ભોંયરીંગણી
વિકિપીડિયાથી
ભોંયરીંગણી (સંસ્કૃત: कंटकारी; વૈજ્ઞાનિક નામ: સોલેનમ ઝેન્થોકાર્પમ-Solanum xanthocarpum; અંગ્રેજી: Yellow Berried Night shade) એ એક વનસ્પતિ છે. આ વનસ્પતિનો છોડ જમીન પર ફેલાતો, બહુવર્ષાયુ છોડ હોય છે. આ છોડનાં પાંદડાં લાંબા, કાંટાયુક્ત અને લીલાં રંગના હોય છે; તેનાં પુષ્પો જાંબલી રંગનાં હોય છે. તેનાં ફળ કાચાં લીલા રંગના અને પાકી જાય ત્યારે પીળા રંગના થઇ જાય છે. આ ફળમાં બીજ હોય છે, જે નાંનાં અને ચીકણાં હોય છે. આ છોડ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સુકા સ્થાનો પર જોવા મળતા હોય છે.
[ફેરફાર કરો] આયુર્વેદિક ગુણ કર્મ
ગુણ-- લઘુ, રુક્ષ, તીક્ષ્ણ
રસ-- તિક્ત, કટુ
વિપાક-- કટુ
વીર્ય-- ઊષ્ણ
કફવાત શામક, કાસહર, શોથહર, રક્તશોધક, બીજ શુક્રશોધન, હૃદયરોગનાશક, વાતશામક, રક્તચાપશામક (Lowers the Blood pressure)
[ફેરફાર કરો] આ પણ જુઓ
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- રોહતાસના કિસાને શોધ્યું ઉન્નતિનું બીજ (હિંદી ભાષામાં)
- સોલેનમ ઝેન્થોકાર્પમ (Solanum Xanthocarpum)
- ભોંયરીંગણીના ઉપયોગ તથા ફાયદાઓ
- આ વનસ્પતિ શોધીને લઇ આવો વત્સ … (હિંદી ભાષામાં)