સભ્ય:Atul Kumbhani
કવિ ન હું મૈ ચતુર કહાવું , મતિ અનુસાર રામ ગુણ ગાવું.
હું અતુલ કુંભાણી (પટેલ) આમ તો ભજન ગાવા એ મારો કોઈ અનુભવ નહોતો પણ અમારા ગામડાઓમાં ભજન મંડળી ચાલતી હતી દર શનિવાર અને વાર તહેવારે ભજન હોય , મને સાંભળવાનો પણ શોખ નહોતો અને સંગીત પણ શું છે એ પણ ખ્યાલ નહોતો એક અમારા ગામ ચોકમાં ખોડીયાર મંદિરે ભજન હતા મિત્રોનાં આગ્રહની લીધે ભજનમાં ગયો. ગામના જે આરાધકો એક પછી એક ભજનો બોલતા ગયા વચ્ચે ચા-પાણી માટે થોડો વિરામ હતો તેવામાં હું એક ભજનની બુક હતી તો હું એ બુકમાં ભજનો હતા તો તે હું જોઇને ગણ ગણતો હતો. તો જે ભજન ગાવાવાળા મારા ગામના લોકો હતા કે તને તો ભજન ગાવાનો રાગ પણ સારો આવડે છે બે ભજન બોલ, પ્રથમ વાર હું બે ભજન બોલ્યો, તાલમાં અને સૂરમાં પણ બરાબર બોલ્યો બધા કહે હવે તારે ભજનમાં આવવાનું જ. પણ જયારે હું ભજન બોલ્યો ત્યારે બધા નવા ભજનો બોલતો.પ્રાચીન-અર્વાચીન ભજનનો ખ્યાલ પણ નહિ.ભજન મંડળીમાં મારા કાકા અને મારા પિતાજી પણ ભજન ગાતા પણ અમારા લોહીમાં ભજન ગાવાનું નહોતું પણ એક નિજાનંદ માટે ભજન બોલતા. પણ મારા કાકા જે પુ. નારાયણ સ્વામી બાપુને બહુ સાંભળતા અને તેમના મુખે બોલેલા ભજનો જે ગાતા તે ભજનોનો રાગ અને શબ્દો બહુ ગમ્યા.ત્યાર બાદ હું પણ પુ.નારાયણ સ્વામી બાપુ અને કાનદાસ બાપુને સાંભળતો થઈ ગયો. હું પણ પુ.નારાયણ સ્વામી , કાનદાસ બાપુ અને મુગટ લાલ જોશીના મુખે અને જે કોઈ સારા ભજનીકો છે તેમના મુખે ગવાતા ભજનો સાંભળવાનો પણ ખુબ શોખ.
જયારે ખરેખર મને ભજનની સાચી સમજણ પડી ત્યાર બાદ હું ગુરુમુખી સંતવાણી જ સાંભળતો. અલગ અલગ પંથના ભજનો પણ સાંભળવા જવાનો શોખ, ભજન સાથે સત્સંગ અને ભજન ગાયા બાદ તેમનું વર્ણન હોય. ભજનમાં છેલ્લે નામાં ચરણ આવે એટલે જે ભજન જે મહા પુરુષનું હોય તેમના જીવન ઝરમરની પણ સમજણ પડી.
ગુજરાતી નવલકથા ‘ ઝેર તો પીધા છે જાણી જાણી ’ અંતર્ગત એક સંવાદમાં કહેવાયું છે “કર્મ સ્વાતંત્ર્ય જ જ્ઞાન, કર્મા કર્મ વિવેક શીખલે , કર્મમાં સુધારા કરવાનો વિવેક બતાવે એ જ ભણતર,બાકી તો તર્ક દુષ્ટતા. જ્ઞાન મેળવવાની આપણી સંસ્કૃતિની આદિમ પદ્ધતિ એટલે ગુરુ શિષ્ય પરંપરા ગુરુ કહે શિષ્ય સાંભળે , મનન કરે ,આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરે. હવેના સમયમાં જયારે જ્ઞાનનો અર્થ ,અર્થ પુરતો સીમિત રહી ગયો છે એવામાં આજની પેઢીઓમાં સંસ્કાર સિંચનનું કામ સાહિત્ય ગુરુઓએ જ કરવું રહ્યું. આપણા સદનશીબે આપણા લોક જીવનને , સંસ્કૃતિને અને મુલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ મહાન રચનાકારોએ આપી છે. મારી-અમારી-આપણી આજની પેઢી ખુબ ઝડપી યુગમાં જીવે છે, ઝડપે શીખે છે,અને એથીએ વધુ ઝડપે ભૂલી જાય છે. કર્મા કર્મા વિવેક અહી ક્યાય નથી , મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઓ પણ સંસ્કાર સિંચન કે લોક સંસ્કૃતીના ઘૂંટડા તો ન જ પાય શકે.
લગભગ ૨૦૧૨ માં રામ ભાવ ભજન બુકને સ્વરૂપ આપવાનું કામ શરુ કરેલું. રામ ભાવ ભજન (ભજન બુક) ફક્ત મારી સગવડતા ખાતર સંપાદન કરવાનું નક્કી કર્યું અને ખુબ મહેનતથી ભૂલો શોધવા , સુધારવા મારી મહેચ્છા સાથે નોકરી પછીના બચેલા સમયની મહેનત અને ઉજાગરા આજે લેખે લાગી રહ્યા છે એ વાતનો આનંદ છે.
આ પર્વૃતિમાં મને મારા પરમ આદરણીય મિત્ર એવા શ્રી પાલુભાઈ ગઢવી (ભજનાનંદી)એ પ્રોત્સાહન આપવા બદલ જેટલો આભાર માનું એટલો ઓછો જ પડવાનો પ્રેરણાદાતાને વંદન.આશા છે આ પ્રયત્ન આપને પસંદ આવશે અને આનો લાભ મહતમ ભજન પ્રેમી મિત્રો, ભજન આરાધકો સુધી પહોચશે. ક્ષતિઓ અને સુધારા લાયક બાબતો પર ધ્યાન દોરશો તો આભારી થઈશ.