ થાય છે અને અચાનક એક બ્લડ રિપોર્ટ આવે છે જે ચોંકાવનારો હતો..HIV Positive ...આ રિપોર્ટ જાણીને આખો પરિવાર સ્તબ્ધ થઈ જાય છે ને જાણે કોઈ આભ તૂટી પડ્યું હોઈ એવો માહોલ સર્જાય છે..HIV positive થવાનું કારણ એટલુંજ હતું કે રોકી ને હમણાં સુધીમાં 50 થી પણ વધારે વાર bood transfusion કરવામાં આવ્યું છે..પરંતુ રોકે એ આ દરેક સંઘર્ષ ને પોતાના જીવનમાં તાકાત સાથે જીવન વ્યતીત કરવાનું મક્કમ મનોબળ બનાવી ચુક્યો હતો..આજે 33 વર્ષ ની ઉમર સાથે જીવનનો આનંદ માણી રોકી સંઘર્ષ કરી રહ્યો છે..આપણે નાની નાની બાબતોમાં હાર માની લઈએ છીએ પરંતુ તમારી આજુબાજુ એવા પણ યોદ્ધાઓ હોઈ છે જે તમને જીવન જીવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે... Sickle cell awareness foundation (ચર્ચા) ૦૭:૧૬, ૯ એપ્રિલ ૨૦૨૩ (IST)
આદિવાસી ??
[ફેરફાર કરો]- dexterdiary
- આદિવાસી..પ્રકૃતિ પૂજક અને પ્રકૃતિના નિયમોને માનનારો.. પોતાનીજ રૂઢિ,પરંપરાઓ અને જળ,જંગલ ,જમીનને પોતાના આરાધ્ય માનનારો...વર્ષોથી કુટુંબ કબીલાઓમાં સાથે રહેતો સમાજ આજે એક એવી વ્યવસ્થાનો શિકાર બની ગયો છે કે પોતાના અસ્તિત્વને પણ દાવ પર લગાવી દીધું છે..આજે આદિવાસીઓ નાત, જાત અને જ્ઞાતિઓમાં વહેંચાય ગયા છે..પક્ષ અને પાર્ટીઓ(રાજકારણ) એ દરેક ગામ અને કસ્બાઓને વહેંચી નાખી બરબાદ કરી નાખ્યા છે..અમીર અને ગરીબ આદિવાસીઓ ની એક અલગ ઓળખ ઉભી થતી જઈ રહી છે...અમિર આદિવાસીઓ ગરીબ અદિવાસીઓનાં હક્કો છીનવી રહ્યા છે અને એમને એમના જંગલો અને રહેઠાણ માંથી વિસ્થાપિત થતા જોઈ રહ્યા છે..જન પ્રતિનિધિઓ આદિવાસી ની બેઠકો પર ચૂંટાયા પછી એમનાજ સમાજના પડખે ઉભા નથી રહેતા..થોડા જન પ્રતિનિધિઓને બાદ કરતા મોટે ભાગે આજ સિકસિલો ચાલુ રહે છે..આદિવાસી ગામડાઓ ગરીબી,બેરોજગારી,વ્યસનો,સિકલ સેલ,કુપોષણ અને શિક્ષણ નો અભાવ જેવા મુદ્દાઓ થી ઘેરાયેલો છે..બંધારણમાં આપેલા અધિકારોથી વંચિત થતો મારો સમાજ એક એવા પથ પર સવાર છે કે જેને જો રોકવામાં નહિ આવે તો ખેદાન મેદાન થઈ જશે..રૂઢિગત ગ્રામ સભાઓ જ કદાચ એને રોકી શકશે..કારણ કે લોકશાહીના પર્વ એવા ચૂંટણીને આ જન પ્રતિનિધિઓએ ધંધો બનાવી દીધો છે..આદિવાસી વિસ્તારોને જો કોઈ બચાવી શકે એમ હોઈ તો તે ફક્ત બંધારણની જાગૃતિજ છે..બંધારણની જમીની સ્તર પર અમલવારી જરૂરી છે..
Sickle cell awareness foundation (ચર્ચા) ૦૭:૧૮, ૯ એપ્રિલ ૨૦૨૩ (IST)