વસતી વધારો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
નાનું 117.198.179.132 (talk)દ્વારા ફેરફરોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા... |
||
લીટી ૧: | લીટી ૧: | ||
૨૧મી સદીમાં દુનિયાની વસ્તી ૬ [[અબજ]]થી ઉપર પહોંચી છે ત્યારે [[ભારત]] દેશની વસ્તી ૧ અબજ ઉપર પહોંચી છે. સન્ [[૧૯૪૭]]માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેની વસ્તી ૩૦ કરોડ જેટલી હતી, જે છેલ્લા ૬૦ વર્ષમાં ત્રણ ગણી વધી છે.અમુક અંદાજ મુજબ ૨૦૫૦ સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. |
|||
==કારણો== |
==કારણો== |
૨૧:૩૨, ૧૬ ઓગસ્ટ ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન
૨૧મી સદીમાં દુનિયાની વસ્તી ૬ અબજથી ઉપર પહોંચી છે ત્યારે ભારત દેશની વસ્તી ૧ અબજ ઉપર પહોંચી છે. સન્ ૧૯૪૭માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેની વસ્તી ૩૦ કરોડ જેટલી હતી, જે છેલ્લા ૬૦ વર્ષમાં ત્રણ ગણી વધી છે.અમુક અંદાજ મુજબ ૨૦૫૦ સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે.
કારણો
- સ્વતંત્રતા પહેલા ભારતની વસ્તી અને તેની ગીચતા યુરોપ કરતા ઓછી હતી. યુરોપિયન લોકો દુનિયાના વિવિધ દેશોમાં જઇ વસ્યા જેમ કે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને કેનેડા. આ બધા દેશોમાં વિપુલ પ્રમાણમાં માનવીય જરૂરિયાતો કુદરતી રીતે મળી આવે છે. તેમણે આ દેશો પર અધિકાર લઇને ભારત જેવા દેશોના લોકો માટે પોતાની સીમાઓ બંધ કરી દીધી. આથી જ્યારે ભારત સ્વતંત્ર થયુ ત્યારે આ બધા દેશો પર યુરોપિયન અધિકાર છવાયેલો હતો. અને ભારતમાંથી બીજા દેશોમાં સ્થાળાંતર કરવું શક્ય ન હતું.
- ભારતની અંદાજીત વય મર્યાદા પહેલા ૩૧ વર્ષની હતી જે સ્વતંત્રતા પછી ૫૦ વર્ષમાં વધીને ૬૨ વર્ષની થઇ. તેનું મુખ્ય કારણ ભારતે કરેલા તેના રાષ્ટ્રીય સ્વાસ્થય સુધારા છે. લોકોનુ સ્વાસ્થય, તેમના રોગ નિવારણ, સામાન્ય જીવન ધોરણમાં સુધારો વગેરે આ વધારા માટે કારણભૂત છે.
- ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે. તેની વસ્તીવધારાને કાબૂમાં રાખવાના ઉપાયો લોકોના સહકાર પર પણ નિર્ભર કરે છે. લોકો સ્વયં રીતે પોતાના કુટુંબની સંખ્યા કાબૂમાં રાખે તે અપેક્ષિત છે. આથી તે લોકો ને બળજબરી પૂર્વક બાળકો પેદા કરતા રોકી શકે નહી.
- ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે. તેની વસ્તીવધારાને કાબૂમાં રાખવાના ઉપાયો લોકોના સહકાર પર પણ નિર્ભર કરે છે. લોકો સ્વયં રીતે પોતાના કુટુંબની સંખ્યા કાબૂમાં રાખે તે અપેક્ષિત છે. આથી તે લોકો ને બળજબરી પૂર્વક બાળકો પેદા કરતા રોકી શકે નહી.
- ભારતમાં નિરક્ષરતાના લીધે ઘણા લોકો રાષ્ટ્રીય સમસ્યાને સમસ્યા તરીકે જોઇ શક્તા નથી. ગરીબ અને નિરક્ષર કુટુંબો ભવિષ્યમાં પોતાનું બાળક પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધારશે તેવુ માની વધુ બાળકો પેદા કરે છે.
- ઘણા કુટંબો પારંપરિક રીતે છોકરી કરતાં છોકરા હોવાનું પસંદ કરે છે. આથી તેઓ જ્યાં સુધી છોકરો ન હોય ત્યાં સુધી બાળકો પેદા કરે છે.
- નિરક્ષરતાને લીધે કુટુંબનિયોજનના કાર્યક્રમો પુરા સફળ થતા નથી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |