જેતપુર-કાઠીના

વિકિપીડિયામાંથી

જેતપુર-કાઠીના ભગવાન સ્વામિનારાયણનું ગાદી સ્થાન છે.

વિ.સં. ૧૮૫૮ કારતક સુદ ૧૧ એકાદશીના રોજ રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની ગાદી પર નવા આવેલા બ્રહ્મચારી શિષ્ય શ્રી સહજાનંદ સ્વામીને તખ્તનશીત કર્યા ત્યારથી આ સંપ્રદાયના માલિક ભગવાન સ્વામિનારાયણ બન્યા. આ સંપ્રદાયનું મૂળ નામ ઉધ્ધવ સંપ્રદાય છે, પણ સહજાનંદ સ્વામીના નામથી ગાદીએ આવીને ભગવાન સ્વામિનારાયણે આ ધરતી પર ધર્મ ધજા ફરકાવી, તેથી આજે આ સંપ્રદાય તેમના નામે જ ઓળખાય છે. અહીં જે સ્થાને ભગવાન સ્વામિનારાયણનો ગાદી અભિષેક થયો હતો તે સ્થાને સુંદર મંદિર છે.