ગોલ્ડન બ્રિજ
[ફેરફાર કરો] ગોલ્ડન બ્રિજ
ભરૂચ આવતાંની સાથે ત્રણ સુવર્ણ વસ્તુઓનો પ્રથમ ખ્યાલ આવે : સોનાનો પુલ , સોનેરી પથ્થર અને સોનેરી મહેલ.
ત્રણેયને સોનાનું આ હુલામણું નામ આપ્યું છે એ પ્રજા દ્વારા નહીં પરંતુ એની પાછળ થયેલ ખર્ચને કારણે.
સોનાના પુલ તરીકે જે આજ પર્યંત ઓળખાતો રહ્યો છે તે પુલ બંધાવો શરુ થયો તા. ૭-૧૨-૧૮૭૭ ને રોજ ને પુરો થયો ૧૬-૫-૧૮૮૧ને દિવસે. ખર્ચ થયેલો રૂ. ૪૫,૬૫,૦૦૦ .
એનું નામ અપાયું છે નર્મદા પુલ. એના થાંભલાઓ તો આવતા જતા વાહનો માટે બેવડી લાઈન માટે નંખાતા હતા, પણ ઉપરનો ભાગ માત્ર એક રેલવેની અવરજવર માટેનો ૧૪ ફૂટ પહોળો હતો.
ઈ.સ. ૧૮૬૦માં રેલના પાટા નાખવાનું કાર્ય શરુ થયેલું તેની સાથેસાથે આ પુલ બાંધવાની યોજના પણ શરૂ થએ હતી.
પોતાની કેડ પર સાંકળરૂપ સોહતા આ પુલને ક્યારેક ક્રુધ્ધ થતી નર્મદાએ રેલ દરમિઆન કેટલીયે વાર સારું એવું નુકશાન કર્યું છે.
૧૮૬૩માં નર્મદામાં આવેલ ભયંકર રેલથી પુલના છ (૬) ગાળા ખેંચાઈ ગયા હતા.
ફરીથી બનાવેલ આ ગાળાઓમાંથી, ચાર જ વર્ષ પછી ૧૮૬૮ના ઓગસ્ટ મહિનામાં પુનઃ ભયંકર રેલ આવવાથી ચાર ગાળાઓને નુકશાન થયું.
આથી આ પુલની સાથે બીજો એક પુલ બાંધવામાં આવ્યો. તેનું બાંધકામ ૧૮૭૧માં પુર્ણ થયું.
૧૮૬૦થી ૧૮૭૧ સુધીમાં આ પુલ પાછળ રૂ. ૪૬૯૩૩૦૦નો ખર્ચ થયો. આ પુલ ૧૮૬૬ સુધી ટક્યો. એ વર્ષમાં સપ્ટેમ્બરમાં વળી પાછી ભારે રેલ આવવાથી પુલના છવ્વીસ (૨૬) ગાળાને નુકશાન પહોંચ્યું હતું. વહેવાર ચાલુ રાખવા માટે બીજો કમચલાઉ પુલ રૂપિયા એક લાખ પચાસ હજારના ખર્ચે બાંધવામાં આવ્યો. ૧૮૭૭ના ડિસેમ્બરની ૭મી તારીખથી બીજો જબરો પુલ બાંધવાનો પ્રારંભ કરાયો. ૧૮૮૧ના મે માસની ૨૬મી એ બંધાઈ રહ્યો. એની પાછળ આશરે રૂ. ૩ કરોડ ૭ લાખને ૫૦ હજારનો ખર્ચ થયો.
આ પુલ ૧૮૬૦ની સાલમાં બંધાવા માંડ્યો તે ૧૮૭૭ સુધીમાં અને ત્યાર બાદ જબરો પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે રૂ. ૮૫૯૩૪૦૦નો ખર્ચ થયો હતો. જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં જે ખર્ચ થયો રહ્યો છે અગર સોનાનો પુલ બાંધ્યો હોય ને થયો એટલો બધો ખર્ચ આની પાછળ સરકારને - રેલ્વેને થયેલ હોવાથી આ પુલ "સોનાનો પુલ" તરીકી ઓળખાય છે.
૧૯૩૫માં નવો પુલ "સિલ્વર જ્યુબીલી બ્રીજ" બંધાયા પછી આ જૂનો પુલ જાહેર બાંધકામ ખાતાએ પોતાના હસ્તક લઈ લીધો.અને ૧૯૪૩માં વાહન વ્યવહાર બદલી નાંખવામાં આવ્યો હતો. ૧૯૪૯માં એ પુલનું સમારકામ કરી સગવડવાળો બનાવવા પાછળ ૮૪ (ચોર્યાશી) લાખ રૂપિયાનો ખર્ચનો અંદાજ હતો.
બીજા વિશ્વયુધ્ધ વખતે જૂનો પુલ તોડી એના લોખંડની સારી એવી કિંમત ઉપજી જાય તેમ હતી. પરંતુ દક્ષિણ ગુજરાતને વાહન વ્ય્હવાર દ્વારા જોડનારો આ સાંકળરૂપ પુલ શિવાય બીજો કોઈ માર્ગ ન હોવાથી જિલ્લા લોકલ બોર્ડે અને ભરૂચ જિલ્લાની પ્રજાએ સભાઓ બોલાવી ભારે રજુઆતો કરી આ પુલ 'સ્ક્રેપ અપ' કરવાનો બંધ કરાવ્યો હતો.