ખીરભવાની મંદિર

વિકિપીડિયામાંથી
ખીરભવાની મંદિર, જમ્મુ અને કાશ્મીર

ખીરભવાની માતા હિંદુ ધર્મના લોકોના દેવી-દેવતાઓ પૈકીનાં ભવાની માતાનું એક નામ છે. એમનું પ્રખ્યાત મંદિર જમ્મુ અને કાશ્મીર રાજ્યના શ્રીનગર જિલ્લામાંથી છૂટા પાડવામાં આવેલા ગંડરબલ જિલ્લામાં આવેલા તુલમુલા (Tula Mula) ગામમાં એક પવિત્ર પાણીના ઝરા પાસે આવેલું છે. આ સ્થળ શ્રીનગર શહેરની પૂર્વમાં ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ખીરભવાની માતાની પૂજા બધા હિંદુઓ કરે છે. પરંપરાગત રીતે વસંત ઋતુમાં આ મંદિરમાં માતાને ખીર ચઢાવવાનો રિવાજ ચાલ્યો આવે છે, આથી જ એમનું નામ ખીરભવાની માતા પડ્યું, એમ કહેવાય છે. ખીર ભવાની માતાને મહારજ્ઞા દેવી પણ કહેવામાં આવે છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Mountains of India: Tourism, Adventure, Pilgrimage, M.S. Kohli, pp. 297, Indus Publishing, 2004, ISBN 978-81-7387-135-1, ... Kheer Bhawani Temple The Goddess Ragnya Devi is symbolised as a sacred spring at Tula Mula village ...

Coordinates: 34°13′15″N 74°43′49″E / 34.22083°N 74.73028°E / 34.22083; 74.73028

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]