નિઝામુદ્દીન ઔલિયા

વિકિપીડિયામાંથી
નિઝામુદ્દીન ઔલીયા
محمد نظام الدّین اولیاء
ત્રણ હાજરીઓસાથે નિઝામુદ્દીન ઔલીયા
અંગત
જન્મ૧૨૩૮
મૃત્યુ૩ એપ્રિલ ૧૩૨૫
દિલ્હી
ધર્મઇસ્લામ
સંપ્રદાયચિશ્તી કિરકા
કારકિર્દી માહિતી
સ્થળદિલ્હી
હોદ્દા પરનો સમયગાળો૧૩ અને ૧૪મી સદી
પુરોગામીફરીદુદ્દીન ગંજશકર
અનુગામીનસીરુદ્દીન ચિરાઘ દહેલવી, અમીર ખુશરો, ખ્વાજા સિરાજુદ્દીન અને બુરહાનુદ્દીન ગરીબ

મુહંમદ નિઝામુદ્દીન ઔલીયા (ઉર્દૂ: محمد نظام الدّین اولیاء; ૧૨૩૮– ૩ એપ્રિલ ૧૩૨૫), હઝરત નિઝામ તરીકે પણ જાણીતા છે, ચિશ્તી ફિરકાના એક સૂફી સંત હતા. માનવામાં આવે છે કે તેઓ ભારતીય ઉપખંડના સૌથી વિખ્યાત સૂફીઓમાંના એક હતા.[૧] ફરીદુદ્દીન ગંજશકર, કુતુબુદ્દીન બખ્તિયાર કાકી, અને મોઇનુદ્દીન ચિસ્તી તેમના પૂર્વગામીઓ હતા. આ ક્રમાનુસાર, તેમને પ્રારંભિક સૂફી આધ્યાત્મિક સિલસિલામાં યોગદાન આપ્યા, આ સૂફી આધ્યાત્મિક સિલસિલા ભારતીય ઉપખંડમાં ખૂબ જ લોકપ્રિય છે.

નિઝામુદ્દીન ઔલીયા અને ચિશ્તી ફિરકાનું વિશ્વાસ છે કે દુન્યવી વસ્તુઓના ત્યાગ અને મનુષ્યતાની સેવા કરવાથી અલ્લાહની નજીક આવવા સંભવ છે.[૨][૩]

જીવન[ફેરફાર કરો]

નિઝામુદ્દીન ઔલીયાનો જન્મ બદાયૂં, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમના બાપુજી, સૈયદ અબ્દુલ્લાહ બિન અહેમદ અલહુસૈની બાદાયૂંની ની મૃત્યુ પછી તેમને પોતાની મા, બીબી ઝુલેખા સાથે દિલ્હી ગયા.[૪] અકબરના વજીર અબુલ ફઝલ દ્વારા લેખિત આઇન-એ-અકબરીમાં નિઝામુદ્દીન ઔલીયાની જીવનીનો ઉલ્લેખ જોવા મળે છે.[૫]

મુખ્ય માન્યતાઓ[ફેરફાર કરો]

  • ખુદામાં વિશ્વાસ.
  • મનુષ્યતાની એકતા અને લોકોની સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિની ઉપેક્ષા.
  • સુલતાનો, શહેઝાદો અને પૈસાદારોની નામંજૂરી.
  • ગરીબ લોકોસાથે સહાનુભુતિ.
  • તમામ પ્રકારના રાજકીય અને સામાજિક દમનનો વિરોધ.
  • સંગીત અને ખાસ કરીને ઝિક્રની ઉપાસનાની જોર તરફદારી જ્યારે અન્ય મુસ્લિમ સમુદાયો મુજબ સંગીત ઇસ્લામમાં અસ્વીકાર્ય અથવા હરામ છે. નિઝામુદ્દીન ઔલીયાના શિષ્ય અમીર ખુશરો દ્વારા કવ્વાલી, એક વિશેષ પ્રકારનું ઇસ્લામી ભક્તિસંગીત, સ્થાપિત થયું હતું[૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Bhakti poetry in medieval India By Neeti M. Sadarangani.
  2. Bhakti poetry in medieval India By Neeti M. Sadarangani.
  3. Schimmel, Annemarie (1975). Mystical Dimensions of Islam. Chapel Hill: University of North Carolina Press. પૃષ્ઠ 348. ISBN 0-8078-1271-4.
  4. "Nizamuddin Auliya". મૂળ માંથી 2008-06-09 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-12.
  5. Nizamuddin Auliya સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૭ ના રોજ વેબેક મશિન Ain-i-Akbari, by Abu'l-Fazl ibn Mubarak.
  6. Faruqi, Zia ul Hasan (1996). Fawa'id Al-Fu'ad—Spiritual and Literary Discourses of Shaikh Nizammuddin Awliya. South Asia Books. ISBN 81-246-0042-2.