સી. વી. રામન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
2402:8100:3982:4AC7:A011:7CE0:6178:C4D1 (talk)એ કરેલો ફેરફાર 559972 પાછો વાળ્યો ટેગ: Undo |
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૨૬: | લીટી ૨૬: | ||
[[શ્રેણી:વ્યક્તિત્વ]] |
[[શ્રેણી:વ્યક્તિત્વ]] |
||
[[શ્રેણી:વૈજ્ઞાનિક]] |
[[શ્રેણી:વૈજ્ઞાનિક]] |
||
[[શ્રેણી:નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવો]] |
[[શ્રેણી:નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવો]] ડો.ચંદ્ર શેખર વેંકટ રામન સારા વૈજ્ઞાનિક હતા |
૧૪:૦૪, ૬ ઓગસ્ટ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન
ભારત રત્ન ચંન્દ્રશેખર વેંકટ રામન (તમિલ: சந்திரேசகர ெவங்கடராமன்) (૭ નવેમ્બર ૧૮૮૮ - ૨૧ નવેમ્બર ૧૯૭૦) એક મહાન ભૌતિકવિજ્ઞાની હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા 'રામન અસર' (અંગ્રેજી: Raman Effect) માટે તેમને ૧૯૩૦માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
બાળપણ
સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મળ્યું અને વિદ્યાર્થી આલમમાં તે ખુબ પ્રિય થઇ પડ્યા. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો. પિતાના એ બુદ્ધિધનનો વારસો પુત્રને મળ્યો, અને પુત્રે એને સુંદર રીતે વિકસાવ્યો. ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ.સ. ૧૯૩૦નાM વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો.
રામન પ્રેસિડન્સી કોલેજ, ચેન્નઈ ખાતે ઇ.સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ.સ. ૧૯૦૪નાં વર્ષમાં એમણે સ્નાતકની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ.સ. ૧૯૦૭નાં વર્ષમાં એમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૭૦%થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.
બાહ્ય કડીઓ
- ભૌતિકશાસ્ત્ર વિષયમાં ઈ. સ. ૧૯૩૦ના વર્ષનો નોબેલ પુરસ્કાર નોબલ ફાઉન્ડેશનની વેબસાઇટ પર
- નોબેલ પ્રાઇઝ આંતરજાળ પર સંકલન
- પથ રચયિતા (Path creator) - સી. વી. રામન
- નોબેલ પ્રવચન
- સી. વી. રામનના વૈજ્ઞાનિક સંશોધનપત્રોનું સંકલન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ડો.ચંદ્ર શેખર વેંકટ રામન સારા વૈજ્ઞાનિક હતા