સુજા કંવર રાજપુરોહિત
સુજા કંવર રાજપુરોહિત રાજસ્થાનના મારવાડ રજવાડામાં થઈ ગએલાં એક વીરાંગના હતા જેઓ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાન બ્રિટીશ દળો સામે લડ્યા હતા. તેઓ તેમની અસાધારણ હિંમત અને બલિદાન માટે જાણીતા છે. [૧][૨]
શરૂઆતનું જીવન
[ફેરફાર કરો]સુજા કંવરનો જન્મ મારવાડના લાડનુનમાં એક રાજપુરોહિત પરિવારમાં થયો હતો. તેમના પિતા હનવંત સિંહ રાજપુરોહિત હતા. તેમણે અંગ્રેજો સામેના યુદ્ધમાં સક્રિયપણે ભાગ લીધો હતો. પોતાની બહાદુરી અને નેતૃત્વથી તેમણે બ્રિટિશ સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા.
આદર
[ફેરફાર કરો]યુદ્ધમાં વિજય પછી લાડનુનના ઠાકુર બહાદુર સિંહે તેમની હિંમતથી પ્રભાવિત થઈ ને તેમને રાજસ્થાની પાઘડી (પઘ) પહેરાવીને તેમનું સન્માન કર્યું અને તેમને તલવાર ભેટમાં આપી હતી. ઠાકુરે તેમને 'સુજા રાજપુરોહિત'ને બદલે 'વીર સુર્જન સિંહ રાજપુરોહિત'નું બિરુદ આપ્યું અને અનેક સન્માનજનક ઘોષણાઓ કરી, જેમ કે તે હંમેશા કમર પર તલવાર બાંધીને પુરુષાર્થ પહેરશે, અને જ્યારે તેઓ આવશે ત્યારે રાજવી પરિવાર સહિત સામાન્ય નાગરિકો ઉભા થઈ ને તેમનું સન્માન કરશે.
અવસાન
[ફેરફાર કરો]આ મહાન યોદ્ધાનું અવસાન ૧૯૦૨ની આસપાસ અવસાન થયું. સુજા કંવર રાજપુરોહિત ભારતીય ઇતિહાસમાં ઓછી જાણીતી પણ નોંધપાત્ર મહિલા યોદ્ધા હતી, જેમણે સ્ત્રી શક્તિ અને દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "A lesser known woman warrior: Suja Rajpurohit – Ghadar Jari Hai" (અમેરિકન અંગ્રેજીમાં). 2011-02-01. મેળવેલ 2025-12-01.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Manager, Archive (2010-09-25). "Kids' Org A lesser known woman warrior: Suja Rajpurohit". Organiser (અંગ્રેજીમાં). મેળવેલ 2025-12-01.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |