મહાદેવી વર્મા

વિકિપીડિયામાંથી
મહાદેવી વર્મા
જન્મ૨૬ માર્ચ ૧૯૦૭ Edit this on Wikidata
મૃત્યુ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૭ Edit this on Wikidata
વ્યવસાયProse writer Edit this on Wikidata
કાર્યોYama Edit this on Wikidata
પુરસ્કારો
સહી

મહાદેવી વર્મા (૨૬ માર્ચ ૧૯૦૭ - ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૭) હિંદીની સર્વાધિક પ્રતિભાવાન કવયિત્રીઓમાંથી છે. તેઓ હિન્દી સાહિત્યમાં છાયાવાદી યુગના ચાર પ્રમુખ સ્થંભોમાંના એક મનાય છે. આધુનિક હિન્દીની સૌથી સશક્ત કવયિત્રીઓમાંના એક હોવાને કારણે એ આધુનિક મીરાના નામથી પણ ઓળખાય છે. કવિ નિરાલાએ એમને “હિન્દીના વિશાલ મંદિરની સરસ્વતિ" પણ કહ્યું છે.

એમણે ખડી બોલી હિન્દીની કવિતામાં એ કોમળ શબ્દાવલિનો વિકાસ કર્યો જે આજ સુધી ફક્ત વ્રજભાષામાં જ સંભવ મનાય છે. એ માટે એમણે પોતાના સમયને અનુકૂળ સંસ્કૃત અને બંગાળીના કોમળ શબ્દ ચૂંટી હિન્દીના પહેરણ પહેરાવ્યા. સંગીતની જાણકાર હોવાને કારણે એમના ગીતોના નાદ-સૌંદર્ય અને પૈની ઉક્તિઓની વ્યંજના શૈલી અન્યત્ર દુર્લભ છે. એમણે અધ્યાપનથી પોતાના કાર્યજીવનની શરૂઆત કરી અને અંતિમ સમય સુધી એ પ્રયાગ મહિલા વિદ્યાપીઠની પ્રધાનાચાર્ય બની રહી.[૧] એમનો બાળ-વિવાહ થયો પરંતુ એમણે અવિવાહિતની જેમ જીવન વિતાવ્યું. પ્રતિભાવંત કવિયત્રી અને ગદ્ય લેખિકા મહાદેવી વર્મા સાહિત્ય અને સંગીતમાં નિપુણ હોવાની સાથે સાથે કુશળ ચિત્રકાર અને સૃજનાત્મક અનુવાદક પણ હતા.

પુરસ્કારો અને શ્રદ્ધાંજલિ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Celebrating Mahadevi Varma". Google. 27 April 2018. મેળવેલ 10 September 2019.
  2. ૨.૦ ૨.૧ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
  3. "SAHITYA AKADEMI FELLOWSHIP". Sahitya Akademi. મૂળ માંથી 6 ફેબ્રુઆરી 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 February 2018.
  4. "Gyanpeeth LAUREATES". Bharatiya Jnanpith. મૂળ માંથી 14 જુલાઈ 2016 પર સંગ્રહિત. મેળવેલ 19 February 2018. Check date values in: |archive-date= (મદદ)
  5. Rubin, David. The Return of Sarasvati: Four Hindi Poets. Oxford University Press, 1993, p. 153.