ભારત માં જાતિવાદ

વિકિપીડિયા થી

(જાતિવાદ થી અહીં વાળેલું)
સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

ભારતની મોટાભાગની વસ્તી હિંદુ છે અને હિંદુ ધર્મ મુજબ તેઓ વિવિધ જાતિઓમાં વહેંચાયેલા છે. હિંદુ ધર્મની વિવિધ આધાર શિલામાંની એક વર્ણવ્યવસ્થા વૈદિક કાળથી ભારતમાં પળાતી આવી છે. સમય જતા આ વ્યવસ્થાએ ભેદનું સ્વરુપ લીધુ અને આજે તે વિકૃત પરિસ્થિતિમાં પળાય છે જેને લીધે લોકો વચ્ચે જાતિભેદ ઉભો થયો છે.

વર્ણવ્યવસ્થા મુજબ લોકોના કાર્ય મુજબ મુખ્ય ચાર જાતિઓ હતી - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. સેવાકીય કાર્ય કરતા લોકોની જાતિ શુદ્ર ગણવામાં આવતી જેમ કે - બાંધકામ, વાહનવ્યવહાર થી લઇને સાફસૂફી સુધીના બધાજ કામો. આજના સમાજમાં પણ એન્જીનીયરીંગ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનીકેશન વગેરે સેવાકીય (સર્વિસ ઓરિયેન્ટેડ) કાર્યો ગણાય છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ યુદ્ધ દરમિયાન ક્ષત્રિય સિવાયના સમાજની સ્થિરતા હતો. યુદ્ધ દરમિયાન ખેતીના પાકને નુકસાન કરવામાં આવતુ ન હતુ અને ક્ષત્રિયો સિવાયના લોકોને લડવા જવું પડતુ ન હતુ. સમય જતા ભારતની રાજકીય પરિસ્થિતિ વિદેશી આક્રમણકારોના હાથમાં આવી ત્યારે વર્ણવ્યવસ્થાનો પાયો ભાંગી પડયો અને બ્રાહ્મણ સૌથી ઉચ્ચ અને શુદ્ર સૌથી હલકી જાતિ ગણાવા માંડી. ધીમે ધીમે લોકો શુદ્રને ક્ષુદ્ર-તુચ્છ ગણવા માંડયા અને તેમનુ કાર્ય હલકુ ગણાવા માંડયુ.ત્યારબાદ જાતિ તથા અનુસૂચિત જાતિનાં ભેદભાવો જન્મ્યા.

આજના ભારતમાં પણ લોકો શુદ્ર છે અને જાતિની ઊંચ-નીચતાનો શિકાર બનેલા છે.

બીજી ભાષાઓમાં