અંકલેશ્વર

વિકિપીડિયામાંથી
અંકલેશ્વર
શહેર
અંકલેશ્વર is located in ગુજરાત
અંકલેશ્વર
અંકલેશ્વર
અક્ષાંશ-રેખાંશ: 21°37′36″N 72°56′58″E / 21.6267°N 72.9494°E / 21.6267; 72.9494
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોભરૂચ
તાલુકોઅંકલેશ્વર
વસ્તી
 (૨૦૦૧)[૧]
 • કુલ૧૪૦૮૩૯
પિનકોડ
૩૯૩૦૦૧
વાહન નોંધણીGJ-16

અંકલેશ્વર દક્ષિણ ગુજરાત ના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. વળી રાજપીપળા, હાંસોટ, વાલિયા, માંગરોળ, ડેડીયાપાડા, ઝઘડીયા, ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંહીથી અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપળા તેમ જ અંકલેશ્વર-ઝઘડીયા-નેત્રંગ એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે.

ઉદ્યોગો[ફેરફાર કરો]

અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં ૧૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.

આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી, ડાંગર તેમ જ કપાસની થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]