સભ્ય:Dsvyas/સ્પર્ધા વિશ્લેષણ (કામચલાઉ)

વિકિપીડિયામાંથી

સ્પર્ધાના કામ માટેનું કામચલાઉ પાનું: સ્વતંત્ર રીતે કરેલા મુલ્યાંકનને આધારે ગુણાંકન કર્યું છે.

પૂરક મૂલવણી

૧-૫[ફેરફાર કરો]

  • ૧. રાજેન્દ્ર શાહ -  : (૧૫)
    • મૌલિકતા - (૫) લખાણનો સ્રોત કોઈક એક જ, સંક્ષિપ્ત કર્યું હોય તેવો ભાસ, સિમિત વાંચન
    • માહિતીપ્રદતા - (૪) ફક્ત વિવેચનથી ભરપૂર. અંગત જીવન અને ઉપલબ્ધીઓની માહિતીનો અભાવ.
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૬) ફકરા વ્યવસ્થિત, જોડણી સારી.
  • ૨. ઝવેરચંદ મેઘાણી -  : (૦) (યોગદાન શાહ જીલનું છે, માટે ક્રમ ૧૨ પર ગુણાંકન)
    • મૌલિકતા -
    • માહિતીપ્રદતા -
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. -
  • ૩. કલાપી -  : (૦)
    • મૌલિકતા -
    • માહિતીપ્રદતા -
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. -
  • ૪. કનૈયાલાલ મુનશી -  : (૧૯ કે ૨૧)
    • મૌલિકતા - (૬) સંદર્ભ આપ્યો છે, પણ અન્ય ૨ સંદર્ભો નિરર્થક લાગે છે. એકંદરે સારું.
    • માહિતીપ્રદતા - (૬ અથવા ૮) નિબંધ લેખનમાં શબ્દોની મર્યાદા હોય છે, લેખન સવિસ્તૃત, પણ શબ્દમર્યાદા હતી કે નહિ? જો હતી તો તે પળાઈ છે કે નહિ? એ વાતોનો ખુલાસો જરૂરી. જો શબ્દ મર્યાદા ન હોય તો ગુણ વધારે આપી શકાય. માહિતી સારી, પણ અમુક જગ્યાએ માહિતીનો પુનર્ઉલ્લેખ.
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૭) વ્યાકરણી ભૂલો, જોડણી એકંદરે સારી, ફકરાઓ યોગ્ય
  • ૫. મીરાંબાઈ -  : (૨૩)
    • મૌલિકતા - (૮) લેખન એક કરતાં વધુ સ્રોતોમાંથી લીધેલું લાગે છે, ભાષાઓની મિશ્રતા તરી આવે છે, મૌલિકતા ઓછી પણ વાંચન વિસ્તૃત
    • માહિતીપ્રદતા - (૮) જીવનના વિવિધ પ્રસંગોને થોડો ન્યાય આપ્યો છે, ફક્ત વિવેચન ન રહેતા નિબંધનો ભાસ કરાવે છે.
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૭) ફકરા પાડ્યા, જોડણી અને ભાષાંતરમાં થોડી ભૂલ

૬-૧૦[ફેરફાર કરો]

  • ૭. ગિજુભાઈ બધેકા -  : (૧૭)
    • મૌલિકતા - (૬) લેખનશૈલિ સારી, પ્રવાહ વહેતો રહે છે, સ્રોત એક જ હોય તેમ લાગે છે.
    • માહિતીપ્રદતા - (૫) એકંદરે માહિતીપ્રદ પરંતુ વ્યક્તિ વિષેની મૂળભુત માહિતીઓ, જેવીકે જન્મ તારીખ, વર્ષ મૃત્યુનું વર્ષ વગેરેનો સદંતર અભાવ
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૬) ફકરાઓનો અભાવ પરંતુ જોડણી, વ્યાકરણ અને એકંદર લખાણ સારું
  • ૮. પ્રેમાનંદ -  : (૨૩)
    • મૌલિકતા - (૭) લેખનશૈલિ સારી, પણ મૌલિકતાનો અવકાશ રહેતો નથી.
    • માહિતીપ્રદતા - (૮) પ્રેમાનંદ વિષે શક્ય તેટલી માહિતી આપી, લેખની તરલતા યોગ્ય
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૮) ફકરા યોગ્ય સ્થળે, જોડણી-વ્યાકરણ પણ સારા.
  • ૯. સુંદરમ્ -  : (૦)
    • મૌલિકતા -
    • માહિતીપ્રદતા -
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. -
  • ૧૦. રાજેન્દ્ર શુક્લ -  : (૧૪)
    • મૌલિકતા - (૩) લેખનશૈલિ બાયોડેટા પ્રકારની, મથાળા બાંધવામાં પણ મૌલિકતાનો અભાવ
    • માહિતીપ્રદતા - (૬) એકંદરે વ્યક્તિ વિષે વિવેચન ઉપરાંત માહિતી ઉપલબ્ધ
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૫) ફકરા યોગ્ય, જોડણીની ભૂલો નહિવત, પરંતુ લખાણ નકલરૂપ હોવાનો ભાસ

૧૧-૧૫[ફેરફાર કરો]

  • ૧૧. બકુલ ત્રિપાઠી -  : (૧૪)
    • મૌલિકતા - (૩) નીચેની બે વિગતો જોતા મૌલિકતા પર પ્રશ્ન
    • માહિતીપ્રદતા - (૬) જન્મ તારીખ, મૃત્યુની વિગત જેવી પ્રાથમિક માહિતીનો અભાવ
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૫) ફકરાઓનો અભાવ, લખાણ ફક્ત વિવેચનરૂપે, જોડણી વ્યાકરણ સાચાં, પણ તે નકલનો ભાસ કરાવે છે.
  • ૧૨. ઝવેરચંદ મેઘાણી -  : (૧૯)
    • મૌલિકતા - (૭) એક જ સ્રોતનો ઉપયોગ, વધુ પડતું વિવેચન, માટે મૌલિકતા પર પ્રશ્ન
    • માહિતીપ્રદતા - (૮) માહિતીપ્રદ, જીવનના અમુક તબક્કાઓને વણી લીધા છે. (૮/૧૦)
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૪) જોડણીની ભૂલો, ફકરાઓનો અભાવ
  • ૧૩. પન્નાલાલ પટેલ -  : (૨૪)
    • મૌલિકતા - (૮) લખાણની ભાષા અને શૈલિ મનભાવન
    • માહિતીપ્રદતા - (૯) વ્યક્તિ વિષે સવિશેષ માહિતી, જન્મ, મરણ, બાળપણ, વગેરેનો યોગ્ય સમાવેશ
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૭) ફકરાઓનો અભાવ, પણ લખાણ સુંદર, જોડણી વ્યાકરણની ભૂલો નહિવત
  • ૧૪. મધુસૂદન પારેખ -  : (૧૪)
    • મૌલિકતા - (૪) ખૂબ ટુંકો નિબંધ, વાક્યરચનાઓ જોતા મૌલિકતા પર સંશય
    • માહિતીપ્રદતા - (૬) અત્યંત ટૂંકું લખાણ, માહિતી પીરસી પણ પદ્ધતિનો અભાવ
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૪) ફકરાઓનો અભાવ, લેખનશૈલિ પ્રેઝન્ટેશન જેવી, મુદ્દા સ્વરૂપ

૧૬-૧૯[ફેરફાર કરો]

  • ૧૬. રમેશભાઇ ઓઝા -  : (૨૧)
    • મૌલિકતા - (૭) મૌલિકતા વિષે અવઢવ, પરંતુ ક્યાંયની બેઠી નકલ નથી લાગતું
    • માહિતીપ્રદતા - (૮) માહિતીનું સંકલન સારું
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૬) ફકરાઓનો અભાવ, વ્યાકરણ અને ટાઇપીંગની ભૂલો
  • ૧૭. ગુણવંત શાહ -  :(૨૬)
    • મૌલિકતા - (૮) લેખનશૈલિમાં અને ખાસ કરીને અંતના બે ફકરામાં મૌલિકતાનો અહેસાસ થાય છે.
    • માહિતીપ્રદતા - (૯) અત્યંત માહિતીસભર લેખન, વ્યક્તિ વિષે તથા તેમના લેખન વિષે માહિતી, વિવેચન નહિવત્ (જે મારા મતે મૌલિકતાની નિશાની છે.)
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૯) ફકરા યોગ્ય સ્થાને, જોડણી અને વ્યાકરણ ખૂબ સારા, લખાણ પણ પ્રવાહિ
  • ૧૯. ગોવર્ધનરામ ત્રિપાઠી -  : (૨૦ કે ૨૨)
    • મૌલિકતા - (૬ કે ૮) અત્યંત લાંબું લખાણ, શબ્દ મર્યાદા સચવાયનો અભાવ લાગે છે. ક્યાં શરૂ કરવું ક્યાં અટકવું તે જાણકારીનો પણ અભાવ
    • માહિતીપ્રદતા - (૮) માહિતીસભર, સવિસ્તૃત અને વ્યક્તિ વિષે વધુ માહિતી, ઓછું વિવેચન અને વધુ નિબંધ.
    • લખાણ, વ્યાકરણ, જોડણી, ફકરા વ. - (૬) ફકરા પાડ્યા, પણ વ્યાકરણની ભૂલો.

નોંધ[ફેરફાર કરો]

  • બધાજ લખાણોમાં એકંદરે સંદર્ભ/સ્રોતની જાણકારીનો અભાવ.
  • શબ્દમર્યાદાનો અભાવ
  • ઘણી જગ્યાએ વિવિધ લેખકો/કવિઓના નિબંધો એક સરખા લાગ્યા, એક જ સ્રોત/પુસ્તકમાંથી લખ્યું હોય તેમ
  • નિબંધ ઓછા અને વિવેચન વધુ લાગ્યા
  • સ્પર્ધક વિષેની માહિતીનો અભાવ, જેમકે ઉંમર, અભ્યાસ, વગેરે.