પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું Robot multiple replacements
લીટી ૧૬: લીટી ૧૬:




ભાવનગરના સદભાગ્યે તેના ૨૨૪ વર્ષ ના અસ્તિત્વમાં અનેક કુશળ નાગર બ્રામ્હણ દિવાનોએ કારભાર સંભાળ્યો હતો. તેના ઉત્તરાર્ધમાં '''સર પટ્ટણી''' અગ્રસર રહ્યા છે. તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ અને માનવ પરખ ગજબ હતા. ઉપરાંત નાના મોટા પ્રજાજનો પ્રત્યેની તેમની પરોપકાર વૃત્તિ અને ઈશ્વરશ્રધ્ધા તેમની માનવતા દર્શાવે છે. અંગ્રેજ હાકેમો સાથે મુત્સદ્દીગિરીથી રાજકિય સબંધ્ધો સલુકાઈથી જાળવી રાખવામાં તેઓ નિપુણ હતા. છતાં અંતરમાં તે પુર્ણ રાષ્ટ્રવાદી હતા અને [[ગાંધીજી]] સાથે વિદ્યાર્થી કાળની મૈત્રી નિભાવી રાખી હતી. [[બ્રિટીશરાજ]]ની સિઆઈડીની આંખ માં ધુળ નાખીને તમણે પ્રખર ક્રાંતિકાર પ્રિથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો પણ નગરવાસીઓતો તેમને ઉત્તરહિંદમાંથી આવેલા સ્વામિરાવ તરીકેજ ઓળખતા અને તેમની યુવાપ્રવ્રુત્તિઓ માટે માન આપતા.
ભાવનગરના સદભાગ્યે તેના ૨૨૪ વર્ષ ના અસ્તિત્વમાં અનેક કુશળ નાગર બ્રામ્હણ દિવાનોએ કારભાર સંભાળ્યો હતો. તેના ઉત્તરાર્ધમાં '''સર પટ્ટણી''' અગ્રસર રહ્યા છે. તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ અને માનવ પરખ ગજબ હતા. ઉપરાંત નાના મોટા પ્રજાજનો પ્રત્યેની તેમની પરોપકાર વૃત્તિ અને ઈશ્વરશ્રધ્ધા તેમની માનવતા દર્શાવે છે. અંગ્રેજ હાકેમો સાથે મુત્સદ્દીગિરીથી રાજકીય સબંધ્ધો સલુકાઈથી જાળવી રાખવામાં તેઓ નિપુણ હતા. છતાં અંતરમાં તે પુર્ણ રાષ્ટ્રવાદી હતા અને [[ગાંધીજી]] સાથે વિદ્યાર્થી કાળની મૈત્રી નિભાવી રાખી હતી. [[બ્રિટીશરાજ]]ની સિઆઈડીની આંખ માં ધુળ નાખીને તમણે પ્રખર ક્રાંતિકાર પ્રિથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો પણ નગરવાસીઓતો તેમને ઉત્તરહિંદમાંથી આવેલા સ્વામિરાવ તરીકેજ ઓળખતા અને તેમની યુવાપ્રવ્રુત્તિઓ માટે માન આપતા.





૧૫:૧૦, ૧૫ ઓગસ્ટ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

સર પ્રભાશંકર પટ્ટણી
પ્રભાશંકર પટ્ટણી
પ્રભાશંકર પટ્ટણી
સર પ્રભાશંકર પટ્ટણી
જન્મ = {{{જન્મ તારીખ}}}
જન્મ સ્થળ = {{{જન્મ સ્થળ}}}
મૃત્યુ = {{{મૃત્યુ તારીખ}}}
મૃત્યુ સ્થળ = {{{મૃત્યુ સ્થળ}}}
પિતાશ્રી = દલતપતરામ
માતાશ્રી = મોતીબાઈ
વ્યવસાય = ગુજરાતે સર્જેલા મહાન અમાત્યોમાં ભાવનગર રાજ્યના ૧૮૬૨થી ૧૯૩૮ સુધી સુપ્રસિધ્ધ દિવાન


સૌરાષ્ટ્રના ૪૨ દેશી રાજ્યોમાં ભાવનગર રાજ્ય અને તેના પ્રભાવશાળી રાજવિઓનું સ્થાન મોખરે છે. ૧૭૨૩ થી ૧૯૪૭ સૂધી તેનો ઉદય થયો. ભાવનગરના બંદરમાંથી ૧૯૩૦ માં મળેલી જકાત આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૫૧ લાખ હતી જેની આંકણી આજના સેંકડો કરોડો રુપિયામાં થાય. આવા અભ્યુદય પાછળ શ્રી પ્રભાશંકર પટ્ટણી જેવા વિચકક્ષણ અમાત્યોની દુરંદેશી અને કુનેહનો ફાળો જબર્જસ્ત છે.


ભાવનગરના સદભાગ્યે તેના ૨૨૪ વર્ષ ના અસ્તિત્વમાં અનેક કુશળ નાગર બ્રામ્હણ દિવાનોએ કારભાર સંભાળ્યો હતો. તેના ઉત્તરાર્ધમાં સર પટ્ટણી અગ્રસર રહ્યા છે. તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ અને માનવ પરખ ગજબ હતા. ઉપરાંત નાના મોટા પ્રજાજનો પ્રત્યેની તેમની પરોપકાર વૃત્તિ અને ઈશ્વરશ્રધ્ધા તેમની માનવતા દર્શાવે છે. અંગ્રેજ હાકેમો સાથે મુત્સદ્દીગિરીથી રાજકીય સબંધ્ધો સલુકાઈથી જાળવી રાખવામાં તેઓ નિપુણ હતા. છતાં અંતરમાં તે પુર્ણ રાષ્ટ્રવાદી હતા અને ગાંધીજી સાથે વિદ્યાર્થી કાળની મૈત્રી નિભાવી રાખી હતી. બ્રિટીશરાજની સિઆઈડીની આંખ માં ધુળ નાખીને તમણે પ્રખર ક્રાંતિકાર પ્રિથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો પણ નગરવાસીઓતો તેમને ઉત્તરહિંદમાંથી આવેલા સ્વામિરાવ તરીકેજ ઓળખતા અને તેમની યુવાપ્રવ્રુત્તિઓ માટે માન આપતા.


તેઓ લોકશાહીના હિમાયતી હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતિ રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટિ વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.


કથાકારો અને પુરાણિ પ્રશ્નોરા નાગર બ્રામ્હણ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા રાજકોટ ગયા. સમસ્ત કાઠિયાવાડમાં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા. મધ્યમ કુટુંબમાંથી તે આવ્યા હતા તો પણ તેમને મળતી શિષ્યવૃત્તિમાંથી અન્ય ગરિબ છાત્રમિત્રોને પૈસાની મદદ કરતાં તે અચકાતા નહી તેવો તેમનો ઉદાર સ્વભાવ હતો. ૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજિના પૈસાદાર પરિવારની પુત્રિ કુંકી સાથે થયું હતું. એકવાર કોઈક સાસરિયાએ તેમના કુટુંબની મધ્યમ સ્થિતી વિષે ટીકા કરી. પોતે માની પુરુષ હતા અટલે પોતાની અટક ભટ્ટમાંથી પટ્ટણી બદલી નાખી. પત્નિ કુંકિનું અકાળે મૃત્યુ થતાં ફરી તેજ પરિવારની કન્યા રમા સાથે ૧૮૮૧માં લગ્ન થયા.


મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર મુંબઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં માણાવદર પાછાં ફર્યા. એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે રાજકુમાર કોલેજમાં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન, કવિ કાંત, બ.ક.ઠાકોર (ભવિષ્યના સાક્ષરો) જેવા રસિક મિત્રો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર ભાવસિંજી પણ વિદ્યાર્થી હતા. પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરિકે નિમવામાં આવ્યાં. ૧૮૮૪થી ૧૮૮૯નો આ સહવાસ જિંદગીભરની મૈત્રીમાં પરિણમ્યો. આગળ ઉપર ભાવસિંજીનો રાજવિ તરીકે અભિષેક થતાં, તેમણે જુના મિત્ર ૩૫ વર્ષિય પ્રભાશંકરને અંગત મંત્રી તરિકે સ્થાપ્યાં. અંગત મંત્રી તરિકે તેમણે કાબેલ વ્યક્તિઓને શોધી શોધીને રાજ્યના વહિવટ તંત્રમાં નિમી. પરિણામે બધો કારભાર સુક્ષ્મ બન્યો. આગળ જતાં તે સમયના કુશળ દિવાન વિઠ્ઠલદાસ મહેતાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજિનામુ આપ્યું. તેમના સ્થાને એક બે વ્યક્તિઓએ દિવાનગિરી અજમાવિ પણ ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણિ કરી. ત્યારથી ૧૯૩૮ સુધીની તેમણે ભાવનગર રાજ્યને એક આદર્શ રાજ્યની કક્ષા પર લાવી દિધું.


આ દરમિયાન, ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે મુંબઇ ગવર્નરની એગ્ઝિક્યુટીવ કાંઉંસીલનું સભ્યપદ સ્વિકાર્યુ, ગોળમેજી પરિષદમાં જઈ આવ્યા, સાથે ગાંધીજીને પણ આમંત્ર્યા. સરકારે તેમને સરનો ઇલ્કાબ આપીને તેમની સુંદર સેવાઓ માટે બહુમાન કર્યું.


૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર કૃષ્ણકુમારસિંહજીના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. બ્રિટીશ રાજતો શ્રી પટ્ટણીને કોઈ પ્રાંતના ગવર્નર બનાવા માગતું હતું પણ તેમણેતો બાળા રાજાની તહેનાતમાં તેમના સાથી-સલાહકાર તરીકે ભાવનગર પાછા ફરવાનુંજ નક્કી કર્યુ અને કૃષ્ણકુમારસિંહજીનો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ જતાં ટ્રેનમાંજ દેશપ્રેમી પ્રભાશંકર પટ્ટ્ણીનું અવસાન થયું અને દેશને એક મહામાનવની ખોટ પડી. ભાવનગર વાસીઓએ એક પ્રજાવત્સલ “બાપુજી”ને (તેમનું હુલામણુ નામ) ગુમાવ્યાં. યુવાન નવોદિત મહારાજાએ સર પટ્ટણીના મોટા પુત્ર અનંતરાયને દિવાનગિરી સોંપી. તેમના સાથીદાર તરીકે ભાવનગરના લોકપ્રિય ચીફ જસ્ટિસ નટવરલાલ સુરતીને નાયબ દિવાન સ્થાને મુંક્યા. ૧૯૪૭માં સ્વરાજ આવતાં મહારાજાએ ભાવનગર રાજ્ય નવોદિત ભારત ગણરાજ્યને સોંપ્યુ.

ઉઘાડી રાખજો બારી

સર પ્રભાશંકર પટ્ટણી દ્વારા લખાયેલું કાવ્ય(કાવ્યસંગ્રહ: ‘મિત્ર’, મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦).

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.

પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.


તેમના અવતરણો

"ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય." – સર પ્રભાશંકર પટ્ટણી

સંકલન

  • ડો. કનક રાવળ – અસલ માહિતી માટે શ્રી.પિયુષ પારાષર્યના અને પટ્ટણી પરિવારના રુણ સ્વિકાર સાથે

વધુ વાંચો