લખાણ પર જાઓ

સભ્ય:Hemangrana

વિકિપીડિયામાંથી

Rao Bahadur Tribhuvanrai Dulerai Rana: રાવ બહાદુર ત્રિભુવન દૂલેરાય રાણા બ્રિટિશ શાશન કાળ દરમ્યાન રજવાડા ના સમયે જૂનાગઢ રાજ્ય નાં દિવાન તરીકે નિમાયેલા હતા. તેમનાં દિવાનપણા દરમ્યાન ઘણાં સારા ઉલ્લેખનીય કામકાજો કરેલ હતા. જૂનાગઢ રાજ્ય માં ખાસ કરી ને ગિરનાર નો કેસ બહુ મહ્ત્વતા ધરાવે છે. રાવ બહાદુર રાણા એ ઘણું મોટું યોગદાન આપેલ હતું. તે સમયે જૈનો એ માંગણી ઉઠાવેલ કે, ગિરનાર માં આવેલ જૈનો ના દેરાઓ ખાનગી મિલકત છે તેવું જાહેર કરી આપો, પરન્તુ રાવ બહાદુર રાણા એ સ્પષ્ટ મત પ્રદર્શિત કરેલ કે તે જાહેર મિલકત છે અને રાજ્ય ની મિલકત કહેવાય. આ રીતે જે તે વખતે અદાલતી ચુકાદાઓ માં તે રાજ્ય ની મિલકત તરીકે ઘોષિત થયેલ.

રાવ બહાદુર રાણા ખુબજ બાહોશ અને નિપુણ વ્યક્તિ હતા. તેની કૌશલ્યતા ની તો શું વાત જ કરવા ની..ચુસ્ત સિદ્ધાંતવાદી અને બિલકુલ પ્રામાણિક રહી ને તેમણે દિવનગીરી કરી. દિવાનગીરી માં થી નિવૃત્ત થયા બાદ તેઓ ભારત ની ફેડરલ કોર્ટ ના પ્રથમ વકીલ બનેલ હતા. તેઓ નું જાહેર જીવન માં પણ ઘણું યોગદાન હતું. ગાંધીજી ના સહવાસીઓ, શામળદાસ મહેતા તેમજ ઉદ્યોગપતિઓ ના કહેવા ઉપર તેમણે સને 1920 માં જૂનાગઢ નગર પાલિકા ની ચૂંટણી માં જંપલાવેલ અને નગરપાલિકાના પ્રથમ પ્રમુખ બનેલ હતા.

સર ચિમનલાલ શેતલવડ ની આત્મકથા માં રાવ બહાદુર ત્રિભુવનરાય દૂલેરાય રાણા ની ભારો ભાર પ્રસંશા કરાયેલ છે.

જૂનાગઢ મ્યુઝિયમ માં તેમનો ફોટો તથા તે દિવાન તરીકે જે ચાંદી ની ખુરશી માં બેસતાં હતા તે પ્રદર્શન માં રાખવા માં આવેલ છે.