કૃષ્ણદાસ કવિરાજ

વિકિપીડિયામાંથી

કૃષ્ણદાસ કવિરાજનો જન્મ લગભગ ૧૪૯૬ના વર્ષમાં બંગાળમાં આવેલા વર્ધમાન જિલ્લાના નૈહાટી નજીક આવેલા જામતપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ભગીરથ અને માતાનું નામ સુનંદા હતું.

ચૈતન્ય ચરિતામૃતની રચના કૃષ્ણદાસ કવિરાજ એ કરી હતી. આ ગ્રંથમાં ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરીત્ર આલેખાયેલું છે. આ ઉપરાંત તેમણે ગોવિંદ લીલામૃત નામના ગ્રંથની પણ રચના કરી હતી, જેમાં વૃંદાવનમાં શ્રીકૃષ્ણ ભગવાનની લીલાઓનું આલેખન છે.