પ્લેટો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
+૧
લીટી ૧૬: લીટી ૧૬:
==વધુ વાચન==
==વધુ વાચન==
* {{cite book |last=પટેલ |first=નરસિંહભાઈ બી. |title=પ્લેટોનું રિપબ્લિક |year=૨૦૧૭ |edition=ચોથી |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય |location=અમદાવાદ |isbn=978-93-85344-97-8}}
* {{cite book |last=પટેલ |first=નરસિંહભાઈ બી. |title=પ્લેટોનું રિપબ્લિક |year=૨૦૧૭ |edition=ચોથી |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય |location=અમદાવાદ |isbn=978-93-85344-97-8}}
* {{cite book |last=શુક્લ |first=ચન્દ્રવદન |title=તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનીઓ |year=૧૯૬૯ | publisher=વિભૂતી પ્રકાશન |location=મુંબઈ |page=૧૫૦}}


== સંદર્ભો ==
== સંદર્ભો ==

૨૦:૫૪, ૧ મે ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

પ્લેટો
જન્મ420s BC  Edit this on Wikidata
એથેન્સ Edit this on Wikidata
મૃત્યુ340s BC  Edit this on Wikidata
એથેન્સ Edit this on Wikidata
વ્યવસાયતત્વજ્ઞાની, કવિ, લેખક Edit this on Wikidata
માતા-પિતા
  • Ariston of Athens Edit this on Wikidata
  • Perictione Edit this on Wikidata
કુટુંબGlaucon, Antiphon Edit this on Wikidata

એરિસ્ટોટલના ગુરુ તથા પશ્ચિમ જગતમાં ઉચ્ચ અભ્યાસ માટેની પ્રથમ સંસ્થા પ્લેટોનિક એકેડમિના સ્થાપક, પ્લેટો (Greek: Πλάτων, Plátōn, "broad")[૧] (428/427 BC 348/347 BC), તત્ત્વજ્ઞાની, અને ગણિતશાસ્ત્રી પણ હતા. તેઓ મહાન સોક્રેટિસના શીષ્ય હતા.

જીવન

પ્લેટોનો જન્મ એટિકાના દરિયાકિનારે આવેલા એજિના નામના ટાપુમાં ઈ. સ. પૂર્વે ૪૨૭માં ગ્રીસમાં થયો હતો. તેમના પિતાનું નામ એરિસ્ટોન અને માતામું નામ પૅરિક્ટીઓન હતુ, તથા તે બંને એથેન્સવાસી હતા. પ્લેટોને બે મોટાભાઈ અને એક મોટા બહેન હતાં. પ્લેટોની બે-ત્રણ વર્ષની ઉંમરે તેમના પિતા એરિસ્ટોનનું અવસાન થતાં, માતા પૅરિક્ટીઓને પાયરીલેમ્પ્સ નામના રાજપુરુષ સાથે પુરર્લગ્ન કર્યું હતું. પ્લેટોના પૂર્વજોએ એથેન્સના રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. પ્લેટોનું મૂળ નામ તેમના દાદા એરિસ્ટોક્લીઝના નામ પરથી રાખવામાં આવ્યું હતું, પરંતુ પ્લેટો નામ તેમના દેખાવ પરથી પાડવામાં આવ્યું હતું. વિશાળ છાતી, ખભા અને વિશાળ લલાટ હોવાને લીધે પ્લેટો (Plato = વિશાળ) એવા નામે તેમને બોલાવવામાં આવતા હતા. તેથી આ જ હુલામણું નામ આખરે કાયમી બની ગયું.[૨]

તત્ત્વજ્ઞાન

કવિ કાન્ત દ્વારા અનુવાદિત પ્લેટોનું પુસ્તક ફીડ્રસ

પ્લેટોના પુરોગામીઓએ કોઈ પણ એક સમસ્યા વિશે ચિંતન કરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્યારે પ્લેટોએ લગભગ દરેક સમસ્યાને પોતાના ચિંતનમાં આવરી લીધી હતી. પ્રાચિન તત્ત્વચિંતકો પૈકી માયલેશિયન સંપ્રદાયના અનુયાયીઓએ સૃષ્ટિના ભૌતિક તત્ત્વના બંધારણ અંગે ચિંતન કર્યું પરંતુ નીતિશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો અંગે કંઈ જ વિચાર્યુણ્ નહિ. એ જ રીતે એલિયાટિક સંપ્રદાયના અનુયાયીઓએ અંતિમ સત્ તત્ત્વની અપરિવર્તનશીલતા અને એકત્વને સાબિત કરતી દલીલો આપવામાં જ રસ દાખવ્યો. જ્યારે સામે પક્ષે હેરક્લાયટસ અને પાયથાગોરિયન સંપ્રદાયના અનુયાયીઓએ વિવિધતા અને પરિવર્તનને જ અંતિમ સત્ તત્ત્વ ગણ્યું. સોફિસ્ટો અને સોક્રેટિસે ભૌતિક જગત અંગે રસ ન દાખવતાં નૈતિક ચિંતન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ પ્લેટોએ તત્ત્વચિંતનની એક યા બીજી શાખા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ વિવિધ વિચારપ્રવાહોને આવરી લેતી એક સુસંકલિત વિચારધારા રજૂ કરી. આથી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ પર પ્લેટોની અસાધારણ અસર પડી.[૨]

પ્લેટોના તત્ત્વજ્ઞાનને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય: વિચારશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. વિચારશાસ્ત્રમાં જગતના અંતિમ તત્ત્વના સ્વરૂપ સંબંધી ચર્ચા જ્ઞાનમીમાંસાની ર્દષ્ટિએ કરવામાં આવી છે, જ્યારે ભૌતિકશાસ્ત્રમાં ભૌતિક જગતનાં સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. આત્માનું સ્થળમાં સ્થાનાંતર થયું હોવાથી રાજ્યના નાગરિકે પોતાનાં કર્તવ્યો કેવી રીતે બજાવવાં તે સંબંધી નૈતિક પ્રશ્નોની ચર્ચા નીતિશાસ્ત્રમાં કરવામાં આવી છે.[૨]

વધુ વાચન

  • પટેલ, નરસિંહભાઈ બી. (૨૦૧૭). પ્લેટોનું રિપબ્લિક (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય. ISBN 978-93-85344-97-8.
  • શુક્લ, ચન્દ્રવદન (૧૯૬૯). તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનીઓ. મુંબઈ: વિભૂતી પ્રકાશન. પૃષ્ઠ ૧૫૦.

સંદર્ભો

  1. Diogenes Laertius 3.4; p. 21, David Sedley, Plato's Cratylus, Cambridge University Press 2003
  2. ૨.૦ ૨.૧ ૨.૨ પટેલ, નરસિંહભાઈ બી. (૨૦૧૭). પ્લેટોનું રિપબ્લિક (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૨-૧૦. ISBN 978-93-85344-97-8.

બાહ્ય કડીઓ