નૃસિંહાવતાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
સુધારો
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૫: લીટી ૧૫:
==સંદર્ભો==
==સંદર્ભો==
{{reflist}}
{{reflist}}

[[શ્રેણી:ગુજરાતી સાહિત્ય]]

૧૮:૨૮, ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

નૃસિંહાવતારમણિલાલ નભુભાઈ દ્વિવેદી કૃત પૌરાણિક નાટક છે. આ નાટક મણિલાલે ૧૮૯૭માં લખ્યું હતું, અને તે મણિલાલના મૃત્યુ પછી ૧૮૯૯માં મુંબઈ ગુજરાતી નાટક કંપની દ્વારા ભજવાયું હતું. નૃસિંહાવતાર ૧૯૫૫માં ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદીત થઈને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું હતું.[૧]


કથાવસ્તુ

સનકાદિના શાપથી વિષ્ણુના દ્વારપાળ જય-વિજય પૃથ્વી ઉપર કશ્યપ ઋષિને ત્યાં અનુક્રમે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ અવતરે છે. વરાહાવતારથી હિરણ્યાક્ષનું મૃત્યુ થયાનું સાંભળતાં નાનો ભાઈ હિરણ્યકશિપુ વિષ્ણુનો વેરી થાય છે. પોતાનું મૃત્યુ કોઈ રીતે ન થાય એવું વરદાન પ્રજાપતિ પાસેથી લેવા તે તપ કરવા જાય છે. દરમિયાન ઇંદ્ર તેની સગર્ભા રાણીને ઉપાડી જાય છે. નારદ રાણીનું અને તેના પુત્ર પ્રહલાદનું રક્ષણ કરે છે ને વરદાન લઈને પાછા આવેલ હિરણ્યકશિપુને તેની રાણી અને પુત્ર સોંપે છે. પ્રહલાદને ઉંમર થતાં ગુરુને ત્યાં ભણવા મોકલવામાં આવે છે. તે વિષ્ણુનો પરમ ભક્ત હોઈ પિતાની આજ્ઞા વિરુદ્ધ પણ નારાયણનું જ રટણ કરે છે. હિરણ્યકશિપુ તેને વિવિધ રીતે મારવા પ્રયત્ન કરે છે, પણ પ્રભુ તેને ઉગારે છે. છેવટે સભા મધ્યે તપેલા લોહસ્તંભને પ્રહલાદને બાઝવાનું કહેતાં નૃસિંહસ્વરૂપે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થઈને હિરણ્યકશિપુનો સંહાર કરે છે.[૧]

સન્નિવેશ

  • અરણ્ય, વિષ્ણુનું મંદિર, કશ્યપનો આશ્રમ, પારિજાતવન, દૈત્યરાજસભા, રણવાસ, રાજભવનનો બહારનો ચોક, ઇંદ્રસભા, અંતરિક્ષ, અરણ્ય
  • દૈત્યરાજસભા, રણવાસ, શુક્રનો આશ્રમ, વિદૂષકનું ઘર, શુક્રનો આશ્રમ, હિરણ્યકશિપુનો ખાનગી ઓરડો, રણવાસ, દીવાનખાનું, રણવાસ, અરણ્ય
  • રાજગૃહ, અરણ્ય, યાંત્રિકનું ઘર, સમુદ્રતટ, રણવાસ, અરણ્ય, સોમદત્તનું ઘર, રણવાસ, રાજદરબાર[૧]

ભજવણી

ઈ. સ. ૧૮૯૯ માં મુંબઈ ગુજરાતી નાટક કંપનીએ સૌપ્રથમ આ નાટક ભજવ્યું હતું. ત્યારબાદ ૧૯૦૬-૦૭ માં એ જ કંપનીના જયશંકર સુંદરી, બાપુભાઈ નાયક વગેરે કુશળ નટો દ્વારા ફરી એની રંગભૂમિ પર રજૂઆત થઈ હતી.[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ઠાકર, ધીરુભાઈ (2008). અભિનેય નાટકો (૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૧.