ગોધરા

વિકિપીડિયામાંથી
ગોધરા
—  શહેર  —
ગોધરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°46′34″N 73°37′05″E / 22.776°N 73.618°E / 22.776; 73.618
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ જિલ્લો
વસ્તી ૧,૪૩,૬૪૪[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૫ /
સાક્ષરતા ૮૭.૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૯૦૦૧
    • ફોન કોડ • +૦૨૬૭૨
    વાહન • GJ-૧૭

ગોધરા શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનું તેમ જ ગોધરા તાલુકાનું મુખ્યમથક છે. અમદાવાદથી મધ્ય-પ્રદેશ તરફ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પરનું આ વ્યાવસાયિક કેન્દ્ર છે. ગોધરા વડોદરાથી દિલ્હી જતા રેલ્વે માર્ગ પરનું મહત્વનું સ્ટેશન છે. આ ઉપરાંત વાપીથી શામળાજી જતો રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પણ અહીંથી પસાર થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, ગોદ્દહ, ગોધ્રા અને ગોધરા એવા નામો હતા. ગોધરા મોર્યકાળની સત્તાનો ભાગરુપ નગર હતું. એ વખતના અવશેષોમાં ગોધરાનો ઉલ્લેખ વિજય છાવણી તરીકે કરવામાં આવ્યો હતો. સલ્તનત કાળ દરમિયાન ગોધરા ગાયો ચરવાની ભૂમિ તરીકે જાણીતું હતું. ચાંપાનેરથી ગોધરા ગાયો ચરવા માટે આવતી હતી એવી લોકવાયકાઓ પ્રચલિત હતી. વિક્રમ સંવત ૧૨૭૪માં ગોધરામાં ચાલુક્ય વંશનો કણ્વ નામનો રાજા રાજ્ય કરતો હતો. બ્રિટિશકાળ દરમિયાન ગોધરા પ્રસિદ્ધ વિપ્લવકારી તાત્યા ટોપેની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું. ૨૦મી સદીની શરુઆતમાં ગોધરા સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓથી ધમધમતું થયું હતું.

૧૯૧૭માં ગોધરા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સૌપ્રથમ વખત મહાત્મા ગાંધીને મળ્યા હતા અને તે પછી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા.[૨]

ઇ.સ. ૨૦૦૨માં મુસ્લિમો ના મોટા ટોળાંએ સાબરમતિ એક્સ્પ્રેસ ટ્રેનને આગ ચાંપતા સત્તાવાર રીતે ૫૯ લોકો જીવતા બળી ગયાં હતાં.[૩] આ ઘટનાને પગલે ગુજરાત ભરમાં હિંસા ભડકી ઉઠી હતી જેમાં આશરે ૧,૦૦૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. આ કારણે આજે મિડિયાનાં પ્રતાપે ગોધરાનું નામ દેશ વિદેશમાં જાણીતું થઇ ગયું હતું.[સંદર્ભ આપો]

ભૂગોળ[ફેરફાર કરો]

ગોધરા ૨૨.૭૭૬° N ૭૩.૬૧૮° E.[૪] પર વસેલું છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

બસ સ્ટેન્ડ પાસે આવેલો નેહરુ બાગ
રામસાગર તળાવ, ગોધરા
  • ત્રિમૂર્તિ મંદિર
  • લાલબાગ
  • કનેલાવ તળાવ
  • વાવડી બુઝુર્ગ હનુમાન મંદિર
  • રામસાગર તળાવ
  • ચબૂતરો
  • બગીચો
  • ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (A.P.M.C.)
  • જલારામ મંદિર
  • પોપટપુરા ગણેશ મંદિર
  • ખોડિયાર માતાનું મંદિર
  • પંચામૃત ડેરી
  • આરણ્યક
  • વૃતાલય વિહારમ
  • હમીરપુર કચરા નો ડેપો

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Godhra Population, Caste Data Panchmahal Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ જુલાઇ ૨૦૧૭.
  2. Gandhi, Rajmohan (૧ જાન્યુઆરી ૨૦૧૧). Patel a Life. Navjivan trust. ISBN 8172291388.
  3. Dasgupta, Manas (૬ માર્ચ ૨૦૧૧). "It was not a random attack on S-6 but kar sevaks were targeted, says judge". ધ હિન્દુ. મેળવેલ ૨૭ ઓક્ટોબર ૨૦૧૬.
  4. Falling Rain Genomics, Inc - ગોધરા

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]