પ્રજાસત્તાક દિન (ભારત)

વિકિપીડિયામાંથી
પ્રજાસત્તાક દિન
ગણતંત્ર દિવસ
ભારતના બંધારણનું મૂળ મુખપૃષ્ઠ
ઉજવવામાં આવે છે India
પ્રકારરાષ્ટ્રીય
મહત્વભારતના બંધારણનો અમલ
ઉજવણીઓપરેડ, શાળાઓમાં ઉજવણી, વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો
તારીખ૨૬ જાન્યુઆરી
આવૃત્તિવાર્ષિક
૨૦૦૪,ગણતંત્ર દિવસ પરેડમાં મદ્રાસ રેજીમેન્ટનાં સૈનિકો

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા, તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું. ૩૧ ડીસેમ્બર ૧૯૨૯ ના રોજ જવાહરલાલ પંડિતના અધ્યક્ષ સ્થાને લાહોર ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસભા મળી હતી. જેમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ અથવા ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા કરવામાં આવી હતી. જવાહરલાલ નેહરુ એ રાવી નદીના કિનારે ધ્વજ ફરકાવ્યો હતોઅને ભારતના લોકોને ૨૬ જાન્યુઆરી ના દિવસે "સ્વાતંત્ર્ય દિવસ" તરીકે ઉજવવા ભલામણ કરી હતી.ભારતના ધ્વજરાષ્નેટ્રીય મહાસભાના સ્વયંસેવકો, રાષ્ટ્રવાદીઓ અને નાગરિકો દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ ના રોજ ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા કરવા અંગે અંગ્રેજ સરકારને જણાવવામાં આવેલું પરંતુ અંગ્રેજ સરકારે કોઈ પ્રતિભાવ આપેલો નહિ.

૧૯૩૦ પહેલાં જ અમુક ભારતીય રાજનૈતિક પક્ષોએ ખુલેઆમ યુનાયટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવવાની ધ્યેયની ઘોષણા કરી હતી. અખિલ ભારતીય હોમરુલ લિગ ભારત માટે બ્રિટિશ કોમનવેલ્થ હેઠળ ઓસ્ટ્રેલિયા, કેનેડા, આઈરીશ ફ્રી સ્ટેટ,ન્યુ ફાઉન્ડલેન્ડ, ન્યૂઝી લેન્ડ અને સાઉથ આફ્રીકા જેવા દેશોને અપાયેલ સ્વાયત્તતા જેવા હોમ રુલ (સ્વ સાશન)ની માંગણી કરતું હતું. અખિલ ભરતીય મુસ્લિમ લિગ એ પણ યુનાયટેડ કિંગડમના આધિપત્ય (ડોમિનિયન) સ્થિતીનું સમર્થન કર્યું હતું પણ ભારતીય સ્વતંત્રતાનો વિરોધ કર્યો હતો. ઈંડિયન લિબરલ પાર્ટી નામની સંસ્થા અંગ્રેજ સમર્થક હતી, બ્રિટિશ રાજ સાથે સંબંધો નબળા પડે તેવી સ્વતંત્રતા કે સ્વાયત રાજ્ય જેવી કોઈ પણ માંગણીઓને તેણે વિરોધ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય મહાસભા આ વાદ-વિવાદમાં સૌથી મોખરે હતી. વયસ્ક મહાસહા ((કોંગ્રેસ) ના નેતા જેમ કે લોકમાન્ય ટિળક, અરબિંદો, અને બિપિનચંદ્ર પાલ વગેરે એ બ્રિટેશ હકૂમતથી મુક્ત એવી સ્વતંત્રતાની માંગણી કરી હતી.

૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યકાંડ પછી લોકોમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રખર અસંતોષ જાગી ઉઠ્યો. યુરોપીય લોકો, નાગરિકો અને અધિકારીઓ સમગ્ર ભારતમાં ફેલાઈ ગયેલા હિંસચારનો ભોગ બન્યાં હતાં. ૧૯૨૦માં ગાંધીજી અને કોંગ્રેસે પોતાને સ્વરાજ સમર્પિત ઘોષિત કર્યાં. તેમણે આને ભારતનું રાજનૈતિક અને સને આધ્યાત્મીક સ્વતંત્રતા ગણાવી. તે સમયે ગાંધીજીએ સ્વરાજને ભારતીય લોકોનો જન્મ સિદ્ધ અધિકાર ગણાવ્યો હતો. તેમણે તે સમયે જણાવ્યું હતું કે ભારત સંપૂર્ણ સ્વતંત્રતા પસંદ કરશે કે બ્રિટિશ સામ્રાજ્યનોપ્ ભાગ બની રહેશે તેનો આધાર અંગ્રેજ સરકારના વર્તન પર રહેલો છે. ૧૯૨૦ અને ૧૯૨૨ વચ્ચે ગાંધીજીએ અસહકારની ચળવળનું નેતૃઅત્વ કર્યું હતું. રોલેટ એક્ટ અને ભારતીયોને પોતાના દેશની સરકાર રચવા અને ચલાવવા દેવાના રાજનિતિક અને નાગરિક હક્કો પરના પ્રતિબંધ વિરુદ્ધ તેમણે આ ચળવળ કરી હતી.

ભારતનાં બંધારણનાં અભ્યાસુ એવા ગ્રેનવિલ ઔસ્ટિન નાં મતાનુસાર, ડો.આંબેડકર દ્વારા તૈયાર થયેલ ભારતનાં બંધારણનો મુસદ્દો "પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ" છે..."મોટાભાગનીં બંધારણની જોગવાઇઓ,કાં તો સીધા સામાજીક ક્રાંતિનાં ઉદ્દેશને આગળ ધપાવવા માટે અથવા આ ક્રાંતિનો ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પરિશ્થિતિઓનું નિર્માણ કરવા માટે કરાયેલ છે."

આ સંશોધન તંત્રને રજુ કરવાનાં સમયેજ બિરદાવતા ડો.આંબેડકરે જણાવ્યું કે:

"આથી અમે ખાત્રી પૂર્વક કહી શકીયે છીએ કે,ભારતીય મહાસંઘ કઠોરતા કે વિધિપરાયણતાનાં દોષથી ગ્રસિત થશે નહીં. તેની વિશિષ્ટ વિશેષતા એ છે કે આ એક લચકદાર (flexible) સંઘ છે."(CAD VII : 36).

“સંસદ સાથે કાર્યાન્વીત ત્રિસ્તરીય પદ્ધતિએ ધારણાઓથી વિરુદ્ધ, રાજ્યોના હિતોનું ધ્યાન રાખવા સાથે બંધારણને વધુ લચીલું બનાવ્યું છે. બંધારણ આધારિત બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને રાજ્ય પદ્ધતિના સમન્વયે બીજા અન્ય કોઇપણ દેશમાં સુધારીત આવૃત્તિ કરતાં અહીં સારી રીતે સફળ રહી છે.” -- ગ્રેનવીલે ઑસ્ટીન, ૧૯૬૬, ૩૨૧.

ઉપરોક્ત રાજ્ય પધ્ધતિ સાથે સહમત થઇ યુનાઇટેડ કિંગ્ડમના તત્કાલીન પ્રધાનમંત્રી(એપ્રીલ 1955 થી જાન્યુઆરી ૧૯૫૭) સર એંથોની એડને પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યુકે "અત્યાર સુધીની તમામ રાજ્ય પધ્ધતિઓમાં કરવામાં આવેલ તમામ પ્રયોગોને ધ્યાને લેતા હુ માનુ છુ કે ભારતની સંસદીય લોક્શાહીનું સ્વરુપ સૌથી નિરાળુ છે. એક વિશાળ ઉપખંડ દશ હજાર વર્ષ ઉપરાંતની પધ્ધતિને મુક્ત લોક્શાહીમાં ફેરવી રહ્યો છે. આ એક હિમ્મતપૂર્વકનો નિણૅય છે. આ કોઇ આપણી નકલ નથી પરંતુ વિશાળ હ્રદયની તથા મુક્ત વિચારસરણીનો ઉત્તમ નમૂનો છે જે આપણા સ્વપ્નાઓમાં પણ આવી નથી. જો આ સફળ થાય છે તો સમગ્ર એશીયા માટે અસિમિત ફાયદો થશે. આ પ્રયોગનુ પરિણામ ગમે તે આવે આપણે સૌએ આ પ્રયોગ કરનાર તમામને બિરદાવવા જોઇએ."

અમેરિકન બંધારણીય સત્તાધારી ગ્રાનવિલે ઑસ્ટિન દ્વારા વ્યક્ત કરવામાં આવેલ અભિપ્રાય વધુ અર્થપૂર્ણ હતો, જેમણે લખ્યું હતું કે ભારતીય સંસદ વિધાનસભાની શરૂઆત શું થઈ હતી તે 1787 માં ફિલાડેલ્ફિયામાં ઉત્પન્ન થયું ત્યારથી 'કદાચ સૌથી મહાન રાજકીય સાહસ હતું.'

"તાજેતરના વર્ષોમાં, કેટલાક નાગરિકોમાં તે સ્થાપકો અને તેમના દસ્તાવેજોને અવગણવા માટે ફેશનેબલ બની ગયું છે. આ લોકોએ 1950 થી દેશના વિકાસ દ્વારા નિરાશ થયા છે, તેઓએ બંધારણને બદલવાની વિનંતી કરી છે કે તે 'કામ કર્યું નથી'. આવી વિચારસરણી, મારા મત મુજબ, ગેરમાર્ગે દોરેલા છે. બંધારણો 'કામ' કરતા નથી, તેઓ નિષ્ક્રિય છે, નાગરિકો દ્વારા 'કામ' કરવામાં આવે છે અને ચૂંટાયેલા નેતાઓ નિયુક્ત કરવામાં આવે છે. "- ગ્રેનવિલે ઓસ્ટિન

અગ્નિ-૨ પ્રક્ષેપાસ્ત્ર,૨૦૦૪ ની ગણતંત્ર દિવસની પરેડમાં.

આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. રાજપથૢ ઇંડીયા ગેટ થઈ તે ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. પાયદળૢ વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકળીઓ તેમના સત્તાવાર ગણવેશમાં કવાયત કરતાં ચાલે છે. ભારતના રાષ્ટ્રપતિ જે ત્રણેય સેનાના પ્રમુખ છે, તેઓ સલામી ઝીલે છે. આ પરેડમાં ભારતના જુદાજુદા પ્રદેશની ઝાંકીઓને ફ્લોટ્સ (ખટારા અને ટ્રેલર પર બનાવેલ ધીમેથી સરકરતો મંચ) પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે.[૧]. પ્રાય: તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી (જુદા જુદા પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ આપતી ઝલક) સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે.

રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો રાજ્યપાલ અસ્વસ્થ હોય કે કોઇ કારણસર હાજર ના હોય તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું માન મળે છે.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલંમા આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતન્ત્ર રાષ્ટ્ર્ બન્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોક્તંત્ર બન્યુ. દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. ત્યારથી ૨૬ જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે.

આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દીવસ ઉજવાય છે, ખાસ કરીને ભારતની રાજધાની દીલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્‌બોધનથી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વાતંત્ર સેનાનીઓ એ આપેલા બલિદાન તેમ જ શ્રધ્ધાંજલીથી થાય છે કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સંહિતા માટે લડ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરીવારજનોને જવાનોની યુધ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચન્દ્રકો એનાયત કરે છે. તથા ભારતના નાગરીકો કે જેમણે અસામાન્ય પરીસ્થિતિઓમાં બહાદુરીપુર્વકનું કાર્ય કર્યુ હોય એમને સન્માનિત કરી તેમને પુરસ્કારો એનાયત કરે છે.

tajonline પર આપેલું વર્ણન:

"૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના "પ્રજાસત્તાક દિવસ" તરીકે માનભેર ઉજવાય છે.

આજે, આખા દેશમાં પ્રજાસત્તાક દિન વધુ ઊત્સાહથી ઉજવવામાં આવે છે, ખાસ કરીને રાજધાની, નવી દિલ્હીમાં જ્યાં રાષ્ટ્રપતિનાં દેશને સંબોધનથી ઉજવણી શરૂ થાય છે. ઉજવણીની શરૂઆત હંમેશા દેશના સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી આપીને જ કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને તથા જેઓ પોતાની વિભિન્ન પરિસ્થિતિઓ છતાં વીરતાનાં અધિનિયમો દ્વારા વિશિષ્ટ છે તેઓને ઇનામ તથા પદક આપે છે.

આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય પરેડનું આયોજન રાજધાની દિલ્હીમાં, રાજઘાટથી વિજયપથ સુધીમાં થાય છે. આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજીમેંટ પૂરા સજીધજીને અને એમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. અરે, ઘોડેસવાર સેનાઓના ઘોડાઓને પણ અવસર અનુસાર આકર્ષક રીતે શણગારવઅમાં આવે છે. ભારત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સારા એન.સી.સી કેડેટ ને પસંદ કરીને આ કાર્યક્રમમાં ભાગલેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. અને રાજધાનીમાં આવેલી શાળાઓં માંથી પણ પસંદ કરેલા બાળકો ને અહી આમંત્રણ આપવામાં આવે છે. તેઓ ઇવેન્ટની તૈયારી માટે ઘણા દિવસો પસાર કરે છે અને તે જોવા માટે કોઈ ખર્ચ થતો નથી કે દરેક વિગતવાર કાળજી લેવામાં આવે છે, તેમની પ્રેક્ટિસમાંથી, ડ્રિલ્સ, આવશ્યક પ્રોપ્સ અને તેમની ગણવેશ માટે.

આ પરેડ દેશના જુદા જુદા રાજ્યોમાંથી જોવાલાયક પ્રદર્શનોના એક પેજ દ્વારા અનુસરવામાં આવે છે. આ ગતિશીલ પ્રદર્શનો તે રાજ્યોમાં લોકોની પ્રવૃત્તિઓના દૃશ્યો દર્શાવે છે અને તે ચોક્કસ રાજ્યના સંગીત અને ગીતો દરેક પ્રદર્શન સાથે આવે છે. દરેક પ્રદર્શન ભારતની સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિ લાવે છે અને સમગ્ર શો પ્રસંગે તહેવારોની હવા આપે છે. પરેડ અને આગામી પેજન્ટ્રી નેશનલ ટેલિવિઝન દ્વારા પ્રસારિત થાય છે અને દેશના દરેક ખૂણામાં લાખો દર્શકો દ્વારા જોવાય છે.

આ દિવસે લોકોનો દેશભક્તિનો ઉત્સાહ સંપૂર્ણ આવશ્યકતામાં પણ સમગ્ર દેશને એક સાથે લાવે છે. દેશના દરેક ભાગને પ્રસંગે રજૂ કરવામાં આવે છે, જે પ્રજાસત્તાક દિનને ભારતની રાષ્ટ્રીય રજાઓના સૌથી લોકપ્રિય બનાવે છે. "

મુખ્ય અતિથિ[ફેરફાર કરો]

આ દિવસે ભારત અન્ય દેશનાં વડાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રે છે.ભારત દ્વારા સંબંધના રૂપમાં કોઇપણ દેશનું વ્યુહાત્મક મહત્વ આ યાદીમાં જોવા મળે છે.

વર્ષ અતિથિ દેશ
૧૯૭૬ વડાપ્રધાન જેક્વિસ ચિરાક ફ્રાન્સ
૧૯૭૮ પ્રમુખ ડો.પેટ્રીક હિલેરી આયર્લેન્ડ
૧૯૮૫ પ્રમુખ રાઉલ આલ્ફોન્સિન આર્જેન્ટીના
૧૯૮૬ વડાપ્રધાન એન્ડ્રીસ પાપન્ડ્રોઉસ ગ્રીસ
૧૯૮૭ પ્રમુખ એલન ગાર્સિયા પેરુ
૧૯૮૮ પ્રમુખ જુનિયસ જયવર્દને શ્રીલંકા
૧૯૯૨ પ્રમુખ મારિયો સૌરેસ પોર્ટુગલ
૧૯૯૩ વડાપ્રધાન જોહન મેજર યુ.કે.
૧૯૯૫ પ્રમુખ નેલ્સન મંડેલા[૨] દક્ષિણ આફ્રિકા
૧૯૯૬ પ્રમુખ ડો. ફર્નાન્દો હેન્રીક કાર્દોસો બ્રાઝિલ
૧૯૯૭ વડાપ્રધાન બાસ્દો પાન્દય ટ્રિનિદાદ અને ટોબેગો
૧૯૯૮ વડાપ્રધાન જેક્વિસ ચિરાક ફ્રાન્સ
૧૯૯૯ રાજા વિરેન્દ્ર વિર વિક્રમશાહ દેવ નેપાળ
૨૦૦૦ પ્રમુખ ઓલુસેગુન ઓબસાન્જો નાઇજીરીયા
૨૦૦૧ પ્રમુખ અબ્દેલ અઝિઝ બૌટેફ્લીકા અલ્જિરીયા
૨૦૦૨ પ્રમુખ કાસમ ઉતીમ મોરિશિયસ
૨૦૦૩ પ્રમુખ મોહમ્મદ ખતામી (Mohammed Khatami) ઈરાન
૨૦૦૪ પ્રમુખ લુઇઝ ઇનાશિયો લુલા દ સિલ્વા બ્રાઝિલ
૨૦૦૫ રાજા જીગ્મે સિંગ્યે વાંગચુક ભૂતાન
૨૦૦૬ રાજા અબદુલ્લાહ બિન અબદુલ્લઅઝીઝ અલ-સાઉદ સાઉદી અરેબિયા
૨૦૦૭ રાષ્ટ્રપતિ વલાદિમિર પુટિન રશિયા
૨૦૦૮ પ્રમુખ નિકોલશ સર્કોઝી ફ્રાન્સ
૨૦૦૯ પ્રમુખ નૂરસુલતાન નઝરબાયેવ કઝાકિસ્તાન
૨૦૧૦ રાષ્ટ્રપતિ લી મ્યૂંગ બક કોરિયા ગણરાજ્ય
૨૦૧૧ પ્રમુખ સુસીલો બામબૅન્ગ યુધોયોનો[૩] ઇન્ડોનેશિયા
૨૦૧૨ વડાપ્રધાન યિન્ગલક શિનાવાત્રા[૪] થાઇલેન્ડ
૨૦૧૩ રાજવી જિગ્મે ખેસર નામ્ગ્યાલ વાન્ગચુક ભૂતાન
૨૦૧૪ વડાપ્રધાન શિન્ઝો અબે જાપાન
૨૦૧૫ બરાક ઓબામા પ્રથમ વખત અમેરિકી પ્રમુખ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
૨૦૧૬ ફ્રાન્કોઇસ હોલ્લાંડે (ફ્રાંસના પ્રમુખ) ફ્રાંસ
૨૦૧૭ પ્રિન્સ મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યન યુનાઈટેડ આરબ અમિરાત
૨૦૧૮ હસનલ બોલકિહ (બ્રૂનેઇના સુલતાન), હું સેન (કંબોડિયાના વડાપ્રધાન), જોકો વિડોડો (ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ) બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર - ૨૦૦૫ અખબારી યાદી, ભારત સરકાર
  2. "General South African History timeline" sahistory.org.za Accessed on June 13, 2008.
  3. "Indonesian President next R-Day parade chief guest – Rediff.com India News". Rediff.com. મેળવેલ 25 January 2012.
  4. New Delhi, 2 Dec (IANS) (20 January 2012). "Thai PM to be chief guest on India's Republic Day". Deccan Herald. મેળવેલ 25 January 2012.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]