સભ્ય:Taldhaj
નીતિન ગજ્જર મારું નામ ,આમ તો હું એક વેપારી છું, પણ સમય મળે કવિતાઓ અને વાર્તાઓ પણ લખી લવ છું, મારું ગામ તળાજા છે. જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ખુબજ રળિયામણું છે, સરસ મજાનો ડુંગર છે, તેમાં પુરાતન ગુફાઓ આવેલી છે તેમજ ખોડીયાર માતાજીનું એક સરસ ગુફામાં મંદિર છે અને ડુંગર ઉપર જૈન દેરાસરો પણ છે. તળાજામાં બે નદીઓ આવેલી છે. એક તળાજી અને બીજી શેત્રુંજી નદી, બંનેનો ધનેશ્વર મહાદેવના મંદિર પાસે સંગમ થાય છે.તે ખુબજ સરસ જગ્યા છે. બાજુમાં ચેકડેમ છે.તે સુંદરતામાં વધારો કરે છે.સરસ મજાનું સ્મશાન છે કે જ્યાં જીવતા પણ રહેવાનું મન થાય. તળાજાની બાજુમાં સરતાનપર બંદર પણ છે, તેમજ બાજુ વિશ્વનું નંબર ૧ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ પણ છે.બાજુમાં ગોપનાથ છે. ત્યાં ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મેં મારી કવિતાઓ અને વાર્તાઓ તથા વિચારોની વેબસાઈડ બનાવેલ છે. જેમાં મારા બ્લોગ છે. જેની link છે. taldhvaj.webs.com અને taldhvaj.wordpress.com છે. તો વાંચી આપના અભિપ્રાય લખશો. મારું email add. છે taldhvaj@gmail.com આભાર.