ન્યાયશાસ્ત્ર

વિકિપીડિયામાંથી
કાનૂનના ફિલસૂફ પૂછે છે કે "કાનૂન શું છે?" અને "તે કેવો હોવો જોઇએ?"

ન્યાયશાસ્ત્ર કાયદાના સિદ્ધાંત અને તત્વજ્ઞાન છે. ન્યાયશાસ્ત્રના વિદ્વાનો, કે કાયદાના સિદ્ધાંત બનાવનારા (જેમાં કાયદાકીય તત્વજ્ઞાનીઓ અને સામાજિક સિદ્ધાંતકારોનો પણ સમાવેશ થાય છે), કાયદાના લક્ષણો, કાયદાના ઉદ્દેશ્યો, કાયદાની વ્યવસ્થા અને ન્યાયિક સંસ્થાન વિશે ગહન સમજ સંપાદિત કરવાની આશા સેવે છે. આધુનિક ન્યાયશાસ્ત્રની શરુઆત 18મી સદીમાં થઈ હતી અને તે કુદરતી કાયદા, દીવાની કાયદા અને રાષ્ટ્રીય કાયદાઓના પહેલાં સિદ્ધાંતો પર કેંદ્રિત હતું.[૧] સામાન્ય ન્યાયશાસ્ત્રને વિદ્વાનો જે પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માગતા હોય તે અને તે પ્રશ્નોના સુયોગ્ય જવાબ ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો કે વૈચારિક શાળાઓ વડે કેવી રીતે આપી શકાય એમ બે રીતે શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે. કાયદાનું સમકાલીન તત્વ દર્શન, જે સામાન્ય ન્યાયશાસ્ત્રની સાથે સંબંધ ધરાવે છે, પ્રશ્નોને બે અનપેક્ષિત જૂથમાં ઉદ્દેશે છે:[૨]

  • 1.) કાયદા તેમજ ન્યાયિક વ્યવસ્થાની અંદર રહેલી મુશ્કેલીઓ
  • 2.) એક વિશેષ સામાજિક સંસ્થાના કાયદાની અંદર રહેલી મુશ્કેલીઓ કેમ કે તે જેમાં વિદ્યમાન છે તેવી વિસ્તૃત રાજકીય અને સામાજિક પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે.

આ સવાલોના જવાબો સામાન્ય ન્યાયશાસ્ત્રની ચાર પ્રાથમિક વિચાર શાળામાંથી મળી રહે છે:[૨]

  • કુદરતી કાયદો એક એવો વિચાર છે કે જેમાં એમ માનવામાં આવે છે કે ધારા સભાના શાસકોના અધિકાર ને બુદ્ધિગમ્ય વસ્તુનિષ્ઠ સીમાઓ હોય છે. કાયદાના આધારભૂત સિદ્ધાંતો સુધી માનવીય કારણો દ્વારા પહોંચી શકાય છે અને કુદરતના આ જ કાયદાઓ વડે માણસે બનાવેલા કાયદાને બળ મેળવ્યું છે.[૨]
  • કાયદા પર આધારિત પ્રત્યક્ષવાદ , કુદરતી કાયદાથી વિપરીત, એવી માન્યતા ધરાવે છે કે કાયદા અને નૈતિક્તાની વચ્ચે કોઈ જ સંબંધ નથી અને કાયદાનો પ્રભાવ કેટલાંક પાયારૂપી સામાજિક તથ્યમાંથી ઉભો થાય છે, જો કે પ્રત્યક્ષવાદીઓ આ તથ્યો ક્યા છે તે વિશે મતાંતર ધરાવે છે.[૩]
  • કાયદા પર આધારિત યથાર્થવાદ ન્યાયશાસ્ત્રનો ત્રીજો સિદ્ધાંત છે જે એવી દલીલ કરે છે કે કાયદાનો ખરો વૈશ્વિક અભ્યાસ એ છે જે એમ નક્કી કરે છે કે કાયદો એટલે શું; કાયદાની પાસે જે તાકાત છે એ ધારાશસ્ત્રીઓ, ન્યાયાધીશો અને કાર્યકારીઓ તેની સાથે જે રીતે વર્તે છે એટલા માટે છે. આ પ્રકારના અભિગમ કાયદાના સમાજ શાસ્ત્રમાં ઘણી બધી અલગ-અલગ પ્રકારે વિકસિત થયા છે.
  • કાયદાનો નિર્ણાયક અભ્યાસ ન્યાયશાસ્ત્રનો નવીન સિદ્ધાંત છે જે 1970ના દાયકામાં વ્યવહારમાં આવ્યો છે જે પ્રાથમિક રીતે જોતાં નકારાત્મક પ્રબંધનું વલણ ધરાવે છે કે કાયદો મોટે ભાગે વિરોધાભાસી હોય છે અને તેનું ખરું વિશ્લેષણ વર્ચસ્વ ધરાવતાં સામાજિક જૂથના નીતિ વિષયક લક્ષ્યોની અભિવ્યક્તિ વખતે થાય છે.[૪]

સમકાલીન કાયદાના ફિલસૂફ રૉનાલ્ડ ડ્વૉર્કિનના કાર્યની પણ નોંધ લેવી જોઇએ જેમણે ન્યાયશાસ્ત્રના રચનાત્મક સિદ્ધાંતની જે હિમાયત કરી છે તેને કુદરતી કાયદાના સિદ્ધાંત અને સામાન્ય ન્યાયશાસ્ત્રના હકારાત્મક સિદ્ધાંતની વચ્ચેના મધ્યમ માર્ગ તરીકે વર્ણવી શકાય છે.[૫]

અંગ્રેજી શબ્દ જ્યુરિસપ્રુડેન્સ (ન્યાયશાસ્ત્ર) લેટિન શબ્દ જ્યુરિસપ્રુડેંશિઆ પર આધારિત છે: જ્યુરીસ શબ્દ જૂસ નો સંબંધવાચક શબ્દ છે જેનો અર્થ “કાયદો” થાય છે અને પ્રુડેંશિઆ એટલે “જ્ઞાન” થાય છે. આ શબ્દને અંગ્રેજીમાં સૌ પ્રથમ માન્યતા 1628માં મળી[૬], એ સમય કે જ્યારે પ્રુડેંસ શબ્દનો કાલગ્રસ્ત અર્થ “નું જ્ઞાન કે ની બાબતમાં કૌશલ્ય” થતો હતો. આ શબ્દ કદાચ ફ્રેંચ શબ્દ જ્યુરિસપ્રુડેન્સ થકી આવ્યો હોય તેમ પણ બને, જે આ પૂર્વે માન્યતા પ્રાપ્ત હતો.

ન્યાયશાસ્ત્રનો ઇતિહાસ[ફેરફાર કરો]

ઓલ્ડ બેઇલી ખાતે સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ

ઉત્પત્તિ સમયે તેની નૈતિક શિક્ષા-પ્રણાલી (પેરિટી ) જસ ઓફ મોસ મૈઓરમ (પરંપરાગત ન્યાય)ની હોવા છતાં ન્યાયશાસ્ત્રનો આ અર્થ પ્રાચીન રોમમાં પણ વિદ્યમાન હતો, અને કાયદા તેમજ રિવાજોના લક્ષણો મૌખિક ન્યાયની રીતે “પિતા દ્વારા પુત્રને” પ્રેષિત કરવામાં આવતાં હતાં. પ્રાએટર્સ - પ્રાચીન રોમમાં મેજીસ્ટ્રેટનો હોદ્દો ધરાવનાર – દ્વારા એવો અભિપ્રાય આપીને કે એડીક્ટા દ્વારા એકલ મુકદ્દમાઓ ચાલુ રાખી શકાય તેમ છે કે નહીં, કાયદાની એક કારગર સંરચના કરવામાં આવી હતી, જ્યાં ચાલુ રાખી શકાય તેવાં ગુનાઓનું વાર્ષિક ઉચ્ચારણ હાથ ધરવામાં આવતું અથવા અસામાન્ય સંજોગોમાં એડીક્ટામાં સુધારાઓ કરવામાં આવતાં. ત્યારબાદ એક યુડેક્ષ્ દ્વારા કેસની સચ્ચાઇઓને અનુરૂપ ઉપાય દર્શાવવામાં આવતાં.

તેમનાં વાક્યો પરંપરાગત રિવાજોની સરળ સમજૂતી આપી શકે તેમ હોવા જરૂરી હતું, પરંતુ પ્રત્યક્ષ રીતે તે એક એવી પ્રવૃત્તિ હતી કે જે, વિધિસર રીતે દરેક કેસ માટે ફેર-વિચાર કરીને ચોક્કસપણે તેમજ પરંપરાગત રીતે કાયદાકીય મહાવરામાં રહીને, ઝડપથી વધુ ન્યાય પૂર્ણ રીતે અર્થઘટન કરીને, સુસંગત રીતે કાયદાને અનુકૂળ રહીને નવા સામાજીક ઉદાહરણ સુધી લઇ જતી હતી. ત્યારબાદ કાયદાને નવી સરખામણીની સંસ્થાઓ (કાયદાકિય વિભાવના) સાથે અમલ કરવામાં આવ્યો, જ્યારે બાકીની સંસ્થાઓ પરંપરાગત યોજના હેઠળ હતી. ઈ.પૂ.ની ત્રીજી સદીમાં પ્રાએટર્સ ને ડાહ્યા માણસોની બનેલી સભા દ્વારા બદલી કાઢવામાં આવતાં હતાં. આ સમુદાયમાં પ્રવેશ યોગ્યતાના પ્રમાણ દ્વારા અથવા અનુભવના આધારે શરતી મેળવી શકાતો હતો.

પ્રાચીન ભારતીય વૈદિક સમાજમાં, કાયદા કે ધર્મનું, જે રીતે “મનુ સ્મૃતિ” – એક કાવ્યસંગ્રહ કે જેમાં પાપની વ્યાખ્યા અને તેના ઉપાય દર્શાવવામાં આવ્યાં હતાં – નો ઉપયોગ કરીને હિન્દુઓ દ્વારા અર્થઘટન કરવામાં આવ્યું અને તેને અનુકરણ કરવામાં આવ્યું.એવું કહેવાય છે કે તે ગ્રંથ 200 BC – 200 AD દરમ્યાન લખવામાં આવ્યાં હતાં. હકીકતમાં, આ બધાં કાયદાની વીધી-સંહિતા નહોતી પણ તે યુગની સમાજિક જવાબદારીઓ તેમજ આચારપધ્ધતિની જરૂરિયાતો માટેના નિયમો હતાં.

રોમન સમ્રાજ્ય અંતર્ગત, કાયદાની શાળાઓ બનાવવામાં આવી હતી, તેમજ પ્રવૃત્તિઓ સતત વધુ વિદ્વત્તાવાળી રહેવા લાગી. રોમન સામ્રાજ્યની શરૂઆતથી લઈને 3જી સદી સુધી, નોંધપાત્ર જૂથો જેવાં કે પોર્ક્યુલિઅંસ તથા સેબિનીયન્સ દ્વારા સુસંગત સાહિત્ય તૈયાર કરવામાં આવતું. તે વિદ્યામાં વૈજ્ઞાનિક ઉંડાણની માત્રા તે પ્રાચીન કાળમાં અપૂર્વ હતી અને તે કુશળતાના શિખર પર ત્યાં સુધી પહોંચી જ્યાં સુધી તેના કૌશલ્યનું કોઈ પ્રતિસ્પર્ધી ન હોય.

3જી સદી બાદ, કાયદાકિય દૂરદર્શિતા , નોંધપાત્ર લેખકો સાથે વધુ નોકરશાહી અંગભૂત પ્રવૃત્તિ બની. બાયઝેનટાઇન સામ્રાજ્ય (5મી સદી) દરમ્યાન કાયદાકીય વિદ્યાભ્યાસને ફરીથી ઉંડાણપૂર્વક જોવામાં આવ્યો, અને આ સાંસ્કૃતિક ચળવળ દ્વારા જસ્ટીનીયનનાં કોર્પસ જ્યુરીસ સિવિલીસનો જન્મ થયો.

કુદરતી કાયદા[ફેરફાર કરો]

કુદરતી કાયદાના સિધ્ધાંત મક્કમતાથી જણાવે છે કે એવા પણ કાયદાઓ છે જે લાક્ષણિક રીતે વિશ્વવ્યાપી હોય છે, જેની સાથે ધારાસભાએ બનાવેલા કાયદાઓએ શક્ય હોય ત્યાં સુધી સુમેળ સાધવો જોઈએ. આ વિચારને વખતોવખત અનુભવમાંથી તારવેલાં સિધ્ધાંતના આધારે અન્યાયી કાયદો એ સાચો કાયદો નથી , લેક્ષ ઇનીઉસ્ટા નોન ઇસ્ટ લેક્ષ , જેમાં ‘અન્યાયી’ ને સામાન્ય કાયદાથી વિરૂધ્ધનું એમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. સામાન્ય કાયદાને ઘનિષ્ઠ રીતે નૈતિક્તા સાથે અને, ઐતિહાસિક રીતે પ્રભાવશાળી વૃત્તાંત હોય તે રીતે, ઈશ્વરના મનસૂબા સાથે જોડી દેવામાં આવ્યો છે. તેની વિભાવનાઓને વધુ સરળ બનાવી શકાય તે માટે, સામાન્ય કાયદાનો સિદ્ધાંત નૈતિક મર્યાદાને રાજ્યના કાયદા બનાવવાના અધિકાર તેમજ ‘સારી બાબતો’ ને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શક તરીકે ઓળખ આપવાનો પ્રયાસ કરે છે. એક વસ્તુનિષ્ઠ નીતિમત્તાપૂર્ણ સમાજની કલ્પના, જે માનવીય કાયદાની વ્યવસ્થાથી પર હોય, કુદરતી કાયદા પર આધારિત હોય છે. શું સાચું છે અને શું ખોટું છે તે કોઈ વ્યકતિ વિશેષના રસ અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. કુદરતી કાયદાને ક્યારેક એ જીવનસૂત્ર સાથે સરખાવવામાં આવે છે કે “અન્યાયી કાયદો એ કોઈ પણ રીતે કાયદો નથી”, પરંતુ જે પ્રમાણે જહોન ફિન્નિસ - આધુનિક કુદરતી કાયદાના સૌથી મહત્વપૂર્ણ ધારાશાસ્ત્રી, દલીલ કરે છે, આ જીવન સૂત્ર પરંપરાગત થોમિસ્ટ પદ માટે બહુ ખરાબ રીતે માર્ગદર્શન કરે છે.

એરિસ્ટોટલ[ફેરફાર કરો]

એરિસ્ટોટલ, તસવીર ફ્રાન્સિસ્કો હેઝ દ્વારા

એરિસ્ટોટલને અનેક વાર કુદરતી કાયદાના પિતા કહેવામાં આવે છે.[૭] તેમના તત્વદર્શી પૂર્વજો, સોક્રેટીસ અને પ્લેટોની જેમ,એરિસ્ટોટલે પણ કુદરતી ન્યાય કે કુદરતી અધિકારના અસ્તિત્વને સ્થાન આપ્યું (ડિકાઇઓન, ફિઝીકોન , δικαίον φυσικόν , લેટિન ઈયસ નેચુરાલ ). કુદરતી કાયદા સાથે તેમનું જોડાણ મોટે ભાગે તો થોમસ એક્વિનસ દ્વારા તેમને આપવામાં આવેલા અર્થઘટનના કારણે છે.[૮] આ એક્વિનસનાં કુદરતી કાયદા અને કુદરતી અધિકારના સંકલિત પાઠ પર આધારિત હતું, જે અંગેના પત્રને એરિસ્ટોટલે નિકોમેશિઅન એથિક્સ નામની બુક V (= યુડેમિઅન એથિક્સ ની બુક IV )માં સ્થાન આપ્યું છે. એક્વિનસનો પ્રભાવ એટલો હતો કે આ અવતરણના સંખ્યાબંધ જુના ભાષાંતરોને અસર થઈ હતી.[૯] જો કે હાલના ઘણાં ભાષાંતરો તેનું શબ્દશઃ: વર્ણન કરે છે.[૧૦]

એરિસ્ટોટલનો ન્યાયનો સિદ્ધાંત તેનાં સ્વર્ણિમ ઈરાદાના વિચારોની મર્યાદામાં બંધાયેલો હતો. અલબત્ત તે જેને “રાજકીય ન્યાય” તરીકે ઓળખાવતો હતો તે તેની “ન્યાયી” ની ચર્ચાઓમાંથી નૈતિક સદગુણ તરીકે ઉત્પન્ન થતું હતું જે બે અતિરેક વચ્ચેના સાધન તરીકે વ્યુત્પાદિત થયું હતું, જે રીતે તે દરેક બીજા સદગુણોના લક્ષણો વર્ણવતો હતો.[૧૧] તેના ન્યાયના સિદ્ધાંતની સૌથી લાંબી ચર્ચા નિકોમેશિઅન એથિક્સ માં જોવા મળે છે અને તેની શરૂઆત એ સવાલથી કરવામાં આવી છે કે ન્યાયી કર્મ એ ક્યા પ્રકારનો માર્ગ છે. તે એવી દલીલ કરે છે કે “ન્યાય” શબ્દ ખરેખર તો બે ભિન્ન પરંતુ સંબંધિત વિચારોનો સંદર્ભ આપે છે: સામાન્ય ન્યાય અને ચોકસાઈવાળો ન્યાય.[૧૨][૧૩] જ્યારે એક વ્યક્તિની ક્રિયાઓ અન્ય લોકોની સાથે સંબંધ ધરાવતી વખતે બધી જ બાબતોમાં સંપૂર્ણત: સદાચારી હોય, એરિસ્ટોટલ તેને “સામાન્ય ન્યાય” ના અર્થમાં “ન્યાય” કહે છે, એ રીતે ન્યાયનો આ વિચાર ઓછાં વત્તા અંશે સદાચારની સાથે વિસ્તીર્ણ રૂપે સમાન અર્થ ધરાવે છે.[૧૪] “ચોક્સાઈવાળો” કે “આંશિક ન્યાય” , તુલનાત્મક રીતે ભેદ કરીએ તો, “સામાન્ય ન્યાય” નો એક ભાગ છે કે એક વ્યક્તિગત ગુણ છે જે અન્ય લોકોની સાથે પણ સમાનતાથી વર્તન કરવા પર ભાર આપે છે.[૧૫] એરિસ્ટોટલ ન્યાયની આ અયોગ્યતાપૂર્ણ ચર્ચાથી રાજકીય ન્યાયના યોગ્ય અવલોકન તરફ લઈ જાય છે, જેનાથી તે એવું કઈંક સમજાવવાની કોશિશ કરે છે જે આધુનિક ન્યાયશાસ્ત્રના વિષયની નજીક છે. રાજકીય ન્યાય માટે, એરિસ્ટોટલ દલીલ કરે છે કે તે અંશત: કુદરતી રીતે ઉત્પન્ન થયું છે અને અંશત: સર્વ સામાન્ય સંમતિની બાબત છે.[૧૬] આ કથન આધુનિક કુદરતી ન્યાયના સિદ્ધાંતકારો દ્વારા રજૂ કરવામાં વિચારોની લગોલગ હોઈને જાહેર નિવેદન તરીકે સ્વીકારી શકાય. પરંતુ તેને એટલે પણ યાદ રાખવું જોઇએ કેમ કે એરિસ્ટોટલે તેમાં નૈતિકતાના વિચારોનું વર્ણન કર્યું છે, ન્યાયની વ્યવસ્થાની ચર્ચા નથી કરી, અને એટલે અહીં કુદરત વિશેની તેમની નોંધને નૈતિકતાના મૂળભૂત તત્વોના સ્વીકાર તરીકે લેવી જોઈએ જેને કાયદા તરીકે ઠેરવવામાં આવ્યું છે નહીં કે કાયદાઓને. અહીં જે માર્ગ બતાવવામાં આવ્યો છે તે પ્રશ્ન જેટલો જ નિસ્તબ્ધ છે.

એરિસ્ટોટલના એ વિચાર કે કુદરતી કાયદાનું નિરૂપણ અપ્રામાણિક પ્રવચન – રેટરિક માંથી થયું હતું, તેનું સૌથી મોટું પ્રમાણ એરિસ્ટોટલની એ નોંધ છે જેમાં તે લખે છે કે, દરેક માણસે પોતાના માટે બનાવી કાઢેલા “ ચોક્સાઈવાળા” કાયદાઓથી અલગ એક “ સામાન્ય” કાયદો છે જે કુદરતી રીતે અનુકૂળ છે.[૧૭] આ ટિપ્પણીનો પૂર્વાપર, જો કે, એટલું જ સૂચન કરે છે કે એરિસ્ટોટલ એવી સલાહ આપે છે કે અતિશ્યોક્તિપૂર્ણ રીતે આવા કાયદાની સામે અપીલ કરવી ફાયદાકારક હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે કોઈના પોતાનાં શહેરનાં “ચોક્સાઈવાળા” કાયદા જે મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હોય તેનાં કરતાં વિરુદ્ધ હોય, એવું નથી કે ત્યાં એવા કોઈ કાયદા હોય.[૧૮] એરિસ્ટોટલ, વધુમાં આ ફકરામાં ખોટા દર્શાવવામાં આવેલા કુદરતી કાયદા, કે જેને સાર્વત્રિક માન્ય ગણવામાં આવ્યાં છે તેના માટે ત્રણમાંથી બે ઉમેદવાર સાથે ગંભીરતાપૂર્વક ચર્ચાવિચારણા કરે છે.[૧૯] એરિસ્ટોટલ દ્વારા કુદરતી કાયદાની પરંપરા માટે કરવામાં આવેલ સૈદ્ધાંતિક કર્તૃત્વ તેથી વિવાદાસ્પદ ઠરે છે.[સંદર્ભ આપો]

ઇસ્લામમાં શરિયા અને ફિકહ[ફેરફાર કરો]

કુરાનિક હસ્તપ્રતમાં સૌ પ્રથમ સુરા તસવીર હતાત એઝિઝ એફેન્ડી દ્વારા.

શરિયા (شَرِيعَةٌ ) એટલે ઇસ્લામી કાયદાનું સ્વરૂપ. આ શબ્દનો અર્થ “માર્ગ” અથવા “રીત” થાય છે; ન્યાયશાસ્ત્રના ઇસ્લામી સિદ્ધાંતો પર આધારિત કાયદેસર વ્યવસ્થામાં જીવતા લોકોના જાહેર તેમજ મોટાં ભાગના ખાનગી જીવનના પાસાંને નિયંત્રિત કરતું કાયદાને લગતું એક માળખું છે. ફિકહ ઇસ્લામી ન્યાયશાસ્ત્ર માટે વાપરવામાં આવતો શબ્દ છે, જે ઇસ્લામી કાયદાશાસ્ત્રીઓના અધિકૃત ઠરાવથી બનાવવામાં આવ્યો છે. ઇસ્લામી અભ્યાસના એક ઘટક તરીકે, ફિકહ એવી કાર્યપદ્ધતિની સવિસ્તર રજૂઆત કરે છે જેના દ્વારા ઇસ્લામી કાયદાઓ પ્રાથમિક તેમજ સહાયક સ્ત્રોતમાંથી વ્યુત્પન્ન થાય છે.

ઇસ્લામની મુખ્યધારા ફિકહ ના લક્ષણો કહે છે, અર્થાત વિદ્વાનો દ્વારા શરીયા માંથી નક્કી કરવામાં આવેલા હસ્તક્ષેપો અને વિગતોની સમજૂતી, જે ફિકહની અંદર રહેલા સિદ્ધાંતોનો સંદર્ભ આપે છે. વિદ્વાનો એવી આશા વ્યક્ત કરે છે કે ફિકહ અને શરિયા કોઈ પણ સંજોગોમાં સુમેળતાથી રહેશે, પણ ખાતરીપૂર્વક આમ કહી શકાય નહીં.

ઇસ્લામી ફિલસૂફમાં તર્કના પ્રાથમિક સ્વરૂપોને કિયાસ પ્રક્રિયાની સાથે 7મી સદીથી ઇસ્લામિક ન્યાયશાસ્ત્રમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઇસ્લામના સ્વર્ણિમ કાળ દરમ્યાન, ઇસ્લામી ફિલસૂફો અને ન્યાયશાસ્ત્રીઓ વચ્ચે તાર્કિક વાદ-વિવાદ થતાં કે કિયાસ શબ્દનો સંદર્ભ તુલનાત્મક વિચારશક્તિ, પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત વિચારશક્તિ, કે નિરપવાદ સાધ્ય પ્રમાણની સાથે કરવામાં આવે છે કેમ. કેટલાંક ઇસ્લામી વિદ્વાનોની દલીલ છે કે કિયાસ વિચારશક્તિ સાથે સંદર્ભ ધરાવે છે, જેના માટે ઈબ્ન હઝ્મ (994-1064) અસંમતિ દર્શાવે છે, અને દલીલ આપતાં જણાવે છે કે કિયાસ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત વિચારશક્તિ સાથે સંદર્ભ ધરાવતો નથી, પરંતુ સાચાં અર્થમાં નિરપવાદ સાધ્ય પ્રમાણની સાથે અને તુલનાત્મક વિચારશક્તિ પર રૂપક સહજવૃત્તિ પ્રમાણે સંદર્ભ ધરાવે છે. બીજી તરફ, અલ-ગઝાલી (1058-1111) (અને આધુનિક સમયમાં અબુ મોહમ્મદ આસેમ અલ-મકદિસી) દલીલ કરે છે કે કિયાસ નો સંદર્ભ સાચા અર્થમાં તુલનાત્મક વિચારશક્તિ સાથે અને રૂપક સહજવૃત્તિ અંતર્ગત નિરપવાદ સાધ્ય પ્રમાણની સાથે છે. અન્ય ઇસ્લામી વિદ્વાનો સમયાંતરે, દલીલ કરતાં જણાવે છે કે કિયાસ બન્ને રીતે સાચા અર્થમાં તુલનાત્મક વિચારશક્તિ અને નિરપવાદ સાધ્ય પ્રમાણની સાથે સંદર્ભ ધરાવે છે.[૨૦]

થોમસ એક્વિનસ[ફેરફાર કરો]

થોમસ એક્વિનસ સૌથી મહત્ત્વના પશ્ચિમી મધ્યયુગીન કાનૂની વિદ્વાન હતા.

સંત થોમસ એક્વિનસ [થોમસ ઑફ એક્વિન, કે એક્વિનો] ( આશરે 1225 – 7 માર્ચ 1274) પાંડિત્યપૂર્ણ પરંપરાના એક ફિલસૂફ અને શાળા કે શિક્ષણ – સંબંધી જાણકારીમાં શ્રદ્ધા અને આસ્થાનું તંત્રમાં માનનારા હતાં, જે “ડૉક્ટર એંજેલિકસ, ડૉક્ટર યુનિવર્સલિસ” ના નામથી જાણીતા હતાં. તેઓ કુદરતી ધર્મશાસ્ત્રની પરંપરાના સૌપ્રથમ પ્રસ્તાવકર્તા હતાં અને “થોમિસ્ટીક સ્કૂલ ઑફ ફિલોસોફી”ના જનક હતાં, જે ઘણાં લાંબા વખત સુધી રોમન કેથૉલિક ચર્ચના પ્રાથમિક ફિલ્સૂફીભર્યા અભિગમની દ્યોતક હતી. જે કાર્ય માટે તેઓ સૌથી વધુ જાણીતા બન્યાં તે સુમ્મા થિયોલોજિકા છે. તેંત્રીસ ડૉક્ટર્સ ઓફ ચર્ચ એક, તેઓને ઘણાં કેથૉલિક્સ દ્વારા ગંભીરતાપૂર્વક ચર્ચના મહાનતમ ધર્મશાસ્ત્રી ગણવામાં આવતા હતા. તેથી અભ્યાસની ઘણી શિક્ષણ સંસ્થાઓને તેમનું નામ આપવામાં આવ્યું.

એક્વિનસ કાયદાના ચાર ભિન્ન પ્રકારો વર્ણવ્યા છે. તેમાં સનાતન, સ્વાભાવિક, માનવીય, અને ધર્મશાસ્ત્રજ્ઞ કાયદાઓનો સમાવેશ થાય છે. સનાતન કાયદા ભગવાનનું હુકમનામું છે જે અખિલ સૃષ્ટિ પર સત્તા ચલાવે છે. સ્વાભાવિક કાયદો સનાતન કાયદામાં માનવીય “સહભાગિતા” છે અને તે પ્રયોજન દ્વારા શોધવામાં આવ્યા છે.[૨૧] સ્વાભાવિક કાયદા, નિશ્ચિંતપણે જ “પ્રથમ સિદ્ધાંત” પર આધારિત હોય છે.:

...... કાયદાની આ પ્રથમ ગ્રાહ્યતા છે, કે સારૂં કરવું જોઈએ તેમજ તેને પ્રોત્સાહન આપવું જોઇએ, અને ખરાબને ટાળવું જોઇએ. સ્વાભાવિક કાયદાને અન્ય બધી જ ગ્રાહ્યતાઓ આના પર જ આધારિત છે......[૨૨]

જીવવાની ઈચ્છા અને પ્રજોત્પાદન કરવાની બાબતોને એક્વિનસએ એવાં પાયાના(કુદરતી) માનવીય મૂલ્યો ગણાવ્યાં હતા જેના પર બધાં જ માનવીય મૂલ્યો આધારિત છે. માનવીય કાયદો હકારાત્મક કાયદો છે: સ્વાભાવિક કાયદાને સરકારો દ્વારા સમાજો પર લાગુ કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રજ્ઞ કાયદો એ કાયદો છે જે વિશેષત: પવિત્ર ધર્મ ગ્રંથો અને ધર્મ પ્રચારકો દ્વારા આપવામાં આવતાં શિક્ષણમાં પ્રગટ થાય છે.

થોમસ હોબ્સ[ફેરફાર કરો]

હોબ્સ ઇંગ્લિશન એનલાઇટનમેન્ટના વિદ્વાન હતા

તેમના વિષય નિરૂપણ ગ્રંથ લેવિએથન, (1651) માં હોબ્સએ સ્વાભાવિક કાયદા અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતાં તેને ગ્રાહ્ય, કે સામાન્ય નિયમ ગણાવ્યા છે, જેની શોધ કારણ લઈને થઈ છે, જેના દ્વારા માણસ એ બધું કરવાં માટે વર્જિત છે જે એના જીવનને તહસ-નહસ કરી શકે છે, કે પછી તેની રક્ષા માટેના રસ્તાઓ લઈ શકે છે; અને જ્યાં તે એમ વિચારે કે તેનું જતન કરવું વધારે યોગ્ય છે તેને છોડી દઈ શકે છે. હોબ્સ એક સામાજીક કરારકર્તા હતાં [૨૩]અને એવી માન્યતા ધરાવતા હતા કે કાયદો લોકોની ગર્ભિત અનુમતિ મેળવી લે છે. તેઓ એમ પણ માનતા હતા કે સમાજની રચના સ્વાભાવિક સંજોગોમાં માણસજાત વચ્ચે યુદ્ધની પરિસ્થિતિથી રક્ષા કરવા માટે કરવામાં આવી હતી નહિંતર તે ભિન્ન પરિસ્થિતિમાં જીવન નભાવતાં હોત. ક્રમબદ્ધ સમાજ વિના, જીવન, ”એકલવાયું, દયાપાત્ર, અપ્રિય, વિચારશક્તિ વિનાનું અને ટુંકુ બની ગયું હોત.” સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે માનવીય સ્વભાવ અંગે હોબ્સના હાર્દ વિચારો પર તેના સમયનો પ્રભાવ હતો. ઈંગ્લેંડના ગૃહ યુદ્ધ અને ક્રોમવિલિયન સરમુખત્યારશાહીએ સ્થાન લઈ લીધું હતું, અને તેને એમ લાગતું હતું કે સંપૂર્ણ સત્તા તાજમાં પ્રસ્થાપિત થઈ જશે, જેના લોકો કાયદાનું પાલન કરતા હતાં, અને એ સંસ્કારી સમાજનો આધાર હતો.

લૉન ફ્યુલર[ફેરફાર કરો]

બીજા વિશ્વ યુદ્ધ પછી લખનાર, લૉન એલ. ફ્યુલર નોંધપાત્ર રીતે ભાર મૂકીને કહે છે કે કાયદાએ કેટલીક પાયાની જરૂરિયાતો પૂરી પાડવી જોઇએ (જેમ કે નિસ્પક્ષપાતી અને લોકો જાણી શકે તેમ હોવું જોઇએ). તેઓ એટલી મક્કમ રીતે આ વાતને માનતા હતાં કે જ્યારે સામાજિક નિયંત્રણ ધરાવતી સંસ્થાગત વ્યવસ્થા જ્યારે જરૂરિયાતો પૂરી પાડવામાં નિષ્ફળ નિવડી ત્યારે, ફ્યુલરે દલીલ કરી હતી કે, આપણે તેને કાયદાની વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં ઉણા ઉતર્યાં છીએ, કે તેની તરફ આપણે સમ્માન આપવાનું ચુક્યા છીએ. એટલે, કાયદામાં આંતરિક નૈતિકતા રહેલી છે જે સામાજિક નિયમોથી પર જાય છે અને તેનાં આધારે પ્રમાણભૂત કાયદા બનાવવામાં આવે છે. ફ્યુલર અને વિદ્વાન એચ.એલ.એ.હાર્ટ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલય ખાતે સહકાર્યકર હતાં. ફ્યુલર, એક સ્વાભાવિક કાયદાશાસ્ત્રી, અને હાર્ટ, એક પ્રત્યક્ષવાદી, વચ્ચેની અસહમતીઓમાંની એક એ હતી કે શું નાઝી કાયદાઓ એટલા બધાં ખરાબ છે કે તેને કાયદા તરીકે ગણતરીમાં લેવાતાં નથી.

જહોન ફિન્નીસ[ફેરફાર કરો]

વ્યવહારદક્ષ પ્રત્યક્ષવાદી અને સ્વાભાવિક કાયદાના સિદ્ધાંત ક્યારેક એકબીજાની સાથે ઉપરનું વિવરણ જે સૂચવે છે તેનાં કરતાં વધારે સામ્ય ધરાવે છે, અને તેઓ “સામા પક્ષ” ના કેટલાંક મુદ્દાને માન્ય કરાર કરી શકે છે. કોઈ ખાસ સિદ્ધાંતવાદીને પ્રત્યક્ષવાદી તરીકે કે સ્વાભાવિક કાયદાના સિદ્ધાંતવાદી તરીકે ઓળખવા માટે ક્યારેક વસ્તુઓને પ્રાધાન્ય આપવાની અને ઉપાધિની, અને સિદ્ધાંતવાદીના કાર્ય પર વિશેષ પ્રભાવ પાડવાની જરૂર પડે છે. ખાસ કરીને, જુનાં સ્વાભાવિક ન્યાયશાસ્ત્રીઓ, જેમ કે એક્વિનસ અને જહોન લૉકે જેવાએ વિશ્લેષણાત્મક અને આદર્શમૂલક ન્યાયશાસ્ત્રની વચ્ચે કોઈ તફાવત કર્યો નથી. પરંતુ આધુનિક ન્યાયશાસ્ત્રીઓ, જેમ કે જહોન ફિન્નિસ, જેને પ્રત્યક્ષવાદી માનવામાં આવે છે, હજી પણ એવી દલીલ કરે છે કે કાયદો મૂળભૂત રીતે નૈતિક બાબત છે.

વિશ્લેષણાત્મક ન્યાયશાસ્ત્ર[ફેરફાર કરો]

હ્યુમે પ્રખ્યાત ઇઝ-ઓટ ભેદ કર્યો હતો

વિશ્લેષણાત્મક, અથવા 'ખુલાસાત્મક' ન્યાયશાસ્ત્ર કાયદા પ્રણાલીના પાસાઓનો ઉલ્લેખ કરે છે ત્યારે તટસ્થ દ્રષ્ટિકોણનો ઉપયોગ કરે છે. તે ફિલસૂફી પ્રગતી હતી જેણે સ્વાભાવિક કાનૂનના કાનૂન શું છે અને તે શું હોવો જોઇએના મિશ્રણને નકારતી હતી.[૨૪] ડેવિડ હ્યુમએ એ ટ્રીટાઇઝ ઓફ હ્યુમન નેચર [૨૫]માં દલીલ કરી હતી કે લોકો તે વર્ણન કરવામાં દ્વીધા અનુભવે છે કે વિશ્વએ કહેવાનો ચોક્કસ રસ્તો છે માટે આપણે ચોક્કસ પ્રવૃત્તિ પર નિર્ણય લેવો જોઇએ. પરંતુ શુદ્ધ તર્કની બાબત તરીકે, આપણે એમ ના ઠેરવવું જોઇએ કે આપણે માત્ર એટલા માટે કઇંક કરવું જોઇએ કારણકે કશુંક કિસ્સો છે . માટે જે વિશ્વ છે તેના વિશ્લેષણ અને ખુલાસાને નોર્મેટિવ અને મૂલ્યાત્મક ઓટ પ્રશ્નોથી એકદમ અલગ પ્રશ્ન ગણવા જોઇએ.

વિશ્લેષણાત્મક ન્યાયશાસ્ત્રના મુખ્ય પ્રશ્નો છેe: "કાયદા શું છે?"; "નિશ્ચિત કાયદો શું છે?"; "કાયદો અને સત્તા/સમાજશાસ્ત્ર વચ્ચે શું સંબંધ છે?"; અને, "કાયદો અને નૈતિકતા વચ્ચે શું સંબંધ છે?" કાનૂની પ્રત્યક્ષવાદ એક અગ્રણી સિદ્ધાંત છે, તેની ટીકા થઇ રહી છે, ટીકાકારો તેમના પોતાના અર્થઘટન આપી રહ્યાં છે.

કાનૂની હકારાત્મકવાદ[ફેરફાર કરો]

હકારાત્મકવાદનો અર્થ છે કાયદો એક એવી વસ્તુ છે જે "હકારાત્મક" છે. કાયદા સમાજમાં સ્વીકૃત નિયમોને આધિન બનાવવામાં આવે છે. કાયદાના હકારાત્મક મંતવ્યમાં મુખ્યત્વે બે વ્યાપક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. પ્રથમ સિદ્ધાંતમાં કાયદો ન્યાય, નૈતિકતા અથવા અન્ય કોઇ પણ નોર્મેટિવ અંતનો અમલ કરાવવાની વાત કરે છે પરંતુ આમ કરવાથી મળતી સફળતા કે નિષ્ફળતા તેની માન્યતા નક્કી કરતા નથી. સંબંધિત સમાજ દ્વારા સ્વીકૃત નિયમોને અનુરૂપ યોગ્ય કાયદો ઘડાય તો તે માન્ય કાયદો છે. તેમાં અન્ય ધારાધરણોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. બીજા સિદ્ધાંત મુજબ કાયદોએ સમાજમાં વ્યવસ્થા અને શાસન પુરા પાડવા માટેના નિયમોથી વિશેષ કશું જ નથી. જો કે કોઇ કાનૂની હકારાત્મકવાદી દલીલ કરતો નથી કે તે તેનું પાલન કરે છે માટે તેનું કોઇ પણ ભોગે પાલન થવું જોઇએ. તેને એક અલગ પ્રશ્ન તરીકે જોવામાં આવે છે.

  • કાયદો શું છે તે સામાજિક હકીકતો (અથવા "સ્ત્રોત")ને આધારે નક્કી થાય છે.
  • કાયદાનું પાલન શું છે તે એક જવાબદારી છે તે નૈતિકતાને આધારે નક્કી થાય છે.

બેન્થમ અને ઓસ્ટિન[ફેરફાર કરો]

વીસમી સદી સુધી બેન્થમના યુટિલિટેરિયન સિદ્ધાંતો કાનૂનમાં અગ્રેસર રહ્યાં હતા.

જેરેમી બેન્થમ પ્રારંભિક કાનૂની હકારાત્મકવાદીઓ પૈકીના એક છે. બેન્થમ (હ્યુમની જોડે) ઉપયોગીતાના વિચારના પ્રારંભિક અને પ્રખર સમર્થક હતા. તે ઉત્સુક જેલસુધારક હતા અને લોકશાહીના સમર્થક હતા. તેઓ નાસ્તિક હતા. બેન્થમના કાયદા અને ન્યાયશાસ્ત્ર અંગેના મંતવ્યો તેમના વિદ્યાર્થી જોહન ઓસ્ટિન દ્વારા લોકપ્રિય બનાવાયા હતા. ઓસ્ટિન 1829થી નવી યુનિવર્સિટી ઓફ લંડનના સૌ પ્રથમ ચેર ઓફ લો હતા. ઓસ્ટિનના "કાયદો શું છે?" પ્રશ્નને ઉપયોગીતાવાદી જવાબ તે હતો કે "કાયદો સાર્વભૌમત્વ તરફથી પ્રતિબંધોના જોખમનું પ્રભુત્ત્વ અને સમર્થન ધરાવે છે. જેનું પાલન કરવાની લોકો આદત ધરાવે છે.".[૨૬] સમકાલીન કાનૂની હકારાત્મકવાદીઓએ આ મંતવ્યને બહુ પહેલા જ છોડી દીધું છે અને તેની વધુ પડતી સાદગીની ટીકા કરી છે તેમાં પણ ખાસ કરીને એચ. એલ. એ હાર્ટે

હાન્સ કેલ્સન[ફેરફાર કરો]

હાન્સ કેલ્સનને વીસમી સદીના પ્રખર ન્યાયશાસ્ત્રીઓ પૈકીના એક ગણવામાં આવે છે અને તેમનું યુરોપ અને લેટિન અમેરિકામાં ભારે પ્રભુત્ત્વ છે. જો કે કોમન-લો દેશોમાં એવું ઓછું છે. તેમનો કાયદાનો શુદ્ધ સિદ્ધાંત કાયદાને બંધનકર્તા નિયમો તરીકે ગણાવે છે અને તે નિયમોનું મૂલ્યાંકન કરવાનો ઇનકાર કરે છે. આ 'કાયદા વિજ્ઞાન'ને 'કાયદા રાજકારણ'થી અલગ કરવું જોઇએ. કાયદાના શુદ્ધ સિદ્ધાંતનું કેન્દ્રબિંદુ 'મૂળ નિયમ (ગ્રન્ડનોર્મ)'માં છે - તે કાયદાશાસ્ત્રીઓ દ્વારા કલ્પવામાં આવેલો નિયમ છે. જેમાંથી અધિક્રમમાં કાયદા પ્રણાલીમાં તેનાથી નીચેના નિયમો, બંધારણીય કાયદાથી શરૂ કરીને, તમામ નિયમો તેમની સત્તા અથવા 'બંધન' મેળવે છે. આમ, કેલ્સન કાનૂની નિયમના બંધન સામે દલીલ કરે છે અને તેના ચોક્કસ 'કાનૂની' લક્ષણને ભગવાન, વ્યક્તિકરણ સ્વભાવ અથવા તેમના સમયની અતિમહત્ત્વની મૂર્તિમંત સ્થિતિ અથવા કલ્પના જેવા કેટલાક અસાધારણ સ્ત્રોતથી અલગ રાખીને વિચારવાનું કહે છે.

એચ. એલ. એ હાર્ટ[ફેરફાર કરો]

અંગ્રેજી બોલાતી દુનિયામાં લેખક એચ. એલ. એ. હાર્ટએ દલીલ કરી હતી કે કાયદાને સામાજિક નિયમની પ્રણાલી તરીકે ગણવા જોઇએ. હાર્ટે કેલ્સનના તે મંતવ્યને નકાર્યો હતો કે કાયદા પર પ્રતિબંધો આવશ્યક છે અને આદર્શમૂલક સામાજિક ઘટનાને, બિન-આદર્શમૂલક સામાજિક હકીકતોમાં મર્યાદિત કરી શકાય નહીં. હાર્ટે તેના પુસ્તક ધ કન્સેપ્ટ ઓફ લો મારફતે વીસમી સદીમાં વિશ્લાષણાત્મક ન્યાયશાસ્ત્રને એખ મહત્ત્વની સૈદ્ધાંતિક ચર્ચા તરીકે પુનઃજીવિત કરી હતી.[૨૭] ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ચેર ઓફ જ્યુરિસપ્રુડેન્સ તરીકે હાર્ટે દલીલ કરી હતી કે કાયદો એ 'નિયમોની પ્રણાલી' છે.

હાર્ટે જણાવ્યું હતું કે, નિયમો મુખ્ય નિયમો (આચરણના નિયમો) અને ગૌણ નિયમો (પ્રાથમિક નિયમો લાગુ કરવવા માટેના નિયમો)માં વહેંચાયેલા છે. ગૌણ નિયમો ન્યાયિક ચૂકાદાના નિયમો (કાનૂની વિવાદ ઉકેલવા), પરિવર્તનના નિયમો (કાયદામાં ફેરફાર લાવવા) અને માન્યતાના નિયમો (માન્ય તરીકે ઓળખાવવા કાયદાને છૂટ આપવા)માં વહેંચાયેલા છે. "માન્યતાનો નિયમ" એ અધિકારીઓ (ખાસ કરીને ન્યાયાધીશો)ની પ્રચલિત રીત છે જે ચોક્કસ કાયદા અને નિર્ણયોને કાયદાના સ્ત્રોત તરીકે અલગ તારવે છે. હાર્ટ અંગે 1981માં નીલ મેકકોર્મિકે પુસ્તક લખ્યું હતું.[૨૮] જેણે વધુ છણાવટ કરી હતી અને કેટલાક મહત્ત્વના વિવેચન કર્યા હતા. જેણે મેકકોર્મિકને તેનો પોતાનો સિદ્ધાંત (જેનું શ્રેષ્ઠ ઉદાહરણ તેની તાજેતરમાં પ્રકાશિત થયેલી પુસ્તક ઇન્સ્ટિટ્યૂશન ઓફ લો , 2007 છે) વિકસાવવા પ્રેર્યો હતો. અન્ય મહત્ત્વના વિવેચકોમાં રોનાલ્ડ ડ્વોર્કિન, જોહન ફિન્નિસ, અને જોસેફ રાઝનો સમાવેશ થાય છે.

તાજેતરના વર્ષોમાં કાયદાના પ્રકાર અંગેની ચર્ચા વધુ ઝીટવણભરી બની છે. એક મહત્ત્વની ચર્ચા કાનૂની હકારાત્મકવાદની અંદર છે. એક મંતવ્ય તેને ઘણીવારએક્સક્લુઝિવ કાનૂની હકારાત્મકવાદ કહે છે અને માને છે કે નિયમની કાનૂની માન્યતા તેની નૈતિક સચ્ચાઇ પર ક્યારેય આધાર રાખતી નથી. બીજું એક મંતવ્ય તેને સર્વાંગી કાનૂની હકારાત્મકવાદ કહે છે. વિલ વેલુચો તેના સમર્થક છે. તે એવું મંતવ્ય ધરાવે છે કે નૈતિક સ્વીકૃતિ નિયમની કાનૂની માન્યતા નક્કી કરી શકે છે પરંતુ એમ જ થવું જરૂરી નથી.

જોસેફ રાઝ[ફેરફાર કરો]

કેટલાક ફિલસૂફોની દલીલ છે કે હકારાત્મકવાદ એક એવો સિદ્ધાંત છે જેમાં કાયદો અને નૈતિકતા વચ્ચે કોઇ જરૂરી સંબંધ નથી પરંતુ જોસેફ રાઝ, જોહન ગાર્ડનર અને લેસ્લી ગ્રીન સહિતના સમકાલીન હકારાત્મકવાદીઓ તે મંતવ્યને નકાર્યું હતું. જેમ રાઝ સુચવે છે તેમ તે આવશ્યક સત્ય છે કે કાયદા પ્રણાલી કદાચ શાખાઓ ના ધરાવી શકે (દા.ત. તે બળાત્કાર અને ખૂન ના કરી શકે)

જોસેફ રાઝે હકારાત્મકવાદનો બચાવ કર્યો હતો પરંતુ ધ ઓથોરિટી ઓફ લો માં હાર્ટના "હળવા સામાજિક સિદ્ધાંત"ની ટીકા કરી હતી. રાઝની દલીલ છે કે કાયદો એક સત્તા છે, તે નૈતિક તર્કના સંદર્ભ વગર સામાજિક સ્ત્રોત દ્વારા અલગ તારવી શકાય તેમ છે. નિયમનું અધિકૃત તરીકે તેની ભૂમિકાથી વધુનું કોઇ પણ વર્ગીકરણ ન્યાયશાસ્ત્રના સ્થાને સમાજશાસ્ત્ર માટે છોડી દેવું જોઇએ.[૨૯]

રોનાલ્ડ ડ્વોર્કિન[ફેરફાર કરો]

રોનાલ્ડ ક્વોર્કિને કાનૂનના એવા સિદ્ધાંતની માંગ કરી જે જે લોકશાહી ઢબે નક્કી કરાયેલો કાયદો ફગાવી દેવામાં ન્યાયાધીશની ક્ષમતાને યોગ્ય ઠેરવે.

તેમના પુસ્તક લોસ એમ્પાયર Empire [૩૦]માં ડ્વોર્કિને કાયદાને નૈતિક મુદ્દો નહીં ગણવાના બદલ હાર્ટ અને હકારાત્મકવાદીઓની ટીકા કરી હતી. ડ્વોર્કિને દલીલ કરી હતી કે કાયદો એક અર્થઘટનાત્મક વિચાર છે, જેમાં ન્યાયાધિશે તેમની બંધારણીય પરંપરાને ધ્યાનામં રાખીને કાનૂની વિવાદમાં શ્રેષ્ઠ સાનુકૂળ અને સૌથી ન્યાયી ઉકેલ શોધવાનો હોય છે. તેમના જણાવ્યા મુજબ, કાયદો સંપૂર્ણપણે સામાજિક હકિકતોને આધારિત નથી પરંતુ તેમાં સંસ્થાકીય હકીકતો અને રીતભાતમાં શ્રેષ્ઠ નૈતિક યોગ્યતાનો સમાવેશ થાય છે જેને આપણે કાયદો તરીકે ગણીએ છીએ. ડ્વોર્કિનનું મંતવ્ય હતું કે સમાજમાં કાનૂન પ્રણાલી કએ અન્ય કોઇ કાયદા અમલી છે કે કેમ તે ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી કે જ્યાં સુધી તેને તે સમાજમાં અમલી રીતભાત માટેના નૈતિક સત્યો ખબર ના હોય. તે ડ્વોર્કિનના મંતવ્ય સાથે મેળ ખાય છે અને કાનૂની હકારાત્મકવાદીઓ અથા કાનૂની વાસ્તવિકવાદીઓના મંતવ્ય કરતા વિપરિત છે જેમનું મંતવ્ય છે કે- સમાજની કોઇ પણ વ્યક્તિને તેના કાયદા શું છે તેની ખબર ના હોય (કારણકે કોઇને પણ તેમની રીતભાતનું શ્રેષ્ઠ વાજબીપણું ખબર ના હોઇ શકે).

ડ્વોર્કિનના કાયદો એકતા તરીકેના સિદ્ધાંત મુજબ તેનું અર્થઘટન બે પરિમાણ ધરાવે છે. અર્થઘટન તરીકે ગણાવવા માટે લખાણનું વાંચન ફિટ ના માપદંડને સંતોષતું હોવું જોઇએ. પરંતુ ડ્વોર્કિન કહે છે કે એવા અર્થઘટનો જે ફિટ છે તેમાંથી સાચું અર્થઘટન તે છે જે સમાજની રાજકીય રીતભાતને તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં મૂકે છે અથવા તેમને શ્રેષ્ઠતમ બનાવે છે. પરંતુ ઘણા લેખતો શંકા ધરાવે છે કે કોઇ ચોક્કસ સમુદાય માટે જટીલ રીતભાત માટે કોઇ એક શ્રેષ્ઠ વાજબીપણુ છે કે કેમ. અન્ય કેટલાક લોકો શંકા ધરાવે છે કે જો એમ હોય તો પણ, તેમને તે સમુદાયના કાયદાનો એક ભાગ ગણવો જોઇએ.

કાનૂની વાસ્તવિકવાદ[ફેરફાર કરો]

ઓલિવર વેન્ડેલ હોલ્મ્સ એક કાનૂની વાસ્તવિકવાદી હતા

કાનૂની વાસ્તવિકવાદનો દ્રષ્ટિકોણ કેટલાક સ્કેન્ડિવીયન અને અમેરિકન લેખકોમાં પ્રચલિત હતો. ભાવની બાબતે શંકાસ્પદ તેણે ઠેરવ્યું હતું કે કાયદાને વૈધાનિક અથવા વિદ્વાન લખાણમાં એક લખાણ અને સિદ્ધાંત તરીકે રજૂ કરવાના સ્થાને તેને કોર્ટ, કાયદાની કચેરીઓ અને પોલીસ સ્ટેશનોની વાસ્તવિક રીતભાત દ્વારા સમજવો અને નક્કી થવો જોઇએ. તેનો કાયદાના સમાજશાસ્ત્ર સાથે થોડો સંબંધ છે. કાનૂની વાસ્તવિકવાદનો આવશ્યક સિદ્ધાંત તે છે કે તમામ કાયદા માનવજાત દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને આમ તે માનવ નબળાઇ, દોષ અને અચોકસાઇને આધિન છે.

જસ્ટિસ ઓલિવર વેન્ડેલ હોલ્મસ જુનિયરને અમેરિકન કાનૂની વાસ્તવિકવાદના ઉદઘોષક તરીકે ઓળખવા માટે તે સિદ્ધાંત આજે ઘણો સામાન્ય બની ગયો છે. (અન્ય પ્રભાવમાં રોસ્કો પાઉન્ડ, કાર્લ લેવેલિન અને જસ્ટિસ બેન્જામિન કાર્ડોઝો)નો સમાવેશ થાય છે. અમેરિકન કાનૂની વાસ્તવિકવાદ ચળવળના અન્ય એક સ્થાપક કાર્લ લેવેલિન પણ તેવી જ રીતે માનતા હતા કે કાયદોએ ન્યાયાધિશના હાથમાં માટી કરતા કઇંક વધુ છે જે વ્યક્તિગત પક્ષપાતને આધારે કેસના પરિણામને આકાર આપી શકે છે.[૩૧] ઘણાના મત મુજબ સ્કેન્ડિનેવિયન કાનૂની વાસ્તવિકવાદની મુખ્ય પ્રેરણા એક્સેલ હેગરસ્ટોર્મનું કામ છે. તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો હોવા છતાં વાસ્તવિકવાદીઓનો ન્યાયશાસ્ત્રના મંતવ્યોની વિશાળ શ્રેણી પર પ્રભાવ ચાલુ રહ્યો છે જેમાં ગંભીર કાનૂની અભ્યાસો (ડન્કન કેનેડી અને રોબેર્ટો ઉન્ગેર જેવા વિદ્વાનો), મહિલાવાદી કાનૂની સિદ્ધાંત, ગંભીર વંશ સિદ્ધાંત, કાયદાનું સમાજશાસ્ત્ર અને કાયદો અને અર્થતંત્રનો સમાવેશ થાય છે.

ઐતિહાસિક વિચાર[ફેરફાર કરો]

જર્મન કાયદાની સૂચિત સંહિતા અંગે જર્મનીમાં ચર્ચા ઉભી થઇ તે સમયે ઐતિહાસિક ન્યાયશાસ્ત્ર વધુ પ્રચલિત બન્યું હતું. ફ્રીડરીક કાર્લ વોન સેવિનીએ તેમના પુસ્તક ઓન ધ વોકેશન ઓફ અવર એજ ફોર લિગલેશન એન્ડ જ્યુરિસપ્રુડેન્સ માં[૩૨] દલીલ કરી હતી કે જર્મની પાસે એવી કોઇ કાનૂની ભાષા નથી જે સંહિતાને સમર્થન આપતી હોય કારણકે જર્મનીના લોકોની પરંપરા, રિવાજો અને માન્યતા સંહિતામાં આસ્થા ધરાવતા નથી. ઇતિહાસકારો માને છે કે કાયદાનું મૂળ સમાજ સાથે છે.

આદર્શમૂલક ન્યાયશાસ્ત્ર[ફેરફાર કરો]

કાનૂની ફિલસૂફીમાં "કાયદો શું છે?" એ પ્રશ્ન ઉપરાંત કાયદાના આદર્શમૂલક અથવા મૂલ્યાંકનકારી સિદ્ધાંતોનો પણ સમાવેશ થાય છે. કાયદાને હેતુ કે ઉદેશ શું છે? નૈતિક અથવા રાજકીય સિદ્ધાંતો કાયદાના પાયા માટે શું યોગદાન આપે છે? કાયદાનું યોગ્ય કાર્ય શું છે? સજા માટે કેવા પ્રકારના કૃત્યો હોવા જોઇએ અને કેવા પ્રકારની સજાને મંજૂરી આપવી જોઇએ? ન્યાય શું છે? આપણે પાસે ક્યા હક્કો છે? કાયદાનું પાલન કરવાની કોઇ ફરજ છે? કાયદાના નિયમનું શું મૂલ્ય છે? વિવિધ વિચાર અને અગ્રણી વિચારકો પૈકીના કેટલાક નીચે મુજબ છે.

પાવિત્ર્ય ન્યાયશાસ્ત્ર[ફેરફાર કરો]

પ્લેટો (ડાબે) અને એરિસ્ટોટલ (જમણે), સ્કૂલ ઓફ એથેન્સ

પાવિત્ર્ય નીતિ જેવા સંપ્રાત એરેટૈક નૈતિક સિદ્ધાંતો નૈતિકતામાં ચારિત્ર્યની ભૂમિકા પર ભાર મૂકે છે. પાવિત્ર્ય ન્યાયશાસ્ત્ર એવો મત ધરાવે છે કે કાયદાએ નાગરિક દ્વારા પવિત્ર પાત્રોને પ્રોત્સાહન આપવું જોઇએ. ઐતિહાસિક રીતે, આ અભિગમ મુખ્યત્વે એરિસ્ટોટલ અથવા બાદમાં થોમસ એક્વિનસની વિચારધારા સાથે સંકળાયેલો છે. સાંપ્રત પાવિત્ર્ય ન્યાયશાસ્ત્રએ પાવિત્ર્ય નીતિ પર ફિલોસોફિકલ કામથી પ્રેરાયેલું છે.

ડીયોન્ટોલોજી[ફેરફાર કરો]

કાન્ટ એનલાઇટનમેન્ટનો વિચારક હતો.

ડીયોન્ટોલોજીએ "ફરજ અથવા નૈતિક જવાબદારીનો સિદ્ધાંત"[૩૩] છે. ફિલસૂફ ઇમેન્યુઅલ કેન્ટ એ એક પ્રભાવક ડીયોન્ટોલોજીકલ કાનૂની સિદ્ધાંત ઘડ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આપણે જે પણ નિયમનું પાલન કરી તે નિયમ સર્વવ્યાપી બનાવી શકાય તેવો હોવો જોઇએ. પ્રત્યેક વ્યક્તિ તે નિયમનું પાલન કરશે તેવી આપણી તૈયારી હોવી જોઇએ. કાનૂની ફિલસૂફ રોનાલ્ડ ડ્વોર્કિનના કામમાં સાંપ્રત ડીઓન્ટોલોજીકલ અભિગમ જોવા મળે છે.

ઉપયોગીતાવાદ[ફેરફાર કરો]

મિલ માનતા હતા કે કાનૂને ખુશી સર્જવી જોઇએ

ઉપયોગીતાવાદ એવો મત ધરાવે છે કે કાયદો એવી રીતે ઘડાવો જોઇએ જેથી શક્ય તેટલા મહત્તમ લોકો માટે શ્રેષ્ઠ પરિણામો આપી શકે. ઐતિહાસિક રીતે, કાયદા અંગે ઉપયોગીતાવાદી વિચાર મહાન ફિલસૂફ જેરેમી બેન્થમ સાથે સંકળાયેલો છે. જોહન સ્યુઅર્ટ મિલ બેન્થમના વિદ્યાર્થી હતા અને ઓગણીસમી સદીના અંતમાં ઉપયોગીતાવાદી ફિલસૂફીના પ્રચારક હતા.[૩૪] સાંપ્રત કાનૂની સિદ્ધાંતમાં ઉપયોગીતાવાદી અભિગમની કાયદો અને અર્થતંત્ર પરંપરામાં કામ કરતા વિદ્વાનો દ્વારા અવારનવાર તરફેણ કરવામાં આવી છે. લિસેન્ડર સ્પૂનર પણ જુઓ

જોહન રોલ્સ[ફેરફાર કરો]

જોહન રોલ્સ અમેરિકન ફિલસૂફ હતા. તે હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે રાજકીય ફિલસૂફીના પ્રોફેરસ હતા અને એ થીયરી ઓફ જસ્ટિસ (1971), પોલિટિકલ લિબરલિઝમ , Justice as Fairness: A Restatement , અને ધ લો ઓપ પીપલ્સ ના લેખક છે. તેમને 20મી સદીના સૌથી મહત્ત્વના અંગેજી ભાષાના રાજકીય ફિલસૂફો પૈકીના એક ગણવામાં આવે છે. તેનો ન્યાયનો સિદ્ધાંત જો આપણે 'અજ્ઞાનતાના આવરણ' પાછળ હોઇએ તો આપણા સમાજના મૂળ સંગઠનનું નિયમન કરવા ન્યાયના ક્યા સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઇએ તે પૂછવા મૂળ સ્થિતિ નામની પ્રણાલીનો ઉપયોગ કરે છે. કલ્પના કરો કે આપણે કોણ છીએ, આપણા વંશ, જાતિ, સમૃદ્ધિ દરજ્જો, વર્ગ અથવા કોઇ પણ વિભાજનકારી સુવિધા જાણતા નથી, તો આપણે પોતાની તરફેણમાં પક્ષપાતભર્યું વલણ નહીં અપનાવીએ. રોલ્સ આ 'મૂળ સ્થિતિ'માંથી દલીલ કરે છે જેને આપણે વાણીની સ્વતંત્રતા, મત આપવાનો અધિકાર વગેરે જેવી તમામ માટે સમાન રાજકીય સ્વતંત્રતા પસંદ કરીશું. આપણે એવી પ્રણાલી પણ પસંદ કરીશું જ્યાં માત્ર અસમાનતા છે કારણકે તે તમામ સમાજ માટે તેમાં પણ ખાસ કરીને સૌથી ગરીબ લોકો માટે આર્થિક કલ્યાણ માટે પુરતું પ્રોત્સાહન પેદા કરે છે. આ રોલ્સનો પ્રખ્યાત 'તફાવત સિદ્ધાંત' છે. ન્યાય એવા અર્થમાં ઔચિત્યપૂર્ણ છે કે પસંદગીની મૂળ સ્થિતિની ખાતરીનું ઔચિત્ય તે સ્થિતિમાં પસંદ કરાયેલા સિદ્ધાંતના ઔચિત્યની ખાતરી આપે છે.

કાયદાની ફિલસૂફીમાં અન્ય ઘણા આદર્શમૂલક અભિગમ છે જેમાં ગંભીર કાનૂની અભ્યાસો અનેકાયદાના ઉદારવાદી સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. “જ્યુરિસપ્રુડેન્સ”, બ્લેક્સ લો ડિક્શનરી
  2. ૨.૦ ૨.૧ ૨.૨ શાઇનર, “ફિલોસોફી ઓફ લે”, કેમ્બ્રીજ ડિક્શનરી ઓફ ફિલોસોફી
  3. સોપર, "લિગલ પોઝિટિવિઝમ", કેમ્બ્રીજ ડિક્શનરી ઓફ ફિલોસોફી
  4. મૂરે, “ક્રિટિકલ લિગન સ્ટડીઝ", કેમ્બ્રીજ ડિક્શનરી ઓફ ફિલોસોફી
  5. બ્રૂક્સ, “રીવ્યૂ ઓફ ડ્વોર્કિન એન્ડ હિસ ક્રિટિક્સ વિથ રિપ્લાઇઝ બાય ડ્વોર્કિન”, મોડર્ન લો રિવ્યૂ , ભાગ 69 નંબર 6
  6. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, બીજી આવૃત્તિ 1989
  7. શેલન્સ, "એરિસ્ટોટલ ઓન નેચરલ લો."
  8. જફા, થોમિઝમ એન્ડ એરિસ્ટોટલિઝમ .
  9. એચ. રેકહામ, ટ્રાન્સ, નિકોમેકીયન એથિક્સ , લોએબ ક્લાસિકલ લાઇબ્રેરી; જે. એ. કે. થોમસન ટ્રાન્સ (હગ ટેડેનનિક દ્વારા સુધારેલી), નિકોમેકીયન એથિક્સ , પેંગ્વિન ક્લાસિક્સ.
  10. જો સેક્સ, ટ્રાન્સ, નિકોમેકીયન એથિક્સ , ફોકસ પબ્લિશિંગ
  11. "નિકોમેકીયન એથિક્સ" બીકે. II ચે. 6
  12. ટેરેન્સ ઇરવિન, ટ્રાન્સ. નિકોમેકીયન એથિક્સ, 2nd Ed. , હેકેટ પબ્લિશિંગ
  13. નિકોમેકીયન એથિક્સ , બીકે. V, ચે. 3
  14. "નિકોમેકીયન એથિક્સ", બીકે. V, ચે. 1
  15. નિકોમેકીયન એથિક્સ , બીકે. V, ચે. 3
  16. નિકોમેકીયન એથિક્સ , બીકે. V, ચે. 7.
  17. રેટોરિક 1373b2–8.
  18. શેલેન્સ, "એરિસ્ટોટલ ઓન નેચરલ લો," 75–81
  19. "નેચરલ લો," ઇન્ટરનેશનલ એનસાયક્લોપેડીયા ઓફ ધ સોસિયલ સાયન્સિસ .
  20. વાએલ બી. હલક (1993), ઇબ્ન તેમિય્યા અગેઇન્સ્ટ ગ્રીક લોજિસિયન્સ , પાનું. 48. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ISBN 0-19-824043-0.
  21. લુઇસ પોજમેન, એથિક્સ (બેલમોન્ટ, સીએ: વેડ્સવર્થ પબ્લિશિંગ કંપની, 1995).
  22. સુમ્મા , Q94a2.
  23. મૂળભૂત અર્થઃ લોકો સામાજિક શિસ્ત મેળવવા માટે તેમના કેટલા હક્કો જતા કરવા તૈયાર થાય છે.
  24. જુઓ એચ એલ એ હાર્ટ, 'પોઝિટિવિઝમ એન્ડ સેપરેશન ઓફ લો એન્ડ મોરાલ્સ' (1958) 71 હાર્વ. એલ. રિવ. 593
  25. ડેવિડ હ્યુમ, એ ટ્રીટાઇઝ ઓફ હ્યુમન નેચર (1739) ઇટેક્સ્ટ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૨૦ ના રોજ વેબેક મશિન
  26. જોહન ઓસ્ટિન, ધ પ્રોવિડન્સ ઓફ જ્યુરિસપ્રુડેન્સ ડિટરમાઇન્ડ (1831)
  27. એચ. એલ. એ હાર્ટ, ધ કન્સેપ્ટ ઓફ લો (1961) ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ISBN 0-19-876122-8
  28. "ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ". મૂળ માંથી 2006-06-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  29. ચે. 2, જોસેફ રાઝ, ધ ઓથોરિટી ઓફ લો (1979)
  30. રોનાલ્ડ ડ્વોર્કિન, લોસ એમ્પાયર (1986) હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ
  31. “ન્યાયશાસ્ત્ર”. વેસ્ટ્સ એનસાયક્લોપેડીયા ઓફ અમેરિકન લો. ઇડી. જેફરી લેહમેન, શિરિલે ફેલ્પ્સ. ડેટ્રોઇટઃ થોમ્સન ગેલ, 2005.
  32. ફ્રીડરીક કાર્લ વોન સેવિગ્ની, ઓન ધ વોકેશન ઓફ અવર એજ લેજિસ્લેશન એન્ડ જ્યુરિસપ્રુડેન્સ (અબ્રાહમ એ. હેવર્ડ ટ્રાન્સ., 1831)
  33. વેબસ્ટર્સ ન્યૂ વર્લ્ડ ડિક્શનરી ઓફ ધ અમેરિકન લેન્ગ્વેજ, પાનું 378 (2બીજી કોલ. ઇડી 1978).
  34. જુઓ, યુટિલિટેરીયનિઝમ સંગ્રહિત ૨૦૦૭-૦૫-૦૫ ના રોજ વેબેક મશિન મેટલિબ્રી ડિજીટલ લાઇબ્રેરી ખાતે

વધુ વાંચન[ફેરફાર કરો]

  • Austin, John (1831). The Province of Jurisprudence Determined. CS1 maint: discouraged parameter (link)
  • કોટેરરેલ, આર. (1995). લોસ કમ્યુનિટી: લિગલ થીયરી ઇન સોસિયોલોજિકલ પર્સ્પેક્ટિવ . ઓક્સફર્ડ: ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ.
  • કોટેરરેલ, આર. (2003). ધ પોલિટિક્સ ઓફ જ્યુરિસપ્રુડેન્સ: એ ક્રિટિકલ ઇન્ટ્રોડક્શન ટુ લિગલ ફિલોસોફી , બીજી આવૃત્તિ ઓક્સફર્ડ: ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ.
  • ફ્રીમેન, એમ.ડી.એ. (2008). લોઇડ્સ ઇન્ટ્રોડક્શન ટુ જ્યુરિસપ્રુડેન્સ . 8મી આવૃત્તિ લંડનઃ સ્વીટ એન્ડ મેક્સવેલ.
  • Hart, H. L. A. (1961). The Concept of Law. Oxford University Press.
  • હોર્ટ્ઝલર, એચ. રિચાર્ડ (1976). જસ્ટિસ, લિગલ સિસ્ટમ એન્ડ સોસિયલ સ્ટ્રક્ચર . પોર્ટ વોશિંગ્ટન, ન્યૂ યોર્કઃ કેનિકટ પ્રેસ
  • હચિસન, અલાન સી., ઇડી (1989). ક્રિટિકલ લિગલ સ્ટડીઝ . ટોટોવા, એનજેઃ રોમન એન્ડ લિટલફીલ્ડ.
  • કેમ્પિન જુનિયર., ફ્રેડરિક જી. (1963). લિગલ હિસ્ટરી: લો એન્ડ સોસિયલ ચેન્જિસ . એન્ગ્લીવૂડ ક્લિફ્સ, એનજેઃ પ્રેન્ટિસ-હોલ.
  • લેવેલિન, કાર્લ એન. (1986). કાર્લ એન. લેવેલિન ઓન લિગલ રીયલિઝમ . બર્મિંગહામ, એએલઃ લિગલ ક્લાસિક્સ લાઇબ્રેરી. (સ્વાભાવિક કાનૂન પર "ધ બ્રેમ્બલ બુશ" ધરાવે છે).
  • મર્ફી, કોર્નેલીયસ એસ. (1977). ઇન્ટ્રોડક્શન ટુ લો, લિગલ પ્રોસેસ એન્ડ પ્રોસિજર . સેન્ટ પૌલ, એમએનઃ વેસ્ટ પબ્લિશિંગ.
  • રોલ્સ, જોહન (1999). એ થિયરી ઓફ જસ્ટિસ , સુધારેલી આવૃત્તિ કેમ્બ્રીજઃ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ. (ફિલોસોફિકલ ટ્રિટમેન્ટ ઓફ જસ્ટિસ).
  • ઝીન્ન, હોવાર્ડ (1990). ડેક્લેરેશન ઓફ ઇનડિપેન્ડન્સઃ ક્રોસ-એક્ઝામિનિંગ અમેરિકન આઇડીયોલોજી. ન્યૂ યોર્કઃ હાર્પર કોલિન્સ પબ્લિશર્સ.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]