સભ્યની ચર્ચા:YogaAhar
નવો વિષયસ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય YogaAhar, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા
પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ. - આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૦૦:૫૩, ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
યોગાહાર
[ફેરફાર કરો]યોગાહાર યોગાહાર શબ્દ યોગ અને આહાર શબ્દનું સંયુક્ત નામ છે અને તેને સૌ પ્રથમ નામ આપનાર પટેલ રાજેશકુમાર સોમાભાઈ છે. પટેલ રાજેશકુમાર મુળ માણસા તાલુકાના રીદ્રોલ ગામના વતની છે અને હાલ ગાંધીનગર ખાતે રહે છે. વ્યવસાયે સીવીલ ઇજનેર એવા પટેલ રાજેશકુમાર યોગાચાર્ય પણ છે. તેમને લકુલીશ યોગ યુનિવર્સિટીમાંથી યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્ષ કરેલ છે તથા ડીપ્લોમા ઇન નેચરોપેથી એન્ડ ડીપ્લોમા ઇન યોગા (NDDY) પણ કરેલ છે તથા સર્ટીફીકેટ કોર્સ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન પણ કરેલ છે. ટેકનીકલ માઇન્ડ ધરાવતા પટેલ રાજેશકુમાર એ યોગાહાર શબ્દ એટલા માટે રજુ કર્યો કે યોગશાસ્ત્રના અભ્યાસમાં પતંજલિના અષ્ટાંગ યોગમાં યમ નિયમનું પાલન કરવાનું સૌપ્રથમ જણાવ્યું છે, યમ નિયમમાં યમમાં "સત્ય" શબ્દ પર ખુબ જ ભાર મૂકવામાં આવ્યો છે. સત્ય એટલે જીવનમાં બનતી તમામ ધટના પાછળ કોઇ કારણ જવાબદાર હોય છે અને આ ઘટનાનું સાચું કારણ જાણવું એજ "સત્ય". આમ "સત્ય" શબ્દે તેમના મનને જીવનમાં બનતી તમામ ધટના પાછળના સત્ય શોધવાની વૃત્તિમાં ફેરવી દીધું. બસ ત્યારથી જીવન સાથે સંકળાયેલી તમામ ધટનાઓ પછી એ શારીરિક હોય કે સામાજિક હોય કે પછી કૌટુંબિક હોય કે પછી શૈક્ષણિક હોય કે રાજકીય ધટના હોય, તેમનું મન દરેક ધટના પાછળનું સાચું કારણ શોધવા જ કામે લાગી જાય અને બુધ્ધિ પુર્વક લોજીક લગાવી સત્ય શોધવામાં જ લીન રહેવા લાગ્યું. હેલ્થ કોન્સીયસ સ્વભાવે તેમને શરુઆતમાં યોગ શીખવા મજબુર કર્યા અને બાબા રામદેવના યોગ શીખી ગાંધીનગર પતંજલિ ગ્રુપમાં જોઇન થઇને લોકોને યોગ શીખવવા લાગ્યા. યોગને વધુ શીખવા લકુલીશ યોગ યુનિવર્સિટીમાંથી યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્ષ પણ કર્યો તો સાથે નેચરોપેથી શીખવા સાથે ફુડ અને ન્યુટ્રીશનનો પણ અભ્યાસ કર્યો. અભ્યાસ અને અનુભવે એટલો ખ્યાલ આવ્યો કે શરીર સ્વસ્થ હોય તો જ જીવનનો આનંદ માણી શકાય બાકી તંદુરસ્તી વગર બધું નકામું છે. આમ શરીરને બીમારીથી બચાવવું હોય તો રોજ યોગ કરવા જ પડે એ પણ અનુભવ કર્યો. પરંતુ યોગ છોડીએ તો પાછા બીમાર પડીએ એ પણ અનુભવ થયો. પછી મને વિચાર કર્યો કે આજે યોગની ગુલામી થઇ કહેવાય. દુનિયાના બીજા કોઇ પ્રાણીઓ તંદુરસ્ત રહેવા રોજ યોગ કરવા નથી તો માનવીની એવી કઇ મજબુરી છે કે યોગ કરો તો જ સ્વસ્થ રહી શકે? આ સવાલે અલગ અલગ વિષયોના અભ્યાસ અને વર્ષોથી સફારી મેગેઝીન ના વાચક હોવાથી સત્ય શોધતા અને આહારના મહત્વને ધ્યાનમાં લેતાં યોગ શાસ્ત્ર પ્રમાણેનો યોગ્ય આહાર એજ "યોગાહાર" શબ્દનો જન્મ થયો. આહારના કુદરતી નિયમો નું પાલન ન કરવાને કારણે શરીરમાં રોગ આવે છે તે વાતોને લોજીક સાથે રજુ કરવા કુદરતી આહાર પધ્ધતિ એટલે યોગાહાર (YogaAhar) એટલે કે નેચરલ ડાયટ સીસ્ટમ (NDS) આ બંન્ને શબ્દો પટેલ રાજેશકુમાર સોમાભાઈ એ આપ્યા. આ બંન્ને શબ્દો રજીસ્ટર્ડ ટ્રેડ માર્ક તરીકે તેમના નામે છે. YogaAhar (ચર્ચા) ૦૧:૫૭, ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ (IST)