ચર્ચા:મણિરાજ બારોટ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રશસ્તિભર્યાં વાક્યો દૂર કર્યાં છે. તેમ છતાં હજું કંઇ વાંધાજનક લાગતું હોય તો સુધારી લેવા વિનંતી છે. સ્વ.મણિરાજના ચાહકો તથા અન્યોને તેમના વિશે જાણકારી મળી રહે તે માટે આ પાનું રાખવું જ જોઇએ.

આભાર. આપનો સંદેશો મારા ચર્ચાનાં પાના પર પણ મળ્યો, સમયને અભાવે તમને જવાબ નહોતો આપી શક્યો. હવે બરાબર છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૭, ૨૩ મે ૨૦૧૧ (UTC)

તેમના અવસાનની તારીખ અને તિથીમાં કાંઈક અસંગતતા જોવા મળે છે. લેખમાં જણાવ્યાં પ્રમાણે તેમનું અવસાન "નવરાત્રિની આઠમને શનિવાર તા. ૩૦-૧-૨૦૦૬ "ના દિવસે થયું. ગુજરાતી પંચાંગ મુજબ આસો મહિનો ક્યારેય જાન્યુઆરીમાં ના આવે. નવરાત્રી આસો મહિનામાં આવતું પર્વ છે. જો આ નવરાત્રી તે આસો નવરાત્રી ના હોતા ચૈત્રી નવરાત્રી હોવાનું માની લઈએ તો પણ આ જ સમસ્યા નડે કે, જાન્યુઆરીમાં ચૈત્ર મહિનો પણ ના ચાલતો હોય. સામાન્ય રીતે જાન્યુઆરીમાં પોષ મહિનો ચાલતો હોય, અને વધુમાં વધુ મહા હોય, પણ આસો અને ચૈત્ર બંને પોષ-મહાથી ૩ મહિના દૂર આવેલા છે, જે સંભવ નથી. ચોક્સાઈ કરીને તારીખ અને તીથિમાંથી જે સુધારવા જેવું હોય તે સુધારી લેવું.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૧, ૨૩ મે ૨૦૧૧ (UTC)

૩૦-૧-૨૦૦૬ને દિવસે મહા સુદ પડવો (એકમ) હતી અને શનિવાર નહી, સોમ વાર હતો માટે તારીખ ખોટી લાગે છે. એમ વિચારીએ કે ૩૦-૧ ટાઈપ કરવામાં ભુલ છે, તો ૩૦-૧૦ પણ સોમવાર આવે છે, અને તિથી કારતક સુદ ૮, જે જોતા બધું જ ખોટું સાબિત થાય અને સ્વાભાવિક છે કે જો ૩૦-૧૦ના રોજ આસો વદ ચાલતો હોય તો ૩૦-૧૧ કે ૩૦-૧૨ ના રોજ આસો સુદ પાછો આવે તે સંભવ નથી જ, તેમ છતાં અનુક્રમે આ બંને તારીખોએ સોમવાર અને શનીવાર આવે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૯, ૨૩ મે ૨૦૧૧ (UTC)

=ધ્યાન દોરવા માટે આભાર[ફેરફાર કરો]

આ લેખમાં શરતચૂકથી અવસાનની તારીખ ખોટી લખાયેલ હતી, જે સુધારી લેવામાં આવી છે. મિત્ર ધવલભાઇ નો ધ્યાન દોરવા માટે આભાર.