સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
'''સરદાર પટેલ રીંગ-રોડ''' અથવા ટૂંકાક્ષરીમાં '...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું |
નાનુંNo edit summary |
||
લીટી ૨૩: | લીટી ૨૩: | ||
===તબક્કો ૩=== |
===તબક્કો ૩=== |
||
આ તબક્કામાં બીઆરટીએસ સેવા ચાલુ કરવામાં આવશે. |
આ તબક્કામાં બીઆરટીએસ સેવા ચાલુ કરવામાં આવશે. |
||
{{ઢાંચો:અમદાવાદ શહેર}} |
|||
==સંદર્ભ== |
૨૨:૦૫, ૩ જુલાઇ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન
સરદાર પટેલ રીંગ-રોડ અથવા ટૂંકાક્ષરીમાં એસ.પી.આર.આર એ અમદાવાદ શહેર ફરતા અને શહેરના ૪૦૦ ચોરસ કિલોમિટરના વિસ્તારને સંપુર્ણપણે આવરી લેતા વર્તુળ તરીકે આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે. આ રીંગ-રોડના વર્તુળના પરીધની પુરી લંબાઇ ૭૬.૩૧૩ કિલોમિટર અને શહેરની બહાર નિકળતા ૧૯ મુખ્ય રસ્તાઓ એ વર્તુળને આરાની જેમ મળે છે. આ સંપુર્ણ વર્તુળને ૪ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યુ છે. આ માર્ગ અમદાવાદની આસપાસ આવેલા ૨૩ ગામો માંથી પસાર થાય છે અને આ માર્ગ પર ૧૭ ફ્લાયઓવર પુલ, ૫ અંડરપાસ પુલ અને ૨ રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
રીંગ રોડના વિભાગો
વિભાગ - ૧
રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-અ પરના રાજકોટ હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના વડોદરા જંકશન સુધીનો ૧૪.૧૦૬ કિલોમિટરનો વિભાગ
વિભાગ - ૨
રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના વડોદરા જંકશનથી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના હિંમતનગર જંકશન સુધીનો ૨૫.૫૧૮ કિલોમિટરનો વિભાગ. લંબાઇમાં આ વિભાગ સૌથી લાંબો છે.
વિભાગ - ૩
રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-સી પરના ગાંધીનગર હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-અ પરના રાજકોટ હાઇવે જંકશન સુધીનો ૨૨.૮૬૨ કિલોમિટરનો વિભાગ
વિભાગ - ૪
રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮-સી પરના ગાંધીનગર હાઇવે જંકશન થી રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પરના હિંમતનગર જંકશન સુધીનો રસ્તો ૧૩.૮૨૭ કિલોમિટરનો વિભાગ. લંબાઇમાં આ વિભાગ સૌથી ટૂંકો છે.
તબક્કાવાર ઉપલબ્ધ થનારી માળખાકીય સવલતો
તબક્કો ૧
સંપુર્ણ રીંગ-રોડનું વચ્ચે ડીવાઇડર વાળી અને આવવા અને જવા માટે ડીવાઇડરની બન્ને બાજુ બે બે લેન ધરવતા માર્ગની રચના. રીંગ-રોડ બે વખત સાબરમતીને ઓળંગે છે ત્યાં પુલોનિં નિર્માણ. આ તબક્કો ૨૦૦૪માં શરૂ થયેલો અને ૨૦૦૭માં પુરો થયેલ હતો.
તબક્કો ૨
વચ્ચે ડીવાઇડર હોય તેવા અને આવવા અને જવા માટે ડીવાઇડરની બન્ને બાજુ બે બે લેન ધરવતાસંપુર્ણ રીંગ-રોડનું ડીવાઇડરની બન્ને બાજુ ચાર ચાર લેન ધરાવતા રીંગ-રોડમાં પરીવર્તન અને બન્ને બાજુ સર્વિસ રોડની રચના. પહેલો તબક્કો હજું સંપુર્ણ પુરો નહોતો થયો ત્યાજ ૨૦૦૬માં જ આ તબક્કાની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. અને ૨૦૧૧ સુધીમાં આ કાર્ય પુરૂ થઇ ચુક્યુ હતું.
તબક્કો ૩
આ તબક્કામાં બીઆરટીએસ સેવા ચાલુ કરવામાં આવશે.