લખાણ પર જાઓ

સીતા ઉપનિષદ

વિકિપીડિયામાંથી

સીતા ઉપનિષદ એ મધ્યયુગીન યુગનો સંસ્કૃત ગ્રંથ અને હિન્દુ ધર્મનો એક નાનો ઉપનિષદ છે. તે અથર્વવેદ સાથે જોડાયેલ છે,[][] અને તે વૈષ્ણવ ઉપનિષદોમાંનું એક છે. તેને પાછળનાં ઉપનિષદ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે,[] જેમાં દેવી સીતાની બ્રહ્માંડની અંતિમ વાસ્તવિકતા (બ્રહ્મ), અસ્તિત્વની ભૂમિ (આધ્યાત્મિકતા) અને તમામ અભિવ્યક્તિ પાછળના ભૌતિક કારણ તરીકે પ્રશંસા કરવામાં આવી છે. [] ઉપનિષદ સીતાને આદિમ પ્રકૃતિ સાથે ઓળખાવે છે અને ગ્રંથમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની ત્રણ શક્તિઓ રોજિંદા જીવનમાં ઇચ્છા, ક્રિયા, અને જ્ઞાન તરીકે પ્રગટ થાય છે. [] []

આ ઉપનિષદ એ વાત માટે નોંધપાત્ર છે કે તે દાવો કરે છે કે બ્રહ્માંડ આત્મા છે અને તે હૃદયમાં રહે છે. તેની જાગૃતિ અને આત્મ-સાક્ષાત્કાર વિચાર અને ધ્યાનના અંતિમ તબક્કા સમાધિ દ્વારા ઉદ્ભવે છે. []

ઇતિહાસ

[ફેરફાર કરો]

સીતા ઉપનિષદના લેખક અને તેની રચના કઈ સદીમાં થઈ તે વિશે અજ્ઞાન છે. આ લખાણ કદાચ અન્ય શાક્ત ઉપનિષદોની જેમ જ ૧૨મી અને ૧૫મી સદીની વચ્ચે રચાયું હશે. [] આ લખાણ પ્રમાણમાં મોડા મૂળનું હોવા છતાં, દેવી તરીકે સીતાનો ઉલ્લેખ પહેલી સહસ્ત્રાબ્દી ઇસા પૂર્વના હિન્દુ ગ્રંથો અને મહાકાવ્ય રામાયણમાં જોવા મળે છે. []

આ ગ્રંથની હસ્તપ્રતો સિતોપનિષદ તરીકે પણ મળી આવે છે. [૧૦] [૧૧] રામ દ્વારા હનુમાનને વર્ણવવામાં આવેલા મુક્તિકા સિદ્ધાંતના ૧૦૮ ઉપનિષદોના તેલુગુ ભાષાના સંગ્રહમાં, તે ૪૫મા ક્રમે સૂચિબદ્ધ છે. [૧૨]

ઉપનિષદમાં એક અધ્યાય છે જેમાં ૩૭ શ્લોકો છે અને તેને પ્રજાપતિ અને દેવતાઓ વચ્ચેના વાર્તાલાપ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ ઉપનિષદમાં દેવતાઓ "સીતા કોણ છે? તેમનો સ્વભાવ શું છે?" [૧૩] વિશે ઉત્સુક છે.

પ્રજાપતિ સીતાને આદિમ પ્રકૃતિ અથવા આદિશક્તિ તરીકે વર્ણવે છે. [] [૧૪] લખાણમાં દાવો કરવામાં આવ્યો છે કે તે લક્ષ્મી અને વિષ્ણુની શક્તિ જેવી જ છે. [૧૪] [૧૫] આ લખાણ યજુર્વેદના વાજસનેયી સંહિતામાં સ્તોત્રોના ટુકડાઓનો સંદર્ભ આપે છે અને તેનો ઉપયોગ કરે છે, જેમાં દેવીને બ્રહ્માંડમાં પરિવર્તન લાવવા માટે "ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન" તરીકે બધા સમય પ્રગટ કરવા માટે કહેવામાં આવ્યું છે, [૧૫] [] જ્યાં અનુભવપૂર્વક અવલોકન કરાયેલ અને દિવ્ય વાસ્તવિકતા, બધું જ તેમના અસ્તિત્વનું અભિવ્યક્તિ છે. [] [૧૪]

આ ઉપનિષદ મુજબ સીતા એ સંપૂર્ણ સૃષ્ટિ છે. સીતા સારૂં અને ખરાબ, બધા દેવો અને દાનવો, કારણ અને અસર, ભૌતિક અને આધ્યાત્મિક, સદ્ગુણ અને સુંદરતાનું પ્રતિક છે. [૧૩] [૧૪] તેના ગુણોમાં બદલાતી વાસ્તવિકતા ( માયા) [૧૬] અને અનન્ય અપરિવર્તનશીલ વાસ્તવિકતા ( બ્રહ્મ) શામેલ છે. [૧૭] [૧૪] સીતા પરિવર્તનથી મુક્ત છે અને તેણીમાં કોઈ ખામી નથી. તેઓ ચાર વેદોના સ્વર સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આ લખાણ દાવો કરે છે કે આ પ્રતિનિધિત્વ ઋગ્વેદની ૨૧ શાખાઓ, યજુર્વેદની ૧૦૯ શાખાઓ, સામવેદની ૧૦૦૦ શાખાઓ અને અથર્વવેદની ૪૦ શાખાઓમાંથી આવે છે. [૧૪] સીતા નીતિશાસ્ત્ર, પરંપરા, કાયદો, દંતકથા અને પાંચ ગૌણ વેદ છે, એમ લખાણમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. અને સાથે જ તેમને સ્થાપત્ય, તીરંદાજી, સંગીત, દવા અને દૈવિક (દેવત્વ) તરીકે નામ આપવામાં આવ્યું છે. [૧૪] તેઓ સમગ્ર વિશ્વનો આધાર છે. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવથી બનેલાં છે, અને તેઓ પોતે આત્મા (આંતરિક સ્વ) છે, જે બધા જીવોમાં રહે છે. [૧૪]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Prasoon 2008, p. 82.
  2. Tinoco 1996, p. 88.
  3. Dalal 2014, p. 1069.
  4. 1 2 R Gandhi (1992), Sita's Kitchen, State University of New York Press, ISBN 978-0791411537, page 113 with note 35 સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "gandhisk113" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  5. 1 2 Mahadevan 1975.
  6. 1 2 Dalal 2014.
  7. Maharshi, Brunton & Venkataramiah 1984.
  8. Cush 2007.
  9. David Kinsley (1988), Hindu Goddesses: Vision of the Divine Feminine in the Hindu Religious Traditions, University of California Press, ISBN 0-520-06339-2, pages 55-64
  10. Hattangadi 2000.
  11. Vedic Literature, Volume 1, A Descriptive Catalogue of the Sanskrit Manuscripts ગુગલ બુક્સ પર., Government of Tamil Nadu, Madras, India, page 576
  12. Deussen 1997.
  13. 1 2 Johnsen 2002.
  14. 1 2 3 4 5 6 7 8 Warrier 1967.
  15. 1 2 VR Rao (1987), Selected Doctrines from Indian Philosophy, South Asia Books, ISBN 978-8170990000, page 21
  16. Nair 2008.
  17. R Gandhi (1992), Sita's Kitchen, State University of New York Press, ISBN 978-0791411537, page 113 with note 35

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]
  • Cush, Denise (2007). Encyclopedia of Hinduism. Routledge. ISBN 978-0415556231.
  • Dalal, Roshen (2014). Hinduism: An Alphabetical Guide. Penguin. ISBN 978-81-8475-277-9.
  • Deussen, Paul (1997). Sixty Upanishads of the Veda. Motilal Banarsidass. ISBN 978-81-208-1467-7.
  • Hattangadi, Sunder (2000). "सीतोपनिषत् (Sita Upanishad)" (PDF) (સંસ્કૃતમાં). મેળવેલ 28 January 2016. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  • Johnsen, Linda (2002). The Living Goddess. YI Publishers. ISBN 978-0936663289.
  • Maharshi, Ramana; Brunton, Paul; Venkataramiah, Mungala (1984). Conscious Immortality: Conversations with Ramana Maharshi. Sri Ramanasramam.
  • Mahadevan, T. M. P. (1975). Upaniṣads: Selections from 108 Upaniṣads. Motilal Banarsidass. ISBN 978-81-208-1611-4.
  • Nair, Shantha N. (1 January 2008). Echoes of Ancient Indian Wisdom. Pustak Mahal. ISBN 978-81-223-1020-7. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  • Prasoon, Prof.S.K. (1 January 2008). Indian Scriptures. Pustak Mahal. ISBN 978-81-223-1007-8. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  • Tinoco, Carlos Alberto (1996). Upanishads. IBRASA. ISBN 978-85-348-0040-2.
  • Warrier, AG Krishna (1967). Śākta Upaniṣads. Adyar Library and Research Center. ISBN 978-0835673181. OCLC 2606086.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]