સુરેશ હરિલાલ સોની
સુરેશ હરિલાલ સોની | |
|---|---|
સુરેશ હરિલાલ સોની તેમના પત્ની ઈન્દિરા સોની સાથે (૨૦૨૪) | |
| જન્મની વિગત | સુરેશ હરિલાલ સોની ૨૩ નવેમ્બર ૧૯૪૪ શિનોર, વડોદરા જિલ્લો, ગુજરાત |
| અન્ય નામો | સાબરકાંઠાનો સહયોજક |
| વ્યવસાય | સમાજ સેવક |
| જીવનસાથી | ઈન્દિરા સોની |
| સંતાનો | દીપક સોની, પારૂલ |
| સન્માનો | પદ્મશ્રી (૨૦૨૫) |
| વેબસાઇટ | https://www.sahyogtrust.org.in/ |
સુરેશ હરિલાલ સોની એક ભારતીય સામાજિક કાર્યકર છે, જેઓ રક્તપિત્તના દર્દીઓ, બૌદ્ધિક રીતે વિકલાંગ લોકોના કલ્યાણ અને પુનર્વસન માટે કાર્ય કરે છે. ૨૦૨૫માં ભારત સરકારે તેમના સામાજિક કાર્યોને બિરદાવતા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો હતો.[૧]
જીવન
[ફેરફાર કરો]તેમણે પ્રથમ વર્ગ સાથે વિજ્ઞાનમાં અનુસ્નાતક પૂર્ણ કર્યું. તેઓ ગણિતના શિક્ષક તરીકે પોતાનું જીવન જીવવા માંગતા ન હતા. તેઓ આખો દિવસ શ્રમ મંદિર ટ્રસ્ટમાં રક્તપિત્તથી પીડિત લોકોની સેવા કરતા. વર્ષ ૧૯૮૮માં, રક્તપિત્તથના દર્દીઓને સહાય કરવા માટે, તેમણે સહયોગ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.[૨]
તેમને સાબરકાંઠાનો સહયોગક કહેવામાં આવે છે તેમને તેમના કાર્યોમાં તેમની પત્ની ઇન્દિરા સોની દ્વારા મદદ મળે છે.[૩]
કામ
[ફેરફાર કરો]સુરેશ સોનીએ રક્તપિત્તથી પીડાતા લોકો માટે હિમ્મતનગરથી શામળાજી જતા ધોરીમાર્ગ પર શામળિયા નજીક ૩૦ એકર વિસ્તારમાં 'સહયોગ' નામનું ગામ સ્થાપ્યું છે. તેમાં શારીરિક રીતે વિકલાંગ અને બૌદ્ધિક રીતે વિકલાંગ લોકોને આશ્રય મળે છે. તેમની સંસ્થા એચ. આઈ. વી પૉઝીટીવ અને અનાથ દર્દીઓની પણ સેવા કરે છે. આ સહયોગ ગામ હવે સેંકડો લોકોનું ઘર બની ગયું છે. ગામમાં એક હોસ્પિટલ, એક ચૂંટણી મથક, એક પ્રાથમિક શાળા, કરિયાણાની દુકાન છે.[૨][૪]
આ ગામ ૧૯૮૮માં સ્થાપિત સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા સંચાલિત છે. [૩]
પુરસ્કારો
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "2025 Padma Shri awards honour unsung heroes of Indian culture and social progress". The Times of India. 2025-01-25. ISSN 0971-8257. મેળવેલ 2025-01-30.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 Dave, Sanjay (2013-05-22). "Sahyog - A Unique Village For Over A 1000 Deserted People". The Better India (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ 2025-01-30.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 "Padma Award : ગુજરાતના સુરેશ સોની, પરમાર લવજીભાઈ સહિત 6 મહાનુભાવોને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર, જાણો તેમના વિશે". GSTV News (અંગ્રેજીમાં). મેળવેલ 2025-01-30.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે". Gujarat First. મેળવેલ 2025-01-30.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "ગુજરાતના લવજીભાઈ પરમાર અને સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરાશે, જાણો કયા ક્ષેત્રે આપ્યું યોગદાન". www.gujaratsamachar.com. મેળવેલ 2025-01-30.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)