લખાણ પર જાઓ

સમવાયાંગ સૂત્ર

વિકિપીડિયામાંથી
સમવાયાંગ સૂત્ર
માહિતી
ધર્મજૈન ધર્મ
સમયગાળોઇસ પૂર્વે ૩૦૦

સમવાયાંગ સૂત્ર (લગભગ ઇસ પૂર્વે ૪થી ૩જી સદી) [] એ જૈન ધર્મના ૪૫ આગમોના ૧૨ અંગોમાંનું ચોથું છે. આ સૂત્ર ગણધર સુધર્માસ્વામી દ્વારા રચિત હોવાનું માનવામાં આવે છે. આ ગ્રંથમાં જૈન ધર્મનો સાર છે, જે વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત અને સૂચિબદ્ધ છે. આશરે ઇસ પૂર્વે ૩૦૦માં લખાયેલ આ ગ્રંથ ભગવાન મહાવીરના ઉપદેશો ધરાવતા ગ્રંથોના સંગ્રહનો એક ભાગ છે, જેને સામૂહિક રીતે આગમ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં તેમાં ભારતીય લેખન પરંપરાના પ્રારંભિક સંદર્ભોમાંથી એકનો સમાવેશ થાય છે. []

આગમનો વિષય

[ફેરફાર કરો]

સમવાયાંગ સૂત્રમાં ગણિત અને ખગોળશાસ્ત્રનાં તત્વો છે. આ લખાણનું એક રસપ્રદ પાસું એ છે કે તેમાં અંકશાસ્ત્રની દ્રષ્ટિએ મઠવાદ અને આધ્યાત્મિકતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

ગણિત-સમવાયાંગ સૂત્ર અન્ય આગમ ગ્રંથ સ્થાનાંગ સૂત્રના સાતત્યમાં હોવાનું જણાય છે. તથા તે એકથી એક અબજ સુધીના પદાર્થોનું વર્ણન કરવાની સંખ્યાત્મક પદ્ધતિને અનુસરે છે.

ખગોળશાસ્ત્ર-તેમાં મેરુ પર્વત, જ્યોતિષચક્ર, જમ્બુદ્વીપ, જૈન સિદ્ધાંતમાં વપરાયેલ માપ, જૈન લોક, પૃથ્વીના વિવિધ પ્રકારો, સાત નારકી, લાવણ મહાસાગરમાં પાણીના સ્તરમાં વધારો વગેરે પર ચર્ચા છે.

આ ગ્રંથ ૧૪ પૂર્વ અને ૧૨નું અંગ દૃષ્ટિવાદના વિષય પર પણ માહિતી આપે છે. આ ગ્રંથ જૈન સહિત્યની કરોડરજ્જૂ છે કારણ કે તે સૌથી જૂનો અને સૌથી વધુ સંદર્ભિત ગ્રંથોમાંનો એક છે. સમવાયાંગ સૂત્રમાં તીર્થંકરોના જીવનકાળનું વર્ણન છે. તેમના શ્વાસ અને ઉચ્છશ્વાસના દિવસોનો પણ ઉલ્લેખ છે. તે જૈન ધર્મના મુખ્ય તત્ત્વોને સ્થાનાંગ સૂત્ર કરતાં અલગ દૃષ્ટિકોણથી વધુ વ્યાખ્યાયિત કરે છે અને સૂચિબદ્ધ કરે છે. વધુમાં તેમાં દામિલી લિપી (તમિલની પ્રારંભિક લિપી)ના સંદર્ભો છે.

સંદર્ભો

[ફેરફાર કરો]

અવતરણો

[ફેરફાર કરો]
  1. Jain 1998.
  2. Buhler, G. (1959). Indian studies past and present vol.1 (Indian paleography) (Englishમાં).{{cite book}}: CS1 maint: unrecognized language (link)

સ્ત્રોતો

[ફેરફાર કરો]
  • Jain, Sagarmal (1998). "Jain Literature [From earliest time to c. 10th A.D.]". Aspects of Jainology: Volume VI.
  • સમવયાંગસૂત્રમ, મુનિ જમ્બુવિજય (એડ. સ્થનાગ સૂત્રમ અને સમવયાંગ સૂત્રમ અભયદેવ સૂરીની ટિપ્પણી સાથે (અગોદય સમિતિ શ્રેણી આવૃત્તિ) દિલ્હી, ૧૯૮૫.