યોગસૂત્ર

વિકિપીડિયામાંથી

યોગસૂત્ર હિંદુઓના છ દર્શન પૈકીના એક એવા યોગદર્શનનો મુખ્ય ગ્રંથ છે. યોગસૂત્રના રચનાકાર પતંજલિ છે. યોગસૂત્ર પર અનેક ભાષ્યો લખાયા છે. આ ગ્રંથ પરથી પ્રેરણા લઈને અનેક સ્વતંત્ર ગ્રંથો અને સાહિત્યની પણ રચના થઈ છે.

રચનાકાર અને રચનાકાળ[ફેરફાર કરો]

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને મૂરેના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર પતંજલિ છે અને રચનાકાળ ઈ.સ. પૂર્વે બીજી સદીનો છે. જયારે સ.ના. દાસગુપ્તા જેવા વિદ્વાનોના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર અને સંસ્કૃત વ્યાકરણ માટે વિખ્યાત પતંજલિ એક જ વ્યક્તિ છે. કેટલાક વિદ્વાનોમાં એવો મત પ્રવર્તે છે કે આ ગ્રંથનો રચનાકાર એક વ્યક્તિ નથી, પણ તે બીજી કે ત્રીજી સદીમાં શરૂ થયેલ પરંપરાઓના અનેક ગ્રંથોનું સંકલન માત્ર છે.

ગ્રંથનું સંગઠન[ફેરફાર કરો]

યોગસૂત્રમાં ૧૯૬ સૂત્રો છે અને તે ચાર ભાગો અથવા પદોમાં વહેંચાયેલા છે.

  • સમાધિપદ(૫૧ સૂત્રો)
  • સાધનાપદ(૫૫ સૂત્રો)
  • વિભૂતિપદ(૫૬ સૂત્રો)
  • કૈવલ્યપદ(૩૪ સૂત્રો)

અષ્ટાંગ યોગ - યોગના આઠ અંગો[ફેરફાર કરો]

અષ્ટાંગ યોગ એ અલગ અલગ આઠ પગથિયાનો માર્ગ નથી પણ આઠ પરિમાણોનો માર્ગ છે, જેમાં આઠેય પરિમાણોનો અભ્યાસ એક સાથે કરવામાં આવે છે. યોગના આઠ અંગો આ પ્રમાણે છે: જેમાંથી પહેલા પાંચની સાધનાને બહિરંગી કહેવામાં આવે છે.

  • યમ: પાંચ સામાજિક નૈતિકતા
    • અહિંસા
    • સત્ય
    • અસ્તેય
    • બ્રહ્મચર્ય
    • અપરિગ્રહ
  • નિયમ:પાંચ વ્યક્તિગત નૈતિકતા
    • શૌચ
    • સંતોષ
    • તપ
    • સ્વાધ્યાય
    • ઈશ્વરપ્રણિધાન
  • આસન
  • પ્રાણાયામ
  • પ્રત્યાહાર

છેલ્લા ત્રણ અંગોની સાધનાને અંતરંગી કહેવાય છે.

  • ધારણા
  • ધ્યાન
  • સમાધિ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]