સભ્ય:રાજુ ચૌહાણ
મહારાણા જયવંતસિંહજી વાઘેલા (સાણંદ બાપુ)
ઠાકોર સાહેબ ઓફ સાણંદ & કોઠ સ્ટેટ
જેમણે નીચેના સાહિત્ય અને રાગોની શોધ કરી-
“ભાલચન્દ્ર જટા ગંગ.. “ – રાગ આનંદ ભૈરવ
”માતા કાલિકા, મહાકાલ મહારાની..” – રાગ અડાણા
”લગન તોંસો લાગ રહી મોહન... ” – રાગ બાલકૌંસ
નામ : રાજા જયવંતસિંહજી રણમલસિંહજી વાઘેલા
ઉપનામ: સાણંદ બાપુ, બાપુ સાહેબ, દાઢી બાપુ
જન્મ: 16- ઓક્ટોબર – 1905, સાણંદ
અવસાન: 18 – જૂન – 1980 , સાણંદ ; સ્મશાનયાત્રામાં દોઢ લાખ માણસો સામેલ
કુટુમ્બ: • માતા – મહારાણી હીરકુંવરબા ; પિતા – મહારાણા રણમલસિંહજી (તબલા અને પખવાજના માહિર) ; દાદા –મહારાણા ભગવતસિંહજી ( જલતરંગના સારા વાદક)
• પત્ની – પ્રથમ – ચુડાના રાજ કુંવરી સરદાર કુંવરબા ; તેમના મૃત્યુ બાદ તેમના નાના બહેન દેવકુંવરબા
અભ્યાસ: • પ્રાથમિક , માધ્યમિક – રાજકુમાર કોલેજ રાજકોટ, મેટ્રીક પ્રથમ વર્ગમાં
• બી.એ. ( સંસ્કૃત) , ગુજરાત કોલેજ , અમદાવાદ
• રાજકોટમાં સંગીત શિક્ષક પંડિત લક્ષ્મીશંકરજી પાસે પ્રાથમિક શિક્ષણ
• કંઠ્યસંગીત અને વીણાવાદનના ગુરૂ ગોવિંદપ્રસાદજી
• ઉસ્તાદ મુનવ્વરખાં પાસે વિચિત્ર વીણા વાદન શીખ્યા
વ્યવસાય: સાણંદના રાજવી
જીવન ઝરમર
• સતેજ યાદ શક્તિ, એકપાઠી
• સંગીત ઉપરાત ભારતીય દર્શન, તત્વચિંતન, આયુર્વેદ અને વિશ્વના ધર્મોના અભ્યાસ પર પ્રભુત્વ
• સંસ્કૃતમાં જાહેરમાં અસ્ખલિત વ્યાખ્યાન આપી શકતા
• બધા ધર્મો પ્રત્યે આદર અને સમભાવ
• માતાજીના અઠંગ ભક્ત
• બાળકો બહુ પ્રિય
• પ્રજાવત્સલ રાજવી , ગરીબના ઘેર પ્રસંગ હોય તો પણ અચૂક જતા અને ઉદાર સખાવત કરતા
• સાવ સાદું જીવન, અંગત માસિક ખર્ચ માત્ર 50/- રૂ.
• પાંચ નવા રાગ વિકસાવ્યા – જયવંતી તોડી, જ્ઞાનકલી, જયવંત સારંગ, રાજરાજેશ્વરી અને બાગકૌંસ
• સાણંદ ખાતેનો તેમનો મહેલ ભારત ભરના શાસ્ત્રીય સંગીતના કલાકારો માટે તીર્થસ્થાન
રચના: મેવાતી ઘરાનાની ગાયકીનો પરિચય આપતું પુસ્તક ‘સંગીત સૌરભ’
શિષ્યો : પંડિત જસરાજ, ઉસ્તાદ મુલ્લાર ખા, પંડિત ઓમકાર, વિ. એસ. ગઢવી (પૂર્વ પોલીસ મહા નિર્દેશક) વગેરે...
ભારતરત્ન પંડિત જસરાજ અને ઓમકારનાથ ઠાકુરના ગુરુ કોણ હતા ???? મહારાણા જયવંતસિંહજી ..... સાણંદ વાઘેલા કુળ દ્વારા શાસન કરતું એક નાનું રજવાડું હતું. સાણંદના મહારાજ જયવંતસિંહ વાઘેલા સંગીતના સાધક હતા. 1946માં, તેમણે પંડિત જસરાજ, જે હજી ખૂબ નાના હતા, અને તેમના પરિવારને સાણંદમાં આમંત્રણ આપ્યું હતું.
`````````````