સભ્ય:Vadhiya VishaL

વિકિપીડિયામાંથી

VADHIYA VISHAL - 8128349295


1. અખંડ આનંદ

અખંડ આનંદ એ જાણીતું તથા ભારતની આઝાદી પહેલાનું ગુજરાતી સામાયિક છે. આ સામાયિક દર માસે પ્રકાશીત કરવામાં આવે છે.

             ભિક્ષુ અખંડાનંદજી એ ઘર ઘરમાં હોંશે હોંશે વંચાય એવું સામાયિક શરૂ કરવા વિચાર કર્યો અને આ વિચારના પરિપાકરૂપે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા ઈ. સ. ૧૯૪૬ના વર્ષથી આ માસિક શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદશહેરમાં શરૂ કરાયેલ આ માસિકના પ્રારંભમાં શ્રી મોહનલાલ મહેતા તેના તંત્રીપદે હતા. આ પછી આવેલા ત્રિભુવનદાસ ઠક્કર લાંબા સમય સુધી સંપાદકીય સેવા આપતા રહ્યા હતા.
                      અખંડ આનંદ માસિક પ્રોઢવાચક વર્ગને સાત્વિક વાંચન પૂરું પાડે છે. ધર્મ, તત્વજ્ઞાન, કેળવણી, ઇતિહાસ, આયુર્વેદ, અર્થકારણ, ખગોળ જેવા વિષયોને પ્રાધાન્ય આપતું આ માસિક વાર્તા, નિબંધ, કવિતા, વાર્તાલાપ, પ્રશ્નોત્તર, ચરિત્ર, પ્રસંગકથા જેવાં જુદા જુદા સાહિત્યસ્વરૂપો અને વચ્ચે વચ્ચે કલાત્મક તસવીરોથી અત્યંત આકર્ષક તથા ભાતીગળ લાગે છે.
                       ૪૩ વર્ષની સતત મજલ કાપી આ માસિક ઈ. સ. ૧૯૯૦ અને ૧૯૯૧ દરમિયાન થોડો વખત બંધ રહ્યું હતું. ફરી શ્રી પ્રકાશ ન. શાહના તંત્રીપદે આ માસિક ફરી શરૂ થયું હતું.


2. અબ્દુલ કલામ

• ભારતના ૧૧ માં રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ

          અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ  જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે,તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૩૧ના રોજ તામિલનાડુ રાજ્યમાં થયો હતો. તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો.
રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન(DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ખાતે કામ કર્યુ હતું.

• જન્મની વિગત  : ૧૫/૧૦/૧૯૩૧ રામેશ્વરમ,તામિલ નાડુ,ભારત • કાર્યકાળ  : પચ્ચીસમી જુલાઇ, ૨૦૦૨ થી પચ્ચીસમી જુલાઇ, ૨૦૦૭ • ઉપરાષ્ટ્રપતિ  : ભૈરોસિંહ શેખાવત • પુરોગામી  : કે.આર.નારાયણન • અનુગામી  : પ્રતિભા પાટીલ • હુલામણું નામ  : મિસાઇલ મેન • અભ્યાસ  : એરોસ્પેસ ઇજનેર • વતન  : રામેશ્વરમ • ખિતાબ  : ભારત રત્ન • ખ્યાતનામી  : મિસાઇલ મેન, જનસામાન્યનાં રાષ્ટ્રપતિ. • ધર્મ  : મુસ્લિમ • જીવનસાથી  : અપરણીત

3. આકાશગંગા

     આ પૃથ્વી આકાશગંગાનો એક નાનો અંશ છે. બ્રહ્માંડમાં અગણિત વિરાટ આકાશગંગાઓ આવેલી છે. આકાશગંગામાં અગણિત તારાઓ આવેલા છે. બે તારા વચ્ચેનું અંતર સામાન્ય રીતે પ્રકાશવર્ષમાં મપાય છે. આકાશગંગા હજારોપ્રકાશવર્ષ મોટી હોય છે.

4. ગ્રહ આપણા સૌરમણ્ડલના ગ્રહો જમણી બાજુએથી ડાબી તરફ - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નેપ્ચૂન સૂર્ય અથવા કોઈ અન્ય તારાની ચારે તરફ પરિક્રમા કરતા ખગોળ પિંડોને ગ્રહ કહેવાય છે. અંતર્રાષ્ટ્રીય ખગોળ સંઘની પરિભાષા અનુસાર આપણા સૌરમંડળમાં આઠ ગ્રહ છે. - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નેપ્ચૂન. આ ઉપરાંત ત્રણ નાના ગ્રહ પણ આવેલા છે. - સીરિસ, પ્લૂટો અને એરીસ. પ્રાચીન ખગોલશાસ્ત્રિયોંને તારા અને ગ્રહોં કે બીચ મેં અન્તર ઇસ તરહ કિયા- રાતે આકાશમાં ચમકને વાલે અધિકતર પિણ્ડ હમેશા પૂરબ કી દિશા સે ઉઠતે હૈં, એક નિશ્ચિત ગતિ પ્રાપ્ત કરતે હૈં ઔર પશ્ચિમ કી દિશા મેં અસ્ત હોતે હૈં ઇન પિણ્ડોં કા આપસ મેં એક દૂસરે કે સાપેક્ષ ભી કોઈ પરિવર્તન નહીં હોતા હૈ ઇન પિણ્ડોં કો તારા કહા ગયા પર કુછ ઐસે ભી પિણ્ડ હૈં જો બાકી પિણ્ડોં કે સાપેક્ષ મેં કભી આગે જાતે થે ઔર કભી પીછે - યાની કિ વે ઘુમક્કડ઼ થે Planet એક લૈટિન કા શબ્દ હૈ જિસકા અર્થ ઇધર-ઉધર ઘૂમને વાલા હૈ ઇસલિયે ઇન પિણ્ડોં કા નામ Planet ઔર હિન્દી મેં ગ્રહ રખ દિયા ગયા શનિ કે પરે કે ગ્રહ દૂરબીન કે બિના નહીં દિખાઈ દેતે હૈં, ઇસલિએ પ્રાચીન વૈજ્ઞાનિકોં કો કેવલ પાઁચ ગ્રહોં કા જ્ઞાન થા, પૃથ્વી કો ઉસ સમય ગ્રહ નહીં માના જાતા થા જ્યોતિષ કે અનુસાર ગ્રહ કી પરિભાષા અલગ હૈ ભારતીય જ્યોતિષ ઔર પૌરાણિક કથાઓં મેં નૌ ગ્રહ ગિને જાતે હૈં, સૂર્ય, ચન્દ્રમા, બુધ, શુક્ર, મંગલ, ગુરુ, શનિ, રાહુ ઔર કેતુ. 5. પૃથ્વી . પૃથ્વી એ સૂર્ય થી ત્રીજો ગ્રહ (ઘોષિત કરવામાં આવ્યો છે. ઘનતા , દળ અને વ્યાસમાં , પૃથ્વી એ સૌરમંડળ (માંનો જમીન ધરાવતો સૌથી મોટો ગ્રહ છે. તેને વિશ્વ અને ટેરા નામે પણ સંબોધવામાં આવે છે. લાખો-કરોડો જાતિઓ અને મનુષ્ય નું રહેઠાણ એવી પૃથ્વી, આખા બ્રહ્માંડ નો એક માત્ર એવો ગ્રહ છે જયાં જીવન હોવાનું જાણવા મળ્યું છે. 4.54 અબજ વર્ષો પહેલાં પૃથ્વીની રચના થઈ હતી. અને એકાદ અબજ વર્ષ પછી તેની સપાટી પર જીવન પાંગર્યું હતું. ત્યારથી, પૃથ્વીના જીવમંડળ ના કારણે તેના વાયુમંડળ માં અને અન્ય અજૈવિક પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે; હવામાંના જીવતંત્રો નો વિપુલ પ્રમાણમાં વિકાસ તેમ જ ઓઝોન સ્તર ની રચનાથી તથા તેની સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ની અસર સૂર્યના હાનિકારક કિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા અટકાવે છે, જેના પરિણામે પૃથ્વી પર જીવન સંભવી શકયું છે. આ સમયગાળામાં, પૃથ્વીના ભૌતિક ગુણધમો તેમ જ તેના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ અને તેની ભ્રમણકક્ષાના કારણે જીવન ટકી શકયું. પૃથ્વી પર બીજાં 1.5 અબજ વર્ષો સુધી જીવન ટકી શકશે, એ પછી સૂર્યની વધતી જતી તેજસ્વીતા, પૃથ્વીના જીવમંડળને વીંધી નાખશે.

પૃથ્વીનું ઉપલી સપાટી વિવિધ કઠોર ભાગોમાં અથવા તો ટેકટોનિક પ્લેટો માં વહેંચાયેલી છે. આ ટેકટોનિક પ્લેટો લાખો-કરોડો વર્ષો થી સપાટી પર આમથી તેમ ધીમે ધીમે ગતિ કરી રહી છે. પૃથ્વીની સપાટીનો 71% ભાગ ખારા પાણી ના સમુદ્ર થી રોકાયેલો છે, બાકીનો ભાગ ખંડો , દ્વિપો અને જે અન્ય કોઈ ગ્રહની સપાટી પર જોવા મળ્યું નથી એવા જીવન માટે આવશ્યક એવા પ્રવાહી જળ થી રોકાયેલો છે. પ્રમાણમાં ઘન કહેવાય તેવા લાવારસના આવરણ થી બનેલું પૃથ્વીનું અંતરાળ સક્રિય હોય છે, પ્રવાહી બાહ્ય ગર્ભ લોહચુંબકીય ક્ષેત્ર ઊભું કરે છે અને અંતઃ ગર્ભ ઘન લોહ ધાતુઓનું બનેલું હોય છે. પૃથ્વી બાહ્ય અવકાશ માંના સૂર્ય, ચંદ્ર તેમ જ અન્ય ગ્રહો સાથે ક્રિયા-પ્રતિક્રિયાઓ કરે છે. અત્યારે, પૃથ્વી પોતાની ધરી પર 366.26 વખત ફરે ત્યારે સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરે છે. આટલા સમયગાળાને તારક વર્ષ કહેવામાં આવે છે, જે ૩૬૫.૨૬ સૌર દિવસો સમાન છે. પૃથ્વીની ધરી, 23.4ના ખૂણે તેની ભ્રમણકક્ષા ને કાટખૂણે સહેજ નમેલી છે, જેના કારણે પૃથ્વીની સપાટી પર એકઉષ્ણકટિબંધીય વર્ષ (૩૬૫.૨૪ સૌર દિવસો) દરમ્યાન જુદી જુદી ૠતુઓ પેદા થાય છે. ચંદ્ર પૃથ્વીનો એક માત્ર જાણીતો કુદરતી ઉપગ્રહ છે. આશરે 4.53 અબજ વર્ષો પહેલાં ચંદ્રે પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરવાનું શરૂ કયુર્ં. તેના આ પરિભ્રમણથી સમુદ્રમાં ભરતી-ઓટ પેદા થાય છે, પૃથ્વીની ધરીનો ખૂણો સ્થિર બની રહે છે તથા પૃથ્વીનું તેની ધરી પરનું પરિભ્રમણ ધીરે ધીરે ધીમું પડતું જાય છે.આશરે ૪.૧ અને ૩.૮ બજ વર્ષો અગાઉ થયેલ ભારે તોપમારા જેવા વરસાદ થી ઊભી થયેલી મધ્યગ્રહો ની અસરોથી પૃથ્વીની સપાટી પરના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો.

પૃથ્વીના પેટાળમાંના ખનિજ સ્રોતો તેમ જ જીવમંડળની પેદાશો વિશ્વની માનવ વસતિને ટકવા માટે જરૂરી સ્રોતો પૂરાં પાડે છે. પૃથ્વી પર વસતા મનુષ્ય સમુદાયો આશરે 200 સાર્વભૌમી રાષ્ટ્રોમાં વહેંચાયેલા છે, જે એકબીજા સાથે વેપાર, પ્રવાસ, રાજકીય મુત્સુદ્દીપણા અને લશ્કરી ગતિવિધિઓથી સંપર્કમાં રહે છે. પૃથ્વી બાબતે માનવ સંસ્કૃતિએ અનેક વિભાવનાઓ ઊભી કરી હતી- જેમાં પૃથ્વીને દૈવી માનવાની બાબત, સપાટ પૃથ્વી ની વિભાવના અને પૃથ્વીને જાળવણી માંગતી એક સંકલિત વાતાવરણ વ્યવસ્થા તરીકે જોતા આધુનિક દષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે. ૧૯૬૧ જયારે યુરી ગાગરિન બાહ્ય અવકાશમાં પહોંચ્યો ત્યારે પહેલીવાર કોઈ માનવીએ પૃથ્વીની સપાટીથી બહાર પગ મૂકયો હતો. 6. પૃથ્વી ઘટનાક્રમ પૃથ્વીના ભૂતકાળ અંગે વિજ્ઞાનીઓ વિગતવાર માહિતીની પુનઃરચના કરી શકયા છે. સૌથી નજીકના સમયના સૌરમંડળના અંશ નીચેની તારીખ/સમયગાળાના છે- 4.5672 ± 0.0006 અબજ વર્ષો અગાઉ,અને 4.54 અબજ વર્ષો અગાઉ (1% અચોક્કસતા હોઈ શકે)

સૂર્યની નિહારિકા માંથી- સૂર્યમાંથી ફેંકાયેલા કચરા-ધૂળ અને ગેસમિશ્રિત, ગોળ ચપટી તકતી જેવા આકારના ટુકડાઓમાંથી પૃથ્વી અને સૌર માળાના અન્ય ગ્રહોની રચના થઈ છે. આવાં ઉમેરાયેલાં દ્રવ્યો વડે પૃથ્વીનું બંધારણ મોટા ભાગે 100–200–લાખ–વર્ષોમાં પૂરું થયું હતું. શરૂઆતમાં જયારે પૃથ્વીનું બહારનું પીગળેલું આવરણ ઠંડું પડીને એક ઘન સ્તરમાં ફેરવાયું ત્યારે વાતાવરણમાં પાણી એકઠું થવું શરૂ થયું. એના પછી થોડા જ સમયમાં ચંદ્રનું નિર્માણ થયું. એવું કહેવાય છે કે પૃથ્વીના 10% જેટલો દ્રવ્ય-જથ્થો ધરાવતો મંગળના કદનો ટુકડો (કયારેક તેને થેઈયા કહેવામાં આવે છે), પૃથ્વી સાથે ઝડપભેર અથડાતાં તેના આઘાતથી ચંદ્રનું સર્જન થયું હતું. આ ટુકડામાંથી કેટલોક દ્રવ્ય-જથ્થો પૃથ્વીમાં ભળી ગયો અને કેટલોક અવકાશમાં ફેંકાયો, જે ભ્રમણકક્ષા પર ચંદ્રનું સર્જન કરવા માટે પૂરતો હતો.

ગેસ વિસર્જન અને ભભૂકતા જવાળામુખીઓના પરિણામે આદિકાળનું વાયુમંડળ પેદા થયું. પાણીની વરાળના સંકોચનથી, મધ્યગ્રહો, વિશાળ પ્રોટો-ગ્રહો, ધૂમકેતુઓ અને ટ્રાન્સ-નેપ્ચ્યુનિયન પદાર્થો દ્વારા પહોંચતો બરફ અને પ્રવાહી પાણીથી મહાસાગરોનું નિર્માણ થયું. ખંડીય વિકાસ માપવા માટે બે મુખ્ય મૉડલ સૂચવાયાં છેઃઆજના દિવસનો સ્થિર વિકાસ અને પૃથ્વીના ઇતિહાસમાં શરૂઆતમાં થયેલો ઝડપી વિકાસ. ખંડીય પોપડાઓ શરૂઆતમાં ઝડપથી વિકાસ પામ્યા હોય અને પછી લાંબા સમય સુધી સ્થિર ખંડીય વિસ્તાર તરીકે વિકસ્યા હોય તેવો બીજા વિકલ્પ, હાલના સંશોધન પ્રમાણે વધુ સંભવિત લાગે છે. સેંકડો કરોડો વર્ષોના સમયગાળા સુધી, ખંડો બનવા અને તૂટતાં રહેવાની પ્રક્રિયાને પરિણામે પૃથ્વીની સપાટી સતત વિકસતી, આકાર બદલતી રહી છે. આ ખંડો પૃથ્વીની સપાટી પર આમથી તેમ ગતિ પણ કરતા અને કયારેક એકબીજા સાથે જોડાઈને મહાખંડ બનાવતા. સૌથી શરૂઆતના જાણીતા મહાખંડોમાંથી એક, રોડિનીઆ નામનો મહાખંડ આશરે 7500 લાખ વર્ષો અગાઉ મ્યા તૂટવો શરૂ થયો હતો. 600–540 mya લાખ વર્ષો અગાઉ એ ખંડોએ પાછળથી ફરીથી જોડાઈને પેન્નોટિયા ખંડ બનાવ્યો, અને પછી છેવટે પાંગઈઆ ખંડ બનાવ્યો, જે 180 mya લાખ વર્ષો અગાઉ તૂટીને છૂટો પડ્યો.

 ચંદ્ર ચંદ્ર એ પૃથ્વીના એક ચતુથાર્ંશ જેટલો વ્યાસ ધરાવતો, પ્રમાણમાં મોટો એવો જમીન ધરાવતા ગ્રહ જેવો ઉપગ્રહ છે.તે પોતાના ગ્રહના કદની સાપેક્ષે સૌર મંડળમાં સૌથી મોટો ચંદ્ર છે.વામન ગ્રહ પ્લુટો કરતાં ચૅરોન પ્રમાણમાં મોટો છે.)પૃથ્વીના ચંદ્ર પરથી અન્ય ગ્રહોની આસપાસ ફરતા કુદરતી ઉપગ્રહોને "ચંદ્ર" કહેવામાં આવે છે.

પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષી આકર્ષણને પરિણામે પૃથ્વી પર ભરતી-ઓટનાં મોજાં આવે છે. આ જ અસરના કારણે ચંદ્ર પર તેના ભરતી-ઓટનાં મોજાં બંધાઈ ગયા છે; ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં જેટલો સમય થાય તેટલો જ સમય પોતાની ધરી પર ફરતાં થાય છે. પરિણામે, પૃથ્વી પર હંમેશાં ચંદ્રની સમાન બાજુ જ જોવા મળે છે. ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે ત્યારે સૂર્ય તેના વિવિધ પૃષ્ઠભાગોને પ્રકાશિત કરે છે જેના કારણે ચંદ્રની કળાઓ જોવા મળે છે; સૌર વિચ્છેદન થી તેનો અંધકારભર્યો ભાગ અને પ્રકાશિત ભાગ જુદા પડતા હોય છે.

ચંદ્ર પૃથ્વી પર જે ભરતી-ઓટ  સર્જે છે તેના કારણે દર વર્ષે આશરે 38 મિ.મી.ના દરથી ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. કરોડો વર્ષ પછી, આ સૂક્ષ્મ બદલાવો- તથા વર્ષે લગભગ 23µs જેટલો પૃથ્વીનો દિવસ લંબાવાની ઘટના- સરવાળે નોંધપાત્ર બદલાવોમાં પરિણમશે. ઉદાહરણ તરીકે, ડિવોનિયન  સમયગાળામાં (આશરે 4100 લાખ વર્ષો અગાઉ), એક વર્ષમાં 400 દિવસ હતા, અને દરેક દિવસ 21.8 કલાક લાંબો હતો. 

પૃથ્વીની આબોહવાનું નિયમન કરીને ચંદ્રે, પૃથ્વી પર જીવનના વિકાસને નાટકીય ઢબે પ્રભાવિત કર્યો છે. ચંદ્ર સાથે ભરતી-ઓટની ઘટનાને કારણે પૃથ્વીની ધરીનો વળાંક સ્થિર રહ્યો છે એવું પેલેઓન્ટોલોજિકલ પુરાવાઓ અને કમ્પ્યૂટર વડે સર્જાયેલી પ્રતિકૃતિઓ દર્શાવે છે. જો પૃથ્વીના વિષુવવૃત્તીય ઢેકા પર સૂર્ય અને અન્ય ગ્રહોના કારણે પેદા થતો ફરવાનો વેગ આ રીતે ચંદ્રથી સ્થિર ન કરવામાં આવ્યો હોત તો પૃથ્વીની ધરી કદાચ ખાસ્સી અસ્થિર બની હોત અને લાખો/કરોડો વર્ષો પછી તેમાં જેમ મંગળના કિસ્સામાં બન્યું તેમ ખાસ્સા અંધાંધૂંધીભર્યા બદલાવો જોવા મળ્યા હોત એવું કેટલાક ફિલસૂફો માને છે. જો પૃથ્વીના પરિભ્રમણની ધરીક્રાન્તિવૃત્ત પાસે પહોંચત તો તેનાથી ખૂબ મોટા ૠતુ ફેરફારો સર્જાત જેના પરિણામે હવામાનમાં ખૂબ મોટા ફેરફારો આવત. પૃથ્વીનો એક ધ્રુવ ઉનાળા દરમ્યાન સીધો સૂર્ય તરફ રહેત અને શિયાળામાં સૂર્યથી તદ્દન વિરોધી દિશામાં રહેત. આ અસરનો અભ્યાસ કરનારા ગ્રહોના વિજ્ઞાનીઓ ના મતે તેના પરિણામે તમામ મોટા પ્રાણીઓ અને ઉચ્ચ વનસ્પતિ જીવો નાશ પામ્યા હોત. જો કે આ વિવાદાસ્પદ વિષય છે, પરંતુ પૃથ્વી જેવો જપરિભ્રમણનો સમયગાળો અને ધરીનો વળાંક ધરાવતા, પરંતુ પૃથ્વીની જેમ પોતાનો મોટો ચંદ્ર અથવા પ્રવાહી ગર્ભ ન ધરાવતા મંગળના વધુ અભ્યાસથી આ બાબત કદાચ સ્પષ્ટ થશે.

પૃથ્વી પરથી જોઈએ તો ચંદ્ર, પૃથ્વીથી લગભગ સૂર્ય જેટલો જ દૂર અને દેખીતી રીતે સૂર્ય જેટલું જ કદ ધરાવતો લાગે છે. સૂર્ય, ચંદ્રથી 400 ગણો મોટો હોવા છતાં તે 400 ગણો દૂર પણ છે, એટલે આ બંને અવકાશી પદાર્થોનું કોણીય કદ અથવા તો ઘન કોણ સરખું લાગે છે. આના પરિણામે પૃથ્વી પર સંપૂર્ણ અથવા કંકણાકૃત ગ્રહણો સર્જાય છે.

 સફારી

           સફારી એ અમદાવાદ, ગુજરાત, ભારતમાંથી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું એક માસિક સામાયિક છે. આ સામાયિકના તંત્રી નગેન્દ્ર વિજય તેમ જ સંપાદક હર્ષલ પુષ્કર્ણા છે. આ સામાયિકનો મુખ્ય હેતુ ગુજરાતની નવી પેઢીમાં જ્ઞાનનો ફેલાવો કરવાનો તેમ જ વિજ્ઞાન વધુ લોકપ્રિય બનાવવાનો છે. આ મેગેઝિનનો વિષય મુખ્યત્વે સામાન્ય જ્ઞાન છે. તેમાં વિજ્ઞાન, ગણિત, ઇતીહાસ, રાજકારણ અને તાજા બનાવો જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સામાયિકનું વિભાજન બનાવ અને બેકગ્રાઉન્ડ, સંપાદકનો પત્ર, આ પત્ર સફારીને મળે, શોધ અને શોધકો, નવું સંશોધન, એક વખત એવું બન્યું, સુપર સવાલ, ફેક્ટફાઇન્ડર, સુપર ક્વિઝ તેમ જ માઇન્ડ ગેમ્સ જેવા વિભાગોમાં કરવામાં આવ્યું છે. તેની ટેગલાઇન આ મુજબ છેઃ સફારી-બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન. તે વાચકોમાં અત્યંત લોકપ્રિય હોવા છતાં અન્ય સામાયિકોની જેમ 'સફારી'માં ક્યારેય જાહેરખબર (એડ્વર્ટાઈઝ) જોવા મળતી નથી, જે પરથી એમ કહી શકાય કે તે એક નફો મેળવવાની કોઇ પણ અપેક્ષા વિના કામ કરતી સંસ્થા છે. તેનો ફેલાવો ફક્ત ગુજરાત રાજ્ય પુરતો સીમિત ન રહેતાં ભારતના અન્ય ભાગો તેમજ ભારતની બહાર અમેરિકા, ન્યુઝીલેન્ડ તેમજ ઈંગ્લેન્ડમાં પણ જોવા મળે છે.

અન્ય પ્રકાશનો હર્ષલ પબ્લિકેશન્સ દ્ધારા કેટલાક અન્ય પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવ્યાં છે, જે નીચે પ્રમાણે છે: • યુદ્ધ ૭૧ • આઇનસ્ટાઈન અને સાપેક્ષવાદ • વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓઃ ભાગ ૧ થી ૩ • મેથેમેજિક • સમયસર • સફારી જોક્સ • પ્રકૃતિ અને પ્રાણીજગત • વિસ્મયકારક વિજ્ઞાન • મોસાદના જાસૂસી મિશનો • સુપર ક્વિઝ • કોસ્મોસ • નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશન નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનનો હેતુ પણ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો કરવાનો છે. તેની સ્થાપના ૧૪મી ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ કરવામાં આવી હતી. તેના અંતર્ગત આંખે ન જોઇ શકતા લોકો માટે 'સફારી'ની ઓડિયો આવૃતિનું વિના મૂલ્યે આશરે ૧૦૦ અલગ-અલગ સંસ્થાઓમાં વિતરણ કરવામા આવ્યું હતું. જેથી પ્રજ્ઞાચક્ષુ લોકોમાં પણ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો થઇ શકે.  એશીયાઇ સિંહ એશીયાઇ સિંહ એ બિલાડી વંશનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશીયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતી માં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો,બરફ નો દિપડો , અનેધબ્બેદાર દિપડો વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં , ત્યારે તેની ત્રણ પ્રજાતીઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ ,વખત જતા આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતાજ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતીમાં સરખીજ હોય છે. • વર્તુણક આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે. વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકિકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. જંગલ માફક આવે છે.

 ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓબગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું. ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી. કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો’ કાવ્યની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. સવંત ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં. ૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.  ભારતની આઝાદીની લડત - ઝવેરચંદ મેઘાણી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ……………… ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ હો રાજ............ દુનિયાનાં વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ…………… સાગરને પારે સ્વાધીનતાની ક્બરોમાં મહેક્યો કસુંબીનો રંગ હો રાજ.......... ” સ્વાધીનતા કાજે શૂરવીરતાં પ્રગટાવતાં એવા જાણિતા અને માનીતા એવા શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૭ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાચોટીલા ગામે થયો હતો.તેમનું વતન અમરેલી જિલ્લામાં આવેલું બગસરા હતું.તેમની માતાનું નામ ધોળીબા અને તેમના પિતાનું નામ કાળીદાસ હતું.તેમના ભાઈઓનું નામ પ્રભાશંકર અને લાલચંદ હતું.તેમને બી.એ સુધી અભ્યાસ કર્યો હતો. (શામળદાસ કોલેજ ભાવનગર ૧૯૧૭) ૧૯૨૨ થી૧૯૩૫ સુધી "સૌરાષ્ટ્ર" સપ્તાહિકમાં તંત્રી તરીકે અને ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેમને "ફૂલછાબ"માં તંત્રી તરીકે કાર્ય કર્યુ.૧૯૨૯માં તેમને રણજિતરાવસુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો અને ગાંધીજીઅએ તેમને "રાષ્ટ્રીય શાયર" તરીકે નવાજ્યા હતા. મેઘાણીએ ચાર નાટકગ્રંથ,સાત નવલિકા સંગ્રહ,તેર નવલકથા,છ ઇતિહાસ,તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી.તેમને ૧૯૩૦માં સત્યાગ્રહ સંગ્રામમાં શૌર્ય ગીતોનો સંગ્રહ 'સિંધુડો' માટે તેમને બે વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. તેમને અદાલતમાં "છેલ્લી પ્રાર્થના"કાવ્ય ગાયું હતું.તેમને સાબરમતી જેલમાં "કોઇનો લાડકવાયો" લખ્યું હતું. ૧૯૩૧માં તેમને ગોળમેજી પરિષદમાં ગાંધીજીને સંબોધીને છેલ્લો 'કટોરો' કાવ્ય લખ્યું હતું.શાંતિનિકેતનમાં તેમને રવિન્ટ્રનાથ ટાગોર સાથે રહીને લોકસાહિત્યના વ્યાખ્યાન આપ્યા હતા.૧૯૪૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના સોલમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ રહ્યા હતાં.તેમની કવિતાઓમાં દેશપ્રેમ,વીરતા, રાષ્ટ્રભક્તિનું આલેખન થયું છે.તેમને લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલકથાઓનું તેમણે "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે.મેઘણી તેમના લોકસાહિત્યમાં સૌરષ્ટ્રની ધિંગી તળપદી બોલીને તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. અંગ્રેજી લેખક મેરી લા કોસ્ટેની રચના "some body's darling"નું અનુવાદ નહિ પણ તેનું રુપાંતર તેમને અદ્ભુત રીતે કરેલ છે.તે એક એવી વીરલ પ્રતિભા છે કે જે સુંદર અને વફાદાર ભાષાંતર કરી શક્યા છે.એનું એક માત્ર ઉ.દા."કોઇનો લાડકવાયો" છે. તેમને 'તુલસીક્યારો','યુગવંદના','કંકાવટી',સોરઠી બહારવટિયા','સૌરાષ્ટ્રની રસધારા' વગેરે જેવા પ્રકાશનો તેમને લખ્યા છે.

“ "ખૂમારીથી ઝઝૂમતી હોય જેવી ગુર્જરીવાણી કસુંબીનો રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી" ” સુરેશ દલાલનાં આ શબ્દો મેઘાણીની મહાનતા પૂરવાર કરે છે.

“ "વનરાવનનો રાજ ગરજે, સાવજ ગરજે" ” ચૌદ વર્ષની ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કવિતા છે.

રણજિતરાવ સુવર્ણચંટ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે “ શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે.સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક,સમતુલા,શાસ્ત્રીયતા,વિશાલતા જન્માવે છે. ”

તેઓ કોમવાદના કટ્ટર વિરોધી હતા અને તેમણે કોમવાદ મિટાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતાં. આમ મેઘાણીએ પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી લોકસાહિત્યની સાધના સંગ્રાહક તરીકે,સંશોધક તરીકે,સંપાદક તરીકે અખંડ અને અવિરતપણે કરીને ગુજરાત માટે ગૌરવ કમાવી આપ્યું છે.આ બધા જ કર્યોમાં તેમની ચીવટ,ચીકાસ,ઉત્સાહ,ઉધ્યમશીલતા,અભ્યાસશીલતા,રસદ્રષ્ટિ,સૌદર્યદ્રષ્ટિ જોવા મળે છે.તો ધરતીની સંસ્કૃતિના અનન્ય અને પરમ ઉપાસક તરીકે તે અનેક પેઢીઓ સુધી ગુજરાત તેમજ આખાય ભારતમાં અવિચળ સ્થાન પામી સ્થિર રહેશે.જગતના લોકસાહિત્યવિદોની નજર જ્યારે આ મહાન માનવી પર પડશે ત્યારે સોરઠી ભૂમિનો આ સપૂત હંમેશા અમર રહેશે.  પરબધામ-તા.ભેસાણ દેવીદાસ બાપુનું પરબ ધામ. ઈસવીસનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્ટ્ર પ્રદેશ માટે કપરા પસાર થયાનું ઇતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્કામળથી કચ્છ્ અને સિંધ પ્રાંતમાંથી દુકાળગ્રસ્તઇ માનવ સમુદાય સૌરાષ્ટ્રોમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ માનવતા દાખવી પોતાનાં સ્થાાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્યાનને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે. જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર, શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતાં જાગતાં સ્થાકન છે. જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ્ વેળાએ આશરો અને સહાય કરે છે, આવા દૈવી ગુણોવાળા માનવને આપણે સંતો કહીએ છીએ તેમના વિષે શું લખી શકાય? સંતોના આ જાગતા સ્થા્નકોની માનતા પુરી થતા દર્શન અને પ્રસાદ લેવા આવતો જનસમુહ જ પ્રત્યોક્ષ પ્રમાણ છે. જૂનાગઢ શહેરથી ૪૦ કિલોમીટર સડક રસ્તેથ આવેલું પરબનું સ્થાતન સૌરાષ્ટ્રેની સિદ્ધભૂમિની શોભા છે. આ સ્થા ન મહાભારતના સમયકાળના સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર, પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળીયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થા નક પાસેથીજ નીકળે છે.પરબના આ સ્થાવનકનું બે સૈકા પૂર્વે ચૈતન્યભ જાગતું કરનાર દેવીદાસનું સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું. તેમના પિતા પુંજા ભગત અને માતા સાજણબાઇ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપતી્ હતા. દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમના ગુરૂ જેરામભારથી ગિરનારના સંત મહાત્મા હતા અને તેમાં લામડીધાર ઉપર તેમના બેસણા હતા. ગિરનારજીની આસપાસ ફરતાં પર્વતો આવેલા છે, તેમાં ઉત્તરેથી જતાં ઉત્તર રામનાથ, બાબરીયો, ખોડીયાર, લાખામેડી, કાબરો, કનૈયો અને ગધેસંગ નામના પર્વતો આવેલા છે. ગધેસંગ પર્વતનો આકાર સીધો સપાટ દિવાની શગ જેવો છે તેની પાછળ લામડીધાર છે. સંત જેરામભારથીના આ ધાર ઉપર બેસણા હતા. આ ઉપરાંત દક્ષિણેથી જતાં દક્ષિણ રામનાથ, ટટાકીયો, ભેસલો, અશ્વસ્થા માનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્મણ ટેકરી, મંગલાચલ, રેવતાચલ, જોગણીયો વિગેરે ગિરિ પર્વતો વચ્ચેભ ગિરનારજી છે. આ રમણીય પર્વત શૃંગો વચ્ચેન થઈને હજારો વર્ષથી ભાવિકો પુરાણા અને પવિત્ર ગિરિનારાયણ ગિરનારજીને ફરતી પરિક્રમા કરે છે. આ ભાવિક યાત્રાળુઓનો પ્રથમ વિશ્રામ ઉત્તર રામનાથ ઉપર આવેલ જીણાબાપુની મઢીએ થતો હતો. જીણાબાપુ સરળ પ્રકૃતિના વયોવૃદ્ધ સાધુ હતા. તેથી આ મઢીએ ઘણા સંતો પધારતા હતા. તેમના સમકાલીન પ્યારરાબાવા, લોહલંગરીજી, યોગીની માતા, કમંડલકુંડના હંસગીરીજી, મુસ્લીોમ સંત નુરાસાંઈ અને જેરામભારથી વિગેરે સંતો હતા. દેવા ભગત આ સંત મહાત્માા વચ્ચેલ શ્રદ્ધાથી યાત્રીકોની સતત સેવા કરતા રહેતા. આથી એક દિવસ દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી આ ગિરનારી સંત જેરામભારથી પ્રસન્ની થયાં અને દેવા ભગતને કહે કે, દેવા ભગત, આજસે તુમ દેવીદાસ હોતે હો. તુમ એક યોજન દુરી કે પાસ જાઓ, લોગ સરભંગ ઋષિ કા આશ્રમ બતાતે હૈ વહાં પર દત્ત મહારાજકા ધુના કંઈ બર્ષો સે સુના પડા હૈ, ઉધર જાઓ ઔર સુનો સબસે બડા ધરમ યહી હૈ કી અભ્યા ગતો કી, અનાથો કી સેવા કરના. જાઓ વહાં ટુકડા રોટી દેતે રહેના. આવા પ્રસન્ના થયેલ ગુરૂના આશીર્વાદ સાથે અપરિગ્રહ વ્રત રાખીને આ સ્થારનકે પહોંચવા દેવા ભગતે તરતજ પ્રસ્થાનન કર્યું. સરભંગ ઋષિના પુરાતન આશ્રમ સમીપે દેવીદાસબાપુ આવ્યાા, એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે પવિત્ર ધુણામાં અગ્નિ પ્રગટાવી ધુણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા ફરકતી કરી આ સ્થામનકને આપણે આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખીએ છીએ. બસો વર્ષ જૂના આ સમાધી મંદિર ઉપર નૂતન મંદિર આ જગ્યાેના મહંતશ્રીની દેખરેખ નીચે આકાર લઈ રહ્યું છે. અહીં દાદા મેકરણનો – સાદુદ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી અહીં છે. સત્ ધરમને પામવા કરવા અદ્યતમ નાશ ઘર ‘પરબ‘ પર પ્રગટયા નકલંક દેવીદાસ. અનેક યાત્રાળુઓ પરબના આ સ્‍થાનને વંદન કરવા આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે.

                                           સત્ દેવીદાસ…………..  અમર દેવીદાસ…………..

 વીરપુર વીરપુર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લામાં આવેલું ગામ છે. અહીંથી રાજકોટથી જૂનાગઢ જતા રેલ્વે માર્ગ તેમ જ રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. આ નાનકડું ગામ આજે પૂજનીય સંત શ્રી જલારામ બાપાને કારણે ગુજરાતનું મહત્વનું યાત્રાધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. અહીં જલારામ મંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જેટલા વ્યક્તિ જમવા આવે, તે બધાને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. આ પેટે કશું પણ લેવામાં આવતું નથી. વળી હવે તો અહીંના ટ્રસ્ટે કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવાનું પણ બંધ કરેલ છે


 દુધધારા ડેરી દુધધારા ડેરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમા કાર્યરત છે. ભરૂચ તેમ જ નર્મદા જિલ્લામાં વ્યાપ ધરાવતી, સહકારી ધોરણે કાર્ય કરતી દુધધારા ડેરીનું મુખ્ય કાર્યાલય તેમ જ પ્લાન્ટ ભરૂચશહેર નજીક ભોલાવ ગામ ખાતે આવેલ છે. દુધધારા ડેરી ભરૂચ તેમ જ નર્મદા જિલ્લામાં આવેલાં ગામોમાંથી દુધ મેળવી, પ્રોસેસ કરી, વિતરણ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત દુધધારા ડેરીના ઉપક્રમે પશુપાલકોને પશુઓ માટેનો ખોરાક (દાણ), ડેરીનાં ઉત્પાદનો જેમ કે ઘી, છાસ વગેરેનું વેચાણ, પશુઓ માટે દવાનું વિતરણ તેમ જ પશુઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે છે..  ભીખુદાન ગઢવી ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે તા.૧૯/૯/૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનગાઢ જીલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની છે.ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે. ભારત સરકાર દ્વારા ભીખુદાન ગઢવીને ભારતીય સંગતી નાટક અકાદમી પુરષ્કાર અપાયો છે. આ ઉપરાંત તેમને કાગ પુરષ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.  ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદનો જન્મ જુલાઇ ૨૩, ૧૯૦૬નાં રોજ મધ્ય પ્રદેશનાં ઝાબુઆ જિલ્લાનાં ભારવા ગામે થયેલો. તેઓ ભારતનાં એક અતી મહત્વનાં ક્રાંતિકારી હતા, તેઓને ભગતસિંહનાં માર્ગદર્શક માનવામાં આવતા હતા. તેમનું આખું નામ 'ચંદ્રશેખર સિતારામ તિવારી' હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબમાં આઝાદ અને પિતાનું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યારથી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરિકે ઓળખાવા લાગ્યા. તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે થયેલું.

ગિજુભાઈ બધેકા

ગિજુભાઈ બધેકા જન્મની વિગત ૧૫ નવેમ્બર,૧૮૮૫ ચિત્તળ,અમરેલી

મૃત્યુની વિગત ૨૩ જૂન,૧૯૩૯

રાષ્ટ્રીયતા ભારતીય હુલામણું નામ મૂછાળી મા,વિનોદી,બાળકોનાબેલી નાગરીકતા ભારતીય અભ્યાસ મેટ્રીક વ્યવસાય વકીલાત, શિક્ષણ-કેળવણી વતન ચિત્તળ, અમરેલી

ખિતાબ ૧૯૩૦-બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક

ધર્મ હિંદુ

માતા-પિતા -,ભગવાનજીભાઈ નોંધ મુળ નામ:ગિરજાશંકર



જીવન ઝરમર • તેઓ શિક્ષણના વ્યવસાયમાં પડતાં પહેલાં જિલ્લા કક્ષાના ઉચ્ચ ન્યાયાલયમાં (ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં) વકીલાત કરતા હતા. • કેળવણીકાર. બાળ - કેળવણીના પ્રણેતા. • તેમણે ગુજરાત રાજ્યમાં બાળ - શિક્ષણનો પાયો નાખ્યો હતો. • શિક્ષકો અને વાલીઓને માટે બાળકોના ઉછેર અને શિક્ષણમાં ઉપયોગી નિવડે તેવાં પુસ્તકો લખ્યાં. • બાળકો માટે લોક-વાર્તાઓને સરળ સ્વરૂપ આપી બાળભોગ્ય બનાવી. • સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં. મુખ્ય રચનાઓ • • શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું. • બાળસાહિત્ય - ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય( ૧-૬),બાલ સાહિત્ય માળા ( ૨૫ ગુચ્છો),બાલ સાહિત્ય વાટિકા (૨૮પુસ્તિકા),જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( ૧-૧૦) , બાલ સાહિત્ય માળા ( ૮૦પુસ્તકો) • ચિતન - પ્રાસંગિક મનન, શાંત પળોમાં • દિવાસ્વપ્ન - તેમનુ આ પુસ્તક ખુબજ વખણાયેલુ છે.તેમા શિક્ષણ અને શિક્ષકને ઉપયોગમા આવે એવુ ઘણુ છે. સવિશેષ પરિચય બધેકા ગિજુભાઈ ભગવાનજી (૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯) : બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ (જિ. અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મૅટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩ થી ૧૯૧૬ સુધી વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય. મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત. પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન. ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વ-ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસોરી સિદ્ધાંતપદ્ધતિએ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યનાં લખાણોમાં પ્રેરક રહી છે. ‘મહાત્માઓનાં ચરિત્રો’ (૧૯૨૩), ‘કિશોરકથાઓ’- ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટોળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩) વગેરે છ જેટલાં એમનાં કિશોરસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે. બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલોકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા, ચાલો પ્રવાસે ગ્રંથમાળા, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક ગ્રંથમાળા, પશુપક્ષી ગ્રંથમાળા, પાઠપોથી ગ્રંથમાળા, રમ્યકથા ગ્રંથમાળા અને હાસ્યવિનોદ ગ્રંથમાળા બાલોપયોગી છે. ‘બાળસાહિત્યગુચ્છ’માં ‘લાલ અને હીરા’, ‘દાદાજીની તલવાર’, ‘ચતુર કરોળિયો’ જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે; તો ‘બાળસાહિત્યવાટિકા’- મંડળ : ૧ માં અઠ્ઠાવીસ પુસ્તકો અને મંડળ : ૨માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો- ગધેડા’ (૧૯૩૪), ‘ઈસપકથા’ (૧૯૩૫), ‘આફ્રિકાની સફર’ (૧૯૪૪) જેવાં મહત્વનાં કહી શકાય એવાં બીજાં ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે. બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), ‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), ‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) જેવાં પંદર જેટલાં પુસ્તકો અને ‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), ‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), ‘તોફાની બાળક’ (૧૯૨૯), ‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ એમના નામે છે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચો-ચોપડી ૧-૨-૩, ‘કેમ શીખવવું’ (૧૯૩૫), ‘ચાલો વાંચીએ’ (૧૯૩૫) જેવાં ઉપયોગી પુસ્તકો અને ‘પેટલાદની વીરાંગનાઓ’ (૧૯૩૧), ‘સાંજની મોજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

‘પ્રાસંગિક મનન’ (૧૯૩૨), ‘શાંત પળોમાં’ (૧૯૩૪) વગેરે એમનું ચિંતનસાહિત્ય છે. ચંદ્રકાન્ત ટોપીવાળા

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય ઐતિહાસીક મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લીંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદીરની અડીખમ રહ્યું છે. મંદીરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવેલ છે.સોમનાથનું પહેલું મંદીર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદીરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદીર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક જૂનાયદે તેની સેના લઈ મંદીર પર હુમલો કરી મંદીરનો નાશ કર્યો હતો.પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદીરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદીરના કીમતિ ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદીરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદીરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદીરનો નિર્માણ કર્યો.૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો.૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી મંદીર તોડી પાડ્યું. ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદીરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદીરનું તેની મુળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. (આજના મંદીર ને સ્થાને હતી જે મસ્જીદ તેને થોડી દુર લઈ જવાઈ છે.) જ્યારે ડીસેમ્બર ૧, ૧૯૯૫નાં દિવસે આ મંદીરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદીર સમર્પિત કર્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદીરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદીરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મૂખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ - "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કીનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શીલાલેખ પ્રમાણે, મંદીર તથા પૃથ્વીના દક્ષીણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લીંગની પ્રતિસ્થાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે - "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણ ના વિજય નું પ્રતિક છે………………..