લાખાબાવળ

વિકિપીડિયામાંથી
લાખાબાવળ
—  ગામ  —
લાખાબાવળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°34′N 70°38′E / 23.57°N 70.63°E / 23.57; 70.63
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
વસ્તી

• ગીચતા

૪,૫૦૦ (૨૦૧૧)

• 30/km2 (78/sq mi)

લિંગ પ્રમાણ ૯૦૦ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

22 square kilometres (8.5 sq mi)

• 59 metres (194 ft)

કોડ
  • • પીન કોડ • ૩૬૧૦૦૬
    • ફોન કોડ • +૦૨૮૮
    વાહન • GJ-10

લાખાબાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ જામનગર શહેરથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. લાખાબાવળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, રેલ્વે સ્ટેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

લાખાબાવળ ગામ પ્રાચિન હડપ્પન સંસ્કૃત્તિના અવશેષો ધરાવતું ગામ છે. ભૂતકાળમાં અહીંથી જૈન અને બૌદ્ધ ધર્મના અવશેષો પણ મળેલા છે. અહીં આવેલા ટીંબાને રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-79) જાહેર કરાયેલ છે.

છબીઓ[ફેરફાર કરો]

જામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન