શરીર વજન અનુક્રમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું કોસ્મેટીક ચેન્જીસ
નાનું added Category:માનવ શરીર using HotCat
લીટી ૧૦૬: લીટી ૧૦૬:
•ચરબીયુક્ત તેમજ તળેલી વસ્તુઓ નો આહાર ના લેવો જોઈએ.
•ચરબીયુક્ત તેમજ તળેલી વસ્તુઓ નો આહાર ના લેવો જોઈએ.
•ખોરાકમાં લીલા શાકભાજી તેમજ ફળોનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.
•ખોરાકમાં લીલા શાકભાજી તેમજ ફળોનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.

[[શ્રેણી:માનવ શરીર]]

૦૮:૧૪, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

બોડી માસ ઈન્ડેક્ષ (BMI) ફોર્મ્યુલા શોધક એડોલ્ફ ક્વિટ્લેટ ૧૭૯૬-૧૮૭૪ (Adolphe Quetelet 1796 -1874) છે.

ધ બોડી માસ ઈન્ડેક્ષ (BMI) ફોર્મ્યુલાની શોધ બેલ્જિયમ આંકડાશાસ્ત્રી એડોલ્ફે ક્યુટેલેટે કરી. અને તે Quetelet Index ના નામથી જાણીતી થઈ. BMI ને 'body mass indicator' તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૭૯૬

મૃત્યુ - ફેબ્રુઆરી ૧૮૭૪ (ઉમર ૭૭)

દેશ : બેલ્જીઅમ

ક્ષેત્રો "

ખગોળશાસ્ત્ર ગણિતશાસ્ત્ર અંકગણિત સમાજ શાસ્ત્ર

બોડી માસ ઈન્ડેક્ષ (BMI) શોધવાની ફોર્મ્યુલા :-

બી.એમ.આઈ = ( વજન )/( ઉંચાઈ x ઉંચાઈ )

નોંધ – વજન કિલોગ્રામમાં તથા ઉંચાઈ મિટરમાં લેવાની છે.


૧૮.૫ અથવા ઓછુ ==> ઓછું વજન (Underweight)

૧૮.૫ - ૨૪.૯ ==> આદર્શ વજન (Normal Weight)

૨૫.૦ - ૨૯.૯ ==> વધુ વજન (Overweight)

૩૦.૦ - ૩૪.૯ ==> વધારે વજન – સ્થૂળતા (Obese)

૩૫.૦ - ૩૯.૯ ==> વધારે વજન – વધુ સ્થૂળતા (Obese)

૪૦થી વધારે ==> એકદમ વધારે વજન – બેડોળ) (Extremely Obese)


વ્યક્તિ કે જેનું વજન ૯૯.૭૯ કિલોગ્રામ તથા ઉંચાઈ ૧.૯૦૫ મિટર છે તેના બી.એમ.આઈ.ની ગણતરી કરતાં ૨૭.૫ મળે છે જેમકે ............ [૯૯.૭૯ કિગ્રા /(૧.૯૦૫ મી x ૧.૯૦૫ મી) ] = ૨૭.૫


જો વ્યક્તિનો શરીર વજન અનુક્રમ (BMI) ૧૮.૫ કે તેનાથી ઓછો હોયતો તેવી વ્યક્તિને ઓછા વજન વાળી કહેછે. આવી વ્યક્તિઓએ તાત્કાલિક દાક્તરને મળવું જોઈએ. ઓછો શરીર વજન અનુક્રમ શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે કે જે બિમારી તરફ દોરી જાય છે.

વજન વધારવાની થોડી તરકીબો -

  • વજન વધારવા તમારે વધારે કેલરીવાળો ખોરાક લેવો જોઈએ.
  • દૂધ અને દૂધની બનાવટોનો ખોરાકમાં શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ .
  • દિવસમાં ૮થી ૧૦ ગ્લાસ શુદ્ધ પાણી પીવું જોઈએ.
  • વધુમાં વધુ ફળફળાદી તથા લીલા શાકભાજી ખોરાકમાં લેવા જોઈએ.
  • લાલ માન્સ અને પ્રાણિજ ચરબી ત્યાગો.
  • કોફી – આલ્કોહોલ કે ઠંડા પીણાનું સેવન કરવું નહી.
  • તૈયાર ટીનમાં આવતા ફૂડ અને ખાસ કરીને મેંદાની બનેલી વસ્તુઓ ના લેવી જોઈએ
  • ધુમ્રપાન કે તમાકુનું સેવન કરવું નહી.

વધુ કેલરી ધરાવતી વાનગીઓ: તમને જાણીને આશ્ચર્ય થશે કે મોટા ભાગની વાનગીઓ તમારી મનપસંદ હશે.

•ચાસણી અને દૂધ ની મીઠાઈઓ •ચોકલેટ્સ •ફાસ્ટ ફૂડસ પિઝા, બર્ગર, સેન્ડવીચ •બટાકા ચિપ્સ, વેફર્સ •સમોસા •માંસાહારી વાનગીઓ •ચીઝ સોસ •મેંદામાંથી બનતી વાનગીઓ

જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષ (BMI) 18.5 થી 24.9 ની વચ્ચે હોયતો તેવી વ્યક્તિને આદર્શ વજન વાળી (Normal Weight) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહે છે.આવી વ્યક્તિઓને લોહીનું દબાણ સામાન્ય રહે છે.ડાયાબિટીસની ફરિયાદ જોવા મળતી નથી..

જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષ (BMI) 25 થી 29.9 ની વચ્ચે હોયતો તેવી વ્યક્તિને વધુ વજન વાળી (Over Weight) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. થોડું કામ કરતાં જ થાકી જાય છે.વિવિધ રોગોને આમંત્રણ આપે છે.વારંવાર પરસેવો – ગભરામણ – શ્વાસમાં તકલીફ રહે છે. વજન ઘટાડવાની થોડી તરકીબો - •દરરોજ દાક્તરની સલાહ મુજબ વ્યાયામ કરવો જોઈએ. •તેલ – ઘી- માખણ – કોપરેલ – મલાઈ – માંસ – આઈસ્ક્રીમ –સૂકો મેવો ચટણી - મીઠાઈ – ફરસાણ તથા ચરબી વાળો ખોરાક ત્યજવો જોઈએ. •કોકાકોલા- પેપ્સી જેવા ઠંડા પીણા ત્યજવા જોઈએ. •ઓછા કેલરીવાળો ખોરાક વધુમાં વધુ લેવો જોઈએ. •આહારમાં શક્ય હોયતો સૂપ - સલાડ – લીલા શાકભાજી તથા ચાઈનીઝ ખોરાક લેવો જોઈએ. •જમ્યા પહેલા સૂપ અથવા જ્યુસ લેવો જોઈએ જેથી ભૂખ ઉપર કાબુ મેળવી શકાય તેમજ અતિઆહાર ટાળી શકાય. •દિવસ દરમ્યાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ. •બાફેલો ખોરાક શક્ય હોયતો વધુ લેવો જોઈએ. શરીરની વધુમાં વધુ કેલરી વપરાય તે માટે પરિશ્રમ તથા વોકીંગ કરવું જોઈએ.

ઓછી કેલરી ધરાવતી વાનગીઓ માં નીચે દર્શાવેલ વસ્તુઓ નો સમાવેશ થાય છે :

•લેટસ •ગાજર •ટામેટા •સ્ટ્રોબેરી •પાલક •ઈંડા •બાફેલા બટાકા •દ્રાક્ષ •તડબુચ •મકાઈની ધાણી (પોપકોર્ન) •વટાણા •ઘઉંની બ્રેડ •પુડલા •કઠોળ •ટૂના (માછલી) •વેજીટેબલ સૂપ •વેજીટેબલ સૂપ


શરીર વજન અનુક્રમ ૩૦ કે તેનાથી વધારે

જો વ્યક્તિનો શરીર વજન અનુક્રમ ૩૦ કે તેનાથી વધારે હોયતો તેવી વ્યક્તિને અતિશય વધુ વજન વાળી – બેડોળ (Obese) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. વિવિધ રોગોને આમંત્રણ આપે છે. ડાયાબિટીસ – હાઈ બ્લડ પ્રેશર – પથરી તથા શ્વાસની ગંભીર બિમારીઓનો ભોગ બને છે.આવી વ્યક્તિઓએ તેમની જીવનશૈલી બદલવીજ રહી.આવી વ્યક્તિઓ જો કુલ વજનના ૧૦થી ૧૨ % પણ વજન ઉતારેતો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીથી બચી શકે છે. એક વાત ખાસ યાદ રાખો કે કોલેસ્ટેરોલને ૧૦% ઘટાડવાથી હ્રદયનું જોખમ ૨૦થી ૩૦% ઘટે છે. મધ્યમસરના વ્યાયામથી આ જોખમ ૩૦થી ૪૫% ઘટે છે.

તમે વજન ઘટાડવા માંગતા હો અગર તો વજન જાળવવા માંગતા હો તો તમારે ખોરાકમાં યોગ્ય સુધારા વધારા કરવા જોઈએ

•પ્રમાણ માં ધાન્યો માંથી બનેલી વાનગીઓ તેમજ રેસાયુક્ત ખોરાક વધુ લેવો જોઈએ. •ચરબીયુક્ત તેમજ તળેલી વસ્તુઓ નો આહાર ના લેવો જોઈએ. •ખોરાકમાં લીલા શાકભાજી તેમજ ફળોનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.