સેજકપર (તા. સાયલા)

વિકિપીડિયામાંથી
સેજકપર
—  ગામ  —
સેજકપરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°32′42″N 71°28′43″E / 22.545035°N 71.478483°E / 22.545035; 71.478483
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો સાયલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

સેજકપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા સાયલા તાલુકામાં આવેલું એક ગામ છે. સેજકપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સેજકપર ઝાલાવાડ પ્રાંતનું રજવાડું હતું, જે બ્રિટિશ શાસન દરમિયાન પૂર્વ કાઠિયાવાડ એજન્સીમાં આવતું હતું.

તેમાં ૨-૩ ગામોનો સમાવેશ થતો હતો અને કાઠીઓ તેના શાસક હતા. ૧૯૦૧માં તેની વસ્તી ૮૬૪ વ્યક્તિઓની હતી અને તેની આવક ૩,૬૦૦ રૂપિયા (૧૯૦૩-૦૪) હતી અને તેમાંથી ૪૩૩ રૂપિયાનો કર બ્રિટિશરો અને જુનાગઢ રજવાડાને અપાતો હતો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]