લખાણ પર જાઓ

સભ્ય:દરબાર રણજીતસિંહ

વિકિપીડિયામાંથી

સુણસર (ચાણસ્મા)... દરબાર તલાજી (બહારવટિયા)..

"સમય સામે ઊભો રહ્યો, એ જ તો બહારવટિયો કહેવાય, હુકમો તોડીને જીવ્યો, પણ વચન કદી ન તોડાય. કાયદો કહે ગુનેગાર, ઈતિહાસ કહે વિર, જમીનનો નહીં, ઈમાનનો રાજ કરે —એ જ બહારવટિયો ધીર!"

સાહેબ

“! વાંક નથી ગુના નથી, અને આમ વગર વાંકે મારી આ બાપદાદાના વખતથી ચાલી આવતી પળતર જમીન આપ લઈ લેશો તો હું ખાઇશ શું?”

“ભાઈ! હું શું કરું? મારે તો સાહેબનો હુકમ સે એટલે નોટિસ કાઢ્યા વિના કંઈ છુટકો છે?”“પણ આપ સાહેબને ને કહો? મારા વતી આપ સાહેબને જરા સમજવો તો જરૂર સાહેબ માને.”“જો ભાઈ! અમે તે સાહેબના હાથ નીચેના નોકર કહેવાઈએ. અમારાથી તે સાહેબને કંઈપણ કહેવાય નહિ. માટે છાનો -માનો તું ચાલ્યો જા. તારી જમીન જરૂર ખાલસા થશે. તું  ગમેતેમ કરીશ; પણ તારું વળશે નહિ.”“પણ આપ મને સાહેબ પાસે ન લઇ જાઓ? મારે સાહેબને થોડી વિનંતી કરવી છે. પછી જે સાહેબ માનશે તો ભલે. નહિ તો પછી ઘેર તો જવાનું છે.”તલાટી દયાળુ હતો, તેને તલાજી દરબારની દયા આવી, અને તેથી તે તલાજીને વહીવટદાર સાહેબ પાસે લઈ ગયો.કચેરીથી અજ્ઞાત એવો તલાજી તલાટીની પાછળ પાછળ વહીવટદાર સાહેબની ઓફિસમાં ગયો, અને વહીવટદાર સાહેબને તેણે ઝુકીને સલામ કરી.તલાટીએ સાહેબને તલાજીની ઓળખાણ આપી.સાહેબે તલાજીને કહ્યું —“તારી જમીન ખાલસા કરવા માટે પ્રાંતમાંથી હુકમ આવ્યો છે. હવે તારું કંઈ વળે એમ નથી.”

“પણ સાહેબ, હું અને મારા છોકરાં ખાઈશું શું? આપ દયા કરી કંઈ રસ્તો કરો તો અમેં ગરીબ ઉપર આપનો મહાન ઉપકાર થશે.”

“એ અમારા હાથની વાત નથી, પ્રાંતમાંથી જે હુકમ થયા તે ખરા છે.”

“પણ સાહેબ, મારો કંઈ વાંક ગુનો?”

“હવે માથું ખાધા વગર જાય છે કે નહિ?”

“પણ સાહેબ…”

“સિપાઈ!”

“આને ઓફિસની બહાર કાઢો.”

“સાહેબ, હું બહાર તો જાઉં છું જ, સિપાઈની કંઈ જરૂર નથી — પણ એટલું યાદ રાખજો કે આ તલાજી દરબારને વગર વાંકે કનડવામાં માલ નથી.”

આમ કહી તલાજી ગુસ્સામાં અને ગુરુસ્સામાં વહીવટદાર સાહેબની ઓફિસ બહાર નીકળી ગયો.

પાટણ તાલુકામાં આવેલું સુણસર ગામ તલાજીનું હતું. દરબારની નાતમાં તે આગેવાન હતો.

ગાયકવાડ સરકારે કેટલીક બારખલી અને વાંટાની ખવાતી જમીનો ખાલસા કરવા માંડી હતી.

તેમાં સુણસરના આ તલાજી દરબારની જમીન, જે તેના બાપદાદાના વખતથી પળતર હતી, તે પણ ખાલસા કરવા હુકમ થયેલા.તલાજી પાટણ બે ચાર ધક્કા ખાઈ પાછો આવ્યો.કંઈ જવાબ મળ્યો નહિ, એટલે તલાજીએ સરકાર પાસેથી કોઈપણ રીતે પિતાની છવારકની પળતર ખવાતી જમીન પાછી મેળવવાનો નિશ્ચય કર્યો.આજે તલાજીના ત્યાં પાટણ પરગણા ના દરબારો એકઠા થયા હતા. આ ભેગા મળેલા ડાયરામાં શરાબની પ્યાલી ઉડી રહી હતી. માથે પચીસ, પચીસ હાથના વળ દીધેલા ફેંટા હાલની માફક શોભી રહ્યા હતા, અને ખભે તલવારો લટકી રહી હતી. આવા સેંકડો જુવાન અને વૃદ્ધો આજે તલાજીએ બોલાવ્યાથી ત્યાં આવ્યા હતા. પાટણ પરગણા ના આ દરબારોમાં લોહી જેવો સંપ હતો, અને વખત આવે ગમે તેની સામે ઝૂઝી જવા માટે તૈયાર એવા હતાં.

“કેમ તલાજી! આજે આમ એકાએક પરગણા બધા ભાઈઓને બોલાવવાનું શું કારણ?” — એક આધેડ વયના દરબારે તલાજીને પ્રશ્ન કર્યો.

“મારે માથે આફત આવી છે, અને તે આફતમાં ભાઈઓની સલાહ લેવી જોઈએ, તેથી જ આજે બધા ભાઈઓને મેં આંગણે બોલાવ્યા છે.”

“આફત તો એ જ કે મારા બાપદાદાના વખતથી ખવાતી મારી આ પળતર જમીન સરકાર પડાવી લેવા માંગે છે. મારે કોઈ વાંક ગુનો નથી, છતાં મને આવી કનડગત થાય છે. પાટણ કચેરીમાં બે ચાર વાર ધક્કા ખાઈ આવ્યો, પણ મારી દાદ કોઈ સાંભળતું નથી — એટલે હવે શું કરવું?”

“જો એમ જ હોય, તો સરકાર ને બતાવવું જોઈએ કે વગર વાંકે બાપદાદાના વખતથી ચાલતી આવતી જમીનો કેમ ખાલસા થાય છે!” — એક જુવાન દરબાર ઉશ્કેરાઈને બોલ્યો.

પણ ભાઇઓ ? આ સરકાર એટલે નાની સુતી સમજશે! નહિ. આતો ગાયકવાડ સરકાર સાથે કામ લેવાનું છે. બેટના વાઘેરો એ જ્યારે બંડ કર્યું; ત્યારે એ સેકન્ડો વાઘેરોના બંડને પલકમાં સમાવી દીધું હતું. માટે આ બાબતના પુરો વિચાર કર્યા પછી જ થાય તે સારું.”

એક વૃદ્ધ અને અનુભવી દરબારે બધા ડાયરામાં સલાહ આપી. “દાદા? આપ કહો છો તે વાત સાચી. પરંતુ મોત એક વાર આવે છે; બબ્બે વખત આવતું નથી. તો શા માટે મોતથી ડરવું? અને ગાયકવાડ સરકાર સાથે લડતાં જો મરીશું, તો પણ જગતમાં નામ અમર થશે,” તલાજીએ કહ્યું.

“હા ખરી વાત છે, ખરી વાત છે,” એકી સાથે  આખે ડાયરે બોલી ઉઠયો.

“ત્યારે તલાજી? હવે શું વિચાર નક્કી છે?” એક દરબારે પૂછ્યું.

“બહારવટું! અને જેને મારી સાથે આવવું હોય તે ખુશીથી આવે. આવતી કાલે સવારે અમે અહિંથી નીકળી જઈશું.”

આમ છેવટે નિર્ણય કરી આ ડાયરો વિખરાઈ ગયો. અને આ પરગણા આ જુવાન અને વૃદ્ધ દરબારોએ જુદી જુદી વાતો કરતા પોત પોતાના રસ્તે પડ્યા.

(3)

“ઠકરાણું! હું જાઉં છું. છોકરાંની ખબર રાખજે અને ગભરાઈશ નહિ. જો જીવતો રહીશ અને સરકાર સાથે જીત મળશે તે પાછો આવીશ. નહિ તો આ છેલ્લો રામરામ છે...!

આમ ઠકરાણીની આંખમાં તલાજીના શબ્દો સાંભળી આંસુ આવ્યા

ઠકરાણી — “આ શું! આમ કાયરની માફક આંસુ કેમ પાડે છે? શૂરવીર પત્નિને આવું કાયરપણું શોભે? આખરે સ્ત્રી જાત ઉપર આવી ગયા?

તલાજીનાં આવાં વચનો સાંભળી ઠકરાણી છાની રહી. અને તેણે તલાજીને જવાની રજા આપી અને કહ્યું —

“ઠાકોર! છોકરાં છૈયાંની તેમજ મારી જરાપણ ચિંતા કરશો નહિ. હું પણ દરબારની પુત્રી છું. આપ સુખેથી સિધાવો અને વિજય મેળવી વહેલા પધારજો.”

તલાજી પોતાનાં બાળકો તરફ એક છેલ્લી નજર નાખી ચાલી નીકળ્યો. ગામની ભાગોળે તેના તેર જુવાન સાથીદારે પતપોતાના ઘોડા સાથે તૈયાર ઉભા હતા.

આમ દિવસ ઉગતાં પહેલાં તલાજી અને તેના તેર સાથીદારે માતાજીનું નામ લઇ સુણસર બહાર નીકળી ગયા. અને આજથી પોતાના નવા જીવનની તેમણે શરૂઆત કરી.

બે ચાર દિવસ સુધી તલાજી બહારવટે નીકળ્યો છે એ વાત કોઈએ જાણી નહિ. પરંતુ તલાજીએ પાટણવાડાનું એક ગામ ભાંગ્યું ત્યારેજ બધાને ખબર પડી કે તલાજી બહારવટે નીકળ્યો છે.

દિવસ ઉપર દિવસ જવા લાગ્યા, તેમ તેમ પાટણ તાલુકાનાં ગામડાં ભાગવા માંડયાં. અને સરકારી અમલદારો તથા તલાટીઓને હેરાન કરવાની તેણે શરૂઆત કરી. થોડાં જ દિવસોમાં તલાજીની એટલી બધી ધાક પેસી ગઈ કે ગામ પરગામ જવા માટે પણ લોકો વિચાર કરવા લાગ્યાં.

આમ કેટલાય દિવસે સુધી ચાલ્યું. આખરે પ્રજા થાકી અને પાટણ બહારવટિયા તલાજીના ત્રાસની ખબર પહોંચી એટલે ગાયકવાડી લશ્કર ચારે બાજુ થાણું નાખી પડયું.અને તલાજીને પકડવા માટે પાલીસ રાતદિવસ મહેનત કરવા લાગી. પણ તલોજી પકડાયો નહિ. તેણે બમણા જોરથી ધાડ પાડવાની શરૂઆત કરી.

પાટણથી તે અમદાવાદના  સુધી તલોજી અને તેના તેર માણસા બહારવટુ કરવા લાગ્યા.

તલાજીની આવી બહાદુરી સાંભળી કાંકરેજની એક સોનારણ આ તલાજીને નજરે જોવાની ઈચ્છા થઈ. તેથી તેણી કાંકરેજથી પાટણ સુધી, કે જ્યાં તલોજી લૂંટફાટ કરતો હતો ત્યાં આવી પહોંચી.

બહારવટિયાઓ રોટલા ખાઈ જંગલમાં જરા આડે પડખે થયા હતા. દૂરના એક મોટા રાયણના ઝાડ ઉપર ચાડીકો બબ્બે ગાઉ દૂર ફરતી લાંબી નજર નાખતો ચોકી કરી રહ્યો હતો.

ત્યાં દૂરથી તેણે કોઈ જુવાન, મદમસ્ત હાથી જેવી સ્ત્રીને નિર્ભયપણે પિતાના રહેઠાણે આવતી જોઈ. આથી ચાડીકો ઝાડ પરથી નીચે ઉતર્યો અને તલાજી તથા બીજાઓને સાવધ કર્યા.

“કેમ ભાઈ, શું છે? આમ ઉંઘમાંથી એકાએક કાંઈ જગાડવાનું કારણ? લશ્કર આવતું નથી ને?” — તલાજીએ ચાડીકાને પૂછ્યું.

“ના ના, એ તો કંઈ નથી, પણ એક કૌતુક છે.”

“શું?” — બધા આશ્ચર્ય પામ્યા.

“પણ દૂર કોઈ જોબનવંતી સ્ત્રી, ઘરેણાંથી ભરેલી, નીડરપણે આપણી તરફ ચાલી આવે છે. મેં તેણીને દૂરથી જોઈ એટલે ખબર આપવા આવ્યો.”

ચાડીકાની વાત સાંભળી તલોજી સાવધ બન્યો, અને આમ જંગલમાં હારવટીયાઓના રહેઠાણ તરફ નીડરપણે એકલી ચાલી આવતી સ્ત્રીમાં તેને સાધારણ સ્ત્રી કરતાં કંઈક વિશેષતા લાગી. તે આવનાર સ્ત્રીની ભારે આતુરતાથી પ્રતિક્ષા કરવા લાગ્યો થોડી ક્ષણમાં ધરતીને ધ્રુજાવતી પુરૂષને પણ શરમાવે એવા ગાત્રોવાળી એક યુવાન સ્ત્રી બહારવટીયાઓ પાસે આવી પહોંચી અને તેણે પૂછયું,

“જુવાનો! તમારામાંથી તલોજી કોણ?”

આ સ્ત્રીની બોલવાની છટા તથા તેના બોલવા વિષે તલોજી વિચાર કરી રહ્યા હતા. ત્યાં સ્ત્રીએ ફરી પૂછયું,

“તલાજી કોણ?”

“હું તલાજી.” — તલાજીએ વિચાર નિંદ્રામાંથી ઝબકીને જવાબ આપ્યો.

“તમેજ તલોજી! હાશ પ્રભુ, જેને જોવાને ઘણા દિવસથી મથતી હતી તે તલાજીનાં આજે પ્રત્યક્ષ દર્શન થયાં.”

“બાઈ, તું કોણ છે? અને આમ નિડરપણે બહારવટીયાઓ પાસે આવવાનું શું કારણ?” — તલાજીએ પૂછ્યું.

“તલાટી! હું કાકરેજની રહેવાસી છું અને જાતે સોનારણ છું. ઘણા દિવસોથી કોઈ શુરવીરની મિત્રતા ની તપાસ કરી રહી હતી. ત્યાં તમારી બહાદુરીની વાત સાંભળી, મારું હૃદય નાચી ઉઠ્યું. ઘણા દિવસથી મારા મનના માનીતા કોઈ બહાદુર મિત્રને શોધતી હતી — તે આખરે મળ્યો. એટલે તમને શોધતી શોધતી તમારી ભાળ મેળવતી આજે ઘણા દિવસે તમારી પાસે અહીં આવી પહોંચી છું.”

તલાજીને સોનારણની બોલવાની અને ચાલવાની છટા પરથી તેણી બહાદુર જણાઈ. તેણીનો વિચાર શું છે તે જાણવા માટે તલાજીએ સોનારણને પૂછ્યું —

“તારે શું, અમારી સાથે બહારવટે આવવું છે?”

“હા, જો બહારવટે ન આવવું હોત તો તમને શોધતી શોધતી કાકરેજથી અહીં શું કરવા આવત?”

“ઠીક છે, તો આજથી મારા આ તેર સાથીદાર છે — તેમાં ચૌદમા સાથીદાર તરીકે તું. પણ તારો આ સ્ત્રીનો પોશાક પહેરીને બહારવટમાં આવવું યોગ્ય નહીં લાગે, “અમારી સાથે કેવી રીતે આવીશ?” — તલાજીએ પ્રશ્ન કર્યો.

“તલાજી? એ બાબતની તમે ફિકર ન કરો. હું એ બાબતનો પહેલેથી જ બંદોબસ્ત કરીને આવી છું.” એમ કહી સોનારણે ઓઢેલી સાડી ઉતારી નાખી. ત્યાં તો બધાના આશ્ચર્ય વચ્ચે મરદના પોશાકમાં કોઈ નવયુવાન જેવી સોનારણ બહારવટિયાઓની વચ્ચે શોભવા લાગી.આ રીતે તલાજીનું કાંકરેજની સોનારણ સાથે મિત્રાચારી બંધાઈ.દિવસ ઉપર દિવસ જવા લાગ્યા. તેમ તેમ તલાજી અને તેની ટુકડી એ પાટણવાડામાં અનહદ ત્રાસ વર્તાવવા માંડ્યો. ગામડા ઊજ્જડ થવા લાગ્યા, અને પાટણની કચેરીમાં પ્રજાજનેએ રક્ષણ માટે ઘા નાખ્યા. આથી સરકારી અમલદારો તલાજીને પકડવા વધુ ઉશ્કેરાયા, અને ગાયકવાડી પોલીસ પાટણવાડાની ચારે બાજુ જાળની માફક પથરાઈ ગઈ.તલાજી પણ વધુ સાવધાન બન્યા. અને તેણે ઝડપથી પોતાનું કામ આદરી લીધું. તેની સાથીદાર  સોનારણ તલાજીની મુખ્ય સલાહકાર હતી. એટલે તલાજી સોનારણના કહ્યા મુજબ વર્તતો.પોલીસને આટલો બંદોબસ્ત હોવા છતાં તલાજી પકડાયા નહિ. આથી સરકારે પાટણ તાલુકાના જંગરાલ ગામના ઈનામદાર બારોટ પૃથ્વીરાજને પાટણ બોલાવ્યા. અને તેઓ ઈનામ પેટે જમીન ખાતો હોવાથી તેમને બહારવટિયાઓ પકડવામાં મદદ કરવાનું ફરમાવવામાં આવ્યું.બારોટના માથે હવે ધર્મસંકટ આવી પડ્યું — ના કહે તો સરકાર જમીન લઈ લે, અને હા કહે તો એક વીર પુરૂષને દગો.માટે હવે શું કરવું તેનું બારોટ વિચાર કરવા લાગ્યા. આખરે તેમણે નક્કી કર્યું, કે જમીન સરકાર ભલે લઈ લે; પણ દગો તો નહિજ કરે, આમ નિશ્ચય કરી તેમણે એએકબે ચોખ્યું સંભળાવી દીધું, કે મારી જમીન સરકાર ભલે પડાવી લે, તેની મને પરવા નથી. પરંતુ હું બારોટ જીવતાં સુધી તો દગો નહિ કરું બારોટ થી ર્કંઈ વળશે નહિ, એમ ધારી તેમને રજા આપી. એક દિવસે બહારવટીયાઓ ભુલ્યા. તલાજીને પણ આ વાતનું ભાન રહ્યું નહિ. ઘોડા ખેલવતા, ખેલવતાં, બહારવટીયાએ અમદાવાદ નજીક આવી પહોંચ્યા, અને બ્રિટિશ હકુમતનું એક ગામ તલાજીએ લુંટયું. બીજે દિવસે તલાજીએ બ્રીટીશ હકુમતનું બીજું ગામ લુંટયું. તેની ખબર ચારેબાજુ ફેલાઈ ગઈ. આથી અમદાવાદનો ગોરો અમલદાર છીટીશ લશ્કર સાથે તલાજીની પાછળ પડ્યો. અને ગાયકવાડી લશ્કરને તેણે સાથ આપ્યો. બંને લશ્કરે ભેગાં થવાથી તલાજી મુશ્કેલીમાં આવી પડે. અને તેઓ સંતાવવાની જગ્યાઓ ખોળવા લાગ્યો.એટલામાં ભાળ મેળવતું, મેળવતું, બ્રીટીશ અને ગાયકવાડી લશ્કર તલાજીના રહેઠાણું આગળ આવી પહોંચ્યું, અને તેને ચારે બાજુએથી ઘેરી લીધા તલાજી સાવધ બને તે પહેલાં તે બંને લશ્કરે ગોળીઓનો વરસાદ વરસાવવા નું શરૂ કરી દીધુ પણ ગોળીઓથી નહી ડરનાર તલોજી અને તેના ચૌદ સાથીદારોએ મોતથી નહિ ડરી ને સામે મારો ચલાવ્યો.છેવટે તલોજી ઘાયલ થયો અને તેના કેટલાક સાથીદારે માર્યા ગયા અને થોડા વધ્યા હતા તેમણે હથિયાર નમાવ્યાં.ઘાયલ તલાજીને કેદ પકડવામાં આવ્યો. અને આખું લશ્કર આજે વિજયની ધુનમાં મસ્ત બન્યું.આરામ થતાં સુધી તલાજીને દવાખાને રાખવામાં આવ્યો. પછી તેના ઉપર મુકદ્દમો ચાલ્યો. ધાડ, ખુન, અને બીજા ગુન્હાઓ માટે કોર્ટે તેને ફાંસીની સજા કરી. તલોજી ફાંસી સજા સાંભળી લેવામાં ન ગભરાયો કે ન તેના ચહેરા ઉપર કંઈ ફેરફાર થયો. ને હસ્તે મોંએ તેણે ફાંસીની સજા વધાવી લીધી.

આજે તલાજીને ફાંસી દેવાની હતી. પાટણની કચેરી આગળ હજારો માણસો ની મેદની આ વીર પુરૂષનાં છેલ્લાં દર્શન કરવા જામી હતી.

વખત થતાં પોલીસે બંદોબસ્ત સાથે તલાજીને ફાંસી આગળ લાવ્યા. ત્યાં સુણસરથી તલાજીનાં બાળ બચ્ચાં તથા તેમના ઠકરાણા  તલાજીને છેલ્લીવાર મળવા માટે આવ્યાં હતાં. અમલદારે એ તલાજી તેની પત્ની સાથે વાતો કરવા પરવાનગી આપી.ઠકરાણી? હું તે પ્રભુના ધામમાં જાઉં છું. પરંતુ તું હિંમત રાખજે અને આ છેકરને ઉછેરજે. છોકરે ઉમ્મર લાયક થાય એટલે તેને તેના બાપનું વેર લેવાનું કહેજે.” બહુ સારૂં " તલાજીની પત્ની માત્ર એટલુંજ બોલી  શકી. અને હિંમતથી પોતાના પતિને ફાંસીએ ચડવાની વિદાય આપી. વખત થઇ જવાથી અમલદારોએ આ પતિ પત્નિને છુટાં પાડયાં.ફાંસીએ ચડાવતા પહેલાં અમલદારોએ તલાજીને પૂછ્યું; “ તમારે કાંઈ કહેવું છે ?"ના ” આટલો ટુંકો ઉત્તર આપી તેલોજી ફાંસીએ ચઢ્યા. ચંડાળે પાટીયું ખસેડી લીધું. અને તેની સાથેજ રેશમની દોરી તલાજીના ગળામાં સજ્જડ બેસી ગઈ, અને તેનું શબ લટકવા લાગ્યું.

નામદાર ગાયકવાડ સરકારે તલાજીની બહાદુરીથી ખુશ થઈ તેના છોકરાને કેટલીક જમીન બક્ષીસ આપી. અત્યારે હાલ પણ તલાજીના વારસદારો આ ગીરાસ સુણસર માં ભોગવે છે.અત્યારે ઠેકઠેકાણે આ તલાજીનો રાસડા ઘેર ઘેર ગાય છે. એ રીતે વીર તલાજીનું નામ ચેમેર ફેલાઈ ગયું.

લેખન:રણજીતસિંહ ડેર

આભાર 🙏🙏🙏